Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019
પીજીવીસીએલના ડે.ઈજનેર સરદારસિંહ ઝાલાના પિતાશ્રીનું દુઃખદ અવસાન

રાજકોટઃ મુળ લીંબડી તાલુકાના કંથારીયા ગામના વતની, હાલ સુરેન્દ્રનગર દિલાવરસિંહ મોડુભા ઝાલા તે ટવિનસિંહ, સરદારસિંહ (પી.જી.વી.સી.એલ.)ના પિતાશ્રી તથા ગિરીરાજસિંહ અને યુવરાજસિંહના દાદાનું તા.૧૦ વસંતપંચમીના દિવસે અક્ષરનિવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૪ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી૬ સુધી  ૨૦- આરાધના સોસાયટી, દાળમિલ રોડ, સુરેન્દ્રનગર તેમજ તા.૧૫ને શુક્રવાર સાંજે ૪ થી ૬, આલાપ સેંચુરી, પુષ્કરધામ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

વીવીપી કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ સચીન પરીખના માતુશ્રીનું અવસાનઃ ગુરૂવારે બેસણું

રાજકોટઃ. સ્વ. રેખાબહેન પ્રકાશભાઈ પરીખ (ઉ.વ.૭૨) તે જી.ઈ.બી.ના ભૂતપૂર્વ ચીફ એન્જીનીયર પ્રકાશભાઈ કાંતીલાલ પરીખના ધર્મપત્ની, ડો. સચીનભાઈ પરીખ (વી.વી.પી. ઈજનેરી કોલેજના પૂર્વ આચાર્ય, હાલ હેડ ઓફ ધી ડીપાર્ટમેન્ટ, એલ.ડી. કોલેજ-અમદાવાદ), આશિષભાઈ પરીખ (અમેરીકા)ના માતુશ્રી તેમજ હીરલબહેન, નિહારીકાબહેનના સાસુનું તા. ૧૧-૨-૨૦૧૯ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧૪-૨-૨૦૧૯ને ગુરૂવારના રોજ બપોરે ૪.૦૦ થી ૫.૩૦ તેમના નિવાસ સ્થાન, ગેલેકસી એપાર્ટમેન્ટ, ગેલેકસી ટોકીઝની બાજુમાં, રેસકોર્ષ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.(૨-૨૫)

 

અવસાન નોંધ

જશવંતીબેન કોઠારી

રાજકોટ : દશા સોરઠીયા વણિક વેરાવળ નિવાસી હાલ રાજકોટ ગં.સ્વ.જશવંતીબેન તે સ્વ.મનસુખલાલ હેમચંદ કોઠારીના પત્નિ તેમજ ભીખાલાલ રૂગનાથ ગાંધીના પત્નિ તેમજ ભીખાલાલ રૂગનાથ ગાંધીના પુત્રી તે જગદીશભાઈ, જીતુભાઈ તેમજ પ્રીતિબેન ધવલકુમાર માંડવીયા (મહેસાણા)ના માતુશ્રી, કેવીન, ક્રિસના દાદીમા તા.૧૦ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૪ને ગુરૂવાર સાંજે ૫ વાગ્યે નિલકંઠ મહાદેવ મંદિર, શિવસંગમ સોસાયટી જલારામ - ૨, રાજકોટ મુકામે રાખેલ છે. (લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.)

જયસુખભાઈ ચાવડા

રાજકોટ : શ્રી ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતિના રાજકોટ નિવાસી જયસુખભાઈ દયાળજીભાઈ ચાવડા (ઉ.વ.૬૫) પૂનમ ટેઈલરવાળા તે રમેશભાઈ, સ્વ.સંજયભાઈ, મુન્નાભાઈ (ગીરીશ), રંજનબેન હસમુખભાઈ રાઠોડના ભાઈ તથા સ્વ.હિરેન (હસદીપ), અલ્પાબેન, વૈશાલીબેનના પિતા તથા મહેન્દ્રભાઈ, જગદીશભાઈ નાનજીભાઈ રાઠોડના બનેવીનું તા.૧૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૫ને શુક્રવારે સાંજે ૪ થી ૬ શ્રી ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતિની વાડી, ''સહયોગ'' ભકિતનગર સોસાયટી, ઢેબર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

ગોવિંદભાઈ બેલડીયા

રાજકોટ : ગોવિંદભાઈ ખોડાભાઈ બેલડીયા (ઉ.વ.૬૯) તે અશોકભાઈ ગોવિંદભાઈ બેલડીયાના પિતાનું તા.૧૦ના રવિવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૪ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને 'દક્ષા' ૧/૬ શિવનગર પી.ડી.માલવીયા કોલેજ પાછળ ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રેખાબેન પરીખ

રાજકોટ : રેખાબેન પ્રકાશભાઈ પરીખ (ઉ.વ.૭૨) તે જીઈબીના ભૂતપૂર્વ ચીફ એન્જીનિયર પ્રકાશભાઈ કાંતિલાલ પરીખના ધર્મપત્નિ, ડો.સચિનભાઈ (વીવીપી ઈજનેરી કોલેજના પૂર્વ આચાર્ય હાલ હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ, એલ. ડી. કોલેજ - અમદાવાદ), આશિષભાઈ (અમેરીકા)ના માતુશ્રી તેમજ હિરલબેન, નિહારીકાબેનના સાસુનું તા.૧૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૪ને ગુરૂવારના રોજ બપોરે ૪ થી ૫:૩૦ તેમના નિવાસસ્થાન ગેલેકસી એપાર્ટમેન્ટ, ગેલેકસી ટોકીઝની બાજુમાં, રેસકોર્ષ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

મહેશભાઈ લાઠીગરા

રાજકોટ : ગૌ.વા. ફુલચંદભાઈ વલ્લભદાસ લાઠીગરાના પુત્ર મહેશભાઈ લાઠીયા (ઉ.વ.૬૨) તે અમિતભાઈ લાઠીગરા, મૌસમીબેન સંજયભાઈ લંગાલીયાના પિતા તથા પ્રદિપભાઈ, ભરતભાઈ અને ગીતાબેન નવીનચંદ્ર કાત્રોડીયાના ભાઈનું તા.૧૧ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૪ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન શ્રીમાળી સોની સદન, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

શારદાબેન પંડ્યા

રાજકોટ : ઔ.સ.ઝા. બ્રાહ્મણ સ્વ.શારદાબેન મનહરલાલ પંડ્યા (ઉ.વ.૭૬) તે સ્વ.મનહરલાલ મગનલાલ પંડ્યા (આરએમસીના ભૂતપૂર્વ જકાત શાખાના કેશીયર)ના ધર્મપત્નિ તે મહેશભાઈ એમ. પંડ્યા (એસબીઆઈ રાજકોટ), ઈલાબેન પંડ્યા તથા પ્રકાશ પંડ્યા (બાલાજી)ના માતુશ્રી તેમજ હાર્દિક એમ. પંડ્યા તથા અંજલી, પ્રેમ, પ્રીતના દાદીમાનું રાજકોટ મુકામે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૪ને સાંજે ૪ થી ૫ વાગ્યે આમ્રપાલી ટોકીઝવાળી શેરી, રૈયા રોડ, સુભાષનગર મેઈન રોડ, રાતીયા હનુમાનના મંદિરે રાખેલ છે.

રામજીભાઈ ગોરવાડીયા

રાજકોટઃ રામજીભાઈ જેરામભાઈ ગોરવાડીયા (આર્ય પાન ડીપો)ના ધર્મપત્ની મંજુલાબેન રામજીભાઈ ગોરવાડીયા (ઉ.વ.૮૪) તે સ્વ.કિરીટભાઈ તેમજ દિપકભાઈ ગોરવાડીયાના માતુશ્રી તા.૧૧ને સોમવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. બેસણું તા.૧૨ને મંગળવાર સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને દયાનંદ એપાર્ર્ટમેન્ટ, ૨- નવા કુંભારવાડા, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

શાંતિલાલ મહેતા

રાજકોટઃ શાંતિલાલ ભગવાનજીભાઈ મહેતા તે સ્વ.બકુલભાઈ, જીતેન્દ્રભાઈ, યતિનભાઈ, જે.પી. ગુરૂજી તથા દિપલબેન મોદીના પિતાશ્રી તા.૧૦ના રોજ અરીહંત શરણ પામેલ છે. ઉઠમણું તા.૧૪ને ગુરૂવારના રોજ સવારે ૯:૩૦ થી ૧૦:૩૦, પ્રહલાદ પ્લોટ, દેરાસર, રાજકોટ ખાતે રાખેલ છે. પ્રાર્થનાસભા સવારે ૧૧ કલાકે વિસાશ્રીમાળી વાડી (જુની) માં રાખેલ છે.

મનોરમાબેન દેશાઇ

જુનાગઢઃ રતાંગ નિવાસી હાલ જુનાગઢ સ્વ.ડાયાભાઇ જશરાજભાઇ દેશાઇના પૌત્ર મનસુખલાલ અમૃતલાલ દેશાઇના પત્ની મનોરમા (ઉ.વ.૬૯) તે અલ્પેશ, દીપા, પરેશ અને નયનના માતુશ્રી, ચિ. કેવીન, ચિ. પરીના દાદી, મનસ્વીના નાની, તે સ્વ.કાન્તીલાલભાઇના નાના ભાઇના પત્ની, રમેશભાઇ, ભરતભાઇ, હસમુખભાઇના ભાભી, અ.સૌ.હેમા, અ.સૌ. જયોતિ અને શિલ્પેશકુમાર શાહના સાસુજી તે મજેવડી નિવાસી સ્વ.લાભકુંવરબેન શાંતીલાલ મોહનલાલ મહેતાના સુપુત્રી, જયેશભાઇના મોટા બહેન તા.૯ના જુનાગઢ મુકામે અરિહંતશરણ પામેલ છે. તેનું બન્ને પક્ષનું ઉઠમણું ગુરૂવાર તા.૧૪ના રોજ સવારે ૧૦ વાગે અને પ્રાર્થનાસભા સવારે ૧૦-૩૦ થી ૧ર ઉમિયા ઉપાશ્રય, ઉમિયા સોસાયટી, ગીરીરાજ રોડ, બસ સ્ટેન્ડ પાછળ, જુનાગઢ, ખાતે રાખેલ છે.

હંસાબેન માળવી

રાજકોટઃ માધુભાઇ પ્રેમજીભાઇ માળવીના પત્ની હંસાબેન (ઉ.વ.૮પ) તે દિનેશભાઇ (નિવૃત રેલ્વે ગાર્ડ), હરેશભાઇ, ભરતભાઇ, બિપીનભાઇ (દિપ પુનમ પાન) તથા અશોકભાઇ (નિવૃત કર્મ. મનપા - જુનાગઢ)ના માતુશ્રી તા.૧૧ના રોજ અવસા પામ્યા છે. બેસણું તા.૧પને શુક્રવારે સાંજે ૪ થી ૬, કડિયાનગર સોસાયટી, નર્મદેશ્વર મહાદેવ મંદિર, રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રવિણભાઇ ભોગાયતા

રાજકોટઃ બરડાઇ બ્રાહ્મણ મુળ સણખલા વાળા હાલ રાજકોટ સ્વ.શાંતિલાલ નરભેશંકર ભોગયતાના પુત્ર પ્રવિણભાઇ (ઉ.વ.૬૧) તે પિનાકના પિતાશ્રી તથા લલિતભાઇ, અતુલભાઇના મોટાભાઇ તથા ભાવેશભાઇ પંડયા, સંજયભાઇ જોષી, પરેશભાઇના સસરા તથા સ્વ.ઇશ્વરલાલ પ્રાણલાલ પંડયાના જમાઇનું તા.૧૦ના અવસાન થયેલ છે. તેનું બેસણું તા.૧૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેના નિવાસ સ્થાને રાખેલ છે.

ગોરધનભાઇ રાઠોડ

રાજકોટઃ ગુર્જર કડીયા સમાજના મુળ કલાણા હાલ રાજકોટ નિવાસી ગોરધનભાઇ રાજાભાઇ રાઠોડ તે નર્મદાબેન ગોરધનભાઇના પતિ તે દિનેશભાઇ ગોરધનભાઇના પિતા તે જમનભાઇ રાજાભાઇના ભાઇ તે નિલેશભાઇ જમનભાઇના ભાઇજીનું તા.૧૧ના અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૧૪ના ૪ થી ૬, શ્રધ્ધાનગર રાજ કોર્નર ૮૦ ફુટ નહેરૂનગર રોડ આહીર ચોક પાસે રાખેલ છે.

સવીતાબેન દોશી

રાજકોટઃ સાવરકુંડલા નિવાસી હાલ ઘાટકોપર, સ્વ.ચંપકભાઇ અમરચંદ દોશીના ધર્મપત્ની સવિતાબેન (ઉ.વ.૯૧) તે રાજેશ, અલ્કેશ, પંકજ, કેતન તથા અ.સૌ. હંસાબેન કિરીટભાઇ પોપટાણીના માતુશ્રીતે સ્વ.મયુરી, લીના, પારૂલ, કાશ્મીરાના સાસુ તે અ.સૌ. કાનન પારસ શાહ, અ.સૌ. દેવાંશી માનસ ગાંધી, જિનેશ, બિનલ, રૂપલ, કેજલ, અમી, રિધ્ધિના દાદીમાં તે જમશેદપુર નિવાસી દુર્લભજી નાગજી મડિયાના સુપુત્રી તા.૩ના અરિહંત શરણ થયેલ છે.

જેઠીબેન ધોણીયા

દેવચડી : જેઠીબેન ભીખાભાઇ ધોણીયા (ઉ.વ.૮૯) તે શિવલાલભાઇ, મગનભાઇ, દામજીભાઇ, લક્ષમણભાઇ,મનસુખભાઇના માતુશ્રીનું તા. ૧૧ના રોજ અવસાન થયેલ છે.

મહેશભાઇ લાઠીગરા

ધોરાજી :  સ્વ.ફુલચંદભાઇ વલ્લભદાસ લાઠીગરાના પુત્ર શ્રી મહેશભાઇ (ઉ.વ. ૬૨) તે અમિતભાઇ, મોસમીબેન સંજયભાઇ લાંગાલીયા ના પિતાશ્રી તથા પ્રદીપભાઇ, ભરતભાઇ અને ગીતાબેન નવીનચંદ્ર કાત્રોડિયાના ભાઇનું તા. ૧૧ ને  સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૪, ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન સોની જ્ઞાતિની વાડી યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

હંસાબેન માળવી

જેતલસર : રાજકોટ નિવાસી માધુભાઇ પ્રેમજીભાઇ માળવીના પત્ની હંસાબેન (ઉ.વ.૮૫), તે દિનેશભાઇ (નિવૃત રેલ્વે ગાર્ડ), હરેશભાઇ, ભરતભાઇ,બીપીનભાઇ (દિપ પુનમ પાન) તથા અશોકભાઇ (નિવૃત કર્મ. મનપા-જુનાગઢ) ના માતુશ્રી તા. ૧૧ ના રોજ અવસાન પામ્યા છે. બેસણું તા. ૧૫ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કડિયાનગર સોસાયટી,  નર્મદેશ્વર મહાદેવ મંદિર, રાજકોટ રાખેલ છે.

કિરણબા વાઘેલા

રાજકોટઃ દેરાળા નિવાસી નાથુભા જીલુભા વાઘેલાના પુત્રી કિરણબા (ખમ્મા બા) નાથુભા વાઘેલા તે ભગીરથસિંહના બહેનનું તા. ૧૨ ને મંગળવારે અવસાન થયેલ છે. તેમનું બેસણુ઼ તા. ૧૪-૨ ને ગુરૂવારે સાંજે ૪થી ૬ વાગ્યા સુધી રાધાકૃષ્ણ નગર-ર, માનસત્તા ચોક, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

અરવિંદભાઈ ઝીંઝુવાડીયા

રાજકોટ : સોની અરવિંદભાઈ મોહનલાલ ઝીંઝુવાડીયા (ઉ.વ.૭૫) તે વસંતભાઈ અને દિપકભાઈના નાનાભાઈ તથા ચેતનભાઈ, અમિતભાઈ તેમજ હિનાબેન યોગેશભાઈ રાણપરા અને રૂપલબેન રજનીકાંતભાઈ અખેણીયાના પિતા તા.૧૧ના સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૪ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ અંકલેશ્વર મહાદેવ મંદિર અલ્કાપુરી ૧/૧૨નો ખુણો, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

કાંતાબેન કરચલીયા

રાજકોટ : પરજીયા પટ્ટણી સોની સ્વ.ઓધવજીભાઈ વશરામભાઈ કરચલીયાના પુત્રવધુ ગં.સ્વ. કાંતાબેન લાલજીભાઈ કરચલીયા (લંડન) જ મોહનભાઈ (નાઈરોબી), સ્વ.વજુભાઈ વલ્લભભાઈ, સ્વ.ગોવિંદભાઈ, બાબુભાઈ, સ્વ.જેન્તીભાઈ, દિનેશભાઈ, સ્વ.રમણીકભાઈ તથા મનસુખભાઈ (રાજકોટના) ભાભી તા.૪ના સોમવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની સાદડી (બેસણું) તા.૧૪ના ગુરૂવારે નટેશ્વર મહાદેવ મંદિર, ૮૦ ફૂટ રોડ, શેઠ હાઈસ્કુલની બાજુમાં, રાજકોટ ખાતે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ કલાકે રાખેલ છે.

મોહનભાઇ અગ્રવાલ

રાજકોટ : મોહનભાઇ અગ્રવાલ (ઉ.૭૯) તે હરીશંકર અગ્રવાલના નાનાભાઇ તેમજ દીપકભાઇ અગ્રવાલના પિતાશ્રીનું તા. ૧૧ના દુઃખદ  અવસાન થયું છે. તેમનું બેસણું તા. ૧૩ના બુધવારે સાંજે પ થી ૬, યોગી અમૃત એપાર્ટમેન્ટ, લીંબુડીવાડી રોડ, સોજીત્રાનગર પાણીના ટાંકા પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.