Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018
સદ્દગુરૂ આશ્રમના ટ્રસ્ટી પ્રવિણભાઈ વસાણીના માતુશ્રીનું નિધનઃ સાંજે પ્રાર્થનાસભા

રાજકોટ : સ્વ. અમુભાઈ વસાણી અને છગનભાઈ વસાણી પરિવારના મુકતાબેન તે છગનભાઈના ધર્મપત્નિ, પ્રવિણભાઈ (શ્રી સદ્દગુરૂ સદ્દન આશ્રમના ટ્રસ્ટી) અને સુરેશભાઈ, ભરતભાઈ, સ્વ. ભગવાનજીભાઈ, પ્રફુલભાઈ તથા ભાવેશભાઈના માતુશ્રી, તે કુવાડવાવાળા શ્રી હરિભાઈ રણછોડભાઈ કક્કડના બહેન તા.૧૩ને રવિવારના રોજ શ્રી રામચરણ પામેલ છે. સદ્દગતની (બંને પરીવારો સાથે) પ્રાર્થનાસભા આજે તા.૧૪ને સોમવારે સાંજે ૫ થી ૬:૩૦ કલાકે શ્રી નૂતનનગર કોમ્યુનિટી હોલ, કાલાવડ રોડ, રાજકોટ મુકામે રાખેલ છે.

 

અવસાન નોંધ

શબ્બીરભાઈ મલકાણી

રાજકોટ : વાંકાનેર નિવાસી મલકાણી શબ્બીરભાઈ ફકરૂદ્દીનભાઈ (ઉ.વ.૭૦) તે મુફદ્દલ શબ્બીરભાઈ વાંકાનેર, મુસ્તફા શબ્બીરભાઈ (મુંબઈ) તથા બતુલબેન અલીઅસગરભાઈ તાજાણી (રાજકોટ)ના પિતાનું તા.૧૩ના રોજ અવસાન થયુ છે. સદ્દગતનું બેસણું તા.૧૫ને મંગળવારના રોજ સવારે ૧૦ થી ૧૨ તેમના નિવાસસ્થાન ગઢફળી સ્ટ્રીટ ચાવડી ચોક, વાંકાનેર ખાતે રાખેલ છે.

અજયસિંહ રાઠોડ

રાજકોટ : શ્રી કારડીયા રાજપૂત અજયસિંહ ભરતસિંહ રાઠોડ (ઉ.વ.૨૮) જે ભરતસિંહ પ્રેમજીભાઈ રાઠોડના મોટા પુત્ર તથા મેહુલ ભરતસિંહ રાઠોડના મોટાભાઈનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ને ગુરૂવારના રોજ ઉદ્યોગનગર, કવાર્ટર નં.૬૧ પર રાખેલ છે.

હસમુખાઇ પાંઉ

રાજકોટઃ નિવાસી (ધ્રાફાવાળા)સ્વ. રમણીકલાલ ગોરધનદાસ પાંઉના દિકરા સ્વ. હસમુખભાઇ પાંઉ (ઉ.વ.૬૬)  તે યતિનભાઇ પાંઉ, બંસીબેન જસ્મીનભાઇ ચંદે તેમજ નેહાબેન હેમલભાઇ તન્નાનાં પિતાશ્રી તેમજ નવિનભાઇ પાંઉ, સ્વ. કિશોરભાઇ પાંઉ તેમજ પ્રકાશભાઇ પાંઉના ભાઇ તેમજ સ્વ. કાંતિભાઇ સેજપાલના જમાઇનું તા.૧૩ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણુ આજે તા.૧૪ને સોમવારે સાંજે ૫:૩૦ કલાકે ભવનાથ મહાદેવ મંદીર, શિવમ પાર્ક, રૈયા ચોકડી, રાજકોટ ખાતે રાખેલ છે.

 સરોજબેન જાદવાણી

 રાજકોટઃ જાદવાણી ગુર્જર સુતાર સ્વ. હર્ષદભાઇ માવજીભાઇ જુના દેવળીયા વાળા હાલ રાજકોટ (ગી્ફટ ડાયસ એન્ડ મોલ્ડ વાળા) નિવાસીના ધર્મપત્નિ સ્વ. સરોજબેન હર્ષદભાઇ જાદવાણી (ઉ.વ.૬૦) તે જગદિશભાઇના નાનાભાઇના ધર્મપત્નિ તથા  ચંદ્રેશભાઇ જીતુભાઇના ભાભી, સુભાષભાઇ, કિશનભાઇ તથા ધર્મિષ્ઠાબેનના માતુશ્રી તે ભાવિનકુમારના સાસુુનુ તા.૧૩ના રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું (બંને પક્ષ) બેસણું તા.૧૭ને ગુરૂવારના રોજ પુનિતનગર સોમનાથ મહાદેવના મંદીરે  સાંજે ૪ થી ૬ રાખવામાં આવેલ છે. ખંભાયતા મગનભાઇ લાલજીભાઇની દિકરી પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

 રમેશભાઇ ઠુંમર

 રાજકોટઃ રમેશભાઇ નાથાભાઇ ઠુંમર (ઉ.વ.૬૩) તે ડાયાભાઇ, કિશોરભાઇ, સ્વ. ગોરધનભાઇ અને સ્વ. નવિનચંદ્રના ભાઇ તેમજ દિપના પિતાશ્રી તથા સ્વ. નાથાભાઇ મુળજીભાઇ ઠુંમરના પુત્રનું તા.૧૨ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણુ તા.૧૪ સોમવાર સાંજે ૫ થી ૭ સુધી એસ્ટ્રોન સોસાયટી હોલ, રાજકોટ ખાતે રાખેલ છે.

 અરવિંદભાઇ વસાણી

 રાજકોટઃ મુળ કોટડાપીઠા  હાલ રાજકોટ નિવાસી અરવિંદભાઇ ગોરધનદાસ વસાણી (રીટા. ડિવિઝનલ મેનેજર એલઆઇસી) (ઉ.વ.૭૮) તે ચેતનભાઇ (બેંક ઓફ ઇન્ડિયા) તથા જવલંતભાઇના પિતાશ્રી, મોહનલાલ માવજીભાઇ પોપટ (અમરેલી)ના જમાઇ, સ્વ. રમણીકલાલ, સ્વ. ધીરજલાલ તથા સ્વ. ત્રંબકલાલના નાનાભાઇ, પારૂલબેન અનિલભાઇ મિરાણીના બનેવી તથા કયુરી ચિંતનભાઇ ઠકકર, સૃષ્ટિ, તનિષ્કા અને ઉત્કર્ષના દાદાનું તા.૧૩ના રોજ અવસાન થયું છે. બેસણું તા.૧૪ને આજે સોમવારે સાંજે ૫:૩૦ થી ૬:૩૦ સોમનાથ મહાદેવ મંદીર, સોજીત્રાનગર પાણીના ટાંકા પાસે, સમર્પણ સોસાયટીની બાજુમાં રૈયારોડ, રાજકોટ ખાતે રાખેલ છે. તેઓ સોમનાથ મહાદેવ મંદીર, રૈયા રોડના સ્થાપક ટ્રસ્ટી હતાં

 ઘનશ્યામભાઇ ચૌધરી

 રાજકોટઃ સિંંધી જ્ઞાતિના રાજાભાઇ ચૌધરીના પિતા અને આકાશ રાજાભાઇ ચૌધરીના દાદા શ્રી ઘનશ્યામભાઇ અરજણભાઇ ચૌધરી (ઉ.વ.૬૫)નું દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણુ તા.૧૪ને આજે સોમવારનાં સાંજે ૬ કલાકે રાખેલ છે.  ગુરૂગુલરાજ સાહેબ કુટીયા ઝુલેલાલ મંદીરની સામે સિંધી કોલોની રાજકોટ ખાતે રાખેલ છે.

 મધુબેન ચાવડા

રાજકોટઃ  દરજી મચ્છુકઠીયા જ્ઞાતિ મધુબેન ચાવડા (ઉ.વ.૭૫)  સ્વ. અમૃતલાલ મોહનલાલ ચાવડાના ધર્મપત્નિ તે પરેશભાઇના માતા તથા કિશોરભાઇના કાકી તથા છોટાલાલ ડાયાલાલ ચૌહાણના બેન તા.૧૨ના રોજ શ્રીજી ચરણ  પામેલ છે. સદ્ગતનું બેસણું બંને પક્ષનું તા.૧૮ને શુક્રવારે સવારે ૯ થી ૧૦ '' સહયોગ'' ધર્મજીવન સોસાયટી રાખેલ છે.

અતુલભાઇ જસાણી

રાજકોટઃ સ્વ. રામજીભાઇ દેવચંદભાઇ જસાણીના પુત્ર અતુલભાઇ જસાણી (ઉ.વ.૫૫) તે રમેશભાઇ, સ્વ. પ્રફુલભાઇ, અશ્વિનભાઇ, રાજુભાઇ, રંજનબેન, શિલ્પાબેનના ભાઇ દિપ  તથા ઉમંગના પિતાશ્રી સમીર કેતન, કરણના કાકા, ધોળકાવાળા હર્ષદભાઇ ગોપાલજી દાવડાના  જમાઇ તા.૧૪ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧૪ સોમવારે સાંજે ૫ થી ૬ જાગનાથ મંદીર યાજ્ઞિક રોડ ખાતે રાખેલ છે.

 હાજી અબ્બાસ શામ

 રાજકોટઃ હાજી અબ્બાસ હાજી ફખરૂદ્દીન શામ (નજમી સરબતવાલા) ફરીદાબેનના સોહર તથા ફિરોજભાઇ, સેૈદ્દુદ્દીનભાઇ, શબ્બીરભાઇ તથા મરહુમ નરગીશબેન (ધોરાજીવાલા) ના ભાઇ,  મુરતુઝ, હોઝેફા (સીરામીક એન્ટરપ્રાઇઝ)ના કાકા તથા હાતીમભાઇ ધોરાજી (મારબલ સેલ્સ એજન્સી) ને મુસ્તુફા, અબ્બાસ (બુરહાની સીરામીક)ના મામા અલી અસગર, અલીફીયાના પપ્પા તા.૧૪ના રોજ વફાત થયા છે.

અતુલભાઇ જસાણી

રાજકોટ : સ્વ. રામજીભાઇ દેવચંદભાઇ જસાણીના પુત્ર અતુલભાઇ રામજીભાઇ જસાણી તે રમેશભાઇ, સ્વ. પ્રફુલભાઇ, અશ્વિનભાઇ, રાજુભાઇ, રંજનબેન, શિલ્પાબેનના ભાઇ તેમજ દિપ અને ઉમંગના પિતાશ્રી તથા સમીર, કેતન, કરન ના કાકા તેમજ ધોળકાવાળા હર્ષદભાઇ ગોપાલજી દાવડાના જમાઇ તા. ૧૪ ના શ્રીજી ચરણ પામેલ છે. બેસણું તા. ૧૪ ને સોમવારે સાંજે પ વાગ્યે શ્રી જાગનાથ મંદિરે રાખેલ છે.

સુહાગભાઇ ઘીયાડ

રાજકોટઃ અમીતભાઇ કાંતીભાઇ ઘીયાડના નાનાભાઇ સુહાગભાઇ (ઉ.વ.૩૭)નું તા.૧રના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૪ સોમવારે સાંજે પ થી ૭ ૧પ૦ ફુટ રીંગ રોડ રૈયા ટેલીફોન એકસચેન્જ વાળી શેરી તુલસી બાગમાં રાખેલ છે.

જમનાદાસભાઇ નિમાવત

રાજકોટઃ મુળ ડોડીયાળા નિવાસી હાલ રાજકોટ જમનાદાસ કાનદાસ નિમાવત (ઉ.વ.૯૩) તેઓ ઘનશ્યામભાઇ તથા વિનોદભાઇ (બજરંગ બેંગલ્સ) વાળાના પિતાશ્રી તથા ભાવિનભાઇ તેમજ હિમાંશુભાઇ (રિધ્ધિ સિધ્ધિ ઇમિટેશન) તથા મનિષભાઇ તથા અંજનાબેનના દાદાશ્રી તા.૧રના રોજ અવસાન પામેલ છે. બેસણું સુંદરમ પાર્ક શેરી નં.૧, જૈન દેરાસર વાળો રોડ, શિવમ કોમ્પલેક્ષ પાછળ, આજી ડેમ ચોકડીથી આગળ, ભાવનગર રોડ, રાજકોટ મુકામે તા.૧૪ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

પ્રદિપભાઇ સંપટ

રાજકોટઃ પ્રદિપભાઇ દ્વારકાદાસ સંપટ (ઉ.વ.પપ) તે ગોપાલભાઇ, અનિલભાઇના ભાઇ ધ્રુવના પિતાશ્રી કોકીલાબેન ઉદેશી, નલીનીબેન આશર તથા ઇલાબેન આશરના ભાઇ તેમજ કેતન અને વિશાલના કાકા લિલાધરભાઇ પરસોત્તમદાસ આશર સાંગલીવાળાના જમાઇ (ભાટિયા યુવક મંડળના ખજાનચી)  તા.૧રના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું આજે તા.૧૪ સોમવાર સાંજે પ-૩૦ કલાકે કાઠીયાવાડ ભાટિયા વિદ્યાર્થી ભવન રેલ્વે જંકશન સામે, રાજકોટ ખાતે રાખેલ છે. સદ્દગતે ચક્ષુદાન કરેલ છે.

પુષ્પાબેન દવે

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ અમદાવાદ નિવાસી પુષ્પાબેન તુલજાશંકર દવે (ઉ.વ.૭૩) જે નિરવ દવે  ભાવનાબેન યોગેશભાઇ જોષી રાજકોટ દક્ષાબેન કમલેશભાઇ દવે ઇન્દોરના માતુશ્રીનું તા.૧રના અવસાન થયેલ છે. જેમનું બેસણું તા.૧૪ના સોમવારે ૬ થી ૭-૩૦, ચંદ્રભાગા સોસાયટી નવા વાડજ અમદાવાદ રાખેલ છે.

દલપતરામભાઇ નિમ્બાર્ક

વીરપુર (જલારામ) : દલપતરામભાઇ, રણછોડદાસ નીમ્બાર્ક (નેકુરભાઇ) (ઉ.વ.૮૬) તે નીતીનભાઇ પિતાશ્રી બટુકભાઇના મોટાભાઇ તેમજ દિપકભાઇ અને જયેશભાઇના મોટા બાપુ તથા મનીષકુમાર (ધારી) અરુણકુમાર (જુનાગઢ) જીતેશકુમાર (માંગરોળ) નરેન્દ્રકુમારના સસરાનું તા.૧૨ શનિવારના રોજ અવસાન થયું છે. બેસણું તા. ૧૪ સોમવાર સાંજે ૪ થી ૬ રામજી મંદિર ટાવર ચોક વીરપુર (જલારામ) ખાતે રાખેલ છે.