Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018
અવસાન નોંધ

ચંદ્રકાંતભાઇ દવે

રાજકોટ : ઔદિચ્ય ગુજરાતી સાડાચારસો બ્રાહ્મણ જ્ઞાતિના મુળ ચભાડીયા હાલ ઉજળવાવ (સ્ટેશન) નિવાસી ચંદ્રકાંતભાઇ ઘેલાશંકરભાઇ દવે (ઉ.વ.૬૫) તે ભાનુશંકરભાઇ, સ્વ. ગુણવંતરાય, સ્વ. કનૈયાલાલભાઇના નાનાભાઇ તેમજ સ્વ. ભાસ્કરભાઇના મોટાભાઇ તેમજ સ્વ. સવિતાબેન, સ્વ. મંજુબેન, કાંતાબેન, પ્રભાબેન અને અનસુયાબેનના ભાઇ તેમજ લાભશંકર કરૂણાશંકર જોષીના જમાઇનું તા. ૯ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૧૫ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ ઉજળવાવ (સ્ટેશન) મુકામે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

દિનકરરાય વ્યાસ

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ દિનકરરાય ભાઇશંકર વ્યાસ (ઉ.વ.૭૧) રીટાયર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તે હીરેન તથા જીજ્ઞાસાના પિતાશ્રી, દેવેનભાઇ એમ.ઠાકરના સસરા, સ્વ.વિનોદભાઈ, સ્વ.શાંતિભાઇ, મંજુબેન તથા ધીરજબેનના નાનાભાઇ, પંકજભાઈ વી.વ્યાસ (ઈન્કમટેક્ષ ઓફીસ)ના કાકાનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૫ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ 'શ્રી નિલકંઠ મહાદેવ મંદિર', સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી, મુખ્ય માર્ગ નં.૨, હંસા પ્રોવિઝન સ્ટોર પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

દિયાબેન વૈશ્નાણી

રાજકોટઃ દિયાબેન દીલીપભાઈ વૈશ્નાણી (ઉ.વ.૧૩) તે દિલીપભાઈ ધરમશીભાઈ વૈશ્નાણીની દિકરી તા.૧૨ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તેમના નિવાસસ્થાને તા.૧૫ને ગુરૂવારના રોજ સવારના ૮ થી ૧૧ જીવનનગર- ૨, ઉમિયાકૃપા રૈયા રોડ, બ્રહ્મ સમાજ ચોક પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

ભુપેન્દ્રભાઈ કોટકના પિતાશ્રી નટવરલાલભાઈનું અવસાન : ગુરૂવારે બેસણું

રાજકોટ : સ્વ. મંગળજીભાઈ ત્રિકમજીભાઈ કોટક (સણોસરાવાળા) હાલ રાજકોટના પુત્ર નટવરલાલભાઈ (ઉ.વ.૯૦) તે સ્વ. દુર્લભજીભાઈ, સ્વ. વલ્લભદાસભાઈ, સ્વ. ચત્રભુજભાઈ, સ્વ. ખુશાલદાસભાઈ, સ્વ. લાભચંદભાઈના નાનાભાઈ તે હરેશભાઈ કોટક, ભુપેન્દ્રભાઈ કોટક, ચંદ્રિકાબેન, પ્રફુલાબેન, પારૂલબેન, ભાવનાબેનના પિતાશ્રી, શ્રીમતી રીટાબેન કોટક (જોબનપુત્રા), જયશ્રીબેન કોટકના સસરા, વસંતકુમાર ઓધીયા (વીરપુર), સ્વ. હરસુખભાઈ ખંઢેરીયા (જૂનાગઢ) ડો. ઉત્પલકુમાર જીવરાજાની (રાજકોટ), અજયભાઈ પોપટ (રાજકોટ)ના સસરા તે સ્વ. અમૃતલાલ પ્રાગજીભાઈ કોટેચાના જમાઈ અને પ્રવિણભાઈ કોટેચાના બનેવી તા.૧૨ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સ્વર્ગસ્થનું બેસણું તા.૧૫ને ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકે પંચનાથ મહાદેવ મંદિર રાજકોટ ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી તે જ દિવસે સાથે રાખેલ છે.

રાજુલાઃ કપિલભાઈ ઉમિયાશંકર જોષીનું અવસાનઃ ગુરૂવારે બેસણુ

રાજકોટઃ રાજુલા નિવાસી ઉમિયાશંકરભાઈ હરજીવનભાઈ જોષીના પુત્ર કપિલભાઈ (ઉ.વ. ૫૩) તે કલાવતીબેન ધીરૂભાઈ મહેતા (આટકોટ)ના પતિ, તે વિજયભાઈ યુ. જોષી (પાણી પુરવઠા બોર્ડ-ભાવનગર), ભાવેશભાઈ યુ. જોષી (એડિશનલ સિટી એન્જીનીયર-રાજકોટ)ના ભાઈ તથા વર્ષાબેન વી. જોષી (ભાવનગર)ના દેર અને તૃપ્તિબેન બી. જોષી (રાજકોટ)ના જેઠ તથા સ્વ. ડો. અમૃતલાલ શિવરામભાઈ જાની, કેશવભાઈ તથા પ્રભાશંકરભાઈના ભાણેજનું દુઃખદ અવસાન  તા. ૧૨ને સોમવારના રોજ થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૧૫ ગુરૂવાર સમય સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન બ્રાહ્મણ સોસાયટી, રેલ્વે સ્ટેશન પાછળ, રાજુલા ખાતે રાખેલ છે

ચંદ્રકાંતભાઇ દવે

રાજકોટ : ઔદિચ્ય ગુજરાતી સાડાચારસો બ્રાહ્મણ જ્ઞાતિના મુળ ચભાડીયા હાલ ઉજળવાવ (સ્ટેશન) નિવાસી ચંદ્રકાંતભાઇ ઘેલાશંકરભાઇ દવે (ઉ.વ.૬૫) તે ભાનુશંકરભાઇ, સ્વ. ગુણવંતરાય, સ્વ. કનૈયાલાલભાઇના નાનાભાઇ તેમજ સ્વ. ભાસ્કરભાઇના મોટાભાઇ તેમજ સ્વ. સવિતાબેન, સ્વ. મંજુબેન, કાંતાબેન, પ્રભાબેન અને અનસુયાબેનના ભાઇ તેમજ લાભશંકર કરૂણાશંકર જોષીના જમાઇનું તા. ૯ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૧૫ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ ઉજળવાવ (સ્ટેશન) મુકામે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

મગનલાલભાઇ કારેલિયા

રાજકોટઃ મગનલાલ મુલચંદ કારેલિયા (ઉ.વ.૮૧) તે કમળાબેનના પતિ, પ્રવિણભાઇ અને જયેશભાઇના પિતાશ્રીનું તા.૧૧ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ના સાંજે ૪ થી ૬, બુટ ભવાની કૃપા, ૭/ન્યુ સાગર સોસાયટી, કેદારનાથ દરવાજાની અંદર, કોઠારીયા મેઇન રોડ, ખાતે રાખેલ છે.

પારૂલબેન સેલારકા

ઉપલેટાઃ ધીરૂભાઇ વેલજીભાઇ વસોયાના પુત્રી સ્વ.પારૂલબેન પ્રવિણભાઇ સેલારકા (ઉ.વ.૪૩) તે તેજશભાઇ ધીરૂભાઇ વસોયાના બહેનનું તા.૧૧ને રવિવારે ઉપલેટામાં અવસાન થયેલ છે. બેસણું તા.૧પને ગુરૂવારે સાંજે ૪ થી ૬, વસોયા પરીવાર ખોડીયાર મંદીર, મારૂતી મમરા ફેકટરી પાસે ઉપલેટા ખાતે રાખેલ છે. 

જીતેશભાઇ રાજાણી

ઉપલેટાઃ જેઠાભાઇ રાજાણીના પુત્ર જીતેશભાઇ જેઠાભાઇ રાજાણી (ઉ.વ.૪૮)નું તા.૧૧ના ઉપલેટા અવસાન થયેલ છે.