Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020
પોરબંદર જુની પેઢીના ટ્રાન્સપોર્ટર દયારામભાઇ દવે (ભરાડ)નું અવસાન ટેલીફોનીક પ્રાર્થનાસભા

જૂનાગઢ,તા.૧૦: મુળખાગેશ્રી હાલ પોરબંદર નિવાસી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના અગ્રણી ટ્રાન્સપોર્ટર દયારામભાઇ હિરાભાઇ દવે  (ભરાડ) ઉવ.૭૧ તે મણિશંકરભાઇ (દાનાભાઇ) એસટી ડ્રાઇવરના પિતા તેમજ પ્રભાશંકરભાઇ ભરાડના લઘુબંધુનુ તા. ૯ને રવિવારે ગઇ કાલે હૃદયરોગના જીવલેણ હુમલાથી નિધન થયું છે. છેલ્લા પાંચ દાયકાથી ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલ જુની પેઢીના દયારામભાઇ અત્યંત માયાળુ અને કરૂણામૂર્તિ સ્વભાવ હતો તેઓ કોઇને દુખી જોવે કે તુરંત તેમનું હૃદય ભરાઇ આવતુ અને આંખોમાં અશ્રુ વહેવા લાગતા તેઓના નિધનથી સમગ્ર ભરાડ પરિવાર અને રાજગોર સમાજને કયારેય ન પુરાય તેવી ખોટ પડી છે. હાલ કોરોનાની મહામારીને લઇને તેઓની ટેલીફોનીક પ્રાર્થના સભા રાખવામાં આવેલ છે. તો સદ્ગતને શ્રધ્ધાસુમન અર્પણ કરવા અને દવે પરિવારને સાત્વના પાઠવવા માટે મણિશંકરભાઇ દયારામભાઇ દવે મો. ૭૦૯૬૨ ૨૦૧૫૮ તેમજ પ્રભાશંકરભાઇ દવે ૭૫૬૭૭ ૧૦૪૨૪ને ટેલીફોનીક દિલાસો પાઠવી શકાશે.

ચોટીલા ખોડીયાર આશ્રમના નવા ગાદીપતિ મહંત તરીકે પૂ.બ્રહ્મચારીજીઃ ચાદરવિધિ સંપન્ન

વઢવાણ,તા.૧૦: ચોટીલા ના માંડવવન ના ઝરીયા મહાદેવ રોડ ઉપર સેવાના અનેક કાર્યો માટેપંચાળ પંથકમાં સુપ્રસિદ્ઘ બનેલ ખોડિયાર આશ્રમ ના મહંત પૂ. રામાનંદ બાપુ થોડા દિવસ પહેલાં બ્રહ્મલીન થયા હતાં.આ ખોડિયાર આશ્રમના નવા ગાદીપતિ મહંત તરીકે પૂ.બ્રહ્મચારી બાપુ ની ચાદર વિધિ નામી અનામી સંતો મહંતોની ઉપસ્થિતિ માં કરવામાં આવી હતી.

ખોડિયાર આશ્રમ ના નવા ગાદીપતિ પૂ.રામાનંદબાપુ પરિવાર ના પૂ.બ્રહ્મચારી બાપુ ની મહંત તરીકે ચાદર વિધિ ચોટીલા ચામુંડા માતાજી ડુંગર મહંત પરિવાર ના અશ્વિનગિરિ ગોસાઇ , ચોટીલા ની પૂ.ધારશી ભગતજીની મોટી જગ્યાના મહંત પૂ.હરિપ્રસાદ નિમાવત બાપુ , હરીદ્વાર ના પ્રસિદ્ઘ નિરંજન અખાડાના સંત પૂ.માધવાનંદ બાપુ , મથુરા આશ્રમ ના સંત પૂ.હરીહરાનંદ બાપુ , ભરતગિરિ ગોસ્વામી સહિત અન્ય ધાર્મિક જગ્યાઓ , મંદિરો ના સંતો મહંતો અને હરીભકતો ની ખાસ હાજરી માં કરવામાં આવી હતી.

અવસાન નોંધ

વિજયનભાઇ નાયર

મીઠાપુર : બીન્દુબેન બારાઇના પિતા વિજયનભાઇ નાયર (ઉ.૭ર) તેઓ નીલેશ દેવરામભાઇ બારાઇના સસરાજી તા. ૮ મીએ શ્રીજીચરણ પામેલ છે. સદગતનું ટેલીફોનિક ઉઠમણું તા. ૧૦ મીએ નીલેશભાઇ મો. ૯૮ર૪૮ ૮૩૯૮૭, તથા બીનાબેન મો. ૯૮ર૪ર ૦૭૭૬૧

પ્રતાપરાય આશર

રાજકોટઃ નવગામ ભાટિયા, જોડિયા નિવાસી પ્રતાપરાય વિઠ્ઠલદાસ આશર (ઉ.વ.૭૮) તે જયવંતાબેનના પતિ, કાલાવડ વાળા હરીજી હેમરાજ ઉદ્દેશીના જમાઈ તે સ્વ.કનૈયાલાલ, સ્વ.હીરાલાલ, શાંતિલાલ, કાંતિલાલ, સ્વ.જમનાબેન, દમિયંતીબેન તથા ભાનુબેનના ભાઈ તેમજ ગીરીશભાઈ (ગોપાલ), જયેશભાઈના પિતાશ્રી તા.૯ના રોજ શ્રીજીચરણ પામેલ છે. કોરોનાની મહામારીને કારણે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. જયેશ આશર મો.૯૪૨૭૨ ૮૧૧૬૬, વિનય આશર મો.૯૪૨૬૮ ૪૮૫૦૮, કાંતિલાલ આશર મો.૯૪૦૮૩ ૧૯૪૩૩

લીલાબા જાડેજા

રાજકોટઃ લીલાબા બચુભા જાડેજા (ગામ- ભાતેલ, હાલ રાજકોટ ગાંધીગ્રામ) નવલસિંહ બચુભા જાડેજાના માતુશ્રી તા.૯ના વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈપણ લોકિક ક્રિયા તથા બેસણું રાખેલ નથી. ટેલીફોનીક બેસણું રાખેલ છે. જાડેજા નવલસિંહ બચુભા મો.૯૪૦૮૭ ૮૬૧૫૧, ગોહિલ કિશોરસિંહ કરણસિંહજી મો.૯૭૨૩૨ ૫૩૭૫૭

શાંતિલાલભાઇ ઝાખરા

રાજૂલા : શાંતિલાલભાઇ ડોસલજીભાઇ ઝાખરા (ઉ.૯પ) નું તે વિજયભાઇ ઝાખરા, કુસુમબેન જીતેન્દ્રકુમાર (રાજકોટ), રમાબેન, કોકીલાબેનના પિતાશ્રી, શાંતાબેન ઝાખરાના પતિ, તેમજ મિલન, પૂર્વી ના દાદા તેમજ પૂજાબેનના દાદાજી અને ગીતાબેન વિજયભાઇ ઝાખરાના સસરાનું તા. ૮ મીએ અવસાન થયું છે. કોરોના મહામારીને કારણે ટેલીફોનીક બેસણુ રાખેલ છે. મો. નં. ૯૯ર૪૦ ૪૮૯૦પ, મો. ૯૪ર૭૭ ૪ર૬રર

મંજૂલાબેન અખાણી

ચોટીલા : સ્વ. ચુનીલાલ સુંદરજીભાઇ પુજારાના ધર્મપત્ની, તે સુરેશભાઇ પુજારાના માતા તથા ચંદુલાલ છગનલાલ અખાણીના દીકરી મંજૂલાબેન (ઉ.૭૦) નું તા. ૬ ના રોજ અવસાન થયેલ છે, ટેલીફોનીક બેસણું તા. ૧૦ ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.  પીયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

બીનાબેન વૈષ્ણવ

જામજોધપુર : બીનાબેન જીતેન્દ્રભાઇ વૈષ્ણવ (ઉ.વ.૬ર) તે જીતેન્દ્રભાઇ વ્રજલાલ વૈષ્ણવ (ની. તલાટી) ના ધર્મપત્ની તથા મહેન્દ્રભાઇ નાનાભાઇના પત્ની, હર્ષદભાઇ ના ભાભી, ભાર્ગવ શૈલેષભાઇના ભાભુ, ટિવકલ મૃગેશભાઇ નિમાવત, વિદિતા ઉપેન્દ્ર કુમાર અગ્રાવત તથા હિરલ જિતેન્દ્રભાઇ વૈષ્ણવના માતુશ્રીનું તા. ૭ શુક્રવારના રોજ અવસાન થયેલ છે લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

પ્રવિણાબેન કાથરાણી

મોરબી : પ્રવિણાબેન જયેન્દ્રકુમાર કાથરાણી કાંદીવલી (મુંબઇ) નિવાસી તે રામજીભાઇ જગજીવનભાઇ પોપટ (મોરબી)ના સુપુત્રીનું તા. ૯ રવિવારે શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને તેમનું ટેલીફોનીક બેસણું (સાદડી)  તા. ૧૦-૮-ર૦ર૦ ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. મોરબી કલોથ સ્ટોર્સ -મોરબી રાજેશભાઇ મો. ૯૯૭૯૦ ૩પ૪૩પ, જીતેન્દ્રભાઇ ૯૪ર૭૪ ર૮૮પ૦, હરેશભાઇ ૯૯૦૯૮ પ૪૪૭પ

ભરતભાઇ પંડયા

કેશોદ : સોરઠીયા શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ અજાબ નિવાસી સ્વ. ભાનુશંકર નાથાલાલ પંડયાના પુત્ર ભરતભાઇ (ઉ.વ.૬૮) તે જયદીપભાઇના પિતા તેમજ સ્વ. નલિનકાંતભાઇ, સ્વ. અશોકભાઇ તથા સ્વ. રમેશભાઇના ભાઇ તેમજ નિકુંજભાઇ તેમજ ભાગવત કથાકાર શાસ્ત્રીશ્રી વરૂણભાઇ પંડયાના કાકાનું તા. ૭ ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૧૩ ને ગુરૂવારે બપોરે ૪ થી પ કલાકે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.જયદીપભાઇ મો. ૯૭ર૬૭ ૮૮૬૧પ, નિકુંજભાઇ મો. ૯૯૯૮૬ ૬૯૯૦૩૬, વરૂણભાઇ મો. ૯૪ર૭૭ ૩પ૦૩૭

મંજુલાબેન જાની

રાજકોટઃ જૂનાગઢ નિવાસી મંજુલાબેન નર્મદાશંકર જાની (ઉ.વ.૭૮) તે જનાર્દન નર્મદાશંકર જાની, સુશીલાબેન સુરેશ કુમાર પંડયા તથા વીણાબેન કિરીટભાઈ ભટ્ટના માતુશ્રીનું તા.૯ રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા.૧૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. જનાર્દન નર્મદાશંકર જાની, સીટી બસ કોલોની, ગાંધીગ્રામ, જૂનાગઢ, મો.૯૪૨૭૭ ૦૪૯૨૯

જીગ્જ્ઞેશભારથી ગોસ્વામી

રાજકોટઃ કૈ.વા.જીગ્જ્ઞેશભારથી (ગોપાલ) હિંમતભારથી ગોસ્વામી (ઉ.વ.૩૭)નું દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને સદ્દગતનું બેસણું બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું મો.૯૭૨૪૧ ૯૩૩૧૧ / ૯૭૨૫૦ ૦૦૩૯૦ સ્થળઃ હિંમતભારથી શાંતિભારથી ગોસ્વામી શ્રી નાથદ્વારા પાર્ક, બ્લોક નં-૫૧, શેરી નં.૪, ભગવતી હોલ પાછળ, રેલનગર, રાજકોટ

રતિલાલ નથવાણી

રાજકોટઃ નિવાસી રતિલાલ લીલાધરભાઈ નથવાણી (ઉ.વ.૮૦) સ્વ.લીલાધરભાઈના પુત્ર, હંસાબેન નથવાણીના પતિ, લાલજીભાઈ શામજી રાયઠઠ્ઠા (મુંબઈ)ના મોટા જમાઈ તથા સ્વ.જયંતીલાલ, અશોકભાઈ, નરેન્દ્રભાઈ, અશ્વીનભાઈ તથા મુકેશભાઈના મોટાભાઈ તા.૯ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલિફોનીક બેસણું તા.૧૦ને સોમવારે સાંજે ૪ થી ૫ રાખેલ છે.

જેઠાલાલ જગડ

રાજકોટઃ જેઠાલાલ અમરશીભાઈ જગડ તે સ્વ.ઈશ્વરભાઈ તથા સ્વ.અશોકભાઈ તથા કુસુમબેન તથા તરલીકાબેન વિજયકુમાર આશરા તથા મીનાબેન પ્રદીપકુમાર છાટબારના પિતાશ્રી તે સુનીલ ઈશ્વરભાઈ તથા ધર્મેશ ઈશ્વરભાઈના દાદાશ્રી આજરોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનુ ઉઠમણું તા.૧૦ના ટેલીફોનીક બેસણું રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સુનીલ મો.૮૮૪૯૪ ૬૨૬૫૩, ધર્મેશ મો.૯૦૩૩૦ ૦૪૩૨૩

મંજુલાબેન સાંગાણી

રાજકોટઃ વેરાવળ નિવાસી દશા સોરઠીયા વૈશ્નવ વણિક અ.સૌ.મંજુલાબેન નવીનચંદ્ર સાંગાણી (ઉ.વ.૭૫), તે નવીનચંદ્ર પી.સાંગાણી (એડવોકેટ)ના ધર્મપત્ની તથા ગૌતમભાઈ સાંગાણી (ટેકસ કન્સલટન્ટ) તેમજ સંગીતાબેન ધ્રુવના માતુશ્રી, યશના દાદીમા થતા ઉર્વલના નાનીમાનું તા.૯ રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તથા લૌકિક વ્યવહાર હાલની પરિસ્થિતિને અનુલક્ષીને બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૦ના સોમવારે સાંજે ૪ થી ૫ રાખેલ છે. ગૌતમભાઈ સાંગાણી (મો.૯૮૨૫૨ ૨૧૧૦૧/ મો.૯૯૨૫૬ ૯૪૮૦૪)

નાગરદાસ પાટડીયા

રાજકોટઃ સોની રામજીભાઈ સવજીભાઈ પાટડીયા વાળા શામજીભાઈ રામજીભાઈ પાટડીયાના પુત્ર નાગરદાસ (ઉ.વ.૮૩) તે કાંતીભાઈ, હસમુખભાઈ, અરવિંદભાઈ તથા પ્રવિણભાઈના મોટાભાઈ તે હરેશભાઈ તથા રાજેશભાઈના પિતાશ્રી તે ગીરધરલાલલ મોનજીભાઈ ઝીંઝુવાડીયા જોડીયાવાળાના જમાઈ તા.૯ રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૦ સોમવારે સાંજે ૪:૩૦ થી ૬ કલાકે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. અરવિંદભાઈ પાટડીયા મો.૭૦૧૬૪ ૫૨૬૧૧

પ્રફુલચંદ્ર વોરા

રાજકોટઃ મોઢ વણિક સ્વ.જીવણલાલ જટાશંકર વોરાના પુત્ર સ્વ.પ્રફુલચંદ્ર જીવણલાલ વોરા (ઉ.વ.૭૪) જે મયુરભાઈ વોરા તેમજ સેજલ નીરવકુમાર શાહના પિતા પ્રવિણભાઈ વોરાના નાનાભાઈ તથા રાકેશ વોરાના કાકા તેમજ મોરબી નિવાસી સ્વ.ડાયાલાલ પ્રભાશંકર ત્રિવેદીના જમાઈ તા.૯ને રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલિફોનીક બેસણું તા.૧૩ના રોજ ૪ થી ૬ રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.) મયુર વોરા મો.૯૭૨૨૯ ૩૭૩૩૬, રાકેશ વોરા મો.૯૮૨૫૩ ૭૪૩૪૬

યશવંતીબેન ચંદારાણા

રાજકોટઃ યશવંતીબેન ચંદ્રકાંતભાઈ ચંદારાણા તે ચંદ્રકાંન્તભાઈ જમનદાસ ચંદારાણાના ધર્મપત્ની તથા કિશોરભાઈ, કિર્તીભાઈ ચંદારાણા, રીટાબેન નીલેશકુમાર ગણાત્રા, સુધાબેન તેજુકુમાર કારીયાના માતુશ્રી તથા સ્વ.ઘનશ્યામદાસ જમનાદાસ તથા સ્વ.ચંદ્રહાંસભાઈ જમનદાસ ચંદારાણાના બંધુપત્ની તથા સ્વ.છગનલાલ કરશનદાસ અઢીયાના દિકરી તથા ચંદ્રકાંત છગનલાલ કરશનદાસ અઢીયાના દિકરી, તથા ચંદ્રકાંત છગનલાલ અઢીયાના મોટાબેન, કુંદનબેન અનીલકુમાર સવાણી (લંડન)ના મોટાબેનનું તા.૯ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું તથા પીયરપક્ષનું ટેલીફોનીક બેસણું સોમવાર તા.૧૦ના સમય સાંજે ૪:૩૦ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે. અમિત ચંન્દ્રકાન્તભાઈ અઢિયા મો.૯૮૨૪૨ ૩૪૮૪૦

સુરેશભાઈ પરમાર

રાજકોટઃ સુરેશભાઈ મનસુખલાલ પરમારનું દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૦ના સોમવારનાં બપોરે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાને ૧, કેવડાવાડી ''ગાત્રાળ કૃપા'' ખાતે રાખેલ છે.

પ્રવિણચંદ્ર વ્યાસ

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ પ્રવિણચન્દ્ર મયાશંકર વ્યાસ (ઉ.વ.૭૨) તે સ્વ.અનંતરાય વ્યાસ, નિમુબેન પંડયા, સ્વ.અનસુયાબેન મહેતા, ભગવતીબેન પંડયા, સ્વ.રમેશભાઈ વ્યાસનાભાઈ તથા શાસ્ત્રી ભાવેશભાઈ તથા સતીષભાઈના પિતાશ્રી તથા નિશાંત, મયંક, આસ્થા, વેદાંશીના દાદા તથા સ્વ.વજેશંકર અંબાશંકર ઠાકર (સાતોદડ)ના જમાઈ તા.૮ના રોજ કૈલાસવાસ થયેલ છે. કોરોનાના પ્રવર્તમાન સમયને લઈને ટેલીફોનીક બેસણું તા.૧૦ના રોજ ૪ થી ૬ રાખેલ છે. મો.૯૯૨૫૩ ૦૩૩૧૫, મો.૯૮૨૪૯ ૦૬૪૯૫

મિતેષ રાવલ

રાજકોટઃ વંથલી નિવાસી ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ, હાલ સેલવાસ, મિતેષ પ્રવિણચંદ્ર રાવલ (ઉ.વ.૫૩) તે સ્વ.પી.ડી. રાવલ- વંથલી (સોરઠ)ના પુત્ર જગદીશભાઈ (એરફોર્સ- બેંગ્લોર) તથા નિરૂબેન (હેડનર્સ, સીવીલ હોસ્પિટલ- રાજકોટ)ના નાનાભાઈ, તે સ્મીતાબેન (સ્ટાફનર્સ- ભીલાડ)ના પતિનું સુરત મુકામે તા.૮ શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું સોમવાર તા.૧૦ના રોજ સાંજે ૪ થી ૮ રાખેલ છે. આરતીબેન મો.૯૮૭૩૪ ૦૫૨૯૬, નિરૂબેન મો.૯૭૧૪૫ ૧૧૭૧૮, અશ્વીનકાકા મો.૯૮૨૫૫ ૯૭૭૭૨, અનીલકાકા મો.૯૭૨૩૪ ૫૬૬૮૪

ઘનશ્યામભાઈ મકવાણા

રાજકોટઃ લુહાર ઘનશ્યામભાઈ ગણેશભાઈ મકવાણા (ઉ.વ.૬૨) તે અમિતભાઈ ઘનશ્યામભાઈ તથા જયભાઈ ઘનશ્યામભાઈના પિતાશ્રીનું તા.૯ને રવિવારના રોજ  અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૦ને સોમવારના રોજ રાખેલ છે.

પંકજકુમાર જોષી

રાજકોટઃ ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મુળ ત્રાકુડા હાલ રાજકોટ પંકજકુમાર નંદલાલ જોષી (ઉ.વ.૬ર) તે સ્વ.નંદલાલ જયશંકર જોષીના પુત્ર, ઉષાબેનના પતિ, જયદીપ, વૈશાલી, પૂર્વી, નિકેતાના પિતાશ્રી, પુજાબેન તથા અપૂર્વકુમાર અધ્વર્યુ નિસર્ગકુમાર જોષી, ગૌતમકુમાર ભટ્ટના સસરા, સ્વ.હર્ષદભાઇ, રમેશભાઇ, જયોતિભાઇ, પ્રવીણભાઇ, રંજનબેન, અન્નપૂર્ણાબેન, ગીતાબેનના ભાઇ, તથા કૃષ્ણકાંતભાઇ ભીમજીભાઇ પાઠકના જમાઇ અને ભરતભાઇ અને ચેતનભાઇના બનેવીનું તા.૭ના અમદાવાદમુકામે અવસાન થયું છે. બન્ને પક્ષનું ટેલીફોનિક બેસણું તા.૧૦ને સોમવારે સાંજે ૪ થી ૬, ટેલીફોનીક બેસણું સાંજે ૪ થી ૬ રાખેલ છે. રમેશભાઇ મો. નં. ૯પ૩૭પ ૭૭૮રપ તથા જયંતીભાઇ મો. નં. ૭પ૬૭૦-૭૧ર૬૦ અને પ્રવિણભાઇ મો. નં. ૯૯રપર ૪પ૧૦૧ તેમજ જયદિપભાઇ મો. નં. ૮ર૩૮૦-૦૧૦૦ર છે.

વિમલાબેન શાહ

રાજકોટઃ પ્રભાસ પાટણ નિવાસી વિમલાબેન (ઉ.વ.૮૬) સ્વ.હરકિશન હરખચંદ શાહના પત્ની, પ્રશાંતભાઇ, ઉર્વશીબેન, પ્રતિભાબેન, સ્વ.કલ્પનાબેન, હેમલતાબેન (હેમુ), સ્વ.નલિનીબેન (ટીનુ)ના માતુશ્રી, જીગ્નાબેનના સાસુ, સાગરના દાદી, રાજુભાઇ ઢાંકી, મહેન્દ્રભાઇ ઝવેરી, દિપકભાઇ શાહ, કૌશિકભાઇ ઢાંકી અને દિવ્યેશભાઇ ઢાંકીના સાસુ, પ્રભાસપાટણ ખાતે તા.૮ના અરિહંત શરણ પામેલ છે. ફોન સંપર્ક પ્રશાંતભાઇ મો. ૯૩ર૪પ ૮૪૬પ૧ તથા જીગ્નાબેન મો. ૭૬૬૬૧૦૮પપ૧ છે.

કમળાબેન ગોહેલ

મોરબીઃ કમળાબેન છોટાલાલ ગોહેલ (ઉ.વ.૯પ) તે અરવિંદભાઇ (નવયુગ સ્ટોરવાળા) અને ભરતભાઇના માતુશ્રી તા.૮ના રોજ અવસાન પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૦ને સોમવારે ૩ થી ૬, (મો. ૯૯૦૯૮ ૦૭૭પપ, ૮૦૦૦૭ ૧ર૩૪પ) રાખેલ છે.

ઠાકરશીભાઇ ભલગામડિયા

રાજકોટઃ ઠાકરશીભાઇ હંસરાજભાઇ ભલગામડિયા તે સ્વ.રાઘવજીભાઇ તથા ચંદ્રકાન્તભાઇના મોટાભાઇ અને પરેશભાઇ, શૈલેષભાઇ,  અમરીશભાઇના પિતાશ્રીનું તા. ૯ ને રવિવારે અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે તથા વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષી લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સંજયભાઇ સુચક

રાજકોટઃ સ્વ.રમણીકલાલ લાભુભાઇ સુચકના પુત્ર સંજયભાઇ (ઉ.વ.પ૩) તે પ્રફૂલાબેન કિરીટકુમાર રાયચુરા અને શિતલબેન અનિલકુમાર કારીયાના ભાઇ, લક્ષ્મીદાસ ચુનીલાલ ગણાત્રાના જમાઇ તેમજ દેવાંશી અને હર્ષના પિતાજીનું તા.૯ના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિ ધ્યાનમાં લઇ ઉઠમણું કે બેસણું રાખેલ નથી. ટેલીફોનીક બેસણું સોમવાર તા.૧૦ના સાંજે ૪ થી ૬, હસુભાઇ ગણાત્રા મો. ૯૮ર૪૧ પ૪૪૧૧, પ્રફૂલાબેન મો. ૯૭રર૬ ૧પ૪૯૪, શિતલબેન મો. ૯૩૭૪૧ ૮૭ર૪પ.

સુનીતભાઇ શાહ

રાજકોટઃ મૂળ થાનવાળા હાલ રાજકોટ સ્વ. પ્રતાપભાઇ સુખલાલ શાહ (ડોઢીવાળા)ના પુત્ર સુનીતભાઇ શાહ (ઉ.૪૯) તે સ્વ. ચંપકભાઇ અમરચંદભાઇ મહેતાના જમાઇ, કોમલબેન હિતેષભાઇ અજમેરા, દિપાલીબેન હર્ષભાઇ અજમેરાના મોટાભાઇ, મીતાલીબેન અક્ષયભાઇ વિઠ્ઠલાણી, કુશલભાઇનું પિતાનું તા.૯ના અવસાન થયું છેે. ટેલિફોનીક બેસણું તા. ૧૦ના સાજે ૪ થી ૬, રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. મો. ૯૯૦૯૭ ૭૪૭૬૯ તથા ૯૮૭૯૦ ૭૨૫૪૯ છે.

સુરજબા જાડેજા

ગોંડલઃ શિવરાજગઢ હાલ ગોંડલ સ્વ. સુરજબા સુરૂભા જાડેજા (ઉ.૮૫) તે વનરાજસિંહના માતૃશ્રી તથા સુજીતસિંહ, રૂષિતસિંહના દાદીમાનું તા. ૮ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણુ તા.૧૦ને સોમવારે રાખેલ છે.વનરાજસિંહ મો. ૯૯૭૯૯ ૯૮૩૩૩, સુજીતસિંહ મો. ૯૪૨૯૨ ૨૯૫૮૯ છે.

જયવિરભાઈ સોલંકી

રાજકોટઃ કુવાડવા- મચ્છુ કઠીયા દરજી સુથાર જ્ઞાતીનાં જયવિરભાઈ ધર્મેશભાઈ સોલંકી (ઉ.વ.૨૦) તે ડો.ધર્મેશભાઈ (હિતુભાઈ) સોલંકીના પુત્ર અને સ્વ. ડો.રજનીકાંતભાઈ સોલંકીના પૌત્ર તથા વિનોદભાઈ પ્રાણજીવનભાઈ સોલંકી, દિલીપભાઈ પ્રાણજીવનભાઈ સોલંકી, ભાવેશભાઈ પ્રાણજીવનભાઈ સોલંકી, હિતેષભાઈ સુંદરજીભાઈ (ગાંડુભાઈ) સોલંકી તથા મનીષાબેન કમલેશકુમાર ગોહેલ (જેતપુર)ના ભત્રીજાનું તા.૯ને રવિવારનાં રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૩ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬, કુવાડવા મુકામે તેમનાં નિવાસ સ્થાને રાખેલ છે. ડો.ધર્મેશભાઈ (હિતુભાઈ) સોલંકી મો.૯૦૯૯૯ ૫૭૯૦૯, વિનોદભાઈ (ટીનાભાઈ) સોલંકી મો.૯૮૯૮૩ ૯૩૨૪૧, દિલીપભાઈ સોલંકી મો.૯૭૨૪૪ ૧૬૪૦૭

મંજુલાબેન રામાણી

રાજકોટઃ સ્વ.મંજુલાબેન (અનીતાબેન) વલ્લભભાઈ રામાણી (ઉ.વ.૫૮) લીલાપુર નિવાસી, હાલ રાજકોટ તે વલ્લભભાઈના ધર્મપત્ની, ડો.કેયુરભાઈના માતુશ્રી અને ડો.મીરાબેનના સાસુનું તા.૧૦ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને સદ્દગતનું ટેલિફોનીક બેસણું રાખેલ છે. મો.૯૯૦૯૧ ૮૭૫૭૬ / ૯૯૭૯૧ ૪૦૩૪૧