અવસાન નોંધ
દલસુખભાઈ પીઠવા
રાજકોટઃ લુહાર દલસુખભાઈ હંસરાજભાઈ પીઠવા, જે મનસુખભાઈ, વજુભાઈ તથા નટુભાઈના ભાઈ તથા જયસુખભાઈ, અશ્વીનભાઈ, હિરેનભાઈ તથા સાગરભાઈના કાકા તથા દેવશીભાઈ મગનભાઈ પરમારના જમાઈ, સુરેશભાઈ તથા રાજુભાઈના બનેવી સ્વર્ગવાસ પામ્યા છે. સદ્દગતનું બેસણું ગુરૂવાર તા.૧૨ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાને (બન્ને પક્ષનું બેસણું સાથે) કોઠારીયા મેઈન રોડ, હુડકો પોલીસ ચોકી પછી, મુસ્કાન મેડીકલવાળી શેરી, દીપ્તીનગર, શેરીનં-૧, ''રામદેવ પીર કૃપા'' ખાતે રાખેલ છે.
દક્ષાબેન પરમાર
રાજકોટઃ સ્વ. ધીરૂભાઇ મોહનભાઇ પરમારના નાનાભાઇ ચિરતંનભાઇ એમ પરમાર (જી.ઇ.બી નિવૃત કર્મચારી)ના ધર્મપત્નિ દક્ષાબેન (ઉ.વ.૬૯) તે મહેશભાઇ એમ પરમાર (જી.ઇ.બી. નિવૃત કર્મચારી) ના ભાભી મનિષભાઇ (કેન્સર હોસ્પિટલ) અમિષભાઇ તથા તેજલબેનના માતુશ્રી અને જય, પ્રાચી તથા ધૈર્યના દાદીમાં અને અભિષેકના નાનીમાંનુ તા.૯ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૨ને ગુરૂવારના શ્રી અલ્કેશ્વર મહાદેવ મંદિર, સાંજે ૪ થી ૫:૩૦ ૧અલ્કાપુરી, રૈયા રોડ ખાતે રાખેલ છે.
ભારતીબેન બુંદેલા
રાજકોટઃ નિવાસી દિનેશભાઇ હેમંતભાઇ બુંદેલાના ધર્મપત્નિ સ્વ. ભારતીબેન કે જેઓ સુધીરભાઇ, બકુલભાઇ, જીતુભાઇના ભાભી તથા ધર્મેશના માતુશ્રી તથા રવિ, નિમિત તથા શનિના મોટા બા તા.૯ સોમવારના દેવલોક પામેલ છે. તેમનું બેસણું તા.૧૨ના ગુરૂવારે સાંજે ૪ થી ૫ કલાકે તેમના નિવાસ સ્થાને ગંગાભુવન સદર, ધોબી શેરી ચોક, જુમા મસ્જીદ પાસે રાજકોટ ખાતે રાખેલ છે.
જયાબેન ધ્રાંગધરીયા
રાજકોટઃ ગં.સ્વ. જયાબેન ધ્રાંગધરીયા (ઉ.વ.૮૦) તે સ્વ.પ્રાગજીભાઇ ભવાનભાઇ ધ્રાંગધરીયાના ધર્મપત્નિ તથા સ્વ. હરીભાઇ તથા મનસુખભાઇના ભાભી તથા હિતેષભાઇ, કિરીટભાઇ, પંકજભાઇ, રાજુભાઇ તથા જયોત્સનાબેન, સ્વ. લતાબેનના માતુશ્રી તથા (રાજાવડલાવાળા) સ્વ. જીવાભાઇ લાધાભાઇ તલસાણીયાના દિકરીનું તા.૮ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૨ ગુરૂવારના રોજ સવારે ૯ થી ૧૧ અમદાવાદ ખાતે રાખેલ છે. મોસાળ પક્ષનું બેસણું સાથે રાખેલ છે. (મો.૯૯૭૪૪ ૧૮૫૯૫)
વનિતાબેન મકવાણા
રાજકોટઃ મચ્છુકઠીયા સઇ સુતાર જ્ઞાતિના કરાચીવાળા ગામ રાજકોટ હાલ મુંબઇ સ્વ. વલ્લભદાસ વીરજીભાઇ મકવાણાના પત્નિ વનીતાબેન (ઉ.વ.૭૭) તે સ્વ. મનીષભાઇ તથા કૌશિકભાઇના માતુશ્રી ધ્રુવના દાદીમાં (સ્વ. જેઠાભાઇ, સ્વ. પ્રભુભાઇ, સ્વ. ધીરૂભાઇ, પ્રવિણભાઇ) તથા (રાજેશભાઇ, મહેશભાઇ, સ્વ. પંકજભાઇ, કેતનભાઇ)ના કાકી તા.૮ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧૨ના ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦ કલાકે રાખેલ છે. પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે. સરનામું રાજેશભાઇ જેઠાભાઇ મકવાણા આનંદનગર કોલોની ૧૪૪, બ્લોક નં.૬ (એફ), રૂમ નં.૫૮૮, ગાયત્રી મંદિર બગીચામાં ચિરાગ પાનની સામે, રાજકોટ મો.૭૬૯૮૧ ૦૮૩૮૭
રંજનબેન રાઠોડ
રાજકોટઃ રંજનબેન રાઠોડ (ઉ.વ.૭૦) તે સ્વ. જગદીશભાઇ બાલુભાઇ રાઠોડના ધર્મપત્નિ તથા સ્વ. બચુભાઇ પ્રાગજીભાઇ ચૌહાણની સુપુત્રીનું દુઃખદ અવસાન તા.૯ને સોમવારના રોજ થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૩ શુક્રવાર બપોરના ૪ થી ૬ શ્રીજી પાર્ક, શેરી નં.૧ના ખુણે ઁકાલેશ્વર મહાદેવ મંદિર, આલાપ ગ્રીન સીટીની પાછળ રૈયા રોડ રાજકોટ ખાતે રાખેલ છે.
રાયબાઈબેન રાઠોડ
રાજકોટઃ આહિર દાદાભાઈ ગીગાભાઈ રાઠોડના પુત્રવધુ રાયબાઈબેન જેસીંગભાઈ રાઠોડ (ઉ.વ.૫૫) તે જેસીંગભાઈ દાદાભાઈ રાઠોડના પત્ની તથા કિશનભાઈ, રઘુવીરભાઈ, પ્રિયંકાબેન અને રીમ્પલબેનના માતુશ્રી તથા ભાનુભાઈ, પ્રભાતભાઈ, ઘનશ્યામભાઈના બહેન અને ગીતાબેનના ભાભીશ્રીનું તા.૭ શનિવારે અવસાન થયેલ છે. બેસણું તા.૧૨ને ગુરૂવાર સાંજે ૪ થી ૬, અમારા નિવાસસ્થાને નિલકંઠ પાર્ક, કાવેરી એપાર્ટમેન્ટની સામે, રાજકોટ ખાતે રાખેલ છે.
મોહનલાલ ગ્વાલાણી
મોરબીઃ મોહનલાલ ઉધારામ ગ્વાલાણી (ઉ.વ.૬૧) તે જવાહરલાલ ઉધારામ ગ્વાલાણીના ભાઈ તેમજ ચંદ્રકાંતભાઈ જેરામદાસ ગ્વાલાણીના કાકા તથા રોહિત અને જીતેન્દ્રના પિતાનું તા. ૦૭ ના રોજ અવસાન થયું છે સદગતનું બેસણું અને પઘડી તા. ૧૦ ને મંગળવારે સાંજે ૫ થી ૬ કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ મોરબી ખાતે રાખેલ છે .
આરવ હિરાણી
રાજકોટ : આરવ હિતેશભાઇ હિરાણી વાણંદ (ઉ.વ.૬) તે વલ્લભભાઇ ધનજીભાઇ હિરાણીના પૌત્ર તેમજ અશ્વિનભાઇના ભત્રીજા તેમજ હિતેશભાઇ અને સુમનબેનના પુત્ર તેમજ જૈષ્ણવ, પૂર્વી, વ્રિશાના ભાઇનું તા. ૯ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૧૨ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ નિવાસ સ્થાન, 'મોમાઇ નિવાસ' પરીવાર પાર્ક-૩, માયાણી ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.
વિજયાબેન ધંધુકિયા
કાલાવડઃ શિશાંગ નિવાસી હાલ કાલાવડ નિવૃત કંડકટર ધંધુકિયા વિઠલભાઇ શામજીભાઇના પત્ની વિજયાબેન (ઉ.વ.૬પ) તા.૯ સોમવારે અવસાન પામેલ છે. તે જયેશભાઇ, ભુપેન્દ્રભાઇના માતુશ્રી તેમજ દિવ્યાબેન, ઉર્મિલાબેનના સાસુનું બેસણું તા.૧રને ગુરૂવારે તેમના નિવાસસ્થાને ખોડિયારપરામાં સાંજે ૪ થી ૬ રાખેલ છે.
કનૈયાલાલભાઇ દવે
રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મુળ ચિત્તલ નિવાસી હાલ રાજકોટ કનૈયાલાલ ગોરધનદાસ દવે તે હરસુખભાઇ, પ્રવિણભાઇ તથા દિલીપભાઇનાં ભાઇ અને મનીષભાઇ તથા સંજયભાઇનાં પિતાશ્રી તા.૯ના સ્વર્ગવાસી થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧રને ગુરૂવારે સાંજે ૪ થી ૬ સરિતાવિહાર સોસાયટી કોમ્યુનિટી હોલ, રાજકોટ ખાતે તેમજ તા.૧૩ને શુક્રવારે સાંજે ૪ થી ૬ સમસ્ત બ્રહ્મ સમાજની વાડી, ચિત્તલ મુકામે રાખેલ છે.
રણછોડભાઇ સાટોડીયા
ગોંડલઃ અક્ષર નિવાસી રણછોડભાઇ નાનજીભાઇ સાટોડીયા તે ધીરૂભાઇ, દિનેશભાઇ તથા ભુપતભાઇના પિતા અને અશ્વીનભાઇ વઘાસીયા (અમરાપુર), લીલાબેન માંડણકા (કુંકાવાવ) ઇન્દુમતી ફળદુ (રાજકોટ)નાં માસા તા.૯ના અક્ષરવાસી થયેલ છે.
શરદચંદ્રભાઇ જાટકીયા
રાજકોટઃ ચલાલા નિવાસી હાલ રાજકોટ શરદચંદ્ર છોટાલાલ જાટકીયા (ઉ.વ.૮૧) તે હિતેષભાઇ, કલ્પેશભાઇ તથા જયોત્સનાબેન વિજયભાઇ શાહના પિતાશ્રી તથા ગુલાબચંદ માધવજી જુઠાણી (દામનગર)ના જમાઇનું તા.૬ના અવસાન થયુ છે. તેમની પ્રાર્થનાસભા તા.૧૩ને શુક્રવારે સવારે ૧૦-૦૦ કલાકે નવિનનગર કોમ્યુનીટી હોલ યુનીવર્સીટી રોડ રાજકોટ ખાતે રાખેલ છે.
કેતનભાઇ રૂપારેલીયા
જૂનાગઢઃ ધીરજલાલ દામોદરદાસ રૂપારેલીયાના પુત્ર કેતનભાઇ ધીરજલાલ રૂપારેલીયા તે એડવોકેટ ડી. ડી. રૂપારેલીયાના ભત્રીજા, અમીતભાઇ તથા ઉદયભાઇ તથા ખ્યાતીબેન તથા દીપ્તીબેનના ભાઇ, વીનોદભાઇ ભગવાનભાઇ ધનેશા તથા કીશોરભાઇ ભગવાનજીભાઇ ધનેશાના ભાણેજ તા.૯ના રોજ અવસાન પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૧રના રોજ સાંજના ૪ થી પ વાગ્યે ખરડેશ્વર વાડી, વાંઝાવાડ, તેમજ મોસાળ પક્ષની સાદડી સાથે રાખેલ છે.
વિજયાબેન લુંભાણી
રાજકોટઃ મુળ બુધેલ (હાલ રાજકોટ) નીવાસી ગીરનારા સોની વિજયાબેન પ્રાણજીવનભાઇ લુંભાણી તે સ્વ.પ્રાણજીવનભાઇ લુંભાણીના ધર્મપત્ની તથા પિયુષ લુંભાણી, અનીલ લુંભાણી, મનીષાબેન લોઢીયા, જયશ્રીબેન પાલાના માતુશ્રી તે સ્વ.મનુભાઇ લુંભાણી તથા કનુભાઇ લુંભાણીના ભાભી, મયુર લુંભાણીના દાદીમાનું સોમવાર તા.૯ના અવસાન થયેલ છે. તેમનું બેસણું ગુરૂવાર તા.૧રના સાંજે ૪ થી ૬, અંત્રેશ્વર મહાદેવ, જીલ્લા ગાર્ડન અંદર, કેનાલ રોડ ખાતે રાખેલ છે.