Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021
કેસરી દૈનિકના આદ્યસ્થાપકઃ તંત્રી હરીશભાઇ નાવાણીની કાલે પ્રાર્થના સભા

જુનાગઢઃ કેસરી દૈનિકના આદ્યસ્થાપક તંત્રી હરીશભાઇ નાવાણી ઉ.૮૬નું ગઇકાલે અવસાન થતા અખબારી આલમમાં શોક છવાયો હતો.

સ્વ. હરીશભાઇ તેમના ધર્મપત્ની પદમાબેન પુત્ર સુનિલભાઇ પુત્રી વૈશાલીબેન પુત્રવધુ આસ્થાબેન અને પૌત્રો આદિત્ય અને કહાનને વિલાપ કરતા છોડી ગયા છ.ે હરીશભાઇની અંતિમ યાત્રામાં મેયર ધીરૂભાઇ ગોહેલ તેમજ પુર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઇ કોટેચા પૂર્વધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ બિલ્ડર્સ નિલેશ ધુલેશીયા સહીત વિવિધક્ષેત્રના આગેવાનોએ શ્રદ્ધાંજલી અર્પણ કર્યા હતા.

સ્વ. હરીશભાઇ નવાણીની તા.૧પને શુક્રવારના રોજ આવતીકાલે સાંજે ૪ થી ૬ પ્રાર્થના સભા ભુતનાથ મહાદેવ સત્સંગ હોલ જુનાગઢ ખાતે રાખેલ છે. તેમજ નાવાણી પરિવારને ટેલીફોનીક  સાંત્વના આપવા સુનિલભાઇ નાવાણી મો. ૯૩૭૬૦ ૦૧૬૦૦

અવસાન નોંધ

રૂગનાથગીરી ગોસાઈ

રાજકોટઃ ગોંડલ નિવાસી અતીત બાવાજી ગોસાઈ રૂગનાથગીરી શ્યામગીરી (નિવૃત્ત આચાર્ય) (ઉ.વ.૮૪)નું તા.૧૧ સોમવારના રોજ કૈલાસ ગમન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૪ ગુરૂવાર સાંજે ૪ થી ૬ શકિતપૂજન / શંખઢોળ વિધી તા.૨૨ શુક્રવાર સ્થળ- ગોંડલ દસનામ વાડી, ગોંડલ ખાતે રાખેલ છે. ઘનશ્યામભાઈ રૂગનાથગીરી ગોસાઈ, નટવરગીરી રૂગનાથગીરી ગોસાઈ, મો.૯૯૭૪૮ ૬૦૬૩૨, મો.૮૮૬૬૫ ૮૪૭૯૪

રતનસંગભાઈ જારીયા

રાજકોટઃ મોરબી- નવી ટીંબડી નિવાસી કારડીયા રાજપુત રતનસંગભાઈ અમરસંગભાઈ જારીયા (ઉ.વ.૬૬)નું તા.૧૨ને મંગળવારના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું તા.૧૫ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન નવી ટીંબડી (મોરબી) ખાતે રાખેલ છે.

જયંતિલાલ ખોડા

કુંકાવાવ મોટી : તાલાલા નિવાસી જયંતિલાલ વિઠલદાસ ખોડા ઉ.વ.૬ર તે મોટીકુંકાવાવ નિવાસી હિંમતલાલ જાદવજીભાઇ ઉનડકટના જમાઇ તેમજ વિનુભાઇ, વસંતભાઇ તથા હસમુખભાઇના બનેવીનું તા.૧રના રોજ મોટીકુંકાવાવ મુકામે અવસાન થયેલ છે.

ચંદ્રકાંતભાઇ મહેતા

મોરબી : બગથળા વાળા હાલ મોરબી ચંદ્રકાંતભાઇ ટોકરશીભાઇ મહેતા (ઉ.વ.૭૮) તે નીલકંઠ ટ્રેડીંગ (તેલના વેપારી) તેમજ પીયુષભાઇ, અતુલભાઇના પિતાશ્રી, દિશાંત, ક્રીશ-રીયા-જાનવી નેન્શી તથા સ્વ. હર્ષના દાદાનું તા. ૧૧ ને સોમવારના રોજ અરિહંત શરણ પામેલ છે.  તેમની પ્રાર્થના સભા તા. ૧૬ ને શનિવારના રોજ ૧૦ કલાકે દશાશ્રી માળી વણીક જ્ઞાતિની વાડી બેન્ક ઓફ બરોડા સામે-મોરબી રાખેલ છે.

નિકિતાબેન બદ્રકીયા

રાજકોટઃ ગુર્જર સુતાર ઝીંઝુડાવાળા, નિકીતાબેન (ઉ.વ.૨૯) તેઓ દેવાંગભાઈ બદ્રકિયાના ધર્મપત્નિ, કમલેશભાઈ તથા દિનેશભાઈના પુત્રવધુ, મનસુખભાઈ કાકડીયા ભાડલાવાળાના પુત્રી, તુષારભાઈ તથા નિલેષભાઈના બહેનનું તા.૧૩ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું તા.૧૫ને શુક્રવારના રોજ બપોરે ૩ થી ૫ રાખેલ છે. સ્થળ- શ્રી આદ્યશકિત માતાજી મંદિર, ઉદયનગર વિભાગ-૧, શેરીનં.૨૨, સરદારનગર કોમ્યુનિટી હોલ પાસે, મવડી પ્લોટ, રાજકોટ, કમલેશભાઈ દેવકરણભાઈ બદ્રકિયા,  મનસુખભાઈ ભીખાભાઈ કાકડીયા મો.૯૯૨૫૧ ૧૭૯૪૧

ધર્મેન્દ્રસિંહ જાડેજા

રાજકોટઃ ધર્મેન્દ્રસિં રણવીરસિંહ જાડેજા તા.૧૨ને મંગળવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૧૬ને શનિવારના રોજ વેજાગામ (દાળિયા) મુકામે રાખેલ છે. સ્વ.હરદેવસિંહ રણવીરસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ તથા રઘુરાજસિંહના નાનાભાઈ તથા વીરભદ્રસિંહ, ભવદિપસિંહ, મીતરાજસિંહ તથા પૃથ્વીરાજસિંહના કાક.

ભૂપતભાઇ ગોકળગાંધી

રાજકોટ : નવગામ ભાટીયા ભૂપતભાઇ હરીદાસ ગોકળગાંધી કોટક શેરી વાળાને મેહુલના પિતા તેમજ ઉદયભાઇના ભાઇ તેમજ વેદ પ્રવિણભાઇ મનુભાઇના બનેવી તા. ૧૩ના શ્રીજી ચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૧૫ના સાંજે ૫ થી ૬ રાખેલ છે. મેહુલ મો. નં. ૯૭૨૬૦ ૬૯૯૬૪, પ્રવિણભાઇ મનુભાઇ વેદ મો. ૮૧૨૮૫ ૦૯૦૬૭

ગોદાવરીબેન ટાંક

રાજકોટઃ ગોદાવરીબેન કલ્યાણભાઈ ટાંક (પાટડિયા) તે સ્વ.કલ્યાણભાઈ ટાંકના ધર્મપત્નિ તથા બાબુભાઈ (રાજકોટ), રમણીકભાઈ, વિરેન્દ્રભાઈ (અમદાવાદ)ના  માતુશ્રીનું તા.૧૨ને મંગળવારના રોજ જોરાવરનગર ખાતે દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૬ને શનિવાર, સાંજે ૪ થી ૬ કલાકે, પ્રજાપતિ જ્ઞાતિની વાડી, નદી કાંઠે, જોરાવરનગર ખાતે રાખેલ છે.(

મંજુલાબેન ચાવડા

રાજકોટ : મંજુલાબેન ચાવડા (ઉ.વ.૯૪) તે સ્વ. રણછોડભાઈ દેવરાજભાઈ ચાવડાના ધર્મપત્નિ, તથા સ્વ. દામજીભાઈ અને દિનેશભાઇ, રમેશભાઈ થતા અનિલભાઈના માતૃશ્રી અને અશોકભાઈ, પ્રવીણભાઈ, નિલેશભાઈ, ભાવેશભાઈ, દીપકભાઈ, જીતુભાઈ, શ્રેયાસભાઈના દાદીશ્રીનું તા. ૧૩ ને બુધવારે અવસાનથયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૬ ને શનિવારે સાંજે ૪:૩૦ થી ૬:૩૦ તેમના નિવાસ સ્થાન ૧૧૦૬, મિત હાઇટ્સ, જય ખોડિયાર સોસાયટી શેરી નં-૭ ગોવર્ધન ચોક, ૧૫૦ ફૂટ રિંગ રોડ - રાજકોટ ખાતે રાખેલ છે. મો. ૯૯૨૫૨ ૦૩૦૯૯, ૯૮૯૮૦ ૭૫૨૦૨