Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018
પૂર્વ ધારાસભ્ય ડો.વસંતભાઇ સંઘવીનું નિધનઃજામનગરમાં સાંજે પ્રાર્થના સભા

જામનગર : પૂર્વ ધારાસભ્ય, જામનગર ભાજપના પૂર્વ પ્રમુખ અને સામાજીક કાર્યકર ડો. વસંતભાઇ મણીલાલ સંઘવી (ઉ.૮પ), તે ગીતાબેન સંઘવીના પતિ,  હાર્દિકભાઇ સંઘવી, નિશીતભાઇ સંઘતી તથા દિપાલીબેન સંઘવીના પિતાશ્રીનું ૧૦ મીને રવિવારના રોજ અવસાન થયેલ છે.

પ્રાર્થના સભા તા. ૧૧ મીએ સોમવારે પ.૩૦ થી ૬ હેમેશ્વર મહાદેવ મંદિર, પંચેશ્વર ટાવર રોડ, જામનગર રાખેલ છે.

અવસાન નોંધ

દિવ્યેશભાઇ રાજપરા

 રાજકોટઃ સોની દિવ્યેશભાઇ પ્રફુલ્લભાઇ રાજપરા (ઉ.વ.૩૮) તે સ્વ. સોની મથુરદાસ મુલચંદ્રભાઇ ખરેડીવાળાના પૌત્ર તથા સોની પ્રફુલ્લભાઇના પુત્ર તથા બિપીનભાઇ (શ્રૃંગારજવેલર્સ), હરેશભાઇ (મધુરેરા જવેલર્સ), જયેશભાઇના ભત્રીજા તથા શિરીષભાઇ (શ્યામ જવેલર્સ), મયુરીબેનના ભાઇ તથા દેવાંગ, ચિંતનના પિતા તા.૧૦ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું રાજકોટ તા.૧૧ને સોમવારે સાંજે ૪ થી ૬ સ્વાશ્રય કોમ્યુનીટી હોલ, મવડી મેઇન રોડ મુકામે અને ખરેડી તા.૧૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

 સંદીપભાઇ નાગરેચા

 રાજકોટઃ વાંકાનેર નિવાસી હાલ રાજકોટ સ્વ. સંદીપભાઇ નરેન્દ્રભાઇ નાગરેચા (ઉ.વ.૩૭) જે તે નરેન્દ્રભાઇ ગીરધરલાલ નાગરેચા (ભગવતી પ્રોવિઝનવાળા) ના પુત્ર વાંકાનેર નિવાસી ધીરૂભાઇ, હર્ષદભાઇ તથા ચંદુભાઇ નાગરેચાના ભત્રીજા તેમજ સાગરભાઇ અને ખુશ્બુબેન ગોંધિયાના મોટાભાઇ, દિલીપભાઇ ખખ્ખર (દામનગરવાળા) ના જમાઇ તા.૧૦ રવિવારના શ્રીજી ચરણ પામેલ છેે. સદ્ગતનું બેસણું તા.૧૧ સોમવાર, સાંજે ૫ થી ૬ સુધી ૮૦ ફુટ  રોડ, ગાંધીગ્રામ, લાખના બંગલાવાળો રોડ રાધે-કૃષ્ણ મંદીર, એરપોર્ટ દીવાલ સામે રાજકોટ ખાતે રાખેલ છે.

 ભાનુશંકરભાઇ જોષી

રાજકોટઃ ભાનુશંકરભાઇ ધનજીભાઇ જોષીનું તા. ૯ના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૧૧ના  સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને  જીવરાજ પાર્ક ખાતે રાખેલ છે.

જયાબેન બગડાઈ

રાજકોટઃ અ.સૌ.જયાબેન ભગવાનજીભાઈ બગડાઈ (ઉ.વ.૭૪) તે દો-કલીયા માસાલાવાળા ભગવાનજીભાઈના ધર્મપત્નિી તે કીરીટભાઈ, શૈલેષભાઈ, અજયભાઈ તેમજ રીટાબેન કિરીટકુમાર અમલાણી, કુસુમબેન ભુપેન્દ્રકુમાર કોટેચા, પ્રિતીબેન સુધિરકુમાર કારીયા, પારૂલબેન ભદ્રેશકુમાર જોબનપુત્રાના માતુશ્રી તે જમનાદાસ જીવણભાઈ સોમૈયા બેડલાવારાના દિકરી, તે કાન્તીભાઈ, બળવંતભાઈ, આબાંલાલના બહેનનું તા.૧૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ઈશ્વર એમના આત્માને શાંતિ આપે, સદ્દગતની પ્રાર્થનાસભા અને પીયર પક્ષની સાદડી આજરોજ તા.૧૧ને સોમવારે સાંજે ૪:૩૦ થી ૬ કલાકે કેશરીયા લોહાણા મહાજન વાડી, કરણપરા બસ સ્ટેન્ડની પાછળ, ભાઈઓ તથા બહેનોની સાથે રાખેલ છે.

સવિતાબેન ભાડેશીયા

 રાજકોટઃ ગુર્જર સુતાર સ્વ. સવિતાબેન ગીરધરભાઇ ભાડેશીયા તે અશોકભાઇ લીલાબેન હરીભાઇ ગુંજારીયા, વસંતબેન ગિરિસ કુમાર સંચાણીયા, જોશનાબેન પ્રવિણકુમાર બોરાણીયા, ભાવનાબેન સુધીરકુમાર એબાસણાં તથા પ્રેમીલાબેન વસંતકુમાર વડગામાનાં માતુશ્રી તથા ડાયાભાઇ તથા ત્રિભોવનભાઇ નારણભાઇના બહેનનુંં  તા. ૯ના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું તા.૧૧ સોમવારે ૪ થી ૬ વિશ્વકર્મા કેરવણી મંડળ ભકિતનગર માં બંને પક્ષનું રાખેલ છે.

જયોતિબેન મેઘનાથી

ઢાંક : કેશોદ નિવાસી ચિમનગીરી લાલગીરી મેઘનાથી ના પુત્રવધુ તેમજ કૈ. વા. ધર્મેન્દ્રગીરી ચિમનગીરી મેઘનાથી ના પત્ની જયોતિબેન ધર્મેન્દ્રગીરી મેઘનાથી ઉ.વ.૪૦ તે મહેશરગીરીના નાના ભાઇના પત્ની, કરનગીરી ના માતા, સી. એલ. ગોસાઇ  (દશનામ જગતના તંત્રીશ્રી) ની પુત્રીનું તા. ૯ ના રોજ કૈલાસવાસ થયેલ છે. તેમનું બેસણું તા. ૧૧ સોમવારના રોજ નવા ગોસ્વામી સમાજની વંડી, વાસાવાડી ખાતે ૪ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે. તેમનો શંખ ઢોળ પૂજનવિધી તા. ૧પ મીને શુક્રવારના રોજ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

રસિકલાલભાઇ ધોળકીયા

ભાવનગર : લાઠીદડવાળા સ્વ. સોની ભગવાનદાસ મગનલાલ ધોળકીયાના પુત્ર સોની રસીકલાલભાઇ ભગવાનદાસ ધોળકીયા તે જગજીવનદાસ ભગવાનજીભાઇ, સ્વ. જસવંતભાઇ, ચંપકભાઇ, નરેન્દ્રભાઇ, સ્વ. યશવંતભાઇ, મુકુંદભાઇ, પાલીતાણા, સુમિત્રાબેન મુળજીભાઇ, પ્રફુલીતાબેન પ્રફુલકુમાર અમદાવાદના મોટા ભાઇ, શ્રીમાળી સોની જ્ઞાતિ ટ્રસ્ટ, ભાવનગરના પ્રમુખ જયેશભાઇ, ધર્મેન્દ્રભાઇ, હિતેશભાઇ, પિયુષભાઇ, મિતુલભાઇ, અજય, નિખીલ, જતન, રોનક, હાર્દિકના બાપુજી શ્રીજીચરણ પામેલ છે. સાદડી તા. ૧૧ ને સોમવારે બપોરે ૪ થી ૬, જેલ રોડ, હાર્દિક ફલેટ, આદર્શ ડેરી, ડો. તુષાર ત્રિવેદીના દવાખાનાની બાજૂના ખાંચામાં રાખેલ છે.

વિક્રમભાઇ ખાચર

રાજકોટઃ વિક્રમભાઇ ભાણભાઇ ખાચર (ઉ.વ. ૬૬) તે માણસીભાઇ ભાણભાઇ ખાચરના નાનાભાઇ તથા શિવરાજભાઇ ખાચરના પિતાશ્રી તા. ૧૦ના શ્રીજીચરણ પામ્યા છે. સદ્દગતનું બેસણું આજે સોમવારે સાંજે ૪ થી ૬, સરિતા વિહાર હોલ ખાતે રાખેલ છે. તેમજ ઉત્તરક્રિયા ૧૮/૬ના સોમવારે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

ભરતભાઇ સરવૈયા

રાજકોટઃ મુ. ભરૂડી હાલ રાજકોટ અરજણભાઇ સરવૈયાના પુત્ર સ્વ. ભરતભાઇ અરજણભાઇ સરવૈયા તે પ્રવિણભાઇ, રાજુભાઇ સરવૈયા (ખાંટ) કોંગ્રેસ અગ્રણીના ભાઇ તથા મિત, હાર્દિકના પિતાશ્રીનું તા. ૯-૬-૧૮ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૧ સોમવારના રોજ સાંજના ૪ થી ૬ મેઘાણી રંગ ભવન, ભકિતનગર સર્કલ ખાતે રાખેલ છે.

કલાવતીબેન રામાવત

ઉપલેટાઃ લક્ષ્મીદાસ મોતીરામ રામાવતના પત્ની સ્વ.કલાવંતીબેન રામાવત તે વિપુલભાઇ તથા પરશુરામભાઇના માતુશ્રી તેમજ માનવ રામાવતના દાદીમાંનું તા.૯ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૧ના રોજ સાંજના ૪ થી ૬, મંડપ રોડ, જીરા પા પ્લોટ ખાતે રાખેલ છે.

અમૃતબેન ચોટલીય

રાજકોટઃ ગં. સ્વ. અમૃતબેન ખોડાભાઇ ચોટલીયા (ઉ.વ.૧૦૧) તે દામજીભાઇ, આણંદજીભાઇ, જગદીશભાઇ, મનસુખભાઇ અને હરેશભાઇના માતુશ્રી, તથા વલ્લભભાઇ, દિનેશભાઇ ભરતભાઇના દાદીનું તા.૮ના સાવરકુંડલા મુકામે અક્ષરધામવાસી થયેલ છે.

સંદિપભાઇ સેજપાલ

ટંકારાઃ સંદિપ (લાલાભાઇ)સેજપાલ(ઉ.૪૪)ને સ્વ. હરિલાલ કાલીદાસ સેજપાલના પુત્ર તથા વિઠ્ઠલભાઇ.વિનોદભાઇ, વિજયભાઇ, હર્ષદભાઇ, અશોકભાઇ, નવિનભાઇ, ભરતભાઇ, રંજનબેન ભૂપેન્દ્રભાઇ પારેખ(ઉપલેટા)અને ધમિષ્ઠાબેન ચેતનભાઇ સૌમૈયા(આમરણ)ના લધુબંધુનુ અવસાન તા.૯ના થયેલ છે. ઉઠમણુ તા.૧૧ને  સોમવારે સાંજે ૪:૩૦થી ૫:૩૦ દરમિયાન લોહાણ મહાજન વાડી, કન્યાશાળા પાસે, ટંકારા ખાતે રાખેલ છે.