Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018
ધોરાજીના અખબાર વિક્રેતા સેવાભાવી રફીકભાઇ ભીમાણીનું અવસાન

ધોરાજી : સેવાભાવી અને વર્ષોજુના અખબાર વિતરક રફીકભાઇ ભીમાણીનું ટુંકી બીમારી બાદ અવસાન થયેલ અખબાર વિતરણ મંડળ દ્વારા સ્વ. રફીકભાઇ ભીમાણીના આત્માને શાંતિ માટે પ્રાર્થના સભા યોજાઇ હતી. અને રફીકભાઇની સેવાઓને યાદ કરી હતી શ્રદ્ધા સુમન અર્પણ કરેલ હતા.

અવસાન નોંધ

કાંતાબેન ગણાત્રા

રાજકોટઃ સ્વ.ભગવાનજીભાઈ પીતાંબરભાઈ ગણાત્રાના ધર્મપત્ની કાંતાબેન (ઉ.વ.૯૦) તે શશીકાંતભાઈ, કાંતિભાઈ, હસમુખભાઈ તથા સ્વ.મુકેશભાઈ ગણાત્રાના માતુશ્રી તા.૧૦ શુક્રવારનાં રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૧૧ શનીવાર સાંજના ૫:૩૦ કલાકે શ્રી સર્વેશ્વર મહાદેવ મંદિર મિલાપનગર મેઈન રોડ, યુનિવર્સીટી રોડ ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

 રામજીભાઇ પારેખ

રાજકોટઃ સ્વ. સોની નથુભાઇ કલ્યાણજી પારેખના પુત્ર રામજીભાઇ (ઉ.વ.૯૬) તે સ્વ. શાંતિભાઇ તથા સ્વ. લાલુભાઇ પારેખના મોટાભાઇ અને જીતેન્દ્રભાઇ, સુરેશભાઇ (બેંક ઓફ બરોડા), દમયંતિબેન, હંસાબેન તથા ભારતીબેનના પિતાશ્રી તે ઉમેશચંદ લવજીભાઇ પાટડીયાના જમાઇ તા.૧૦ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બંને પક્ષનું બેસણું તા.૧૧ના શનિવારે સ્થળઃ સોની સમાજની વાડી યુનિટ નં. ૧ , કોઠારીયા નાકા, ખીજડા શેરી, રાજકોટ ખાતે સવારે ૧૦:૩૦ થી ૧૨ સાથે રાખેલ છે.

પ્રકાશભાઇ શાહ

વેરાવળ : વીસા ઓસવાળ જૈન પ્રકાશભાઇ શાહ ઉ.૬૩ (વી. પ્રકાશ કલોથ સેન્ટર) તે સ્વ. હરીલાલભાઇ, સ્વ. હીરાબેન ના પુત્ર તથા હીનાબેન (શોભાબેન), હર્ષિદાબેન, દીવ્યાબેન ના ભાઇ તેમજ જયોતિબેન ના પતિ તથા ચીરદીપ, ચાંદની ના પિતા શ્રી તેમજ સ્નેહા ચીરદીપ, ચીરાગ કંપાણીના સસરાનું તા. ૮ ના અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તા. ૧૧ શનીવારે સવારે ૧૦ થી ૧૧ લોકાગચ્છ જૈન સંઘ ઉપાશ્રય પ્રકાશ કોમ્પલેક્ષ વેરાવળમાં રાખેલ છે.

ગુંણવંતીબેન નીરંજની

ગોંડલ : વિનોદરાય કાશીરામ નિરંજની ના પત્ની ગુણવંતીબેન (ઉ.વ.૭૦) તે ે મયૂરધ્વજ ના માતાનું તા.૦૮ ને બુધવારે અવસાન થયેલ છે. તેસણું તા.૧૧ ને શનિવારેસાંજે ૪ થી ૬ અમારા નિવાસ્થાન સહજાનંદ નગર, પંચમુખી હનુમાનજી પાસે, ગોંડલ મુકામે રાખેલ છે.

નારણભાઇ વૈષ્ણવ

ગોંડલ :  નારણભાઇ રામજીભાઇ વૈષ્ણવ (ઉ.વ.૭૫) તે હિતેશભાઇ ના પિતા, સોહીલના દાદા નું તા.૦૯ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૩ ને સોમવારે ૪ થી ૬ પટેલ વાડી ભગવતપરા, ગોંડલ મુકામે રાખેલ છે.

બાલુબેન ડેર

લાઠી : લાઠી નિવાસી લાલુબેન ભીખુભાઇ ડેર (ઉ.વ.૮૧) તા. ૫ ના રોજ રામચરણ પામેલ છે, તે કનુભાઇ ભીખાભાઇ ડેર,બાલાભાઇ ભીખાભાઇ ડેર,શંભુભાઇ ભીખાભાઇ ડેર અને રાજુભાઇ ભીખાભાઇ ડેર ના માતુશ્રી થાય તેમની દશા રવિવારે તા.૧૨ ના રોજ તેમજ ઉતરક્રિયા સોમવારે તા.૧૩ ના રોજ તેમના નિવાસ સ્થાને  ઠે. ડેરપા  શેરી, મુ. લાઠી, જીલ્લો અમરેલી ખાતે રાખેલ છે.

હર્ષદકુમાર જાદવ

રાજકોટઃ સ્વ.હર્ષદકુમાર હરિલાલ જાદવ (ઉ.વ.૬૦)નું તા.૯ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૧ને શનિવારે સાંજે ૪ થી ૬ રિધ્ધી સિધ્ધી એપાર્ટમેન્ટ, ૩/૯, ગાયકવાડી ખાતે રાખેલ છે.

ભારતીબેન વાઢેર

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા ભારતીબેન તે બિલ્ડીંગ કોન્ટ્રાકટર અ.ની. રતિલાલ હરિલાલ વાઢેરના પુત્ર જગદીશભાઇના ધર્મપત્ની તા.૯ના અક્ષરનિવાસી થયા છે. સદ્દગતનું બેસણું તા.૧૧ને શનિવારે સાંજે ૪ થી ૬, મોટા મોવા ગામ, પ્લોટ નંબર ૪૭/ર, મીરામાધવ એપાર્ટમેન્ટની સામેની બંધ શેરી, સરકારી સ્કૂલની સામેની શેરી, મોટામવા ગામ, કાલાવડ રોડ ખાતે રાખેલ છે.

નિર્મળાબેન પરમાર

રાજકોટઃ સોની બજાર વાળા સ્વ.ભરતભાઇ બચુભાઇ પરમારના ધર્મપત્ની નિર્મળાબેન પરમાર (ઉ.વ.૬પ) તેમજ તુષારભાઇ મનીષભાઇ તથા પ્રીતીબેનના માતુશ્રી જીતુભાઇ પરમારના ભાભી તેમજ કાર્તીકભાઇ પીયુષભાઇ પરમારના ભાભુશ્રીનું તા.૯ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૧ને શનીવારે ઓમ કાલેશ્વર મહાદેવ મંદિર, શીતલ પાર્ક, જામનગર રોડ ખાતે ૪ થી ૬ રાખેલ છે.

કિરણબેન શુકલ

રાજકોટઃ શ્રીમતિ કિરણબેન (વિમુબેન) તે સ્વ.વસંતબેન મણીશંકર જાનીના પુત્રી અને નરેન્દ્રભાઇ કાંતિલાલ શુકલના ધર્મપત્ની તેમજ લતાબેન તૃષિતકુમાર ઉપાધ્યાય, રૂપાબેન નિખિલકુમાર પંડયા, પ્રીતિબેન અલ્પેશકુમાર મહેતાના માતુશ્રીએ તા.૯ના મહાપ્રયાણ કરેલ છે. તેમનું બેસણું તા.૧૧ના (શનિવારે) સાંજે ૪-૩૦ થી ૬, શ્રી કેશરિયા વાડી કરણપરા ચોક પાસે રાખેલ છે.

જીતેન્દ્રભાઇ પુજારા

રાજકોટઃ જીતેન્દ્ર (ગોપાલ) કરસનદાસ પુજારા (ઉ.વ.૪૭) તે સ્વ.કરસનદાસ હરિલાલ પુજારા, રાજકમલ એજન્સી, મોરબીવાળાના પુત્ર તથા મહેન્દ્ર કરસનદાસ પુજારાના લધુબંધુ તથા જય મહેન્દ્રભાઇ પુજારાના કાકા તથા કાંતિલાલ હરિલાલ રાચ્છ (નવાગામ)ના ભાણેજ તા.૮ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા મોસાળ પક્ષની સાદડી તા.૧૦ના શુક્રવારે રામેશ્વર મંદિર, રામેશ્વર ચોક, શ્રીજી નગર, રૈયા રોડ, રાજકોટ સાંજે પ-૩૦ કલાકે રાખેલ છે.

મહેશભાઇ બકરાણીયા

મોરબીઃ ગુર્જર સુથાર મહેશભાઇ બકરાણીયા (ઉ.વ.૬૩) તે ઉદયભાઇ, બીનીતાબેનના પિતાશ્રી તેમજ લલીતભાઇ, દીપકભાઇ, ચંદ્રેશભાઇ અને પ્રવિણાબેનના ભાઇ અને મોહનલાલના જમાઇનું તા. ૮ના અવસાન થયેલ છે. બેસણું તા. ૧૦ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ વિશ્વકર્મા મંદિર મોરબી ખાતે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

રમેશભાઈ ધામેચાના ભત્રીજાના પુત્ર માયનનું અવસાનઃ કાલે પ્રાર્થનાસભા

રાજકોટઃ ગૌરવ ગ્રુપનાં મોભી ગોરધનદાસ ડાયાલાલ ધામેચાંનાં પુત્ર તથા વિરેનભાઈ ધામેચાં તથા રાજકોટ લોહાણા મહાજનનાં ઉપપ્રમુખ રમેશભાઈ ધામેચાનાં ભત્રીજા જીતેન ગોરધનદાસ ધામેચાનાં પુત્ર સ્વ.માયન ધામેચા (ઉ.વ.૪) જે અમિત ધામેચા તથા સમીર ધામેચા તથા જયભારત ધામેચાનાં ભત્રીજા તા.૯ને ગુરૂવારનાં રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૧૧નાં રોજ શનિવારે  સાંજે ૫ થી ૬:૩૦ સ્વામિનારાયણ મંદિર (બીએપીએસ) યોગીધામગૃહ કાલાવડરોડ ખાતે રાખેલ છે.