Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019
થાનગઢમાં પાંચાળ સીરામીક એસો. વિકાસ ટ્રસ્ટના સ્થાપક રામજીભાઇ મારૂનું અવસાન

થાનગઢ : સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ વિસ્તારના ભામાશા અને પાંચાળ સીરામીક એસોશિએસન વિકાસ ટ્રસ્ટના સ્થાપક મુ. શ્રી રામજીભાઇ મારૂનું દુઃખદ અવસાન થયેલ છે.

સ્વર્ગસ્થની અંતિમ યાત્રા કાલે તા. ૧પ ને બુધવારે સવારે ૯:૦૦ કલાકે થાનગઢ ખાતેના નિવાસ સ્થાનેથી નીકળશે.

અવસાન નોંધ

કાન્તીલાલ રાવલ

બાંટવાઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ કાન્તીલાલ જમનાદાસ રાવલ હાલ બાંટવા મુળ ઇન્દ્રાણાવાળા તે હિતેશભાઇ રાવલના પિતાશ્રી તથા દિલીપભાઇ, પ્રવિણભાઇ (ઇન્દ્રાણાવાળા)ના મોટાભાઇનું તા.૧૩ ના અવસાન થયેલ છે. બેસણું તા.૧૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિર, બાંટવા ખાતે રાખેલ છે.

નાજાભાઈ છૈયા

રાજકોટઃ નાજાભાઈ જેઠુંરભાઈ છૈયા તે હિતેશભાઈ અને મહેશભાઈના પિતાશ્રીનું તા.૧૪ના દુઃખદ અવસાન થયેલ છે.

પ્રતાપસિંહ ચુડાસમા

બાબરા : પૂર્વ રેન્જ ફોરેસ્ટ અધિકારી ગંભીરસિંહ ભાવસિંહ ચુડાસમા (ભાવનગર વાળા)ના નાનાભાઇ પ્રતાપસિંહનું ૧૩ ને સોમવારે અવસાન થયેલ છે. બેસણું તા. ૧૭ ને શુક્રવારે કાલીયા બીડ જુની ભગવતી સી. એમ. પપ૭ રઘુવીર પાનવાળો ખાચો ભાવનગર ખાતે રાખેલ છે.

ભરતભાઇ દવે

રાજકોટ : સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મૂળ રાણસીકી હાલ જુનાગઢ ભરતભાઇ વિઠ્ઠલજીભાઇ દવે (ઉ.વ.૬પ- રેલ્વે કર્મચારી) તે રજનીભાઇના નાનાભાઇ તથા અનિલભાઇ, નરેન્દ્રભાઇ,નિલેશભાઇ, હર્ષદભાઇ અને રવિભાઇના મોટાભાઇ તથા ચિંતનભાઇ અને ઉષ્માબેનના પિતાશ્રી તેમજ ભાવનાબેનના પતિનું આજે તા. ૧૪ ને મંગળવારે અવસાન થયેલ છે. બેસણું-પ્રાર્થના સભા તા. ૧૬ ને ગુરૂવારે સાંજે પ થી ૬, દરમિયાન તેમના નિવાસ સ્થાન ગિરનાર દરવાજા, ગુણાતીત માર્બલ પાસે, જુનાગઢ ખાતે રાખેલ છે.

દિલીપભાઈ સરવૈયા

રાજકોટઃ સ્વ.દિલીપભાઈ  મોહનભાઈ સરવૈયા તે મનસુખભાઈ, પ્રવીણભાઈ, હરીભાઈના ભાઈ તથા વિશાલ તથા વિરલના કાકા અને દિવ્યા અને ભાવીશાના પિતાશ્રીનું તા.૧૩ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે મોટી ટાંકી પાસે, કોટક સ્કૂલની પાછળ, ગવલીવાડ શેરી નં.૧૨, રાજકોટ ખાતે નિવાસસ્થાને રાખેલ છે.

ગંગાબેન ડાભી

રાજકોટઃ સ્વ.ગંગાબેન બચુભાઈ ડાભી (ઉ.વ.૯૪)નું તા.૧૧ શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રેલનગર-૨, શેરીનં-૧૪ આસ્થાચોક બ્લોક નં-એ-૨૯૮ પોપટપરા પાછળ રાજકોટ ખાતે રાખેલ છે. સદ્દગતના સ્મરણાર્થે તા.૧૭ના રાત્રે ૯:૩૦ થી ૧૧:૩૦ સંતવાણી રાખેલ છે.

કિરીટભાઈ ઉપાધ્યાય

રાજકોટઃ ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ કિરીટભાઇ ભાઇશંકર ઉપાધ્યાય કે જેઓ સ્વ.હર્ષદભાઇ તેમજ સ્વ. જશવંતીબેનના લધુબંધુ તેમજ પ્રમોદભાઇ, હરેશભાઇ, સ્વ ડો. અશોકભાઇ તથા ઇન્દુબેનના મોટાભાઇ તેમજ સ્વ. ચેતનભાઇ, પિયુષભાઇ, મનિષભાઇના પિતાશ્રી તેમજ સ્વ.કાન્તિલાલ મણીશંકર ત્રિવેદીના જમાઇ તેમજ કિશોરભાઇ, હરીશભાઇ તથા અશોકભાઇના બનેવીનુ દુખદ અવસાન તા ૧૨ રવિવારના રોજ થયેલ છે. સદ્દગતનું ઉઠમણુ તથા સ્વસુરપક્ષનુ બેસણુ તા ૧૬ ગુરૂવારના રોજ સમય સાંજે ૫ થી ૬ જ્ઞાતીની વાડી કલ્યાણજી નરશી જાની હોલ,ચંદનપાર્ક,ચંદ્રમોલેશ્વર મંદિર પાસે, રૈયારોડ રાજકોટ ખાતે રાખેલ છે.

માધવજીભાઇ સંતોકી

ઉપલેટાઃ માધવજીભાઇ મગનભાઇ સંતોકી (ઉ.વ.૬૧) તે વનરાજભાઇના ભાઇ તથા સમીરભાઇના કાકા અને જીતભાઇના પિતાશ્રી તા.૧રમીએ અવસાન પામેલ છે. બેસણું તા.૧૬ના ગુરૂવારે સવારે ૮ થી ૧૧ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર, કોલકી રોડ, ઉપલેટા રાખેલ છે.

કાન્તિલાલભાઇ રાવલ

બાંટવાઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ કાંન્તીલાલભાઇ જમનાદાસ રાવલ (ઉ.વ.૬૮) મૂળ (ઇન્દ્રાણાવાળા) તે હિતેશભાઇના પિતા તથા દિલીપભાઇ અને પ્રવિણભાઇના મોટાભાઇ તા.૧૩ના અવસાન થયું છે. બેસણું તા.૧૬ ગુરૂવારના રોજ વિશ્વેશ્વર મહાદેવ મંદિરે, ૪ થી ૬, બાંટગા રાખેલ છે.

બાધાભાઇ ડવ

મોટી કુંકાવાવઃ મોટી કુંકાવાવ નિવાસી હાલ રાજકોટ આહિર બાધાભાઇ સાર્દુલભાઇ ડવ (ઉ.વ.પ૮) તે રાજુભાઇ તથા કનકભાઇના પિતાશ્રી તેમજ વાઘજીભાઇ ડવ ફોરેસ્ટ ઓફીસરના કાકાના દિકરાભાઇનું તા.૧૩ને સોમવારના અવસાન થયેલ છે.

હિરાબેન ચૌહાણ

રાજકોટઃ ગુ. ક્ષ. કડીયા હિરાબેન નટવરલાલ ચૌહાણ તે શિવલાલ રતીલાલ યાદવ (પાનવાળા)ના બહેન તે હર્ષાબેન, કુસુમબેન, રેખાબેનના માતુશ્રી તે મનોજભાઇ, વિજયભાઇ, જીજ્ઞેશભાઇના સાસુ તા.૧રના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૬ને ગુરૂવારે સાંજે પ થી ૭, ર-હસનવાડી, માતૃવંદના ખાતે રાખેલ છે.

ચંદ્રકાંતભાઇ સોની

રાજકોટઃ સોની વ્રજલાલ ભુંદરજીભાઇ ઝીંઝુવાડીયાના પુત્ર ચંન્દ્રકાંત (ચંદુભાઇ) તે નરેન્દ્રભાઇના નાનાભાઇ તથા મધુભાઇ, કનૈયાલાલ, સ્વ.કિશોરભાઇ, ઘનશ્યામભાઇ, દિનેશભાઇ, તથા સ્વ.ભારતીબેન (સુ.નગર) તલુબેન (સાયલા)ના મોટાભાઇ તા.૧૧ના નાસીક ખાતે શ્રીજી ચરણ પામેલ છે.

ડો. ઝવેરભાઇ ચોૈહાણ

રાજકોટ : મુ. પાંચપીપળા, તા. તળાજા, જી. ભાવનગર, હાલ રાજકોટ નિવાસી ડો. ઝવેરભાઇ ઠાકરશીભાઇ ચોૈહાણ (નિવૃત સોૈ. યુની. કર્મચારી) (ઉ.વ. ૭૩), તે ધર્મેન્દ્ર, રેખાબેન રાજેશભાઇ મકવાણા, ગીતાબેન રમેશભાઇ મકવાણા, જાગૃતિબેન અશોકભાઇ જેઠવાના પિતા તેમજ કિરણબેનના સસરા, તેમજ જૈત્રના દાદાનું તા. ૧૨ ના રોજ અવસાન થયું છે, તેમનું બેસણું તા. ૧૬ને ગુરૂવારે જે.એમ.સી. નગર, મકાન નં.પ , રૈયા ચોકડી પાસે તેમના નિવાસસ્થાને સાંજે પ થી ૭ રાખેલ છે.

કંચનબેન ભટ્ટ

જૂનાગઢઃ શ્રી સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મુળ નાનીમોણપરી હાલ કેશોદ નિવાસી કંચનબેન ભટ્ટ (ઉ.વ.૮૭) તે જયંતિલાલ જટાશંકર ભટ્ટના પત્નિ તથા નરેન્દ્રભાઇ, નલીનભાઇ, નિરંજનભાઇ, જશવંતભાઇ, જીતેન્દ્રભાઇ, શૈલેષભાઇ અને દક્ષાબેન મુકુંદરાય દવે (વિસાવદર)ના માતૃશ્રી તેમજ સ્વ.ત્રિભોવન શામળજી દવે (કેશોદ)ના પુત્રી તથા સ્વ.નવલભાઇ, સ્વ.બાલકૃષ્ણભાઇ અને કમળપ્રસાદભાઇ (કે.ટી.દવે) ના બહેનનું તા.૧૨ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું અને પિયરપક્ષની સાદડી તા.૧૬ના રોજ સાંજે પ થી ૬ કલાકે શાસ્ત્રીનગર (જૂનાગઢ હાઇ-વે) સાર્વજનિક બગીચામાં કેશોદ રાખેલ છે.

ચંદ્રિકાબેન વ્યાસ

રાજકોટઃ વાલમ બ્રાહ્મણ રીબવાળા વ્યાસ મુળ ગોંડલ હાલ રાજકોટ સ્વ.ચંદ્રિકાબેન (ઉ.વ.૮૪) તે સ્વ.બિપીનચંદ્ર ગીરધરલાલ વ્યાસના પત્ની અને પ્રથમેશભાઇ, અસિતભાઇ અને અવિનાશભાઇ વામનભાઇ વ્યાસ તથા ભાવેશ અને હરેશ અનંતભાઇ વ્યાસના કાકી તે સ્વ.પોપટલાલ જીવરામ પંડયા (ખેરડી) ના દીકરી તથા સતીષભાઇ પોપટલાલ પંડયા તથા સ્વ.સુરેશભાઇ પોપટલાલ પંડયા (મુળ ખેરડી હાલ રાજકોટ)ના બહેનનું તા.૧૩/પ/૧૯ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ

ભરતભાઇ દવે

જુનાગઢઃ ભરતભાઇ વિઠ્ઠલજીભાઇ દવે (રેલ્વે) (ઉ.વ.૬પ) મૂળ રાણસીકી હાલ જુનાગઢ તે રજનીભાઇના નાનાભાઇ, અનીલભાઇ, નરેન્દ્રભાઇ, નિલેશભાઇ, હર્ષદભાઇ, રવીભાઇના મોટાભાઇ તેમજ ચિંતનભાઇ અને ઉષ્માબેનના પિતાશ્રી તેમજ ભાવનાબેનના પતિશ્રીનું અવસાન થયેલ છે. બેસણું (પ્રાર્થનાસભા) તા.૧૬ને ગુરૂવારના રોજ સાંજે પ થી ૬ તેમના નિવાસસ્થાને ગિરનાર દરવાજા, ગુણાતીત માર્બલ પાસે, જુનાગઢમાં રાખેલ છે.

વિઠ્ઠલભાઇ ડોડીયા

વિસાવદરઃ લુહાર વિઠલભાઇ ભાણજીભાઇ ડોડીયા (ઉ.૭૯) તે ભીખુભાઇ, હરેશભાઇ, શોભાનબેન, દિનેશકુમાર સિધપુરા (ધારી), નીતાબેન ધનજીકુમાર ચૌહાણ (જેસર), નયનાબેન ભાવેશકુમાર ચૌહાણ (રાજકોટ) પિતાશ્રી તેમજ મીનાબેન, દિવ્યેશ, મીતેશ, આકાશ, પ્રીયંકાના દાદનું તા. ૧૪ ને મંગળવારે અવસાન થયેલ છે. બેસણું તા. ૧૬ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન હનુમાનપરા શેરી નં. ૧ ખાતે રાખેલ છે.