Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022
રાજકોટના વરિષ્‍ઠ પત્રકાર જયદીપભાઈ જોષીનું અવસાનઃ સોમવારે બેસણું

રાજકોટઃ ‘હેડલાઈન' સાંધ્‍ય દૈનિકના વરિષ્‍ઠ પત્રકાર અને ગોંડલના રહેવાસી જયદીપભાઈ મનહરભાઈ જોષી (ઉ.વ.૫૨) તે મનહરભાઈ (મનુભાઈ- નિવૃત વિભાગીય અધિકારી, સૌ.યુનિ.)ના પુત્ર તથા પારસભાઈ (વડોદરા)ના ભાઈ તથા હેતલબેનના પતિ  તથા આયુષી અને તીર્થના પિતાનું તા.૯ને શુક્રવારે અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.૧૨ને સોમવારે સાંજે ૪ થી ૬ અમરનાથ મંદિર, રેલ્‍વે સ્‍ટેશન પાસે, ગોંડલ ખાતે રાખેલ છે. પારસભાઈ જોષી મો.૯૮૯૮૮ ૪૮૨૬૮

અવસાન નોંધ

નટુભાઇ જાની

રાજકોટઃ નટુભાઇ જયંતીલાલ જાની (ઉ.૭૮)કે જેઓ હર્ષદ નટુભાઇ જાની ભાવનાબેન ભીખુકુમાર પંડયા, હર્ષવીણાબેન અતુલકુમાર ભટ્ટ, મીનાક્ષીબેન મનીષકુમાર ભટ્ટના પિતા, તથા સ્‍વ જગદીશભાઇ, સ્‍વ.ધીરુભાઇ, મોહનભાઇ અને હસમુખભાઇના ભાઇ, પાર્થ અને આર્યના દાદાનું તા.૬ને માગશર સુદ ૧૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે, સદગતનું બેસણું તા.૧૦ને શનિવારના સાંજે ૩થી ૫ તેમના નિવાસ સ્‍થાન ગાયત્રી નગર સોસાયટી, જીઇબીની સામે સ્‍ટેશન રોડ, ઢસાગામ ખાતે રાખેલ છે.

દક્ષાબેન જોબનપુત્રા

રાજકોટઃ સ્‍વ. પ્રભુદાસ મોરારજી બુધ્‍ધદેવના પુત્રી દક્ષાબેન જસ્‍મીનકુમાર જોબનપુત્રા (ઉ.વ.૫૨) તે મધુબેન કતીરા,  રંજનબેન દેવાણી(જુનાગઢ) સ્‍વ. હંસાબેન (હર્ષાબેન) કારીયા, ચંદ્રકાંતભાઇ, મહેન્‍દ્રભાઇ, સ્‍વ. હર્ષદભાઇ  રમેશભાઇ, ચંપકભાઇ, હીતેશભાઇના નાના બહેન તા.૧૦ ના શ્રીજી ચરણ પામેલ છે.(મો. ૯૦૯૯૨૩૪૭૭૯)

ઉનાના હરમડીયા નિવાસી ધીરજલાલ પ્રભુદાસભાઇ ઉનડકટનું અવસાન : સોમવારે ઉઠમણું

ઉના : ઉના તાલુકાના હરમડીયા નિવાસી  ધીરજલાલ પ્રભુદાસભાઈ ઉનડકટ (ઉ.વ. ૭૨)તે સ્વ. રમેશભાઈ  (જૂનાગઢ) તેમજ મહેન્દ્રભાઈ (રાજકોટ) તેમજ ગીતાબેન જીતેન્દ્રભાઈ રાયછા (સુરત)ના મોટાભાઈ તેમજ હિંમતલાલ  તથા હસમુખલાલ હરજીવનદાસ ઉનડકટના ભત્રીજા તેમજ જયેશભાઇ, હિતેષભાઈ, કેતનભાઈના પિતાશ્રી તથા સ્વ. મગનલાલ મથુરાદાસ બદીયાણી (કેશોદ)ના બનેવીનું તા. ૧૦ને અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું અને સાથે પિયરપક્ષની સાદડી તા. ૧૨ને સોમવારના રોજ સાંજના ૪ થી ૬ કલાકે લોહાણા મહાજનની વાડી, હરમડિયા ખાતે  રાખેલ છે