Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017
નાગરીક બેન્કના ડે. ચીફ ઈજનેરો ડો. હિતેષભાઈ શુકલના પિતાશ્રીનું અવસાન : શનિવારે બેસણું

રાજકોટ : ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ નટવરલાલ નારણભાઈ શુકલ (ઉ.વ.૮૪) તે સ્વ. નારણજીભાઈ પિતાંબરભાઈ શુકલના મોટાપુત્ર તથા બળવંતભાઈ, સ્વ. ગીરજાશંકરભાઈ, વસંતભાઈના મોટાભાઈ, તે ડો.હિતેષભાઈ શુકલ (ડે. ચીફ ઈજનેર, રાજકોટ નાગરીક બેંક), કૌશિકભાઈ (વેણીલાલ સ્કુલ- જસદણ), જયોતિબેન ગુણવંતરાય પંડ્યા, રક્ષાબેન સુરેશકુમાર વ્યાસ, વર્ષાબેન અશ્વિનકુમાર ભટ્ટના પિતાશ્રીનું જસદણ મુકામે તા. ૧૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ 'રાજરાજેશ્વરી' ૩, તિરૂપતિનગર, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

વડીયા કાઠી ક્ષત્રીય સમાજના અગ્રણી ભીખુભાઇ કહોરનું અવસાન

વડીયા : કાઠી સમાજના અગ્રણી અને પાંચ વર્ષ સભાપતિ અને દશ વર્ષ સરપંચ પદે રહી ચુકેલ ભીખુભાઇ નાગભાઇ કહોર (ઉ.૬૮) નું અવસાન થયું છે. વડીયા - કુંકાવાવ પંથકમાં તેના નિધનથી કાઠી ક્ષત્રીય સમાજમાં દુઃખની લાગણી પ્રસરી ગયેલ. વડીયાની તમામ સરકારી શાળાઓમાં બે મિનીટનું મૌન રાખેલ. સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. પુત્રો હસુભાઇ ભીખુભાઇ કહોર અને જયરાજભાઇ ભીખુભાઇ કહોર સહિત પરિવારજનોને સદ્ગત વિલાપ કરતા છોડી ગયેલ છે.

અવસાન નોંધ

વિમલભાઇ વસા

રાજકોટ : જેતપુર નિવાસી હાલ બોમ્બે વિમલભાઇ જેઠાભાઇ વસા (હિરાચંદ ચત્રભુજ વસા પરિવાર) (ઉ.વ.૫૨) શંખેશ્વર મુકામે અવસાન પામેલ છે. તેમની સ્મશાનયાત્રા આજે ગુરૂવારે રાત્રે ૮.૩૦ વાગ્યે 'રચના' ૪૧- અ, ન્યુ જાગનાથ પ્લોટ, મગનલાલ આઇસ્ક્રીમ પાછળ, રેસકોર્ષ ખાતેથી નિકળશે.

જુગતરાય ભટ્ટ

રાજકોટઃ સૌરાષ્ટ્ર ત્રીવેદી મેવાડા બ્રાહ્મણ નયનાબેન ભુપતરાય વ્યાસ, વીપુલાબેન મનસુખલાલ જોષી તથા વૈશાલીબેન કેતનભાઇ શુકલના પિતાજી અમદાવાદ નિવાસી સ્વ.જુગતરાય લક્ષ્મીશંકર ભટ્ટ (ઉ.વ.૯૧)નું તા.૯ના રોજ સ્વધામગમન થયેલ છે. સદ્દગત દ્વારા દેહદાન કરવામાં આવેલ છે.

ગોદાવરીબેન આચાર્ય

કુવાડવાઃ શાસ્ત્રી પ્રવીણઅદા જોષીના બહેન ગોદાવરીબેન માહાશંકર આચાર્યનું મોરબી મુકામે તા.૧૧ના અવસાન થયેલ છે. તેમનું બેસણું કુવાડવા ગામે તા.૧પના પ્રવીણ અદાના નિવાસ સ્થાને સાંજના ૪ થી ૬ રાખવામાં આવેલ છે.

મનુભાઇ પરમાર

રાજકોટઃ કારડીયા રાજપૂત સ્વ.મનુભાઇ માધુભાઇ પરમાર (ઉ.વ.૬૭)નું તા.૧રના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧પના શુક્રવારે સાગર કોમ્યુનીટી હોલ પંચશીલ ૮૦ ફુટ મેઇન રોડ, ગોકુલધામ પાસે ૩/૪ ન્યૂ પપૈયાવાડી ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

રૂબાબબેન ત્રવાડી

રાજકોટઃ રૂબાબબેન ઇસ્માઇભાઇ ત્રવાડી (બાટાવાલા) તે અબ્બાસીભાઇ (ઘીયા બેરીંગ), રીઝવાનભાઇ, ઇમરાનભાઇ, ફાતેમાબેન, મુનીરાબેન, યાસ્મીનબેન (યુ.કે.),ના માતાનું તા.૧રના અવસાન થયુ છે. બેસણું તા.૧પના સાંજે ૪ થી પ, તેમના નિવાસ સ્થાન રર/૪૭ પ્રહલાદ પ્લોટ ખાતે રાખ્યુ છે.

અમીતાબેન થાનકી

જુનાગઢઃ અજયભાઇ બચુભાઇ થાનકીના પત્ની અમીતાબેન (ઉ.વ.૩૩) તે બચુભાઇના પુત્રવધુ તથા સ્વ.લક્ષ્મીદાસ છોટાલાલ સોનપાલના પુત્રી તેમજ હિરેનભાઇના બહેનનું તા.૧રના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.૧૪ ગુરૂવારે સાંજે ૪ થી ૬ આદિત્યનગર જોશીપરા આદિત્યેશ્વર મહાદેવ મંદિરે રાખેલ છે.

દમયંતીબેન પુજારા

વાંકાનેરઃ સ્વ.લાભચંદ્રભાઇ ત્રીભોવનદાસ પુજારાના પત્ની દમયંતીબેન (ઉ.વ.૮૦) તે પંકજભાઇ, પ્રદિપભાઇ, લિનાબેન કિશોરકુમાર હીરાણી તથા નીતાબેન નિલેશકુમાર વિઠ્ઠલાણીના માતુશ્રી તથા મિરલ અને જય પુજારાના દાદીમાં તેમજ મોટા દહીસરાવાળા સ્વ.છગનલાલ ધરમશીભાઇ સેતાના પુત્રી અને કિશોરભાઇ તથા ભોગીલાલના બહેનનું તા.૧૦મીએ અવસાન થયેલ છે. ઉઠમણું તથા પીયર પક્ષની સાદડી તા.૧પમીએ શુક્રવારે સાંજે પ-૦૦ વાગ્યે શ્રી વિશ્વકર્મા મંદીર, જીનપરા - વાંકાનેર ખાતે રાખેલ છે.

કુસુમબેન મહેતા

જુનાગઢઃ રાજગોર બ્રાહ્મણ પ્રભાશંકરભાઇ મહેતાના પત્ની કુસુમબેન (ઉ.વ.૬૩) તે જીતુભાઇ તથા મુકેશભાઇ (એડવોકેટ)ના માતુશ્રી તા.૧રના અવસાન થયેલ છે. બેસણું તા.૧૬ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬, આદિત્યેશ્વર મહાદેવ મંદિર આદિત્યનગર જોષીપરા જુનાગઢ ખાતે રાખેલ છે.

અલફારૂકભાઇ બોધા

મોરબીઃ અલફારૂકભાઇ અબ્દુલભાઇ બોધા તે એડવોકેટ ગુલજારભાઇ બોઘા, મનસુરભાઇ અને મોહીનભાઇના પિતા તા.૧૩ ને બુધવારે જન્નત નશીન થયેલ છે. જીયારત તા.૧પને શુક્રવારે સવારે ૯ થી ૧૦ ફારૂકી મસ્જીદ, ઘાંચીપરા મોરબી ખાતે રાખેલ છે.

જટાશંકરભાઇ પુરોહિત

કેશોદ : જગદીશ અબોટી બ્રાહ્મણ જટાશંકરભાઇ દુર્લભજીભાઇ પુરોહીત (ઉ.૮ર), (હાલ અમદાવાદ) તે દેવેન્દ્રભાઇના પિતા તથા પરસોતમભાઇ, લલીતભાઇ, પ્રભાશંકરભાઇ, ભગવાનજીભાઇ તથા યોગેશભાઇના ભાઇનું તા. ૮ ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું કેશોદ પરસોતમભાઇના નિવાસ સ્થાને આંબાવાડી, બગીચાની પાછળ, તા. ૧૪ ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ રાખવામાં આવેલ છે. (

ભાનુબેન ભટ્ટ

વીરપુર (જલારામ) : સ્વ. ગીરીશચંદ્ર દામોદરભાઇ ઠાકર (બજીભાઇ) ના પત્ની તથા ચીંતનભાઇ રાજેશભાઇ ઠાકર તેમજ દીપ્તીબેન દુષ્યંતભાઇ ભટ્ટ (ધોરાજી)ના દાદીમાં ભાનુબેન (ઉ.૮૯) નું તા. ૧૦ ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૪ ને ગુરૂવારના બપોરે ૪ થી ૬ માનકેશ્વર મહાદેવ મંદિર વીરપુર (જલારામ) ખાતે રાખેલ છે.

સુધાબા મહેન્દ્રસિંહ જાડેજા

રાજકોટ : મુળ ધુડીયા દોમડાના વતની (હાલ રાજકોટ) સુધાબા મહેન્દ્રસિંહ જાડેજા તે મુળરાજસિંહ રામસિંહજીના ભાભી, અનુરાધાબા ગજેન્દ્રસિંહ ઝાલાના માતુશ્રી તથા ગજેન્દ્રસિંહ કે. ઝાલાના સાસુમા તથા જયદિપસિંહ મુળરાજસિંહના ભાભુમાનું તા. ૧૩ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧પ ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે, ગુજરાત હાઉસીંગ બોર્ડ શેરી નં. ૬, મકાન એમ. ૧૭ર, શ્રી આશાપુરા કૃપા, કાલાવડ રોડ, સ્વામીનારાયણ મંદિર સામે રાજકોટ ખાતે રાખેલ છે. તેઓની ઉત્તરક્રિયા તા. ૧૯ ને મંગળવારના રોજ તેમના નિવાસસ્થાને રાખેલ છે.

કંચનબેન ત્રિવેદી

રાજકોટ : મુળ ખાખરા (જીવાપરા) હાલ રાજકોટ ગં. સ્વ. કંચનબેન ખેલશંકરભાઈ ત્રિવેદી (ઉ.વ.૮૭) ઓવદિત્ય સહસ્ત્ર ઝાલાવાડીયા બ્રાહ્મણનું તા.૧૩ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૫ને શુક્રવારે સાંજે ૪ થી ૫ તેમના નિવાસસ્થાને શ્રી હરસિદ્ધિ નિવાસ રામેશ્વર પાર્ક શેરી નં. ૧, રેલનગર-૨ની સામે ભગવતી હોલ પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

કિરીટભાઇ શિશાંગીયા

રાજકોટ : નાના વડાળા (તા.કાલાવડ)  નિવાસી વાણંદ શિશાંગીયા કિરીટભાઇ શાંતિભાઇ (ઉ.વ.૫૧) તે પરેશભાઇના નાનાભાઇ તેમજ દિક્ષીતભાઇ, ધવલભાઇ અને અરૂણભાઇના પિતાશ્રીનું તા. ૧૩ ના અવસાન થયેલ છે.

ભગવાનજીભાઇ કોટેચા

ભાટીયા : મુળ હરીપરવાળા હાલ જામનગર ભગવાનજીભાઇ વિઠ્ઠલદાસ કોટેચા (ઉ.વ.૭પ) તેઓ સ્વ.કરશનદાસ, સ્વ.ભીમજીભાઇ, સ્વ.કાકુભાઇ તેમજ ગોરધનદાસભાઇના ભાઇ તેમજ  કલ્પેશભાઇ (રાધિકા એન્ટરપ્રાઇઝ), પરેશભાઇ (તિરૂપતિ એન્ટરપ્રાઇઝ-લાલપુર), પ્રફુલભાઇ (શ્રીજી એન્ટરપ્રાઇઝ-ભાટીયા) તેમજ દક્ષાબેન કિરીટભાઇ-જામખંભાળીયા તેમજ વર્ષાબેન નિલેશભાઇ દત્તાણી-જામનગરના પિતાશ્રીનું અવસાન થયુ છે. સદ્દગતનું ઉઠમણુ તા.૧પના રોજ પાબારી હોલ ખાતે સાંજે પ-૩૦ થી ૬ ભાઇઓ તેમજ બહેનો માટે સાથે તેમજ સાસરીયા પક્ષની સાદડી સાથે રાખેલ છે.

ભાનુભાઇ લગધીર

રાજકોટ : મુળ સોખડા હાલ રાજકોટ બારોટ ભાનુભાઇ મેરામભાઇ લગધીર (ઉ.વ.૬૭) તે માવજીભાઇ અને લાભુભાઇના નાનાભાઇ તેમજ રાજુભાઇ અને વિજયભાઇના પિતાશ્રીનું તા. ૧૩ ના બુધવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૫ ના શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન ઉદયનગર-૧, શેરી નં. ૧૫, સમોઝાદ સ્કુલ પાસે, મવડી ચોકડી, રાજકોટ ખાતે રાખેલ છે.

લાભશંકર વ્યાસ

રાજકોટ : મુળ તરઘડીયા હાલ રાજકોટ નિવાસી લાભશંકર રામજીભાઇ વ્યાસ (ઇન્દ્રોડીયા) (ઉ.વ.૭૬) તે સુરેશભાઇ, મુકેશભાઇ, જયેશભાઇ, ઉર્મીલાબેન, મીનાક્ષીબેન, ચંદ્રીકાબેન અને વિણાબેનના પિતાશ્રીનું તા. ૧૩ ના બુધવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું ૧પ ના શુક્રવારે સાંજે ૪ થી ૬ વરીયાવાડી શકિત સોસાયટી શેરી નં.૩, સંતકબીર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રજનીકાંતભાઈ દોશી

રાજકોટ : વાંકાનેર નિવાસી હાલ રાજકોટ સ્વ.હરિલાલ એસ.દોશીના પુત્ર રંજનીકાંતભાઈ (રાજેશ ટાઈપીંગવાળા) તેઓ પ્રમોદિનીબેનના પતિ, સુરત નિવાસી સ્વ.જયંતિલાલ એચ. કાપડીયાના જમાઈ, પારસ તથા હાર્દિકના પિતાશ્રી, આરતી જાગૃતિના સસરા, સ્વ.લલીતભાઈ, નવીનભાઈ, પ્રદિપભાઈ, ભરતભાઈ, પુનીતાબેન, ભાનુબેન, જયશ્રીબેન, સ્વ.દક્ષાબેન તથા ભારતીબેનના ભાઈ, હિર, વિદિતાના દાદાજીનું તા.૧૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે જેમનું ઉઠમણું તા.૧૫ શુક્રવારના રોજ સાંજે ૪ વાગ્યે ઋષભદેવ ઉપાશ્રય, તિરૂપતિનગર મેઈન રોડ, કેન્સર હોસ્પિટલ સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

ભુપેન્દ્રભાઈ જાડાની કાલે પ્રાર્થનાસભા

રાજકોટ : શ્રી રાજકોટ બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ - રાજકોટના પ્રમુખ તથા શ્રી રાજકોટ સોરઠીયા બ્રહ્મક્ષત્રિય પંચના કારોબારી સભ્ય તથા શ્રી સોરઠીયા યુવા સોસીયલ ટ્રસ્ટ તથા શ્રી મંછામાતા ટ્રસ્ટ તેમજ અનેક સંસ્થામાં જોડાયેલ (જ્ઞાતિ સેવક-જ્ઞાતિ રત્ન) સ્વ.ભુપેન્દ્રભાઈ વસનજીભાઈ જાડાની ''શ્રદ્ધાસુમન પ્રર્થાના'' તા.૧૫ શુક્રવારે સાંજે ૪ થી ૫ કલાકે, બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, પેડક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

જયોતિબેન અંબાસણા

રાજકોટ : રવિ ભાગવતપ્રસાદ અંબાસણા (જામનગર)ના ધર્મપત્ની જયોતિબેન (ઉ.વ.૩૯) તે કિશોરભાઈ ખોડીદાસભાઈ જોલાપરા (એકમે ઈન્ડસ્ટ્રીઝ)ની પુત્રી અને નીલેશભાઈનાં બહેન જયોતિબેનનું  તા.૧૩ના રોજ જામનગર ખાતે દુઃખદ અવસાન થયું છે. તેમનું પીયર પક્ષનું બેસણું તા.૧૬ ને શનિવારે ૪ થી ૫:૩૦ પંચશીલ કમ્યુનીટી હોલ, પંચશીલ સોસાયટી, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.