Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018
ગોંડલ નિવાસી મુકેશભાઇ ખંઢેરીયાનું અવસાનઃ શુક્રવારે ઉઠમણું-પ્રાર્થનાસભા

રાજકોટ : ગોંડલ નિવાસી સ્વ.પ્રભાકર મણીલાલ ખંઢેરીયા અને સ્વ.જયાબેનનાં સુપુત્ર મુકેશભાઇ (ઉ.વ.૬૬), તે એડવોકેટ બીપીનભાઇ ખંઢેરીયા તથા સ્વ.અશોકભાઇ, સ્વ. નિર્મળાબેન, સુધાબેન અને મધુબેનના ભાઇ તથા જયોત્સનાબેનના પતિ તથા ચિ.મેહુલ તથા ચિ.અંકિતના પિતાશ્રી તથા ધારી નિવાસી સ્વ.કાંતીલાલ જગજીવન શેઠના જમાઇનું તા.૧૩-ર-૧૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણુ તા.૧૬-ર-૧૮ને શુક્રવારે સવારે ૧૦ કલાકે ખંઢેરીયા મેન્સન, જેતપુર રોડ ગોંડલ ખાતે તથા પ્રાર્થનાસભા તે જ દિવસે સવારે ૧૦-૩૦ થી ૧ર-૦૦, સુતાર જ્ઞાતિની વાડી ડો.માથુકીયા હોસ્પિટલવાળી શેરી, બસ સ્ટેન્ડ પાસે ગોંડલ મુકામે રાખેલ છે.

શાપર (મોરબી) સ્થિત હેમુબા જાડેજાનું દુઃખદ અવસાન

રાજકોટ : શાપર (મોરબી) સ્થિત હેમુબા ભીખુભા જાડેજા (ઉ.વ.૯ર), તે જાડેજા મંગળસિંહ ભીખુભા, સ્વ.જાડેજા અનિરૂધ્ધસિંહ ભીખુભા તથા જાડેજા નરવીરસિંહ ભીખુભા (મોરબી પોલીસ કર્મચારી)ના માતુશ્રીનું તા.૧૪-રના રોજ દુઃખદ અવસાન થયુ છે. સ્વ.ની ઉત્તરક્રિયા તા.ર૦-રને મંગળવારના રોજ શાપર (મોરબી) ખાતે રાખેલ છે.

સુરેન્દ્રનગર 'કર્ણગોષ્ઠી' ના તંત્રી ઔલેષભાઇ સતાણીનું અવસાન

વઢવાણ : સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગર ખાતે ભાલ બત્રિસી સમાજના પૂર્વ પ્રમુખ કિશોરભાઇ નારાયણદાસ સતાણીના નાના ભાઇ ઔલેષભાઇ સતાણી(ઉ.વ.૩ર) ટૂંકી માંદગી બાદ જોરાવરનગર તેમના નિવાસ સ્થાને ગત તા. ૧૩ના રોજ અવસાન થતાં પ્રજાપતિ સમાજમાં તેમજ પત્રકાર આલમમાં નાની વયે અવસાન થતા ભારે શોક છવાયો છે.

તેમની સ્મશાનયાત્રામાં રાજકીય આગેવાનો સમાજના સ્નેહીજનો અને શહેરના પત્રકાર મિત્રો જોડાયા હતાં. ઐલેષભાઇ સતાણીના માતુશ્રી દયાબેન, પત્ની નીતાબેન, પુત્રી આસ્થા,, કિશોરભાઇ, રમેશભાઇ રાજેન્દ્રભાઇ, વિજયભાઇ, હરેશભાઇ (આજકાલ) ભુજવાળાના ભાઇ સહિત બહોળા પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયા છે.

જયારે ચેતના સ્વીટ માર્ટવાળા ચેતનભાઇ સતાણીના કાકા થતા હતા. ે ઔલેષ સતાણીનું બેસણું જોરાવનરનગર નદીકાંઠે પ્રજાપતિ સમાજની વાડી ખાતે વેપારીઓ માટે સાંજના ૪ થી ૬ તેમના જ્ઞાતિજનો માટે રાત્રીના ૮ થી ૧૦ રાખવામાં આવેલ છે.(

અવસાન નોંધ

 નરભેરામભાઇ છનીયારા

 રાજકોટઃ ગુર્જર સુથાર નરભે રામભાઇ પોપટલાલ છનીયારા  (ઉ.વ.૯૦) તે સ્વ. ત્રીભોવનભાઇ, સ્વ. પરસોતમભાઇ, સ્વ. નટુભાઇ, સ્વ. નરોતમભાઇ તથા ,  હરેશભાઇ, કિશોરભાઇના મોટાભાઇ તેમજ સ્વ. દિપકભાઇ  ચેતનભાઇ (ઓટોમેક્ષ)ના પિતાશ્રી તેમજ વિનીત, મીલાસ, દેવાંગના દાદાનું તા.૧૩ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તેમના  નિવાસ સ્થાને ''શિવમ'' -૫ અંબાજી કડવા  પ્લોટ, અન્નપુર્ણા મંદીરની બાજુમાં સાંજે ૪:૩૦ થી ૬ કલાકે રાખેલ છે.

પ્રભાબેન ચૌહાણ

રાજકોટ : મૂળ સુરેન્દ્રનગર (રાજપર) હાલ રાજકોટ સ્વ. ગોવિંદભાઇ જેમલભાઇ ચૌહાણના પત્ની પ્રભાબેન ચૌહાણ (ઉ.વ.૮૦) તે જયશ્રીબેન, આરતીબેન, અનિતાબેન, રાજેશભાઇ, જીતેન્દ્રભાઇના માતુશ્રી તેમજ ગજેન્દ્રસિંહ ચાવડા, ભરતભાઇ એરડા, રાજેશભાઇ ચાવડાના સાસુનું તા. ૧૩ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૧૫ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ ગાંધીગ્રામ, અક્ષરનગર, એરપોર્ટ દિવાલ સામે, આશાપુરા મંદિર ખાતે રાખેલ છે.

નરેન્દ્રકુમાર ગઢવી

જામનગરઃ મુળ ગામ ઝીંઝુવાડા હાલ જામનગર નિવાસી નિવૃત કસ્ટમ ઇન્સ્પેકટર નરેન્દ્રકુમાર ઇશ્વરદાન ગઢવી (દેવકા) (ઉ.વ. ૭૦) તે પ્રશાંતકુમાર, દેવેન્દ્રકુમાર, ધીરેન્દ્રકુમાર તથા જયરાજકુમારના પિતાનું તા. ૧ર સોમવારના રોજ અવસાન થયેલ છે, બેસણું તા. ૧પ ગુરૂવારના રોજ સાંજે પ થી પ-૩૦ કલાકે શ્યામેશ્વર મહાદેવ મંદિર, શ્યામ ટાઉનશીપ, હાપા બ્રીજ રોડ ખાતે રાખેલ છે. ઉત્તરક્રિયા તા. ર૩ને શુક્રવારના રોજ તેમના નિવાસસ્થાન શ્યામ ટાઉનશીપ જામનગર ખાતે રાખેલ છે.

ગુણવંતરાય જાની

ગોંડલઃ ઔદિચ્ય ઝાલાવડી બ્રાહ્મણ વિજયભાઇ જાનીના પિતા ગુણવંતરાય જાની (ઉ.વ.૮૩) તે જગદીશભાઇ, ચંદ્રકાન્તભાઇ તથા ગિરીશભાઇના મોટાભાઇનું અવસાન થયેલ છે. બેસણું તા.૧પને ગુરૂવારે સાંજે ૪ થી ૬, ''ગાયત્રી કૃપા'' સહજાનંદનગર ગોંડલ ખાતે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

સવિતાબેન દેવમુરારી

મોરબીઃ મૂળ લુંટાવદર હાલ મોરબી નિવાસી સવિતાબેન હરિરામભાઇ દેવમુરારી તે રમેશભાઇ દેવમુરારી અને કિશોરભાઇ દેવમુરારીના માતા તા.૧રને સોમવારના રોજ રામચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાન જાની શેરી, દરબારગઢ નજીક મોરબી રાખેલ છે.

રસીકલાલભાઇ માંકડ

રાજકોટઃ હાલ રાજકોટ (મૂળ જામનગર) નિવાસી રસીકલાલ શાંતિલાલ માંકડ (ઉ.વ.૯૪) તે ભવેન્દ્રભાઇ (મુળવંત) માંકડ (સેલ્સટેક્ષ)ના ભાઇ તથા વિજયભાઇ માંકડ (સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક), દેવાંગ ભવેન્દ્રભાઇ માંકડ (ઓસ્ટ્રેલીયા), નિશા પંકજભાઇ પાંઉ તથા અલ્પા દિગંતભાઇ ઓઝાના કાકાનું તા.૧૩ના અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૧પના સાંજે ૪-૩૦ થી પ-૩૦, નાગર બોર્ડીંગ, વિરાણી સ્કુલ સામે ખાતે રાખેલ છે.

રાજુભાઇ પીઠવા

રાજકોટઃ લુહાર રાજુભાઇ (દિલીપભાઇ) અરજણભાઇ પીઠવા તે વિનુભાઇના નાનાભાઇ તથા વિજય તથા ભરતના મોટાભાઇ તેમજ ચેતન તથા ધર્મેશના પિતાશ્રી તથા નારણભાઇ વિરજીભાઇ ડોડીયાના બનેવીનું અવસાન થયેલ છે. બન્ને પક્ષનું બેસણું તા.૧પના ગુરૂવારે સાંજે ૪ થી ૬, રાજારામ સોસાયટી-૧, સંત કબીર રોડ, શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે સાથે રાખેલ છે.

મગનલાલ વ્યાસ

જેતપુરઃ પિપળીયા નિવાસી (હાલ ધોરાજી) મગનલાલ લવજીભાઇ વ્યાસ (ઉ.વ.૭૩) તે કૌશિકકુમાર (કિશાન ટુરિઝમ ધોરાજી) તેમજ ભાવનાબેન શિવકુમાર આચાર્ય - જુનાગઢ અને તૃપ્તિબેન જતીનકુમાર ભટ્ટ-જેતપુરના પિતાશ્રીનું તા.૧૩મીએ અવસાન થયેલ છે. બેસણું તા.૧પ ગુરૂવાના રોજ ઓમકારેશ્વર મંદિર - માધવનગર જમનાવડ રોડ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

સોનલબેન પુજારા

રાજકોટઃ હળવદ નિવાસી ખુશાલદાસ તલકશીભાઇ પુજારાના પુત્ર રવિભાઇના ધર્મપત્ની સોનલબેન તે રાજબોડેલી વાળા જશુભાઇ નાગરભાઇ હાલાણીની દિકરીનું તા.૧રના અવસાન થયેલ છે. તેમનું બેસણું તથા સાદડી તા.૧૬ને શુક્રવારે સાંજે ૩ થી પ લોહાણા મહાજનવાડી, શંકરપરા, હળવદ ખાતે રાખેલ છે.

જેન્તિલાલ કકકડ

શેઠવડાળાઃ શેઠવડાળાના રહીશે જેન્તિલાલ કરશનભાઇ કકકડ (ભીખુભાઇ એસ.ટી. ડ્રાઇવર) (ઉ.વ.૭૬)નું તા.૧રના અવસાન થયેલ છે. જે રમણિકભાઇના મોટાભાઇ નયનાબેનના પિતાશ્રી કમલેશકુમાર (રાજકોટ)ના સસરા નિર્મલભાઇ તથા પિયુષભાઇના અદાનું ઉઠમણું તા.૧પના ગુરૂવારે સાંજે ૪ થી પ લોહાણા મહાજનવાડી શેઠવડાળા મુકામે રાખેલ છે.

તારાબેન રાણપરા

રાજકોટઃ જેતપર વાળા સ્વ. સોની પરસોત્તમદાસ મોહનલાલ રાણપરાના પુત્ર વસંતલાલના ધર્મપત્ની અ.સૌ. તારાબેન વસંતલાલ રાણપરા તે દિવ્યેશ, કૌશિક તથા ભાવનાબેનના માતુશ્રી તે નીરાલી, હર્ષદિપ, મેઘા મોહિતના દાદી તે બારેજા નિવાસી સ્વ. સોની વનમાળીદાસ છગનલાલ પાટડીયાની પુત્રી તથા સ્વ.સોની નવનીતલાલ વનમાળીદાસના બહેન તા.૧રના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું ગુરૂવાર તા.૧પના સાંજના ૪ થી ૬ ઇશ્વરનગર તા. હળવદ જી. મોરબી ખાતે રાખેલ છે.

નરભેરામભાઈ છનીયારા

રાજકોટઃ ગુર્જર સુથાર નરભેરામભાઈ પોપટલાલ છનીયારા (ઉ.વ. ૯૦) તે સ્વ. ત્રિભોવનભાઈ, સ્વ. પરસોતમભાઈ, સ્વ. નટુભાઈ, સ્વ. નરોતમભાઈ તથા હરેશભાઈ, કિશોરભાઈના મોટાભાઈ તેમજ સ્વ. દિપકભાઈ ચેતનભાઈ (ઓટોમેક્ષ)ના પિતાશ્રી તેમજ વિનીત, મીલાસ, દેવાંગના દાદાનું તા. ૧૩ ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ 'શિવમ્' ૫-અંબાજી કડવા પ્લોટ,  અન્નપૂર્ણા મંદિરની બાજુમાં સાંજે ૪.૩૦ થી ૬.૦૦ રાખેલ છે.

મીનાક્ષીબેન (મીનાબેન) રાણપરા

રાજકોટઃ ચરખડીવાળા મીનાક્ષીબેન (મીનાબેન) જમનાદાસ રાણપરા તે જમનાદાસ કાનજીભાઈ રાણપરાના ધર્મપત્નિ તેમજ સંજયભાઈ અને બીપીનભાઈ રાણપરાના માતુશ્રીનું તા. ૧૨ના રોજ અવસાન થયેલ છે. સ્વ. નું બન્ને પક્ષનું બેસણુ તા. ૧૫ને ગુરૂવારે જલારામ શેરી, ચરખડી ખાતે રાખેલ છે. સ્વ.ની ઉતરક્રિયા તા.૨૨ને ગુરૂવારે ચરખડી મુકામે રાખેલ છે.

રસીલાબેન મહેતા

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મૂળ કોટડાપીઠા હાલ અમરેલી તથા સાગર તેમજ અ.સૌ. 'સર્વેશ્રી' બ્રિજેશકુમાર દવેના માતુશ્રી તથા ચંદુભાઈ, દીલીપભાઈ, રવિભાઈ તથા અ.સૌ. ઉર્મિલા પ્રકાશજી ડણાકના ભાભીશ્રીનું તા. ૧૨ના દુઃખદ અવસાન થયેલ છે. જેમનુ બેસણુ શ્રી ચરણેશ્વર કૃપા, ૧૧-ઈન્દ્રવિહાર સોસા. અમરેલી ખાતે તા. ૧૫ને ગુરૂવારે ૪ થી ૬ તથા કોટડાપીઠા નિવાસ સ્થાને તા. ૧૭ ના શનિવારે ૪ થી ૬ રાખેલ છે.

વ્રજલાલ કારેલીયા

રાજકોટ : લુહાર વ્રજલાલ મોતીલાલ કારેલીયા ઉપલેટાવાળા (ઉ.વ.૮૬) તે વ્રજલાલ એન્ડ સન્સવાળા તથા પ્રકાશભાઈ, રાજેશભાઈ, ઉષાબેન, પ્રફુલાબેન, પ્રજ્ઞાબેન (વલસાડ), નયનાબેન (જામનગર) અને ઉપમાબેન (અમદાવાદ)ના પિતાશ્રી તેમજ ચમનભાઈના મોટાભાઈ તથા અમિત, દર્શન અને સુભાષચંદ્રના દાદા તા.૧૨ને સોમવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૫ને ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૬ શ્રી ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ, ૮૦ ફૂટ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

મેનાબેન અધેડા

રાજકોટ : ગં. સ્વ. મેનાબેન (કલાવતીબેન) રવજીભાઈ અઘેડા તે કૌશલભાઈ, કેતનભાઈ તથા વંદનાબેનના માતુશ્રી તેમજ સ્વ. કુંવરજીભાઈ નરશીભાઈ પંચાસરની પુત્રીનું તા.૧૩ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૫ને ગુરૂવારે સાંજે ૪ થી ૫:૩૦ કલાકે શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ, ૭-૧૦, ભકિતનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રમોદચંદ્ર શેઠ

રાજકોટ : મોઢવણીક શ્રી પ્રમોદચંદ્ર ચુનીલાલ શેઠ (ઉ.વ.૮૦) તે સ્વ. તે ત્રિભોવનદાસ (જામનગર), સ્વ.ચંદ્રકાંતભાઈ, સ્વ. શશીકાંતભાઈ, સ્વ. બિહારીભાઈ શેઠના ભાઈ તેમજ છાયા ગાંધી (અમરેલી) જતીનભાઈ તથા જીજ્ઞેશ (પપ્પુ) શેઠના પિતાશ્રીનું તા.૧૩ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૫ને ગુરૂવારે સાંજે ૫:૩૦ કલાકે શ્રી પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ ખાતે રાખેલ છે.

જેન્તીલાલ કડેચા

રાજકોટ : ગુર્જર સુથાર - લજાઈવાળા હાલ રાજકોટ કડેચા જેન્તીલાલ માધવજીભાઈ (ઉ.વ.૮૦) તે વિનોદભાઈ (કૃપા એન્ટરપ્રાઈઝ) તથા હસુબેન મનસુખલાલ તલસાણીયા, કાજલ, છાયાબેન પ્રતાપભાઈ વડગામાના પિતાશ્રી તા.૧૩ને મંગળવારના રોજ વૈકુંઠવાસ ગમન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૫ને ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાન ''શ્રી ચામુંડા'' ૩, અંબાજી કડવા પ્લોટ, બંધ ગલી ખાતે રાખેલ છે.

સારાબેન લોટીયા

રાજકોટ : સારાબેન અબ્બાસભાઈ લોટીયા (ચોટીલાવાળા) (ઉ.વ.૭૪) તા.૧૪ના રોજ રાજકોટ મુકામે અસાન થયેલ છે. તે સૈફુદ્દીનભાઈ, સલીમભાઈ, નફીસાબેન, ફરીદાબેનના માતાજી યુસુનભાઈ કેલવર્ટ, મહમદભાઈના સાસુ તેમના જીયારતના સીયારા તા.૧૬ને શુક્રવારે જાવાઈદ (સૈફી કોલોની)માં બપોરે ૧:૩૦ વાગ્યે મરદો તથા બૈરાઓના સાથે રાખેલ છે.

રમેશચંદ્ર કકૈયા

રાજકોટ : બ્રહ્મક્ષત્રિય સ્વ. મુલચંદ વસનજી કકૈયાના પુત્ર તથા સ્વ. ઈશ્વરલાલ, સ્વ. દલીચંદભાઈ, ભુપતરાય તથા વિનોદરાયના ભાઈ રમેશચંદ્ર (ઉ.વ.૭૧)નું અમેરીકા મુકામે તા.૧૧ના રોજ શ્રીરામ ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું ઉપલેટા ખાતે તા.૧૬ના રોજ સાંજે ૪ થી ૬, નિલકંઠ મહાદેવ મંદિર, દ્વારકાધીશ સોસાયટી ખાતે રાખેલ છે.

કમલાવંતીબેન અમલાણી

રાજકોટ : પોરબંદર મુળ છાયા નિવાસી કમલાવંતીબેન હેમરાજ અમલાણી (ઉ.વ.૭૮) તે હેમરાજ વિઠ્ઠલદાસ અમલાણીના ધર્મપત્ની તેમજ વલ્લભદાસના ભાભી તેમજ કૌશિકભાઇના મોટાબા તેમજ સ્વ. ચંદુલાલ, નરોતમદાસ અને વ્રજલાલભાઇ રૂપાણીના મોટાબેનનું તા. ૧૪ ના અવસાન થયેલ છે. તેમની પ્રાર્થના સભા તેમજ પિયર પક્ષની સાદડી તા. ૧૫ ના ગુરૂવારે સાંજે ૪.૧૫ થી ૪.૪૫ લોહાણા પ્રાર્થના સભા હોલ, ભદ્રકાલી રોડ, પોરબંદર ખાતે ભાઇઓ તથા બહેનોની સાથે રાખેલ છે.

ઓધવજીભાઈ લાખાણી

રાજકોટઃ પટેલ પરોઠા, કાળવા ચોક વાળા ઓધવજીભાઈ વશરામભાઇ લાખાણી તે વિનોદભાઈ, શાંન્તીલાલ તથા ભરતભાઈના પિતાશ્રીનું અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું કાલે તા.૧૫ને ગુરૂવારે, સાંજે ૪ થી ૬, કપાડાવાડી ડુમ વિભાગ, પટેલ રેસ્ટોરન્ટ એન્ડ ડાઈનીંગ હોલ, સકરબાગ - ઝુ પાસે, એસ.ટી. બસ સ્ટેન્ડ સામે, જુનાગઢ ખાતે રાખેલ છે.

ભવાનભાઈ દોમડીયા

રાજકોટઃ ભવાનભાઈ કરશનભાઈ દોમડીયા (ભાડલાવાળા) (ઉ.વ. ૧૦૩) તે ભાયાભાઈ, ધીરૂભાઈ, ગોવિંદભાઈ તથા સુરેશભાઈના પિતાશ્રીનું તા. ૧૩ના મંગળવારે દુઃખદ અવસાન થયેલ છે. તેમનુ બેસણુ તા. ૧૫ ના ગુરૂવારે સાંજે ૩ થી ૬ વાગ્યા સુધી સોમનાથ હોલ, ઢેબર રોડ (સાઉથ), ધારેશ્વર સોસાયટી, અંબા ખોડીયાર મંદિર પાસે રાજકોટ ખાતે રાખેલ છે.