Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019
ભાગવતાચાર્ય પૂ.મધુસુદન શાસ્ત્રીનું અવસાનઃ શનીવારે પ્રાર્થના સભા

રાજકોટ : રાજકોટના ભાગવતાચાર્ય પૂ.મધુસુદન શાસ્ત્રીજીનું અવસાન થતા ઘેરો શોક છવાયો છે. સૌરાષ્ટ્ર બાજ ખેડવાણ બ્રાહ્મણ મુળ મેવાસા ગામ હાલ રાજકોટ સ્થિત ભાગવતાચાર્ય પૂ. મધુસુદન શાસ્ત્રી (ઉ.૭ર) તે ધર્મેશભાઇ મહેતા અને શિતલબેનના પિતાશ્રી તથા મેવાસાના પૂર્વ સરપંચ કનુભાઇ મહેતા તથા દિનેશભાઇના ભાઇ તથા જ્યોતિબેન મહેતાના પતિ તેમજ યતિશ્રી, ક્રિષ્ના અને વૈદિકના દાદાનુ આજે તા. ૧૧ ને ગુરૂવારે અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા.૧૩ને શનીવારે સવારે ૮ થી ૧૦ દરમિયાન શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર, રામપાર્ક શેરી નં.૬, કાલાવાડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. પૂ. મધુસુદનભાઇ શાસ્ત્રી છેલ્લા ઘણા વર્ષોથી ભાગવત કથાનું દેશ-વિદેશમાં રસપાન કરાવતા હતા અને ધાર્મિક-આધ્યત્મિક ક્ષેત્રના ઉંડા અભ્યાસુ હતા. તેઓશ્રીએ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ વિદ્યા પ્રસારક મંડળ રાજકોટના ભૂતપૂર્વ ટ્રસ્ટી  તરીકે સેવા આપી હતી.

ભીખુભાઈ દલસાણીયાના માતુશ્રીનું દુઃખદ અવસાનઃ બપોરે અંતિમયાત્રા

રાજકોટઃ ગુજરાત ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયાના પુજય માતુશ્રી જડીબેન પરસોતમભાઇ દલસાણીયા આજે તા. ૧૧ જુલાઈ ના વહેલી સવારે સ્વર્ગવાસી થયેલ છે . અંતિમ યાત્રા આજે બપોર ૩ કલાકે તેમના ધ્રોલના નિવાસ સ્થાન, ગજાનંદ સોસાયટીથી નીકળી હતી. મોટી સંખ્યામાં કુટુંબીજનો, આગેવાનો, અંતિમયાત્રામાં જોડાયા હતા. અકિલા પરિવારે ૨ મિનિટ મૌન પાળી સદ્દગતને શ્રધ્ધાસુમન પાઠવ્યા હતા.

અવસાન નોંધ

સુલોચનાબેન આહુજા

વિરપુરઃ સ્વ.વિરજીભાઇ હોલારામ આહુજા વિરપુર (જલારામ) નિવાસી હાલ રાજકોટના ધર્મપત્ની સુલોચનાબેન વિરજીભાઇ આહુજા (ઉ.વ.૮૯) તે દિપકભાઇ વિરજીભાઇ આહુજા તથા સુનિલભાઇના માતુશ્રી (જે. જે. ક્રીએશન વાળા) તથા સ્વાતિ ટોઇઝ વાળા મુન્નાભાઇ તથા રાજુભાઇના કાકીશ્રીનુંત ા.૩ના અવસાન થયેલ છે.

ચંપાબેન પીઠડીયા

રાજકોટઃ મચ્છુ કઠીયા સઇ સુથાર જ્ઞાતિના સ્વ.જેરામભાઇ નરસીંહભાઇ જાખરીયા (નરસીંહ ઘેલાવાળા)ના દિકરી તેમજ રમણીકભાઇના બહેન ચંપાબેન હસમુખભાઇ પીઠડીયા, (ઉ.વ.૬૭)નું તા.૮ના અવસાન થયેલ છે. તેમની સાદડી જામનગર મુકામે ગુરૂદ્વારા પાસે ક્રિકેટ બંગ્લો-૧ એ જાડેજા એસ્ટેટ ખાતે તા.૧રને શુક્રવારે સાંજે પ થી ૬ રાખેલ છે.

નિલાબેન શાહ

ઉપલેટાઃ શ્રીદશા સોરઠીયા વણિક ઉપલેટાવાળા હાલ મુંબઇ સ્વ.દિલસુખરાય વૃજલાલ શાહના પત્ની ગં. સ્વ. નિલાબેન (વિનોદીબેન) (ઉ.વ.૭૬) તે સ્વ.સવીતાબેન મોતીચંદ કામદારના પુત્રી તથા મયુરભાઇ, સ્વાતિ, કાશ્મીરા, નરેશભાઇ જનાણી, શ્રધ્ધા, સુરેશભાઇ વોરાના માતુશ્રી તથા ચંદ્રીકાબેન વસંતરાય પારેખના ભાભીનું તા.૯ના રોજ અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા આજે તા.૧૧ના સાંજે પ થી ૭ અસ્પી બેન્કવેટ હોલ નુતન સ્કુલ પાસે મોર્વે રોડ મલાડ વેસ્ટમાં રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. 

હીનાબેન ત્રિવેદી

મોરબીઃ ભાવનગર નિવાસી શ્રીમાળી બ્રાહ્મણ સામવેદી હીનાબેન શૈલેષકુમાર ત્રિવેદી તે મોરબી સ્વ. મનસુખલાલ અનુલાલ ઓઝાની દીકરી તેમજ સ્વ. યોગેશભાઈ, અજયભાઈ, પ્રકાશભાઈ ઓઝાના બહેનનું તા. ૮ ના રોજ અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી તા. ૧૧ને ગુરૂવારે સાંજે ૩.૩૦ થી ૪.૩૦ કલાકે ૪-શકિત પ્લોટ, શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે.

ધિરજલાલ હાલાણી

રાજકોટઃ બામણબોર નિવાસી સ્વ. ભગવાનજીભાઇ મોનજીભાઇ સેજપાલના જમાઇ ધીરજલાલ નાગરદાસ હાલાણીને કાંતીલાલ ભગવાનજીભાઇના બનેવી વર્તમાન ગાદી પતિ હર્ષદ ભગના ફુવાનું ધ્રાંગધ્રા મુકામે દુઃખદ અવસાન થયેલ છે. જેમની સાદડી તા.૧૨ શુક્રવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે. કુવાડવા રોડ ગુરૂદેવ પાર્ક ''જલારામ'' રાજકોટ રાખેલ છે.

જશબેન બારડ

રાજકોટઃ જશબેન કનુભાઇ બારડ (ઉ.વ.૬૯) તે કનુભાઇ રામજીભાઇ બારડના ધર્મપત્નિ સ્વ. શાન્તાબેન રામજીભાઇ બારડના પુત્રવધુ ઉમેશભાઇ કનુભાઇ બારડના માતુશ્રીનું તા.૧૦ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૨ને શુક્રવારે સાંજે ૪ થી ૬ ગુણેશ્વર મહાદેવ મંદિર શ્રી નગર-૫ સહકાર મેઇન રોડ તેમના નિવાસ સ્થાનની બાજુમાં રાખેલ છે.

સયુકતાબેન મલહોત્રા

માળીયાહાટીના : સયુકતાબેન ઓમપ્રકાશભાઇ મલહોત્રા (ઉ.વ.૮પ) તે ભંડુરી પી.એચ.સી.ના મેડીકલ ઓફીસર ડો. આભાબેન રમેશભાઇ શેઠ (મલદોત્રા)ના માતુશ્રીનું તા. ૯ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૧૧ ને ગુરૂવાર સાંજે ૪ વાગ્યે જૈન ઉપાશ્રય ગીર દરવાજા પાસે માળીયા હાટીના ખાતે રાખેલ છે.

શર્મીલાબેન પાઠક

રાજકોટ : સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ શર્મીલાબેન પાઠક (ઉ.વ.૪૪) તે અલ્પેશભાઇ પઠાક (પી.એફ.ઓફીસ)ના પત્ની તથા પ્રવિણભાઇ ભાનુશંકર પાઠકના પુત્રવધુ તેમજ પ્રજ્ઞેશભાઇ પાઠક (કોષ્ટગાર્ડ) તથા બીનાબેન પ્રફુલકુમાર દવેના ભાભી તેમજ સ્વ. મોહનભાઇ ભુલચંદભાઇ ઢાલવાણી (જેતપુર વાળા)ના પુત્રીનું તા. ૧૦ ને બુધવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧રને શુક્રવારે  સાંજે પ થી ૬, કિડવાઇનગર, મેઇન રોડ, કર્ણેશ્વર મહાદેવ મંદિર સામે કિડવાઇનગર કોમન હોલ રાજકોટ ખાતે રાખેલ છે.

મૃદુલાબેન જાદવ

જામનગર : રમણીકલાલ પ્રાગજી જાદવના પુત્રી સ્વ. મૃદુલાબેન રમણીકલાલ જાદવ (ઉ.વ.૬૩) (મધુબહેન) વાંઝા જ્ઞાતિ) તા. ૭ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા તા. ૧૧ ગુરૂવારે હિંગળાજ માતાજીનું મંદિર, ખારવા ચકલો સાંજના ૪થી ૪-પ૦ ના રાખેલ છે.

કુંદનગૌરી ભટ્ટ

રાજકોટઃ શ્રી ગુજરાતી શ્રી ગૌડ માળવીય બ્રાહ્મણ લોધીકાવાળા હાલ રાજકોટ સ્વ. મુગટરાય મણીશંકર ભટ્ટના પત્ની કુંદનગૌરી (ઉ.વ. ૮૩) તે સીટીઝન બેન્ક રાજકોટવાળા અશ્વિનભાઈ તથા સંગીતાબેનના માતુશ્રી તથા સ્વ. હર્ષદભાઈ, મહેન્દ્રભાઈ, હરકાન્તભાઈ, સ્વ. વસંતભાઈ, નરેન્દ્રભાઈના ભાભી તથા સ્વ. નારાયણપ્રસાદ રાજારામ ભટ્ટની પુત્રીનું તા. ૧૦-૭-૧૯ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનુ ઉઠમણુ તથા બેસણુ બન્ને પક્ષનું તા. ૧૨-૭-૧૯ શુક્રવાર સાંજે ૫.૦૦ થી ૬.૦૦ બ્રહ્મનાદ મહાદેવ મંદિર, બ્રહ્મસમાજ સોસાયટી, રૈયા રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

દયાબેન સવાણી

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ મુ. બાલંભા હાલ રાજકોટ નરેન્દ્રભાઇ તથા કિશોરભાઇ પરસોતમભાઇ સવાણીના માતુશ્રી દયાબેન પરસોતમભાઇ સવાણીનું દુઃખદ અવસાન તા.૧૦ના રોજ થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૨ના શુક્રવારે સાંજે ૫ થી ૭ મોચી મંદિર બંગડી બજાર ખાતે રાખેલ છે.

દિપકભાઇ રાવલ

ખંભાળીયા : ઓૈદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ સ્વ. ડાયાલાલ  માધવજી રાવલના પુત્ર દિપકભાઇ ઉ.વ.૫૦ તે અશોકભાઇ રાવલ (પૂર્વ આચાર્ય પ્રાથમિક શાળા પાંચવાડી), હિરેનભાઇ રાવલ (મસ્કતવાળા) ના નાનાભાઇનું તા.૮ ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા. ૧૧ ને ગુરૂવારે સાંજે ૪.૩૦ થી ૫.૦૦  ખંભાળીયા  શરવેશ્વર મંદિરે રાખેલ છે.

તારાબેન મણીયાર

રાજકોટઃ કાલાવડ (શિતલા) નિવાસી બ્રહ્મક્ષત્રિય સ્વ. નરભેરામ માધવજી બોસમીયાના પુત્રી સ્વ. તારાબેન રમણીકલાલ મણીયાર (ઉ.વ.૮૮) નું તા.૭ના રોજ મોરબી મુકામે અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૧૨ના શુક્રવારના રોજ સાંજે ૫ થી ૬  બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચની વાડી કાલાવડ મુકામે રાખેલ છે.

કુલદીપસિંહ ભટ્ટી

રાજકોટઃ કારડીયા રજપુત કુલદીપસિહ રણજીતસિંહ ભટ્ટી (ઉ.વ.૨૧) તે રણજીતસિંહ ભટ્ટી (કારડીયા રાજપુત રાસ મંડળ)ના પુત્ર નારસિંગભાઇ, દીલીપભાઇ તથા દિનેશભાઇના ભત્રીજા અને મહેશભાઇ પરમાર, રવિભાઇ પરમારના સાળા, વૈશાલીબેન, હેતલબેન અને બંસીબેનના નાનાભાઇ, અશોકભાઇ તથા રાજુભાઇના ભાણેજનું તા.૧૦ના બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૨ને શુક્રવારના રોજ સમય બપોરે ૪ થી ૬ શ્રી કારડીયા રાજપુત સમાજની વાડી, મવડી ચોકડી, ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

ભાસ્કરભાઇ દવે

રાજકોટઃ શ્રી ઔદિચ્ય ખરેડી બ્રહ્મ સમાજના શ્રી ભાસ્કરભાઇ સી દવે (નિવૃતિ અધિકારી સહકાર ખાતુ ગુજરાત રાજય) મુળ આંબરડી-રાજકોટ હાલ ગાંધીનગર તે જયેશભાઇ દવે, કોમલબેન ભટ્ટ અને શીતલબેન વ્યાસના પિતાશ્રી અને નીલભાઇ અને ધર્મ નીલભાઇના દાદા તા.૧૦ના કૈલાશવાસ પામેલ છે.  સદ્ગતની પ્રાર્થનાસભા તેમના નિવાસસ્થાન આનંદ વાટીકા પ્લોટ નંબર ૧૬૬/૨ સેકટર નંબર ૨૨ ગાંધીનગર મુકામે સાંજે ૫ થી ૭ રાખેલ છે.