Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018
આટકોટના''અકિલા''ના પત્રકાર વિજય વસાણીના પિતાશ્રીનું અવસાનઃકાલે ઉઠમણું

આટકોટઃ ઠા. હેમરાજભાઇ મોહનલાલ વસાણી (ઉ.વ. ૮પ) તે દિનેશભાઇ તથા અકિલાના આટકોટના પત્રકાર વિજય વસાણીના પિતાશ્રી મનસુખભાઇ, સ્વ. નટુભાઇ, હિંમતભાઇ, હસમુખભાઇ તથા ભૂપતભાઇ (મુંબઇ)ના મોટાભાઇ, કિરીટભાઇ લાખાણી (જામનગર), મનાભાઇ વસંત (આટકોટ) તથા ગૌરાંગભાઇ શીંગાળા (અમરેલી) ના સસરા, વિનુભાઇ અઢીયા (રાજકોટ) તથા લલીતભાઇ અઢીયા (ગોંડલ)ના બનેવી તા. ૧૧ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. સદગતનું ઉઠમણું અને પિયર પક્ષની સાદડી તા. ૧૩ના રોજ સાંજે ૪ થી પ કલાકે પંચાયત ઓફીસ, આટકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

રમશેચંદ્ર કારીયાનુ દુઃખદ અવસાનઃ સાંજે ઉઠમણું-સાદડી

રાજકોટઃ રમેશચંદ્ર ખુશાલદાસ કારિયા(ઉ.૬૭) તે સ્વ.ખુશાલદાસ રામજીભાઇ કારિયાના પુત્ર તથા પ્રફુલ્લભાઇ, ભરતભાઇના મોટાભાઇ ત્થા સ્વ.જમનાદાસ ધારશીભાઇ મશરૂ (સેડુભારવાળા) ના જમાઇ અને હિતેેન, કૌશિક ત્થા કોમલબેન જીગરકુમારના પિતાશ્રી અને વસાણી પરિવારના ભાણેજ તા.૧૧ના શ્રીજીચરણ પામ્યા છે. સદ્દગતનું ઉઠમણું ત્થા શ્વસુર પક્ષની સાદડી આજે તા.૧રને શુક્રવારે સાંજે પ વાગ્યે ભવાની મંદિર, નાગેશ્વર મંદિર પાસે જામનગર રોડ, રાજકોટ ખાતે ભાઇઓ ત્થા બહેનો બંને માટેસાથેરાખેલ છે.

યશવંતભાઈ ચંદવાણીયા

જામકંડોરણાઃ જામકંડોરણા નિવાસી યશવંતભાઈ (બાવનજીભાઈ)  વલ્લભભાઈ ચંદવાણીયા (ઉ.વ.૬૧) તે વિજયભાઈ તથા અંતેશભાઈના પિતાશ્રી અને સ્વ. હરસુખભાઈ તથા સ્વ. ગિરીશભાઈના નાનાભાઈનું તા. ૧૧ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૫ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન સુતાર શેરી જામકંડોરણા રાખેલ છે.

રાહુલ પુજારા

મોરબીઃ સ્વ. રણછોડદાસ કાળીદાસ પુજારાના પૌત્ર રાહુલ (ઉ.વ.૨૬) તે શશીકાન્ત રણછોડદાસ પુજારાના પુત્ર તથા જયંતીભાઈ, સુરેશભાઈ, રમેશભાઈ તથા દિનેશભાઈ દરીયાલાલ પાનવાળાના ભત્રીજા તેમજ હિતેષભાઈના નાના ભાઈનું તા. ૧૧ને ગુરૂવારે અવસાન થયુ છે. ઉઠમણુ તા. ૧૨ને શુક્રવારે સાંજે ૫ વાગ્યે જલારામ મંદિર અયોધ્યાપુરી રોડ ખાતે રાખેલ છે.

રશ્મીબેન મજીઠીયા

વાંકાનેરઃ સ્વ. ઠા. ભગવાનજીભાઈ વેલજીભાઈ મજીઠીયાની સુપુત્રી રશ્મીબેન (ઉ.વ. ૪૦) તે સનતભાઈ (રાજકોટ), સ્વ. પ્રકાશભાઈ તથા રાજેશભાઈના બહેનનું તા. ૧૧ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણુ તા. ૧૨ને શુક્રવારના રોજ સાંજે ૫ કલાકે લોહાણા મહાજનવાડી, દિવાનપરા, વાંકાનેર ખાતે ભાઈઓ તથા બહેનોનું સાથે રાખેલ છે.

જયાબેન શાહ

વાંકાનેઃ ગં.સ્વ. જયાબેન હરીલાલ શાહ (ઉ.વ. ૯૦) તે પ્રવિણભાઈ તથા જગદીશભાઈ (ટ્રાવેલ્સવાળા) તથા ચંદ્રીકાબેન વૃજલાલ શાહ, પુષ્પાબેન મનહરલાલ તથા કુમીબેન પિયુષકુમારના માતુશ્રીનું તા. ૧૦ના રોજ અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૩ને શનિવારે સવારે ૧૦.૩૦ કલાકે સમરતબેન પટેલ-વિશાશ્રીમાળી જૈન ભોજનશાળા, દિવાનપરા વાંકાનેર રાખેલ છે.

મનુભાઇ સોલંકી

રાજકોટ: મનુભાઇ એસ. સોલંકી (જી.ઇ.બી.) તે જીતેન્દ્ર એમ. સોલંકીના પિતાશ્રીનું તા. ૧૦ ના અવસાન થયેલ છે. સદ્દતનું બેસણું તા. ૧૩ ના સાંજે ૪ થી ૬ રાજીવ સોસાયટી, બ્લોક નં. ૧૦ ની બાજુમાં, જુના નારી કેન્દ્રની પાસે, સુરેન્દ્રનગર ખાતે રાખેલ છે.

હરકિશનભાઈ પડીયા

રાજકોટ: બ્રહ્મક્ષત્રિય કૃષ્ણકાંતભાઈ વલ્લભદાસ પડીયાના ભત્રીજા કૌશલ્યાબેન પ્રમોદરાય હેમંતલાલ જોગીના ભાઈ સ્વ. મણીલાલ વલ્લભદાસ પડીયાના પુત્ર હરકિશનભાઈ મણીલાલનું તા.૯ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૧૩ને શનિવારે સાંજે ૪ થી ૬ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, ભાદર રોડ, જેતપુર મુકામે રાખેલ છે.

શાંતાબેન જોૅષી

રાજકોટઃ ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ ગં.સ્વ. શાંતાબેન ગણપતભાઇ જોષી (ઉ.વ.૮૬) તે મહેન્દ્રભાઇ, વિનોદભાઇ, કિરણબેનના માતુશ્રી તથા નિતાબેન વિનોદભાઇ જોષીના સાસુનું તા.૧૧ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું કે લોૈકિક પ્રથા બંધ રાખેલ છે.

રમણિકભાઇ રાઠોડ

રાજકોટઃ મુળ અમરેલી હાલ રાજકોટ રમણિકભાઇ મનજીભાઇ રાઠોડ (ઉ.વ.૭૧) તે શૈલેષભાઇ, ભરતભાઇના પિતાનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૩ને શનિવારે ન્યુ રાધેશ્યામ સોસાયટી શેરીનં.૧૩, ભાવેશ્વર મહાદેવ મંદીર, સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ભાનુબેન જાની

રાજકોટ :. ગુજરાતી હા. સા. ચા. મોઢ બ્રાહ્મણ ગં. સ્વ. ભાનુબેન દિનકરરાય જાની (ઉ.૮૬) લૂટન (યુ. કે.) નિવાસ તે સ્વ. દિનકરરાય જાનીના પત્ની તથા લાલજીભાઇ જાનીના પુત્રવધુ તથા કિશોરભાઇ, રાજૂભાઇ, દામીનીબેન, માધુરીબેન અને પ્રીતબેનના માતુશ્રી તથા સ્વ. શાસ્ત્રી તુલજાશંકર શિવશંકર ત્રિવેદીના પુત્રીનું અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા. ૧૩ ને શનીવારે સાંજે ૪ થી પ ગુજરાતી સા. ચા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ચંદન પાર્ક મેઇન રોડ, કર્મચારી સોસાયટી પાસે, ચંદ્રમોલેશ્વર  મંદિરની સામે રાખેલ છે.

રમેશભાઇ ટાટમીયા

રાજકોટઃ ધોરાજી નિવાસી હાલ રાજકોટ રમેશભાઇ નાથાભાઇ ટાટમીયા નિવૃત સર્વેયર (લેન્ડરેકર્ડ) (ઉ.વ.૬૨) તે વિજયભાઇના પિતારી તેમજ મગનભાઇના ભત્રીજા તે ભીખુભાઇ તથા વિનોદભાઇના  મોટાભાઇ, અમીતભાઇ અમરેલીયાના સસરાનું તા. ૧૧ના અવસાન થયેલ છે. રાજકોટ સદ્ગતનું બેસણુ તા.૧૩ના શનિવારે સાંજે ૪ થી ૬, ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર, સાધુ વાસવાણી રોડ, જનકપુરી  સોસાયટી, ખાતે રાખેલ છે. ધોરાજી સદગતનુ બેસણુ તા. ૧૫ના સોમવારે સાંજે ૪ થી ૬, રવિ-કિરણ એપાર્ટમેન્ટ, સ્ટેશન રોડ, ભીખુભાઇ ટાટમીયાના નિવાસસથાને રાખેલ છે.

કિર્તીકુમાર લાઠીગરા

રાજકોટઃ કિર્તીકુમાર મુકુંદરાય લાઠીગરા ઉ.વ.૬૨ (જામનગર) તે ડો.રમેશભાઇ એમ.માંડલીયા(રાજકોટ) અને બિપિનભાઇ એમ. માંડલીયા (રાજકોટ)ના બનેવીનું તા. ૧૦ના અવસાન થયેલ છે. તેમનુ બેસણુ સસરા પક્ષનું બેસણું તા.૧૩ના શનિવારે સાંજે પ થી ૬ દરમ્યાન ડો.રમેશભાઇના નિવાસ્થાને રાખેલ છે.

જયાબેન ગામી

પ્રેમગઢ (રાજકોટ) જયાબેન મગનભાઇ ગામી (ઉ.વ.૬૭) તે મગનભાઇ બચુભાઇ ગામીના ધર્મપત્ની અને અશ્વીનભાઇ તથા દિનેશભાઇના માતુશ્રી તેમજ હાર્દિક, રાજ તથા ખુશના દાદીમાનુ તા. ૧૧ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ રાજકોટ મુકામે તા. ૧૨ના શુક્રવારે સાંજે ૪ થી ૬ આશ્રમ બંગ્લોઝ, આસ્થા સોસાયટીની બાજુમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ, મવડી તેમજ પ્રેમગઢ મુકામે તા. ૧૩ને શનિવારે સાંજે ૪ થી ૬ નિવાસ સ્થાને રાખેલ છે.

વિનોદીનીબેન જોષી

રાજકોટઃ ઔ.ખરેડી બ્રાહ્મ. શ્રીમતી વિનોદીનીબેન જોષી (ઉ.વ.૯૦) તે જનકરાય, ભાયશંકર જોષી (નિવૃત એસ.બી.એસે.)ના ધર્મપત્નિ  તથા કિરીટભાઇ જોષી (નિવૃત એસ.બી.આઇ.) તથા ચેતનાબેન શુકલ (યુ.એસ.એસ.)ના માતુશ્રીનું તા. ૧૧ના અવસાન થયેલ છે. સદગતનુ બેસણુ તા. ૧૩ને શનિવારે પંચનાથ મંદિર સાંજના ૪ થી ૫ રાખેલ છે. લૌકિત ક્રિયા બંધ રાખેલ છે.

રસીલાબેન ગોસ્વામી

રાજકોટ :.. રસીલાબેન પ્રવિણગીરીજી ગોસ્વામી (ઉ.૬૩) તે કૈ.વા. પ્રવિણગીરીજી ફુલગીરીજી ગોસ્વામી, હડમતાળા હાલ રાજકોટના ધર્મપત્ની તેમજ મુન્નાગીરી પ્રવિણગીરી (બેન્જોવાદક) ત્થા કમલેશગીરી પ્રવિણગીરીનાં માતુશ્રીનું તા. ૧૦ ના અવસાન થયેલ છે. તેમનું  બેસણુ તા. ૧૩ ને શનિવારે સાંજે ૪ થી ૬  રામેશ્વર મહાદેવ મંદિર શિવ શકિત કોલોની યુનિવર્સિટી રોડ મુકામે રાખેલ છે. ત્થા કોટડા સાંગાણી નિવાસ સ્થાને સોમવાર તા. ૧પ ના રાખેલ છે.

લાભુબેન શીંગાળા

રાજકોટ : ગં. સ્વ. લાભુબેન પોપટલાલ શીંગાળા (ઉ.૯૮) સ્વ. પોપટલાલ ગોરધનદાસ શીંગાળા વંથલીવાળા, ના ધર્મપત્ની તેમજ વલ્લભજી ડાયાભાઇ કોટકના પુત્રી જેઓ છબીલદાસ પોપટલાલ શીંગાળા (નાનુભાઇ)ના  માતુશ્રી તથા અરૂણાબેન હરસુખલાલ શેઠીયા તથા શોભનાબેન દીપકકુમાર ચતવાણીના માતુશ્રી, તેજસકુમાર શીંગાળા, જલ્પાબેન ચેતનકુમાર પોપટ, ધાત્રીબેન ભાવીનકુમાર ખખ્ખરના દાદીમાનું  તા. ૧૧ ના અવસાન થયેલ છે. જેનું ઉઠમણું અને પીયર પક્ષની સાદડી તા. ૧૩ ના શનીવારે સાંજે ૪ થી પ, શ્રી ગંગનાથ મહાદેવ મંદિર, યોગી પાર્ક શેરી નં. ૭, રાણી ટાવર પાછળ, ક્રિસ્ટલ મોલની સામે, કાલાવડ રોડ ખાતે રાખેલ છે.

અરવિંદભાઇ સોઢા

રાજકોટ : ભીમજીભાઇ સોઢાના પુત્ર અરવિંદભાઇ ભીમજીભાઇ સોઢા (ઉ.પ૮) તે વાસુદેવભાઇ (અમરેલી) ના નાનાભાઇ તથા વિનોદભાઇના મોટાભાઇ તથા જીજ્ઞેશભાઇ, પીયુષભાઇ, તથા સૈયર જીજ્ઞેશભાઇ, ઇલાબેનના પિતાનું તા. ૧૦ ના અવસાન થયેલ છે. તેમનું સુવાળુ તા. ૧૩ ને શનિવારે તથા પાટ પૂજન તા. રર ને સોમવારે રાત્રીના ગામ શીલાણા મુકામે રાખેલ છે.

ભાનુબેન જાની

રાજકોટ :. ગુજરાતી હા. સા. ચા. મોઢ બ્રાહ્મણ ગં. સ્વ. ભાનુબેન દિનકરરાય જાની (ઉ.૮૬) લૂટન (યુ. કે.) નિવાસ તે સ્વ. દિનકરરાય જાનીના પત્ની તથા લાલજીભાઇ જાનીના પુત્રવધુ તથા કિશોરભાઇ, રાજૂભાઇ, દામીનીબેન, માધુરીબેન અને પ્રીતબેનના માતુશ્રી તથા સ્વ. શાસ્ત્રી તુલજાશંકર શિવશંકર ત્રિવેદીના પુત્રીનું અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા. ૧૩ ને શનીવારે સાંજે ૪ થી પ ગુજરાતી સા. ચા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ચંદન પાર્ક મેઇન રોડ, કર્મચારી સોસાયટી પાસે, ચંદ્રમોલેશ્વર  મંદિરની સામે રાખેલ છે.

અતુલાબેન પરબત

જુનાગઢ : અતુલાબેન એસ. પરબત (ઉ.વ.પ૮) તે સુરેશભાઇના પત્નિ તથા હેમાંગ, મોહિત, મલયના માતુશ્રી તેમજ ડો. લક્ષેશગીરી ગોસ્વામીના ભત્રીજી અને માંગનાથ મંદિરના મહંત પ્રદીપગીરી તથા હારીતગીરીના બહેનનું તા. ૧૧ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૩મીએ શનિવારે સાંજે ૪ થી ૬, માંગનાથ મંદિર, સત્સંગ હોલ-જુનાગઢ રાખેલ છે.

મંજૂલાબેન પરમાર

રાજકોટ : મંજૂલાબેન છગનભાઇ પરમાર  (ઉ.૮૦) તે ઘનશ્યામભાઇ, નાથીબેન, જાગૃતિબેનના માતા તથા ખોડીદાસભાઇ, લલીતભાઇ, જયોત્સનાબેન, નીમાબેન, પ્રવિણાબેન અશોકભાઇ ડોડીયાના  કાકી તથા ચંદ્રીકાબેનના સાસુ અને ઉમંગ, યુવરાજ, નિધિ, હેતાંશી, પ્રિયંકા, હિરવાના દાદીનું તા. ૯-૧ ના રોજ અવસાન થયું છે. સદ્ગતનું બેસણુ તા. ૧૩ ને શનિવારે તેમના નિવાસ સ્થાન પ-નવલનગર, ખોડીયાર કૃપા રાજકોટ ખાતે ૪ થી ૬ કલાક દરમિયાન રાખેલ છે.

રસીલાબેન વિરમગામા

 રાજકોટઃ ગુર્જર સુતાર દડવીવાળા (હાલ રાજકોટ) સ્વ. મોહનલાલ આણંદભાઇ વિરમગામાના ધર્મપત્નિ ગં.સ્વ. રસીલાબેન તે  મુકેશભાઇના માતૃશ્રી તેમજ નાથાભાઇ, બાબુભાઇ, હરીભાઇ, જેન્તીભાઇના નાનાભાઇ પત્નિ અને બટુકભાઇ, મગનભાઇના ભાભીનું તા.૧૦ના રોજ અવસાન થયેલ છે. તેમનું સદ્ગતનું  બેસણું તા.૧૫ને સોમવારના રોજ સાંજના ૩:૩૦ થી ૫:૩૦ શ્રી મોનેશ્વર મહાદેવ મંદીર, પુનિતનગર, રાજકમલ પેટ્રોલ પંપ પાછળ,ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રમાબેન કરગથરા

રાજકોટ : (ઇન્દ્રાવાળા) હાલ રાજકોટ સ્વ. વૃજલાલ મુળજીભાઇ કરગથરા ના પત્ની ગં. સ્વ. રમાબેન (ઉ.૬પ) તે તરેશભાઇ અને મનિષભાઇના માતાનું  તા. ૧૧ ના અવસાન થયેલ છે.  તેમનું બેસણું તા. ૧૩ ને શનીવારે સાંજે ૪ થી ૬ આગમન સીટી વીંગ બી. પ૦૧, પરિન ફર્નીચર પાછળ ગોંડલ રોડ ખાતે રાખેલ છે.