Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018
અવસાન નોંધ

હર્ષદકુમાર કોઠારી

રાજકોટઃ સ્વ.લવચંદભાઇ માવજીભાઇ કોઠારીના સુપુત્ર હર્ષદકુમાર લવચંદભાઇ કોઠારી (ઉ.વ.૭પ) તે સ્વ.ભુપેન્દ્રભાઇ (મુંબઇ) સ્વ.જીતેન્દ્રભાઇ (રાજકોટ) તથા અશ્વીનભાઇ (ઉપલેટા)ના ભાઇ તથા હર્ષદરાય દેસાઇ (રાજકોટ)ના વેવાઇ પ્રતિકભાઇ (દેવલ ટ્રાવેલ્સ)ના પિતાશ્રી તથા સ્વ.જયંતિલાલ અમીલાલ ભણશાલી (મુંબઇ)ના જમાઇનું તા.૧૧ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૧૩ના શનિવારે સવારે ૧૧ વાગે શ્રી દિગંબર જૈન મંદિર કાનજી સ્વામી માર્ગ શાસ્ત્રી મેદાન સામે રાખેલ છે.

અબીલભાઇ હુસેનભાઇ

મોરબીઃ અબીલભાઇ હુસેનભાઇ લાખા (ઉ.વ.૪૦) તે સ્વ.હુસેનભાઇ પુંજાભાઇ લાખા (ચાચાપર વાળા)ના પુત્ર તથા સુલેમાનભાઇ, અબ્દુલભાઇના નાનાભાઇનું તા.૭ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧પને સોમવારે સવારે ૧૦ થી સાંજ સુધી તેમના નિવાસસ્થાન, શિવ સોસાયટી નર્મદા હોલની બાજુમાં જુના સાયન્ટીફીક રોડ કાલીકા પ્લોટ ખાતે રાખેલ છે.

ગીરીશભાઇ મિસ્ત્રી

રાજકોટઃ ગીરીશભાઇ બિહારીલાલ મિસ્ત્રી (સચાણીયા) તે શાંતાબેનના પતિ, જયોતિબેન મહેશભાઇ ખંભાયતા (લંડન) અને મનિષભાઇના પિતાશ્રી તેમજ સ્વ.અરૂણભાઇ બિહારીલાલ સચાણીયા, સ્વ.શારદાબેન અમૃતલાલ સીનરોજા, સ્વ.ઇન્દુબેન જયંતિલાલ સીનરોજાના નાના ભાઇ તથા ગં. સ્વ. હંસાબેન જયદેવભાઇ વાલંભીયા, સ્વ.દિપકભાઇ બિહારીલાલ મિસ્ત્રી (સચાણીયા)ના મોટાભાઇ અને સ્વ.કેશવજીભાઇ બી. વડગામાના જમાઇ તેમજ નિલેશભાઇ, નયનભાઇ, અને કીર્તીબેન દિલીપભાઇ માંડવીયાના કાકાનું તા.પના કુશાલનગર (કર્ણાટક) મુકામે અવસાન થયેલ છે. સ્વ.નું બેસણું તા.૧૩ના શનિવારે ૪-૩૦ થી પ-૩૦, વરિયા પ્રજાપતિ જ્ઞાતીની વાડી, વિભાગ-૧, ત્રિશૂલ ચોક પાસે, લક્ષ્મીનગર મેઇન રોડ, ખાતે રાખેલ છે.

બાવાભાઇ રાઠોડ

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા બાવાભાઇ પરબતભાઇ રાઠોડ (ઉ.વ.૯૦) તા.૧૧ના શ્રી રામ ચરણ પામેલ છે. તે ખોડાભાઇ બાવાભાઇ તથા દિપકભાઇ બાવાભાઇના પિતાશ્રી તથા ભીખુભાઇ પરબતભાઇના મોટાભાઇ તેમજ પિયુષ, લાલાભાઇ, અજય, કૃણાલના દાદા તેમજ રસીકના દાદાનું  બેસણું તા.૧૩ના શનિવારે સાંજે ૪ થી ૬ શ્રી રામાપીર મંદિર ઇન્દીરાનગરમાં રાખેલ છે.

નર્મદાબેન મેર

ગોંડલ : સ્વ. છગનલાલ પ્રેમજીભાઇ મેર (જેતપુર) ના પત્ની નર્મદાબેન (ઉ.૯૦) તે સ્વ. દામોદરભાઇ, ચંદુભાઇ, સ્વ. ભગવાનજીભાઇ, સ્વ. ચંદુભાઇ, વિનુભાઇના ભાભીનું તા.૧૦ના રોજ અવસાન થયેલ છે. સાદડી તા.૧૨ને શુક્રવારે સાંજે ૪:૩૦ થી ૬ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી ગોંડલ મુકામે રાખેલ છે.

મનસુખભાઈ લોઢીયા

રાજકોટ : કોટડાસાંગાણી નિવાસી સ્વ.સોની હરીલાલભાઈ પરસોતમભાઈ લોઢીયાના પુત્ર તે સ્વ.અમૃતભાઈ, સ્વ.છગનભાઈ (કો.સાં.) તથા રસીકભાઈ (લંડન)ના નાનાભાઈ મનસુખભાઈ હરીલાલભાઈ લોઢીયા (ઉ.વ.૬૯)નું તા.૪ના રોજ લેસ્ટર (યુકે) મુકામે અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૩ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ કોટડાસાંગાણી મુકામે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

કૃષ્ણકુમાર ભગદેવ

રાજકોટ : શ્રી કૃષ્ણકુમાર ઉર્ફે કૌશિકભાઈ રતિલાલ ભગદેવ (ઉ.વ.૫૯) (રહે. અમદાવાદ, હાલ રાજકોટ) તે સ્વ. રતિલાલ પ્રાગજીભાઈ ભગદેવના પુત્ર, હરેશભાઈ ભગદેવના નાનાભાઈ, સ્વ.શૈલેષભાઈ તથા હિતેશભાઈ, ધર્મેશભાઈ ભગદેવના મોટાભાઈ, મેહુલ તથા વિશ્વાના પિતાશ્રી તેમજ બ્રિજેશભાઈ ભરાણીયાના સસરા તેમજ સ્વ.જગજીવન અંદરજી જોબનપુત્રા વાંકાનેરવાળાના જમાઈ તે પ્રદિપભાઈ તથા રમેશભાઈના બનેવીનું તા.૧૧ના ગુરૂવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.૧૨ને શુક્રવારે સાંજે ૫ થી ૬ કાશી વિશ્વનાથ મંદિર, હરીહર ચોક, કાશી વિશ્વનાથ પ્લોટ-૧, રાજકોટ ખાતે રાખેલ છે.

મુકુંદરાય ગાઠાણી

રાજકોટ : ધોરાજી નિવાસી હાલ રાજકોટ સ્વ. શ્રી નાથાલાલ ઠાકરશી ગાઠાણીના પુત્ર મુકુંદરાય નાથાલાલ ગાઠાણી તે સ્વ. દલસુખભાઈ જેચંદભાઈ મહેતાના જમાઈ તથા કેતનભાઈ ગાઠાણી (બેંગકોક), હેતુલભાઈ ગાઠાણી (મોટર સાયકલ હાઉસ), રાજકોટ અને જયશ્રીબેન મહેતા (મસ્કત)ના પિતા તેમજ વિજયકુમાર ગાઠાણી, રાજકોટના મોટાભાઈ તથા ભાનુચંદ્ર ભાઈલાલ કોઠારી, રાજકોટના સાળાનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું કાલે શનિવારે તા.૧૨ના સવારે ૧૦:૩૦ વાગ્યે સરદારનગર ઉપાશ્રયે રાખેલ છે. (મો.૮૪૬૦૦ ૧૧૨૦૫)

બીલખા વાળા શાંતાબેન સુચકનું અવસાનઃ કાલે બેસણું

રાજકોટ : મુળ બિલખા નિવાસી હાલ રાજકોટનાં સ્વ. નાનાલાલ હીરજીભાઇ સુચક ના ધર્મપત્ની શાંતાબેન નાનાલાલ સુચક તે સ્વ. પ્રાણલાલ મોહનલાલ માણેક, સ્વ. ઓધવજીભાઇ, કાન્તીલાલ, સ્વ. મનસુખલાલ, રમેશભાઇ ત્થા સ્વ. નર્મદાબેન મોતીલાલ ઓંધીયા ત્થા કુ. જયોતીબેન ઓ. માણેકના ફૈબાનું તા. ૧૧ ને ગુરૂવારે અવસાનથયું છે. સદ્ગતનું બેસણુ તા. ૧૩ ને સાંજે પ થી ૬ રમણીક આશ્રમ, કૈસરી હિન્દ પુલ રોડ, મુસ્લીમ લાઇન સામે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

ન્યુઝ પેપર એજન્ટ કૌશિકભાઈ મીરાણીનું અવસાન

રાજકોટ : કૌશ્કિભાઈ મહાદેવભાઈ મીરાણી (ન્યુઝ પેપર એજન્ટ) (ઉ.વ.૫૫) (રાજકોટ) તેઓ મહાદેવભાઈ માવજીભાઈ મીરાણીના પુત્ર તેમજ રતિલાલભાઈ, જીતેન્દ્રભાઈના નાનાભાઈ તેમજ ભુપતભાઈના મોટાભાઈ, રવિભાઈના પિતાશ્રી, રમાબેન ચંદુલાલ રાચ્છના નાનાભાઈ, હિરેનભાઈ, કૃણાલભાઈ, ઉદયભાઈ, સુરજભાઈના કાકા તેમજ ગીરધરલાલ ગોકળદાસ કક્કડના જમાઈનું દુઃખદ અવસાન તા.૧૧ના રોજ થયેલ છે. તેઓનું ઉઠમણું તા.૧૩ને શનિવારે સાંજે ૪ થી ૫ કલાકે શ્રી ગૌરેશ્વર મહાદેવ મંદિર, હંસરાજનગર મેઈન રોડ, પોપટપરાના નાલા પાસે આવેલ છે.

મુકતાબેન કથ્રેચા

રાજકોટ : ગુર્જર સુથાર (રાજકોટ) મુકતાબેન ધનજીભાઈ કથ્રેચા (ઉ.વ.૭૫) તે સ્વ.ધનજીભાઈ માધવજીભાઈ કથ્રેચાના ધર્મપત્નિ, સંજયભાઈ, સુનિલભાઈ, કોકીલાબેન શાંતિલાલ સાંકડેચા તથા સ્વ.પ્રફુલાબેન વિનોદભાઈ ત્રેટીયાના માતા, સ્વ.પ્રભુભાઈ, સ્વ.ધીરૂભાઈ, સ્વ.મનસુખભાઈના નાનાભાઈના પત્નિ તથા વિનુભાઈના ભાભી અને વલ્લભભાઈ, સુરેશભાઈ, ગોવિંદભાઈ પીલોજપરાના બેનનું તા.૧૦ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૩ના શનિવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦ અમરનાથ મહાદેવ મંદિર, અંકુરનગર શેરી નં.૬ મુકામે રાખેલ છે. બંને પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

કંચનબેન લાખાણી

રાજકોટ : જૂનાગઢ નિવાસી કંચનબેન (ઉ.વ.૭૫) તે મગનલાલ લાલજીભાઈ લાખાણીના પત્નિ તેમજ સ્વ.નાથાલાલ ધનેશા (મુંબઈ)ના બહેન તથા હિતેષભાઈ તેમજ ધનસુખભાઈના માતુશ્રી તેમજ મહેન્દ્રભાઈ લાખાણીના ભાભીનું તા.૧૧ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું આજે તા.૧૨ના શુક્રવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ કલાકે નાગર રોડ, ગણેશ ફળીયામાં જૂનાગઢ ખાતે રાખેલ છે.

મધુકાન્તાબેન સોની

રાજકોટ : સોની નૌતમલાલ મગનલાલ ચરાડવા (વાંકાનેરવાળા)ના ધર્મપત્નિ અ. સૌ. મધુકાન્તાબેન (ઉ.વ.૭૪) તે રાજેશભાઈ, યોગેશભાઈ, ભાવનાબેન, નીલાબેન, કિરણબેનના માતુશ્રી, તે સચિન, કિશન, નિધિ, અક્ષતના દાદીમા તથા સોની મનસુખલાલ પોપટલાલ ફીચડીયા (પડધરીવાળા)ની પુત્રી તે ધનવંતરાય, વિનુભાઈ, હસમુખભાઈના મોટાબહેન તા.૧૨ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષનું બેસણું તા.૧૩ના શનિવારે સવારે ૧૦:૩૦ થી ૧૨ પારેખની વાડી, ખત્રીવાડ રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રેમજીભાઇ કણઝારીયા

ખંભાળીયા : પ્રેમજીભાઇ કણઝારીયા (ઉ.પપ) તે સ્વ. દામોદરભાઇ દેવજી કણઝારીયા (હરભોલે વાળા) ના પુત્ર, રમેશભાઇ, ગોવિંદભાઇ, નીલેશભાઇ તથા શૈલેષભાઇના ભાઇ તથા પૂર્વ પાલિકા પ્રમુખ કાંતિભાઇ નકુમના બનેવીનું તા. ૧૦ ના અવસાન થયેલ છે.

ચુનીલાલ વાણંદ

રાજકોટ : લખધીરગઢ-ટંકારા (નિવાસ) ચુનીલાાલ નાનજીભાઇ વાણંદ (ઉ.વ.૭૭) તે મગનલાલના નાનાભાઇ તથા નીતીનભાઇ, અરવિંદભાઇ કુસુમબેન ભટ્ટૃીના પિતાશ્રી તથા ચંદુભાઇ નાનાલાલ ભટ્ટીના સસરા તા. ૧૧ ના રોજ કૈલાસવાસ થયેલ છે સદ્ગતનું બેસણુ તા. ૧૩ શનિવારે રોજ ૩ થી પ તેમના નિવાસસ્થાન લખધીરગઢ ખાતે રાખેલ છે.

ગોકુળભાઇ સરવૈયા

 રાજકોટઃ ગોકુળભાઇ ગાંગજીભાઇ સરવૈયાનું (ઉ.વ.૬૦) તા.૧૦ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા.૧૩ને શનિવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને ગીતાનગર-૮, જય-વિજય સ્કુલની બાજુમાં રાખેલ છે.

 મંજુલાબેન કોટક

  રાજકોટઃ સ્વ. હરીદાસ સુંદરજી પાંઉ રાજકોટની પુત્રી ગં.સ્વ. મંજુલાબેન (ઉ.વ.૮૦) તે સ્વ. ગીરધરલાલ મુળજીભાઇ કોટક કલકતાના ધર્મપત્નિ તે સ્વ. ગોરધનદાસ સુંદરજી પાંઉ રાજકોટ તથા સ્વ. રસિકલાલ સુંદરજી પાંઉ ગોંડલની ભત્રીજી તથા કિરીટભાઇ અને ભાસ્કરભાઇના મોટા બહેન તા.૧૧ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. ઇશ્વર તેમના આત્માને પરમશાંતિ આપે તેવી પ્રાર્થના