Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018
જમનાબેન બટુકભાઈ ડાભીનું દુઃખદ અવસાન

રાજકોટઃ જમનાબેન બટુકભાઈ ડાભી તે કિરીટ બટુકભાઈ ડાભી, સંજય બટુકભાઈ ડાભી અને રાજુ બટુકભાઈ ડાભીના માતુશ્રી તથા મછાભાઈ નથુભાઈ ડાભીના ભાભી, તેમજ સંજય નાનુભાઈ ડાભી, ઘેલાભાઈ નારણભાઈ ડાભીની કાકી તથા નયન શીવાભાઈ બાંભવાના મામી તા.૧૦ના રામચરણ પામેલ છે.

અવસાન નોંધ

મનોરમાબેન ધોળકીયા

રાજકોટ : વડનગરા નાગર ઉઠમણું : મનોરમાબેન દેવીકુમાર ધોળકીયા (દિલીપ, પલ્લવી અને જવલંતના માતુશ્રીનું તા.૯ના અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૩ને ગુરૂવારના સાંજે ૫ થી ૬, ભગવાન ભુવન વાડી, પંચનાથ મહાદેવના મંદિર પાસે, પંચનાથ પ્લોટ શેરી નં. ૬/૧૧, રાજકોટ ખાતે રાખેલ છે.

ભરતભાઈ તન્ના

રાજકોટ : જૂનાગઢ નિવાસી પ્રભુદાસ અમરસિંહ તન્નાના પુત્ર ભરતભાઈ (ઉ.વ.૫૭) હાલ રાજકોટ તા.૧૧ના અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તેમજ પિયર પક્ષની સાદડી બપોરે ૫ થી ૬ તા.૧૩ના ગુરૂવારે રાજકોટ નીલ્સ ગ્રીન એવન્યુના કોમન પ્લોટમાં રાખેલ છે.

ચેતનાબેન બુદ્ધદેવ

રાજકોટ : નવાગામ રાજકોટ નિવાસી બળવંતભાઈ (કનુભાઈ) જેઠાલાલ બુદ્ધદેવનાં પુત્ર હિતેશભાઈના ધર્મપત્નિ ચેતનાબેન (ઉ.વ.૪૮) તે એકતાબેન તથા વિવેકભાઈના માતુશ્રી તેમજ ભલસાણ બેરાજાવાળા સ્વ. ઠા. ગુલાબરાય ગોપાલદાસ સાતાના દિકરી, મિતુલભાઈ લાલાભાઈના બહેનનું તા.૧૧ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તેમજ પિયર પક્ષની સાદડી તા.૧૩ને ગુરૂવારે સાંજે ૫ કલાકે તેમના નિવાસસ્થાને સોસાયટી શેરી નં.૩, નવાગામ ખાતે રાખેલ છે.

  રમાબેન ચાવડા

ધોરાજી :  કડીયા કુંભાર રમાબેન કેશુભાઇ ચાવડા (ઉ.૮૫) તે જયંતીભાઇ મુકેશભાઇ, કિશોરભાઇ ના માતુશ્રી તેમજ સૈલેશભાઇ ના દાદીમા નું તા ૯ ને રવિવારે અવસાન થયેલ છે. બેસણું તા.૧૩ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને કૈલાસ નગર, પાવરહાઉસ પાછળે, ધોરાજી ખાતે રાખેલ છે.

છગનભાઇ બજાણીયા

જુનાગઢઃ હાલ વેરાવળ નિવાસી છગનભાઇ મનજીભાઇ બજાણીયા (ઉ.વ.૭૮) તે રમાબેન બજાણીયાના પતિ, તેમજ વિરલભાઇ તથા નિરવભાઇ બજાણીયાના પિતાશ્રી તા.૯  ના અવસાન થયેલ છે. બેસણું તા.૧૩ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તક્ષશિલા વિદ્યાલય, આઅઇ.ટી.આઇ. પાસે બીલખા રોડ, જુનાગઢ ખાતે રાખેલ છે.

જશુમતીબેન જાની

રાજુલા : વાવેરા નિવાસી હાલ રાજુલા રાજગોર (કાઠી ગોર) બ્રાહ્મણ સ્વ. જશુમતીબેન જાદવજીભાઇ જાની (ઉ.વ.૯૪) તે શ્રી દુર્લભજીભાઇ,શ્રી દલપતભાઇ, જે.જે.જાની તથા સ્વ. ભુપતભાઇ ના માતુશ્રી તેમજ વિનોદભાઇ, પ્રતાપભાઇ, સુરેશભાઇ, અતુલભાઇ, પરાગભાઇ,મનીષભાઇ ના દાદીમા તા. ૧૨ ને બુધવારે કૈલાસવાસી થયેલ છે. બેસણું તા. ૧૩ ને ગુરૂવારે સવારે ૯ થી સાંજના ૬ સુધી, બલરામનગર, ભરતનગરની પાછળ, 'પર્વરાજ' છતડીયા રોડ, રાજુલા રાખેલ છે તેમજ વાવેરામાં તા. ૧૫ નેશનિવારે સાંજે ૩ થી૬ નિવાસ સ્થાને રાખેલ છે.

રેવાબેન ચૌહાણ

રાજકોટઃ મચ્છુ કઠિયા સઈ સુતાર જ્ઞાતિના પ્રોગ્રેસીવવાળા સ્વ. જગજીવનભાઈ નાગજીભાઈ ચૌહાણના ધર્મપત્ની રેવાબેન (ઉ.વ.૭૭) તે અનિલાબેન ચૌહાણ (નિવૃત આચાર્ય - શાળા નં. ૧૬-રાજકોટ) તથા લીનાબેન રાજેશકુમાર ગોંડલના માતુશ્રી તથા દેવસી વશરામ પરમાર ડેઢાવાળા-જામનગરના દીકરીનું તા. ૧૧-૯-૧૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનુ બેસણુ તા. ૧૪-૯-૧૮ને શુક્રવારને સાંજે ૫ થી ૬ જિલ્લા ગાર્ડન મહાદેવ મંદિરે રાખેલ છે.

મંજુલાબેન ઠાકર

કોટડાસાંગાણી :  ઓૈઘ્ચિય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ જ્ઞાતિ મુળ ઘુઘરાળા નિવાસી, હાલ કોટડાસાંગાણી, સ્વ. જયંતિલાલ રેવાશંકર ઠાકરના ધર્મ પત્નિ ગં.સવ. મંજુલાબેન જયંતિલાલ ઠાકર (ઉ.વ.૭૭) તે ઉપેન્દ્રભાઇ જયંતિલાલ ઠાકર (ડ્રાઇવર મામલતદાર કચેરી કોટડા સાંગાણી) ના માતુશ્રીનું તા. ૧૧/૯/૨૦૧૮ ના રોજઅવસાન થયેલ છે. જેનું ઉઠમણું તા. ૧૩/૯/૨૦૧૦૮ ને ગુરૂવારે સાંંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન કોટડાસાંગાણી, ગોંડલ રોડ, સિવિલ કોર્ટની બાજુમાં રાખેલ છે.

મોહનલાલ રાયઠઠ્ઠા

રાજકોટ : શ્રી મોહનલાલ પ્રેમજીભાઈ રાયઠઠ્ઠા (ઉ.વ.૭૯) તે જમનાદાસ પ્રેમજીભાઈ તથા સ્વ.મનસુખલાલ પ્રેમજીભાઈના ભાઈ તથા રાજુભાઈ (પોરબંદર હાઈકોર્ટ), રમેશભાઈ, નીતિનભાઈ, સરોજબેન જગદીશભાઈ કોટેચા (ભાણવડ), મિરલબેન જીતેન્દ્રકુમાર કારીયા (બાંટવા)ના પિતાશ્રીનું રાણાખીરસરા ગામે તા.૧૨ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૧૩ના ગુરૂવારે રાણાખીરસરા મુકામે સ્થળ - સગર સમાજ બસ સ્ટેન્ડ પાસે સાંજે ૪ થી ૫ રાખેલ છે.

નિમુબેન સોલંકી

રાજકોટઃ મચ્છુ કઠિયા સઈ સુતાર જ્ઞાતિના (હડાળાવાળા) સ્વ.વલ્લભદાસ ટપુભાઈ સોલંકીના પત્નિ નીમુબેન (ઉ.વ.૮૦) તે સ્વ.ગીરધરભાઈ તથા સ્વ.બચુભાઈ તથા સ્વ.ભગવાનજીભાઈ તથા સ્વ.રમણીકભાઈ તેમજ મનસુખભાઈના ભાભી તે રાજુભાઈના માતુશ્રીનું તા.૧૧ મંગળવારે દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૩ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રામનાથપરા દરજીની વાડીમાં પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

મનસુખભાઈ ભટ્ટ

રાજકોટઃ મોઢ ચતુર્વેદી (ખી.સ.) શેડુભારવાળા હાલ રાજકોટ નિવાસી મનસુખભાઈ પ્રભાશંકર ભટ્ટ (ઉ.વ.૭૪) જે હિતેશભાઈ અને કેતનભાઈના પિતાશ્રી તેમજ જયવંતભાઈ ભટ્ટના મોટાભાઈનું તા.૧૧ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૩ને ગુરૂવારે સાંજના ૪ થી ૬ ચંદ્રેશવાડી, પંચવટી મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ  છે.

નિર્મળાબેન સોલંકી

રાજકોટઃ મચ્છુ કઠિયા સઈ સુતાર મુળ ગામ હડાળાવાાળા હાલ રાજકોટ નિવાસી નિર્મળાબેન વલ્લભભાઈ સોલંકી (ઉ.વ.૮૦) તે રાજુ ટેઈલરવાળા રાજુભાઈના માતુશ્રી તેમજ દિનેશભાઈ તથા નિલેશભાઈના ભાભુ તેમજ તેજશ, ભાવેશ, પ્રતિક, મિતેશના દાદીમાં તેમજ શરદભાઈના ફઈબા મંગળવાર તા.૧૧ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેમનું બેસણું તા.૧૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ સ્થળઃ મચ્છુ કઠિયા (દરજી) સઈ સુતારની વાડી, રામનાથપરા, રાજકોટ ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

રતિલાલ માંડલીયા

રાજકોટઃ ઉપલેટા નિવાસી (હાલ રાજકોટ) સોની રતીલાલ ખીમચંદ માંડલીયા (ઉ.વ.૮૨) તે નરેન્દ્રભાઈ રમણીકભાઈ ગેરીયા, સ્વ.અશોકભાઈ તથા વિજયભાઈનાં બનેવી તા.૯ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમના સસરા પક્ષની સાદડી તા.૧૩ ગુરૂવારે, સાંજે ૪ થી ૬ કલાકે, માધવ એપાર્ટમેન્ટ, શિવામહારાજ શેરી નં.૧, સંતોષ સાડી વાળી શેરી, શિલ્પા જવેલર્સ બાજુમાં, કોઠારીયા નાકા, રાજકોટ ખાતે રાખેલ છે.

આરતીબેન બાટવીયા

રાજકોટઃ આરતીબેન બાટવીયા તે ભરતકુમાર સુંદરજી બાટવીયાના ધર્મપત્ની તેમજ કૌશલ્ય, જલ્પા, પુજાના માતુશ્રી તેમજ (જુનાગઢ) સ્વ.ત્રીભોવનભાઈ, (જેતપુર) સ્વ.રસિકભાઈ (રાજકોટ) ધીરૂભાઈના નાનાભાઈના પત્ની તેમજ ભાવનગર નિવાસી નરેશભાઈ મજેઠીયાની બેનનું તા.૧૧ મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણું તા.૧૩ ગુરૂવારે સાંજે ૪ થી ૫ નવનિત હોલ હરી ધવા મેઈન રોડ પર રાખેલ છે. સાથે પિયરપક્ષની સાદડી રાખેલ છે.

નાથીબેન હિરપરા

ગોંડલ : નાથીબેન જાદવભાઇ હિરપરા (ઉ.વ.૮૫) તે ધીરુભાઇ, રમેશભાઇ, (દિવ્યેશવાળા), ગીરીશભાઇના માતા તથા મનીષ, ભાવિન, ધવલ, પાર્થ, કિશાન, અક્ષયના દાદીમાનું તા.૧૦ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૩નેે ગુરૂવારે સાંજે ૪ થી ૬ સિંધુ ભવન, ૬-મહાદેવ વાડી, ગોંડલ મુકામે રાખેલ છે.

ચંપાબેન દાવડા

ઓખા : નિવાસી હાલ નવસારી ગં.સ્વ. ચંપાબેન જમનાદાસ દાવડા ઉ.વ. ૮૮ તે પ્રતાપભાઇ, અનિલભાઇ તથા વિજયભાઇના માતુશ્રી તથા મનસુખભાઇ સચાણીના સાસુનું તા. ૧૦ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા તા. ૧૩ના સાંજે ૪:૩૦ વાગ્યે ઓખા શ્રી ઉષેશ્વર મહાદેવ મંદિર દાવડા હોલ ખાતે રાખેલ છે. પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

ભગવાનજીભાઇ અઘારા

મોરબી : ભગવાનજી પિતાંબરભાઇ અઘારા (ઉ.વ.૮૩) (મેસર્સ ભગવાનજી પિતાંબર રીંગઢવાળા) તે લાલજીભાઇના ભાઇ તેમજ જગદીશભાઇ અને લલીતભાઇના પિતાશ્રી તથા લખન અને પાર્થના દાદા તથા નાનજીભાઇ, અંબારામભાઇ અને ચંદ્રકાંતભાઇના કાકા તા. ૧૦ ને સોમવારે કૈલાસવાસ થયેલ છે. બેસણું તા. ૧૩ ને ગુરૂવારે સવારે ૮થી ૧૦ તેઓના નિવાસ સ્થાન, ૧-રિલાયન્સ એપાર્ટમેન્ટ, રીલાયન્સનગર, રવાપર રોડ મોરબી ખાતે રાખેલ છે.

રવુભા જાડેજાનું દુઃખદ અવસાન : કાલે બેસણુ

રાજકોટ : મૂળગામ ભગન ખીજડીયા હાલ રાજકોટ નિવાસી રવુભા ગંભરસિંહ જાડેજા ઉં.વ. ૬પનું તા. ૧૦ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગત નું બેસણુ (પ્રાર્થનાસભા) તા. ૧૩ ના સાંજે ૪ થી ૬, તેમના નિવાસ સ્થાન રાજકોટ 'યોગી' શાસ્ત્રીનગર (અજમેરા) નાના મૌવા રોડ ઇ-૧ર મુકામે રાખેલ છે.

રમાબેન મારૂ

ઉપલેટા : વાણંદ મારૂ રમાબેન ભુરાભાઇ ઉ.વ. ૬૩ તે રાજુભાઇ, મનોજભાઇ, મનીષભાઇના માતુશ્રી તથા ભોલુભાઇ, વિવેકભાઇ, હિરલભાઇ, ભુપીભાઇ, રાઘુભાઇ, સિદ્ધેભાઇના દાદીમાંનું તા. ૧૧ના રઅવસાન થયેલ છે. બેસણું તા. ૧૩ના ૪ થી ૬ કેશરીયા હનુમાન મંદિરે રાખેલ છે.