Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021
લક્ષ્મીબેન દસાડીયાનું અવસાનઃ શનીવારે બેસણુ

રાજકોટઃ વાળંદ સ્વ.લક્ષ્મીબેન ત્રિભોવનભાઇ દસાડીયા (ઉ.વ.૬૮) ત્રિભોવનભાઇના પત્ની તેમજ મનહરભાઇ  તથા કિશોરભાઇના ભાભી અને વિજયભાઇ, જીજ્ઞેશભાઇ તથા ભારતીબેનના માતુશ્રી નિલેશભાઇ રાઠોડના સાસુ અને શિતલ, સાગર, ખ્યાતી અને પ્રગતીના દાદી, ઇશીતા  અને દર્શીતના નાનીમાં સ્વ.ગંગારામભાઇ અઘારાના પુત્રી રમેશભાઇ તથા મનસુખભાઇ  અઘારાના બેન તા.૯ ના અવસાન થયેલ છે.

બેસણું તા.૧૩ને શનીવારે સાંજે ૩ થી પ તેમના નિવાસસ્થાને શ્રી જન કલ્યાણેશ્વર મહાદેવના મંદિર પાસે રાખેલ છે.

મ.ન.પા.ના સેક્રેટરી હરીશ રૂપારેલીયાનાં માતૃશ્રી સરલાબેનનું અવસાન

રાજકોટ : શ્રીમતિ સરલાબેન (ઉ.૮૦),તે પ્રભુદાસ છગનલાલ રૂપારેલીઆ (રીટાયર્ડ એલ.આઈ.સી., રાજકોટ)ના ધર્મપત્ની, તે હરીશ (મ્યુનિસિપલ સેક્રેટરી, રાજકોટ મહાનગરપાલિકા) તથા જયેશ (પ્રોફેસર, નિરમા યુનિવર્સિટી, અમદાવાદ), ચંદ્રિકા હરેશકુમાર ભાયાણી(બેંક ઓફ ઇન્ડિયા, રાજકોટ) તથા રસિલા કમલેશકુમાર કોટેચા (એલ.આઈ.સી., રાજકોટ)ના માતુશ્રી, તે ગોંડલવાળા સ્વ.રતિલાલ મોહનલાલ ભોજાણીના પુત્રી તેમજ મધુકાંતભાઈ, વિનયચંદ્ર તથા સ્વ.મહેશભાઈના બહેન તા.૦૯ને મંગળવારનાં અવસાન  થયેલ છે.

વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું ટેલિફોનિક બેસણું તા.૧૧ને ગુરૂવારના રોજ સવારે ૯ થી ૧૧ કલાકે રાખેલ છે.

સ્વ.કરશનભાઈ ઉનાગરના ધર્મપત્નિ પાર્વતીબેનનું દુઃખદ અવસાન : કાલે ગુરૂવારે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ શ્રી જય ચામુંડા પ્રિન્ટીંગ પ્રેસ, મારૂતિ પ્રિન્ટીંગ પ્રેસવાળા પ્રજાપતિ નાથાભાઈ ભાણજીભાઈ ઉનાગરના લઘુબંધુ સ્વ.કરશનભાઈ ભાણજીભાઈ ઉનાગરના ધર્મપત્નિ ગં.સ્વ. પાર્વતીબેન કરશનભાઈ ઉનાગર (ઉ.વ.૭૨) તે સ્વ.છગનભાઈ ભાણજીભાઈ ઉનાગર તેમજ ચંદુભાઈ ભાણજીભાઈ ઉનાગરના ભાભીશ્રી તેમજ કમલેશભાઈ કરશનભાઈ ઉનાગરના માતુશ્રીનું તા.૯ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેઓશ્રીનું ટેલીફોનીક બેસણું તા.૧૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૫:૩૦ રાખેલ છે. કમલેશભાઈ મો.૯૭૨૬૬ ૦૫૦૨૮, હર્ષદભાઈ મો.૯૮૨૫૨ ૭૦૨૬૫, રાજુભાઈ મો.૯૪૨૬૭ ૮૦૫૫૦, યોગેશભાઈ મો.૯૮૭૯૩ ૨૮૪૩૨

''જાડા''ના ટાઉન પ્લાનર દિપકભાઇ નિમાવતના પિતાશ્રીનું અવસાન

રાજકોટ : હાલ રાજકોટ મૂળ ગામ સરપદડના રહેવાસી દિપકભાઇ નિમાવત, ટાઉન પ્લાનર, જાડા અને શ્રી રાજુભાઇ નિમાવત, ડેપ્યુટી એન્જી. પી.જી.વી.સી.એલ.ના પિતાશ્રી તેમજ સ્વ.મનહરભાઇ, છબીલભાઇ, દલપતભાઇ, હેમંતભાઇ, જેન્તીભાઇ, મુગટ ભાઇના ભાઇ તેમજ ડો. જે.એમ. રામાવતના બનેવી સ્વ. વલ્લભદાસ નંદરામ નિમાવત (ઉ.૮૦) તા.૭ને રવિવારે અવસાન થયેલ છે.

બેસણું તા.૧૧ને ગુરૂવારે સાંજે  ૪ થી પ-૩૦ વાગે મહાદેવ મંદિર, ગામ-સરપદડ તા.પડધરી મુકામે રાખેલ છે મો. ૭પ૬૭૧ ૧૯૭ર૦ પર

જોડિયા શ્રીહાટકેશ્વર મહાદેવ મંદિરના મહંત ગુસાઇ મગનપુરી બ્રહ્મલીન

જોડીયાધામ :. જોડીયાધામમાં નદીના કાંઠે આવેલ વર્ષો જુની જગ્યા શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરના પ્રમુખ તેમજ જોડીયા દશનામ સમાજના ભુતપુર્વક પ્રમુખશ્રી અને દરેક સેવાકાર્યો સંત ભંડારામાં જેમની અચુક હાજરી હોય એવા ગુસાઇ મગનપુરી મહાદેવપુરી જે હાલના જોડીયા દશનામ સમાજના પ્રમુખશ્રી હેમલપરી ગુંસાઇના પિતાશ્રી તેમજ રાજેશપુરી તથા હેમતપુરી તથા દિનેશપુરીના પિતા તા ૯-ર-ર૦ર૧ ના રોજ કૈલાશવાસ પામ્યા છે. સદગતની અંતિમ યાત્રામાં જોડીયા દશનામ સમાજના સહુ ભાઇઓ તેમજ વિધ-વિધ જ્ઞાતિના લોકો જોડાયા હતાં. તેમને સમાધી આપવામાં આવેલ હતી.

બેસણુ તા. ૧૧ ને ગુરૂવારે સાંજે ૪ થી પ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર નદીના કાંઠે  તેમના નિવાસ સ્થાને જોડીયા ખાતે રાખેલ છે. મો. ૮૧૬૦ર ૬૧૩૩૦

સુરેન્દ્રનગરના અખબારી વિતરક રાજેન્દ્રભાઇ ચૌહાણના ફઇબાનું અવસાનઃ રાજપરામાં ઉતરક્રિયા

વઢવાણ તા. ૧૦ :.. સુરેન્દ્રનગરના અખબારી વિતરક રાજેન્દ્રભાઇ ચૌહાણ, રાજુભાઇ તેમજ મહેશભાઇ ચૌહાણના ફઇબા તેમજ જુની પેઢીના અખબારી વિતરક મોહનભાઇ ચૌહાણના બહેન ગોમતીબેન એલજીભાઇ ગોહીલ (ઉ.૯૬) નું વઢવાણના રાજપરામાં અવસાન થયું છે. ઉત્તરક્રિયા તા. ૧૩ મીએ રાજપરામાં રાખેલ છે. સદ્ગત તેમના પરિવારમાં ૩ પુત્રો ભરતભાઇ, ગણપતભાઇ, દિલીપભાઇ  તેમજ વિક્રમભાઇ અને વિપુલભાઇના દાદીમાં થતા હતાં.

અવસાન નોંધ

સરલાબેન રૂપારેલીયાનું અવસાનઃ કાલે ગોંડલમાં ટેલીફોનીક સાદડી

ગોંડલ : સ્વ. રતિલાલ મોહનલાલ ભોજાણી (ભોજાણી સ્ટુડીઓ) ના સુપુત્રી સરલાબેન પ્રભુદાસ રૂપારેલીયા (ઉ.૮૦) તે શ્રી મધુભાઇ, વિનયચંદ્ર, સ્વ. મહેશભાઇના બહેન તથા મિલન, યોગેશ તથા ચેતનના ફઇબા અમદાવાદ મુકામે તા. ૯ ને મંગળવારે શ્રીજીચરણ પામેલ છે.

સદ્ગતની પિયર પક્ષની સાદડી તા. ૧૧ ને ગુરૂવારે સરકારશ્રીના નિયમાનુસાર ટેલીફોનીક રાખેલ છે. મધુભાઇ આર. ભોજાણી ૪, સ્ટેશન પ્લોટ, ગોંડલ,  મધુભાઇ ભોજાણી ૯૪ર૮૦ ૩૯૪૯૪,  વિનયચંદ્ર ભોજાણી ૯૪ર૬૯ ૬૯૮ર૦,  મિલન ભોજાણી ૯૮રપર ૪૩૬પર

વિજયાબેન જનાણી

રાજકોટઃ વિજયાબેન મહેન્દ્રભાઇ જનાણી, રાજકોટ (ઉ.વ.૮૧) તેઓ સ્વ.મહેન્દ્રભાઇ રતિલાલ જનાણીના પત્ની અને સ્વ.મનોજભાઇ જનાણી, સ્વ.કેતનભાઇ જનાણી તથા અલ્કાબેન હિમંતભાઇ વખરીયા તથા સ્મિતાબેન હસમુખરાય ધ્રુવના માતાશ્રી તથા ચિરાગભાઇ, હાર્દિકભાઇ, વિશાંતના દાદી તથા હેમંતલાલ તથા પ્રવિણભાઇ અને સુશીલાબેનના ભાભી તથા સ્વ.કેશવલાલ નરભેરમ સાંગાણીના દિકરીનું તા.૧૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૧૧ ને ગુરૂવારે સવારે ૯:૩૦ થી ૧૧, ૧૦૬ મેઘઘારા કોમ્પલેક્ષ, પારસ સોસાયટી, સોરાષ્ટ્ર કલા માર્ગ-૨, નિર્મલા કોન્વેન્ટ સ્કુલ મેઇન રોડ રાજકોટ ખાતે રાખેલ છે. મો.૮૨૦૦૫ ૨૦૦૩૮, ૯૮૨૫૮ ૭૭૯૨૯, ૯૬૮૭૩ ૭૬૬૭૭

પંકજભાઇ દેસાઇ

રાજકોટ : રાજકોટ નિવાસી (હાલ દુબઇ) પંકજભાઇ મણીલાલ દેસાઇ (ઉવ.૬૯) તેઓ સ્વ. મણીલાલ દીપચંદ તથા સ્વ. સુરજબેનના પુત્ર તેઓ અલ્કાબેનના પતિ, તેઓ પૂજા તથા જીગરના પિતા, તેઓ સમીરભાઇ દામાણી તથા પૂજા દેસાઇના સસરા તેમજ નિરંજનભાઇ, સ્વ. પ્રફુલભાઇ, સ્વ. સરોજબેન, સ્વ. કોકિલાબેન, પન્નાબેન, અરૂણાબેન, શોભનાબેન, પલ્લવીબેનના ભાઇ તા.૩ના અરહિંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સદ્ગતનું ટલિફોનીક બેસણું તા.૧૧ને ગુરૂવારે ૪:૩૦ થી ૬ રાખવામાં આવેલ છે નિરંજન દેસાઇ મો.નં. ૯૮૯૮૫ ૦૫૯૯૧ તથા શોભનાબેન પી. દેસાઇ મો.નં. ૮૭૮૦૨ ૬૮૩૬૮ છે.

ઇન્દીરાબેન પરમાર

ગોંડલ : હસમુખભાઇ કેશવભાઇ પરમારે (પાંચવડાવાળા)ના પત્ની ઇન્દિરાબેન (ઉ.૬૬) તે મુકેશભાઇના ભાભી, મેહુલભાઇ, જિજ્ઞેશભાઇ, આરતીબેન તથા સોનલબેનના માતૃશ્રીનું તા.૭ રવિવારના અવસાન થયું છે. બેસણું તા.૧૧ ગુરૂવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

સુરેશભાઇ ગાંધી

રાજકોટઃ ટંકારા નિવાસી હાલ રાજકોટ, સ્વ. અમરચંદ મનસુખલાલ ગાંધીનાં સુપુત્ર સુરેશભાઇ અમરચંદ ગાંધી (ઉ.વ.૬૫) તે ચેતનાબેનનાં પતિ, જસવંતભાઇ, સ્વ. દિલીપભાઇ, કમલેશભાઇ, તેમજ વસંતબેન જેઠાલાલ પટેલ (મુંબઇ), કુસુમબેન ગાંધી (ટ્રેઝરી ઓફિસ) અને સરોજબેન શૈલેષકુમાર પટેલ (મોરબી)નાં ભાઇ, ધવલ તથા અપેક્ષા વંદનકુમાર કામદારના પિતાશ્રી, સ્વ. જયવંતલાલ ફૂલચંદભાઇ મહેતાના જમાઇ, શ્રી નીશુભાઇ, પંકજભાઇ, સ્વ. શેલેષભાઇ, જયેશભાઇ તેમજ નયનાબેન ભરતભાઇ શાહ(પુના), અલ્કાબેન ચંદ્રકાન્તભાઇ દોશી(સોલાપુર) અને વિધીબેન પ્રકાશભાઇ બાલાણીના બનેવી તેમજ જયેશભાઇ હરકીશનદાસ કામદારના વેવાઇનું તા. ૯ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું: તા. ૧૧ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬   રાખેલ છે. જસવંતભાઇ અમરચંદ ગાંધી-૯૯૦૯૪ ૫૮૬૦૨, કમલેશભાઇ અમરચંદ ગાંધી- ૯૯૭૮૪ ૦૪૩૬૬, ધવલ સુરેશભાઇ ગાંધી- ૯૪૨૯૫ ૦૨૨૪૪

પ્રેમલતાબેન માકડીયા

રાજકોટઃ નિવાસી હસમુખભાઈ રવજીભાઈ માકડીયાના ધર્મપત્નિ પ્રેમલતાબેન હસમુખભાઈ માકડીયા (ઉ.વ.૭૦)નું તા.૮ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો.૭૪૩૫૦ ૯૬૯૮૨, મો.૯૮૨૫૩ ૯૭૩૦૦

રમેશભાઈ તન્ના

રાજકોટઃ લોહાણા, ગામઃ રાજકોટ સ્વ.વિનોદભાઈ (બાબુભાઈ) હરજીવનભાઈ તન્ના, સ્વ.અરવિંદભાઈ (કુંદનભાઈ) હરજીવનભાઈ તન્ના તથા સ્વ.ભરતભાઈ (ભગતભાઈ) હરજીવનભાઈ તન્નાના  ભાઈ તથા વિશાલભાઈ તથા હાર્દિકભાઈના પિતા તથા તરૂલતાબેનના પતિ તથા સ્વ.રતિલાલ નાનજીભાઈ માધવાણીના જમાઈ, રમેશભાઈ, પરેશભાઈના બનેવી રમેશભાઈ હરજીવનભાઈ તન્ના (ઉ.વ.૬૦)નું તા.૮ સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૧ ગુરૂવાર, સાંજે ૪ થી ૫  કલાકે તેમજ મોસાળ પક્ષની સાદડી સાથે રાખેલ છે. નિવાસસ્થાન શ્રી નિલકંઠ મહાદેવ મંદિર, માધાપર ગ્રામ પંચાયતની ઓફીસ સામે, માધાપર. રાજકોટ વિશાલભાઈ રમેશભાઈ તન્ના મો.૮૧૪૦૦ ૧૨૨૨૨, હાર્દિકભાઈ રમેશભાઈ તન્ના મો.૭૮૨૦૦ ૭૮૨૨૨

રસીકલાલ સાદરાણી

વાંકાનેરઃ સ્વ.અમૃતલાલ ગોરધનદાસ કોટક (ખેરવાવાળા)ના જમાઇ રસીકલાલ બાબુલાલ સાદરાણી (ઉ.વ.પપ) (વડીયા હાલ સુરત) તે મધુભાઇ, દાસભાઇ, જગદીશભાઇ અને શ્યામભાઇના બનેવીનું તા.૯ના અવસાન થયેલ છે. સાદડી તા.૧૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ શ્યામભાઇ કોટકના નિવાસ સ્થાને દરબાર ગઢ રોડ, ભાટીયા શેરી ખાતે ટેલીફોનીક રાખેલ છે.

પ્રતિકભાઇ જગડ

રાજકોટઃ બ્રહ્મક્ષત્રીય પ્રતીક દીપકભાઇ જગડ (મહુઆ) (ઉ.વ.૩૮) તેઓ સ્વ. દીપકભાઇ કાંતીભાઇ જગડના મોટા પુત્ર તથા જયભાઇ દીપકભાઇ જગડ(મહુઆ) ના મોટાભાઇ, રમેશભાઇ કાંતીલાલ જગડ (જામનગર)ના ભત્રીજા, બીપીનભાઇ હિંમતલાલ મેર (રાજકોટ)ના  ભાણેજ તેમજ હરેશભાઇ મથુરદાસ જોગી (દડવા)ના જમાઇ તા.૭ ને રવિવારે મહુઆમાં શ્રીજીચરણ પામેલ છે. બેસણું તા. ૧૧ને ગુરૂવારે બપોરે ૪ થી ૬ મોટા દડવા રાખેલ છે. મો.નં. ૭૩૮૩ર ૪૩૦૦૧, ૯૪ર૮ર ૮૯૮૬૩.

ચારૂલતા બેટીજી

રાજકોટઃ નિ.લી.પુ.પા. ચારૂલતા બેટીજી તે નિ.લી.પુ. પા. ગો.૧૦૮ શ્રી જીવનેશજી મહારાજશ્રી (બી લખાવાળા)ના બેટીજીએ તા.૮ સોમવારના રોજ નિત્યલીલા પ્રવેશ કરેલ છે. ગુણાનુવાદ સભા (પ્રાર્થના સભા) તા.૧૧ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે. સ્થળ- ''શ્રી યમુનાકુંજ'' હવેલી, ૨, ગુલાબનગર, રૈયારોડ, રાજકોટ

સાધનાબેન પંચમતીયા

રાજકોટઃ સ્વ.સાધનાબેન રસીકભાઈ પંચમતીયા (ઉ.વ.૬૦) તે ભરત ગારમેન્ટસ વાળા રસીકભાઈના ધર્મપત્ની તથા કિશોરભાઈ ભારત હોઝિયરી, શૈલેષભાઈ રીકવેસ્ટ સિલેકશન વાળાના ભાભી તથા કેતન, ગોપાલ, પ્રીતિ સચીનકુમાર રૂપારેલ (લંડન)ના માતુશ્રી બેડલાવાળા સ્વ.જમનાદાસ દયાળજીભાઈ પુજારાની પુત્રી તા.૮ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું સાદડી તા.૧૧ ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ રાખેલ છે.

પ્રવિણભાઈ ત્રિવેદી

રાજકોટઃ શ્રી ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ સ્વ.જયાશંકર મણિશંકર ત્રિવેદીના પુત્ર અને સ્વ.મનહરભાઈ, સ્વ.મનસુખભાઈ, સ્વ.કાન્તીભાઈ, શ્રી મહિપતભાઈના ભત્રીજા, સ્વ.મૂગટલાલ (વીનુભાઈ), સ્વ.હિંમતભાઈ, સ્વ.રસિકભાઈ, સ્વ.રમેશચંદ્રના નાનાભાઈ તથા સંદીપભાઈ, પુજાબેન, જયનાબેનના પિતાશ્રી તથા ગૌરીશંકર દેવશંકર દવેના બનેવી અને ચંદ્રેશભાઈ /ભાર્ગવભાઈ રમેશચંદ્ર દવેના ફૂવા, પ્રવીણભાઈ જયાશંકર ત્રિવેદી (ઉ.વ.૬૫)નું તા.૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું બેસણું તા.૧૧ ગુરૂવાર  સાંજે ૩:૩૦ થી ૫ કલાકે જ્ઞાતિની વાડી સ્વ. કલ્યાણજી નરસીભાઈ જાની કોમ્યુ.હોલ, ચંદન પાર્ક, રૈયા ચોકડી, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

અમૃતલાલ સુચક

રાજકોટઃ અમૃતલાલ કાનજીભાઇ સુચક (ઉ.વ.૮૯) તે સ્વ. જેન્તીભાઇ દિલીપભાઇ તથા મનુભાઇ, મથુરભાઇ સુચકના મોટાભાઇ તથા સ્વ. સરોજબેન, કૈલાશબેન-ગીતાબેન-પૂર્વીબેન તથા સ્વ. વિઠલભાઇના પિતાશ્રી  તા.૯ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેનું ટેલીફોનીક ઉઠમણું તા.૧૧ને ગુરૂવારે સાંજના ૪ થી ૫ રાખેલ છે. મો.૯૪૨૬૨ ૬૩૬૩૦, ૯૪૨૯૦ ૦૫૭૧૬, ૯૪૨૯૭ ૦૭૭૨૩

જયોતિબેન ગોહેલ

રાજકોટઃ નિવાસી સ્વ.ચમનભાઈ ભૂરાભાઈ ગોહેલના ધર્મપત્નિ સ્વ.જયોતિબેન ગોહેલ (ઉ.વ.૭૬) તે જગદિશભાઈ (મો.૯૭૧૪૦ ૩૭૦૪૧) તથા બિપીનભાઈ (મો.૯૯૭૪૨ ૫૦૬૩૫ તથા ૯ં૬૮૭૩ ૨૮૦૫૮)ના માતુશ્રી તથા ગૌરવ, હિરેન, દિવ્યા અને યામિનીના દાદી તથા એલ.ડી.ટેઈલર્સ વાળાના કાકી તા.૭ પોષ વદ અગિયારસના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૧ ગુરૂવાર સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)

દર્શન મહેતા

રાજકોટઃ મુળ ખેવારીયા નિવાસી હાલ રાજકોટ  રહેતા સ્વ.હિંમતલાલ કે. મહેતાના પૌત્ર તથા સ્વ.પ્રદિપભાઈ એચ. મહેતા (નિવૃત બેલીફ- રાજકોટ)નાં પુત્ર દર્શન પી.મહેતા (ઉ.વ.૩૩) તે આરતીબેન મયંકભાઈ શુકલનાં ભાઈ તેમજ નલીનભાઈ, દિપકભાઈ (ફીશરીઝ- રાજકોટ), તેમજ ભરતભાઈ મહેતા (જયહિન્દ પ્રેસ)નાં ભત્રીજા તથા અશ્વિનભાઈ વિનોદરાય વ્યાસનાં જમાઈનું તા.૯ને મંગળવારે અકાળે અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૧ને ગુરૂવારનાં રોજ તેમના નિવાસસ્થાન નિલકંઠ પાર્ક શેરી નં.૧, રેલનગર, ભગવતી હોલ પાછળ, પરમેશ્વર પાર્ક મેઈન રોડ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે. દિપકભાઈ મહેતા મો.૯૯૭૯૯ ૦૭૯૭૨, મયંક શુકલ મો.૯૫૧૨૫ ૦૫૫૮૩

રસીલાબેન નીમાવત

રાજકોટ : મુળગામ મેરવદર (ઉપલેટા) હાલ જામનગર નિવાસી રામાનંદી સાધુ સમાજના રસીલાબેન નિમાવત (ઉવ.૫૯) તે રજનીકાંત સેવાદાસ નિમાવતના પત્ની, પ્રતિક, નિલમબેનના માતૃશ્રી, સ્વ. તુલસીદાસ, સ્વ. રતીલાલભાઇ, સ્વ. કિશોરભાઇ, હરજીવનભાઇ, બટુકભાઇ કલકત્તાવાળાના નાના ભાઇના ધર્મ પત્ની, સુબોધભાઇ (મેરવદર)ના ભાભી શ્રી, મોહિત પ્રફુલભાઇ નિમાવત રાજકોટ બાલાજીપાનવાળાના સાસુમાં તથા ધ્યાન-ધ્યેયના નાનીમાનું તા.૮ના જામનગર મુકામે અવસાન પામેલ છે. તેમનું બેસણું કૈલાશનગર શેરીનં. ૩ બસ સ્ટેન્ડની સામેની શેરી જામનગર ખાતે રાખેલ છે.

સારાબેન લાઠીવાળા

રાજુલા : મર્હુમ ગુલામેઅબ્બાસ હસનઅલી માંકડા (કાચવાલા)ના બૈરો મર્હુમા સારાબેન મહંમદઅલી લાઠીવાળા (ઉ.૮૦) તે મર્હુમ મોઇઝભાઇ, કુતુબભાઇ, નીલોફરબેન (બાબરા), મુનીરાબેન (રાજકોટ), રજીયાબેન (અમદાવાદ), સલમાબેન (કરાંચી)ના માતાજી તથા શબ્બીરભાઇ, મુસ્તુફાભાઇ, સકીનાબેન (લીંબડી) તથા અમતુલ્લાના દાદીમા, જાકીરભાઇ, ઇનાયતભાઇ (લાઠી)ના બહેન તા.૮ને સોમવારે ખુદાની રહેમતમાં પહોચેલ છે.

મયુરભાઇ રાજ્યગુરૂ

રસનાળ : ગામ બુધેલ (હાલ સુરત), મોઢ બ્રાહ્મણ (ખી.સ) સ્વ.મયુરભાઇ અશોકભાઇ રાજયગુરૂ (ઉ.૩૪) તેઓ જગન્નાથભાઇ નાથાલાલ રાજયગુરૂ તથા અનસુયાબેન જગન્નાથભાઇ રાજયગુરૂના પૌત્ર તેમજ અશોકભાઇ જગન્નાથભાઇ રાજયગુરૂના પુત્ર તેમજ ગોપાલભાઇ અશોકભાઇ રાજયગુરૂના મોટાભાઇનું તા.૭મીએ અવસાન થયું છે. બેસણું તા.૧૧ ને ગુરૂવારે બપોરે ૩ થી ૬ યોગેશભાઇ અનંતરાય રાજયગુરૂના નિવાસસ્થાને ગામ બુધેલ, તા.ભાવનગરમાં રાખેલ છે.