Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018
અવસાન નોંધ

મણીબેન બ્રહ્માણી

રાજકોટ : સ્વ. શ્રીમતી મણીબેન વિઠ્ઠલભાઇ બ્રહ્માણી જે સ્વ. જયંતિભાઇ, સ્વ. હિંમતભાઇ,  મધુભાઇ, કાંતીભાઇ તથા જગદીશભાઇ  બ્રહ્માણી (કલેકટર કચેરી રાજકોટ)ના માતુશ્રીનું તા. ૧પ-ર-ર૦૧૮ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

સદગતનું બેસણું તેમના નિવાસ સ્થાન સરકારી વસાહત, કવાર્ટર નં. સી-ર૪, ધરમ સિનેમા પાછળ, રાજકોટ ખાતે તા. ૧૬-ર-ર૦૧૮ ના રોજ સાંજે પ થી ૬ દરમિયાન રાખેલ છે.

ગોંડલના પત્રકાર હરેશભાઇ ગણોદીયાના પિતાશ્રીનું અવસાન

ગોંડલ : ગોંડલ રેલ્વેના નિવૃત કર્મચારી છગનભાઇ બચુભાઇ ગણોદીયા (ઉ.વ.૭ર), તે દિલીપભાઇ સી. ગણોદીયા પીજીવીસીએલ કર્મચારી અને હરેશભાઇ સી. ગણોદીયા 'અકિલા'ના પત્રકાર-એજન્ટના પિતાશ્રીનું દુઃખદ અવસાન થયેલ છે. સ્મશાન યાત્રા આજે સવારના ૮-૦૦ કલાકે તેમના પંચનાથ પ્લોટ વિસ્તાર-ખાતેના નિવાસસ્થાન ખાતેથી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં રાજકીય, સામાજીક આગેવાનો, કાર્યકરો, પત્રકારો, નગરજનો જોડાયા હતા અને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી

મનહરલાલ ચૌહાણ

રાજકોટઃ સોરઠિયા રાજપૂત મનહરલાલ છગનલાલ ચૌહાણ (ઉ.વ.૧૦૨) તે સ્વ.કાંતિલાલ તથા પી.એમ. ચૌહાણ (નિવૃત શિક્ષક, ચૌધરી હાઇસ્કૂલ) હંસાબહેન ચૌહાણ (નિવૃત શિક્ષિકા, કોટક કન્યા વિનય મંદિર) કુંદનબહેન ચૌહાણ (નિવૃત શિક્ષિકા, વી. સી. હાઇસ્કૂલ મોરબી)ના પિતાશ્રી તેમજ ગં. સ્વ. ઉષાબહેન કે. ચૌહાણ તથા જી. જે. રાઠોડ (નિવૃત શિક્ષિકા બાઇસાહેબબા ગર્લ્સ હાઇસ્કૂલ-આલ્ફ્રેડ હાઇ.)ના સસરા, અને હિરેનભાઇ, હાર્દિકભાઇ, ભાવેશભાઇ, નિકુંજભાઇના દાદા તેમજ હર્ષિલ, કાનલ, સ્તુતિ, ધ્રુવી, યશરાજ તથા  નક્ષના મોટા દાદાનું તા.૧૪ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧પને ગુરૂવારે, ભોમેશ્વર મંદિર, ભોમેશ્વર પ્લોટ, જામનગર રોડ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

રમાબેન ઘેલાણી

રાજકોટઃ સુદાન નિવાસી હાલ લંડન સ્વ.અમૃતલાલ નાગરદાસ ઘેલાણીના પત્ની રમાબેન તે સ્વ.શાંતીભાઇ, સ્વ.સુરેશભાઇ તથા કિશોરભાઇ ઘેલાણીના મોટા ભાભી જે મનસુખલાલ ઘેલાભાઇ દોશી, સ્વ.મુકુંદભાઇ તથા કિશોરભાઇના બહેનનું અવસાન લંડન મુકામે તા.૧૩ના થયેલ છે. જેની સાદળી જૈન ભુવનમાં તા.૧૬ના શુક્રવારના સાંજના પ થી ૬ રાખેલ છે.

મનસુખલાલ મહેતા

મોરબીઃ મનસુખલાલ છગનલાલ મહેતા (મનુભાઇ પાનેલીવાળા) (ઉ.વ.૮૮) તે વિજયભાઇ, બિપીનભાઇ, ભરતભાઇ અને મુકેશભાઇના પિતા તા.૧૩ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. બેસણું તા.૧પને ગુરૂવારના રોજ સાંજે ૪-૩૦ થી પ-૩૦ કલાકે મોઢ વણિક વાડી, ગાંધી ચોક મોરબી રાખેલ છે.

રોશનબેન પઠાણ

વિસાવદર : સરસઇ નિવાસી રોશનબેન રહીમભાઇ પઠાણ (ઉ.વ.૬૦) તેઓ ઇનુષપાન પઠાણના માતુશ્રીનું તા. ૧ર મીએ અવસાન થયેલ છે.

હર્ષદભાઇ વોરા

મોરબીઃ હર્ષદભાઇ છોટાલાલ વોરા (ઉ.વ.૬૪) તે છોટાલાલ મોહનલાલ વોરા તથા પુષ્પાબેન છોટાલાલ વોરાના પુત્ર તથા હિતેન વોરાના મોટાભાઇ લંડન મુકામે તા.૧૩ના રોજ અરીહંત શરણ પામેલ છે. સાદડી તા.૧૭ને શનિવારના રોજ બપોરે ૩ થી પ કલાકે ફલોર હોમ્સના ઉપાશ્રય, સામાકાંઠે મોરબી રાખેલ છે.

ચંદ્રાબેન કોંઢીયા

રાજકોટઃ ચંદ્રાબેન ચમનલાલ કોંઢીયા તે કચ્છ- માંડવી નિવાસી સ્વ. બાલુભાઇ જુઠાભાઇની મોટી પુત્રી સ્વ.  વસંતલાલ તેમજ મહેન્દ્રભાઇ અને મનહરભાઇ ગોદાવરીયાના બહેન તથા કિરીટભાઇના મોટા ફઇબાનું તા.૯ના રોજ અવસાન અમદાવાદ મુકામે  થયેલ છે. સદ્ગતની પિયરપક્ષની સાદડી તા.૧૫ને ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬, ગૌરેશ્વર મહાદેવન મંદીર, જંકશન કો.ઓપ.હા.સોસાયટી, રાજકોટ ખાતે રાખેલ છે.

 હસમુખભાઇ રાજયગુરૂ

 રાજકોટઃ સુરેશભાઇ તથા મનોજભાઇના મોટાભાઇ (બગસરા નિવાસી) હાલ અમદાવાદ હસમુખભાઇ ડાયાલાલ રાજયગુરૂ તે પુનિતભાઇ રાજયગુરૂ અને વિરલભાઇ રાજયગુરૂના પિતાનું તા.૧૨ને  સોમવારના રોજ અમદાવાદ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૫ ગુરૂવારે સાંજે ૪ થી ૬  તેમના  નિવાસસ્થાન બ્લોક નં.૪૭/૪૩૩, ન્યુ બોમ્બે હાઉસીંગ સોસા. જૈન મંદીર સામે, સરસપુર, અમદાવાદ ખાતે રાખેલ છે.

 પુનિતાબેન શેઠ

 રાજકોટઃ નિવાસી સ્વ. સુર્યકાંતભાઇ શેઠના પુત્ર  બકુલભાઇ શેઠના  પત્નિ- પુનિતાબેન તે શ્રેણિક-સિંધ્ધાર્થ- નિયતીના માતુશ્રી તેમજ સંજયભાઇ, કિન્નરીબેન, પારુલબેનના ભાભી તે પ્રતાપભાઇ દોશીના પુત્રી આજે તા.૧૫ને ગુરૂવારના અરિંહતશરણ પામેલ છે. તેઓની પ્રાર્થનાસભા તા.૧૭ને શનિવારના સવારના ૧૦:૩૦  થી ૧૧:૩૦ પારસ કોમ્યુનીટી હોલ, પારસ સોસાયટી ખાતે રાખેલ છે.

દયાળજીભાઇ વડગામા

રાજકોટઃ મેડી (જગા) નીવાસી ગુર્જર સુતાર દયાળજીભાઇ ભોવાનભાઇ વડગામા (ઉ.વ.૮૦) તે રમેશભાઇના પિતા તથા ભગવાનજીભાઇ રતીભાઇ જેન્તીભાઇ વડગામાના મોટાભાઇ તથા મુકેશભાઇ રાજેશભાઇ પ્રવિણભાઇ મુનાભાઇ નીતીનભાઇ વડગામાના ભાઇજીનું તા.૧૪ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૬ના શુક્રવારે ૩ થી પ સાંજે મેડી ગામ ખાતે રાખેલ છે.

ચંદુલાલ દવે

ગોંડલ : ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા જ્ઞાતિના બ્રાહ્મણ તે મુળ હાથીગઢ નિવાસી હાલ ગોંડલનાં તે જનકભાઇ, શશીકાંતભાઇ તથા મનોજકુમાર સી. દવે (એડવોકેટ) ના પિતાશ્રી ચંદુલાલ છગનલાલ દવે (ઉ.૯૧) તા. ૧૪ ને બુધવારે કૈલાસવાસ થયેલ છે. બેસણુ તા. ૧૬ ના રોજ શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને, શિવભુવન, કપુરીયા પરા, મીલ રોડ, ગોંડલ મુકામે રાખેલ છે.

નિરંજનભાઇ શેઠ

રાજકોટઃ સ્વ.ભુપતભાઇ તથા સ્વ.કુસુમબેન શેઠના પુત્ર નિરંજનભાઇ (ઉ.વ.૭ર) તે સુધાબેનના પતિ, શ્રેણિકભાઇના પિતા, પાયલબેનના સસરા, અમાનભાઇના દાદા અને નરેન્દ્રભાઇ, જયપ્રકાશભાઇ, મીનાબેન ભાસ્કરભાઇ શાહ, પુષ્પાબેન નિશીથભાઇ મહેતા, જયશ્રીબેન નરેન્દ્રભાઇ શાહ અને સ્મિતાબેન કુમારભાઇ શાહના ભાઇ તથા સ્વ.મનસુખભાઇ મહેતાના જમાઇનો તા.૧૩ના બાંધણી તીર્થમાં દેહત્યાગ થયો છે. લૌકિકક્રિયા બંધ છે.