Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019
અવસાન નોંધ

ખંભાળિયાના પીઢ સેવાભાવી રઘુવંશી અગ્રણી વિનુભાઇ પંચમતીયાના ધર્મપત્નિનું અવસાન

જામખંભાળીયાઃ વિવિધ રઘુવંશી સેવા સંસ્થાના સક્રિય કાર્યકર વિનુભાઇ વલ્લભદાસ પંચમતીયાના ધર્મપત્ની અ.સૌ.વંદનાબેન (ઉ.પ૮) તે દર્શન અને કેયુરના માતુશ્રીનુ તા.૧૦ ના રોજ અવસાન થયેલ છે.પ્રાર્થનાસભા સોમવાર તા.૧રમીના સાંજે ૪થી ૪ાા ભાઇઓ તથા બહેનો માટે અત્રે શ્રી શરણેશ્વર મહાદેવના મંદિરે રાખવામાં આવેલ છ.ે(

દિપગીરી ગોસ્વામી

રાજકોટઃ મુ. ખોખરા મહાદેવ હાલ રાજકોટ ગોસ્વામી દિપગીરી કેતનગીરી (ઉ.વ.૧૨) નું તા.૧૦ શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે ભોલાભાઇ ખોડીયાર ટુર ટ્રાવેલ્સના ભત્રીજાનું બેસણું તા.૧૨ના સોમવારે સાંજે ૪ થી ૬ સિધ્ધી ફાઇવ શેઠનગર પાછળ જામનગર રોડ ખાતે રાખેલ છે.

શિતલબેન કાનાબાર

 રાજકોટઃ અમરાપુર (ગીર) વાળા  દેવચંદભાઇ ગોપાલજીભાઇ કાનાબાર ના પુત્રવધુ તથા રાજેશભાઇના ધર્મપત્નિ શીતલબેન (ઉ.વ.૨૯) તે લલીતભાઇ હરજીવનભાઇ બગડાઇના પુત્રીનું તા.૧૧ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તેમનું ઉઠમણું તથા પીયરપક્ષની સાદડી તા.૧૨ને સોમવારના રોજ ૪ થી ૫ શ્રી રાધાકૃષ્ણ કો. ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી બોલબાલા માર્ગના છેડે લાલબહાદુર સોસાયટીની સામે ઢેબર રોડ સાઉથ ખાતે રાખેલ છે.

ખદીજાબેન અમરાવતીવાળા

રાજકોટઃ ખદીજાબેન હકીમુદદીન અમરાવતીવાળા તે જાફરભાઇ અને તૈજુનભાઇના માંનું તા.૯ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. તેમના જયારતના સીપારા તા.૧૧ને રવિવારે ઝોહર અસરની નમાઝ બાદ જમાલી હોલ (નવુ કબ્રસ્તાન) ખાતે યોજાયેલ.

હરેશભાઇ ત્રેટીયા

રાજકોટઃ ગુર્જર સુતાર સ્વ. નાનજીભાઇ સુંદરજીભાઇ ત્રેટીયાના મોટા પુત્ર હાર્દિકભાઇ તથા ગાયત્રીબેન મેહુલકુમાર સેથલીયાના પિતાશ્રી તથા રમેશભાઇ તથા કિશોરભાઇના મોટાભાઇ હરજીવનભાઇ જોલાપરાના જમાઇ (ડરોઇવાળા) હાલ રાજકોટ હરેશભાઇ નાનજીભાઇ ત્રેટીયા (ઉ.વ.૫૫)નું તા.૧૦ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૨ સોમવારે સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી પ્રગતિ મંડળ, ગોંડલ રોડ પટેલ કન્યાછાત્રાલય પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

દિપકકુમાર રાઠોડ

રાજકોટઃ લુહાર પાલીતાણા નિવાસી દિપકકુમાર ચુનીલાલ રાઠોડ (ઉ.વ.૬૧) તે જેતપુરવાળા હાલ રાજકોટ ભરતભાઇ દામજીભાલઇ મકવાણા, મંજુલાબેન મનસુખલાલ, ઉષાબેન રમેશકુમાર, લાભુબેન કાંતિલાલ રાજકોટ, જયશ્રીબેન વિનોદકુમાર (અમદાવાદ), લતાબેન ભરતકુમાર (સુરત)ના બનેવીનું તા.૮ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું પિયરપક્ષનું બેસણું તા.૧૨ સોમવારના ૪ થી ૬ લુહાર બોર્ડીંગ રાષ્ટ્રીયશાળા સામે રાજકોટ ખાતે રાખેલ છે.

કાન્તાબેન મારૂ

મોરબીઃ ટોળ નિવાસી હાલ મોરબી કાન્તાબેન રમેશભાઇ મારૂ (ઉ.૬૭) તે રમેશભાઇ ધરમશીભાઇ મારૂના પત્ની ગોપાલભાઇ જીતેન્દ્રભાઇ, હરેશભાઇના માતુશ્રીનું તા.૧૦ ના રોજ અવસાન થયેલ છે બેસણું તા.૧રને સોમવારે સાંજે ૪ થી પ-૩૦ શ્રી જડેશ્વર મહાદેવ મંદિર સ્ટેશન રોડ મોરબી ખાતે રાખેલ છે.

ગંગાબેન આશનાણી

જેતપુરઃ ગંગાબેન ખેમચંદ આશનાણી (ઉ.૯૦) તે તુલશીભાઇ પરસોતમભાઇ, વિષ્ણુભાઇ, રાજુભાઇ, ચંદુભાઇ આશનાણી (જલારામ ગ્રુપ) ના માતુશ્રીનુ તા.૧૦ ને શનીવારેના અવસાન થયેલ છે. બેસણું આજે  તા.૧ર સોમવાર સાંજે ૪ થી ૬ વણીક જ્ઞાતીની વાડી કણકિયા પ્લોટ જેતપુર ખાતે રાખેલ છે.

માલતીબેન ગેરીયા

પડધરીઃ ગો. વા. સોની ભગવાનજીભાઇ દયાળજીભાઇ ભુવાની પુત્રી અ.સૌ. માલતીબેન જયંતભાઇ ગેરીયા (ઉ.વ.પ૯) તે હરેશભાઇ, દિપકભાઇ તથા રાજુભાઇના બહેન તા.૮ના વેરાવળ ખાતે શ્રીજી ચરણ પામ્યા છે. તેમની સાદડી આજે તા.૧રના સોમવારે સાંજે ૪ થી પ-૩૦, ધારશકિત માતાજીની વાડી, વાણીયા શેરી પડધરી મુકામે રાખેલ છે.

જયંતિલાલભાઇ સોની

રાજકોટઃ સોની જયંતિલાલ પીતાંબરદાસ રાધનપુરા (ઉ.વ.૮૪) તે સ્વ.રમણિકલાલ, સ્વ.કાંીતલાલના નાનાભાઇ તે જયસુખલાલના મોટાભાઇ તથા ડાયાલાલ પોપટલાલ રાણપરાના જમાઇ ને તા.૧૦ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બન્ને પક્ષનું બેસણું આજે તા.૧રને સોમવારે બપોરે ૪ થી પ, વાઘેશ્વરી વાડી યુનિટ નં.૩ રામનાથપરા ખાતે રાખેલ છે. (લાકીક વ્યવહાર બંધ રાખેલ છે)

ભરતભાઇ વ્યાસ

રાજકોટઃ વાલમ બ્રાહ્મણ રીબવાળા વ્યાસ સ્વ.ભરતભાઇ જેન્તીલાલ વ્યાસ જે સ્વ.જીતેન્દ્રભાઇ તથા રાજેન્દ્રભાઇ વ્યાસના નાનાભાઇ તથા કિશનભાઇવ્યાસના કાકા તથા ચંદ્રીકાબેન ઉપાધયાયના ભાઇનું તા.૧૦ના કૈલાશવાસી થયેલ છે. તેમનું બેસણું તા.૧ર સોમવારે સાંજે ૪ થી પ, જીથરીયા હનુમાનજી મંદીર મવડી ચોકડી પાસે રાખેલ છે.

નયનાબેન જોશી

બગસરાઃ બાલાપુર નિવાસી હાલ રાજકોટ ઔદિચ્ય સહસ્ત્ર ચીભડીયા બ્રાહ્મણ નયનાબેન (ઉ.૬૩) તે ચંદ્ર મોલીભાઇ જોષીના ધર્મપત્ની અશોકભાઇના નાનાભાઇના પત્નિ તથા સ્વ. સ્વ.અરૂણભાઇ, વિપુલભાઇ, કમલભાઇના ભાભીનું તા.૧૦ ના રોજ અવસાન થયેલ છે બેસણું તા.૧રને સોમવારે સાંજે ૪ થી ૬ રાધે હોલ, પારીજાત સોસાયટી, આલાપ સેન્ચ્યુરી પાછળ, વિમલનગર મેઇન રોડ, રૂડાનગર રની સામે કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

કીરીટભાઇ મજીઠીયા

વાંકાનેરઃ સ્વ. જાદવજી વેલજીભાઇ મજીઠીયાના પુત્ર કિરીટભાઇ ઉ.૬૧ તેસ્વ. સુરેશભાઇ તથા સંજયભાઇ અનેદક્ષાબેનના ભાઇનું તા.૧૧ના અવસાન થયેલ છે.ઉઠમણું તા.૧રને સોમવારે સાંજે પ વાગ્યે શ્રી વિશ્વકર્મા મંદિર જીનપરા ચોક વાંકાનેર ખાતે ભાઇઓ તથા બહેનોનું સાથે રાખેલ છે.

વિનોદરાય જાની

આટકોટઃ ઔદિચ્ય ગુજરાતી સાડાચારસો બ્રાહ્મણ વિનોદરાય પ્રાગજીભાઇ જાની (ઉ.વ.૮પ) જે ભાવેશભાઇ નિલેશભાઇ હર્ષાબેન તથા નયનાબેનના પિતાશ્રી તેમજ હર્ષદરાય કાંતીલાલ ભટ્ટ સ્વ. મનહરભાઇ કાંતીલાલ ભટ્ટ, હસમુખરાય કાંતીલાલ ભટ્ટ, (ભટ્ટદાદા)ના બનેવીનું તા.૧૧-૮-૧૯ને રવિવારે અવસાન થયેલ છે. બેસણું/સાદડી તા.૧૩ ને મંગળવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે તાલુકા શાળા આટકોટ મુકામે બંન્ને પક્ષોની સાદડી સાથે રાખેલ છે.