Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019
અવસાન નોંધ

લક્ષ્મીબેન વ્યાસ

ગોંડલ : મૂળ ગોંડલ હાલ ભાવનગર નિવાસી ઔદીચ્ય ગઢિયા બ્રાહ્મણ તારા લક્ષ્મીબેન વસંતરાય વ્યાસ (ઉ.વ. ૯૪), તેઓ પ્રદીપકુમાર (નિવૃત એસટી ડ્રાઇવર ગોંડલ), હંસાબેન (ચાચાપર), જયોતિબેન (ભાવનગર) તથા ગીતાબેન (રાજકોટ)ના માતા તેમજ અનંત, વિશાલ, વૈભવના દાદી સ્વ. ચંદ્રકાંતભાઇ તથા સ્વ. રાજુભાઇ (રાજકોટ)ના કાકી તથા સ્વ. ભરતભાઇ, કિરીટભાઇ, ધીતેન્દ્રભાઇ તથા અશ્વિનભાઇ (રાજકોટ)ના મોટા બહેનનું તા. ૮ના અવસાન થયેલ છે. બેસણું તા. ૧૩ શનિવાર સાંજે ૪ થી ૬, જલારામ મંદિર, ગોંડલ ખાતે રાખેલ છે.

નરશીભાઇ ડઢાણિયા

મોરબી : મૂળ ખરેડા હાલ મોરબી નરશીભાઇ પોપટભાઇ ડઢાણિયા (ઉ.વ.૭પ) તે ભાણજીભાઇ, રમેશભાઇ, મુકેશભાઇના પિતાશ્રીનું તા. ૮ રવિવાર અવસાન થયું છે. બેસણું તા. ૧ર ગુરૂવારે સવારે ૮થી ૧૦ કલાક સ્વાગત હોલ, રવાપર ચોકડી, મોરબી રાખલ છે.

સુરેશભાઇ રાઠોડ

ગોંડલ : સુરેશભાઇ જેઠાભાઇ રાઠોડ (ઉ.વ.૬પ) તે સ્વ. જેઠાભાઇના પુત્ર, સ્વ. મુકેશભાઇના મોટાભાઇ, શૈલેશભાઇના મોટાભાઇ, રાજેશભાઇના મોટાભાઇ, તથા નીખીલભાઇના પિતાનું તા. ૮ રવિવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧ર ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. સરવૈયા શેરી સોરઠીયા રજપૂત સમાજની વાડી પટેલ વાડી પાછળ જેલ ચોક, ગોંડલ રાખેલ છે.

બળવંતભાઇ ભટ્ટ

જુનાગઢ : શ્રી સોરઠીયા શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મૂળ ગીગાસણ હાલ મોરબી નિવાસી બળવંતભાઇ પુરસોતમભાઇ ભટ્ટ (ઉ.વ.૬૮) તે સ્વ. રમણીકલાલ અને સ્વ. મગનલાલના નાનાભાઇ તથા ભાવેશભાઇ, શ્રુતીબેન અને શિતલબેનના પિતાનું તા. ૮ના રોજ અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તા. ૧રના રોજ બપોરે ર-૩૦ થી ૪ કલાકે રામેશ્વર મહાદેવ મંદિર, સામાકાંઠે, ગેન્ડા સર્કલ, મોરબી ખાતે રાખેલ છે.

જયાબેન જોબનપુત્રા

ગોંડલ : જયાબેન દેવજીભાઇ જોબનપુત્રા (ઉ.વ.૮પ) તે અન્નપૂર્ણા એજન્સી વાળા ધર્મુભાઇ, હીરાભાઇ તથા જયેશભાઇના માતુશ્રી તેમજ મહેશ, પ્રેમ તથા પાર્થના દાદીમાંનું તા. ૮ ને શનિવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૦ ને મંગળવારના રોજ સાંજે ૪ થી ૬, 'સિંધુ ભવન' મહાદેવવાડી ખાતે રાખવામાં આવેલ છે.

લખુભાઈ બસીયા

રાજકોટઃ લખુભાઈ ભુરાભાઈ બસીયા તે જીતુભાઈ, રાજુભાઈ, સ્વ.ભરતભાઈ તથા હંસાબેનના પિતાશ્રીનું તા.૮ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૨ ગુરૂવાર સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને 'સુર્યદર્શન', હરિનગર શેરી નં.૨- ડી, રાજકોટ ખાતે રાખેલ છે

મહેશભાઈ ભટ્ટ

રાજકોટઃ શ્રી ગોડ મેડતવાડ બ્રાહ્મણ સમાજ બેટ દ્વારકા નિવાસી, મહેશભાઈ દામોદરદાસ ભટ્ટ (ઉ.વ.૭૭) હાલ મુંબઈ, તેઓ વિજયાબેન દામોદરદાસ ભટ્ટના પુત્ર તેમજ પ્રકાશભાઈ ભટ્ટ તથા સ્વર્ગસ્થ અરૂણભાઈ ભટ્ટના મોટાભાઈ તેમજ માલતીબેનના પતિશ્રી તેમજ રાજેશ્રીબેન ભટ્ટ તથા હર્ષાબેન ભટ્ટના જેઠશ્રી તેમજ વિધીબેન, નિશાબેન તથા સિધ્ધાર્થના મોટા પપ્પા તથા તેઓ ઉદયશંકર પ્રાગજીભાઈ ભટ્ટના જમાઈ તથા પ્રકાશભાઈ ભોંસલે તેમજ વિપુલભાઈ નથવાણીના સસરા તથા રિશિત, હૃદય અને આસ્થાના નાના તા.૫ના શ્રીજી ચરણ પામ્યા છે.

સ્મિતાબેન શાહ

રાજકોટઃ નિવાસી હાલ મુંબઈ દશા શ્રીમાળી વૈશ્રવ વણિક સ્મિતાબેન સુબોધચંદ્ર શાહ તે નેહાબેન, નિપાબેન તથા સિધ્ધાર્થના માતુશ્રી તથા જેનીબેન સિધ્ધાર્થભાઈના સાસુનું તા.૭ને શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થના સભા તા.૧૦ને મંગળવારે સાંજે ૫ થી ૭ યોગીસભાગૃહ,  સ્વામી નારાયણ મંદિર પાછળ, દાદર (ઈ) મુંબઈ રાખેલ છે.

મંગળાબેન મકવાણા

ચલાલાઃ સ્વ.મંગળાબેન નંદલાલભાઇ મકવાણા (ચલાલા વાળા) (ઉ.વ.૮૦) તે ગોવિંદભાઇ, કાળુભાઇ, ભુપતભાઇ, મનસુખભાઇ, રમણિકભાઇના માતુશ્રી તા.૬ને શુક્રવારે રામ ચરણ પામ્યા છે. તેમનું બેસણું તા.૧રને ગુરૂવારે બપોરે ૩ થી ૬, મહાદેવપરા, ચલાલા ગોવિંદભાઇ નંદલાલભાઇ મકવાણાના નિવાસસ્થાને રાખેલ છે.

વિદુલાબેન પીપળીયા

 ગોંડલઃ નિવાસી મેવાડા સુતાર વિદુલાબેન નટવરલાલ પીપળીયા (ગોળવાળા) ઉંમર વષઁ ૬૭ તે જીતેન્દ્રભાઇ તથા હરેશભાઈ ના માતુશ્રી તા.૦૮ રવિવારે વૈકુંઠવાસ પામેલ છે. સદગતનુંઙ્ગ બેસણું તા.૧૨ગુરુવારે સાંજે ૪ થી ૬ મેવાડા સુતાર જ્ઞાતિની વાડી, માથુકીયા હોસ્પિટલ વાળી શેરી, બસ સ્ટેન્ડ રોડ, ગોંડલ ખાતે પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

વિભાબેન મહેતા

મોરબી : સ્વ. ડાયાલાલ પરસોતમભાઇ મહેતાના પૌત્રી વિભાબેન તે સ્વ. અનંતરાય ડાયાલાલ મહેતા ત્થા રંજનબેન અનંતરાય મહેતાની (મોન્ટુબેન), ડીમ્પલભાઇના મોટા બહેન અરિહંતશરણ પામેલ છે.