Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021
ભાજપ અગ્રણી જીતુભાઈ મહેતાના સસરા મનસુખલાલ જોષીનું દુઃખદ નિધનઃ આજે જામનગરમાં બેસણું

રાજકોટ : મુળ બાલંભા હાલ જામનગર ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મનસુખલાલ ભાનુશંકર જોષી (પ્રો. વી.એમ. મહેતા કોલેજ) તે ગીતાબેન જોષીના પતિ, સ્વ.ગીજુભાઈ, જશુભાઈ, જગદીશભાઈ, સ્વ.ધીરૂભાઈ, સ્વ.દિલીપભાઈ અને કિરીટભાઈના ભાઈ, તપસ્વી જોષી અને નીતાબેન મહેતાના પિતા, પ્રજ્ઞાબેન જોષીના સસરા તથા જીતુભાઈ મહેતા (ભાજપ અગ્રણી)ના સસરા, ઉત્સવ અને સાચીના દાદાનું તા. ૮ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું આજરોજે તા. ૯ના શનિવારે સાંજે ૫ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાને 'રાધે', ખોડીયાર મંદિર પાસે, જામનગર ખાતે રાખેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે જીતુભાઈ મહેતાના પિતાશ્રીનું પણ ગત સપ્તાહમાં દુઃખદ અવસાન થયુ હતું. તપસ્વી જોષી - મો. ૯૪૨૭૨ ૭૭૧૧૧, જીતુભાઈ મહેતા - મો. ૯૪૨૬૨ ૫૦૭૧૧.

કૃષ્ણલાલ પંડયાના ધર્મપત્નિ મનોરમાબેનનું દુઃખદ અવસાન

સોમવારે સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું

રાજકોટઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ મૂળ લાઠી હાલ રાજકોટ નિવાસી કૃષ્ણલાલ ભીખાલાલ પંડયાના ધર્મપત્નિ અ.સૌ.મનોરમાબેન (ઉ.વ.૮૬) તે ધીરજલાલ, સ્વ.વિજયાબહેન, સ્વ.ધનલક્ષ્મીબેન, સ્વ.મહેન્દ્રભાઈ, કુ.નલીનીબેનના ભાભી તેમજ જીતેન્દ્રભાઈ મો.૯૪૨૮૪ ૬૬૧૯૫, કીર્તિભાઈ મો.૯૮૨૫૨ ૭૯૮૯૬, સ્વ.ચંદ્રકાંતભાઈ, યશવંતભાઈ મો.૮૧૫૫૦ ૬૬૦૫૭, જયવંતભાઈ મો.૯૮૨૫૫ ૩૬૨૮૮, વર્ષાબેન કિરીટભાઈ ભટ્ટ, નરેશભાઈ, સ્વ.વિષ્ણુપ્રસાદ, હરેશભાઈના માતા તેમજ ત્રિવેદી દિલીપભાઈ, હરિકૃષ્ણભાઈના બહેનનું તા.૮ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૧ને  સોમવારે સાંજે ૪ થી ૫ રાખેલ છે.

સુરેન્દ્રનગરનાં જયંતિલાલ ભટ્ટનું અવસાન : સોમવારે બેસણુ

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ  બ્રાહ્મણ મુળ કોટડાપીઠા હાલ સુરેન્દ્રનગર  જયંતિલાલ કરશનજીભાઈ ભટ્ટ (ઉ.વ.૭૮) તે સ્વ. પુષ્પાબેન ભટ્ટ ના પતિ અને પૂનમબેન ભટ્ટ , સોનલબેન વ્યાસ અને કમલભાઈ ભટ્ટ ના પિતાશ્રી તથા કુમારભાઇ ભટ્ટ , હરેશભાઈ વ્યાસ અને પારૂલબેન ભટ્ટ ના સસરાનુ તા.૭ ના રોજ અવસાન થયેલ છે.બેસણુ તા.૧૧ ને સોમવારના  સાંજે ૪ થી ૬ આશુતોષ ત્રિલોકપાકૅ, લક્ષ્મીનારાયણ સોસાયટી પાસે, સુરેન્દ્રનગર ખાતે રાખેલ છે.  કમલભાઇ ભટ્ટ મો. ૯૪૦૮૭૪૯૫૧૫ અને ૯૪૨૯૬૪૯૪૮૦, પારૂલબેન ભટ્ટ મો.૯૪૦૮ ૭૧૧૭૨૫.

અવસાન નોંધ

 પ્રકાશભાઇ કોટક

રાજકોટ : મુળ ચોટીલા તાલુકાના રાજપરાવાળા હાલ રાજકોટ નિવાસી સ્વ. ઝવેરચંદ જીવણભાઇ કોટકના પૌત્ર પ્રકાશભાઇ તે પ્રવિણભાઇના સુપુત્ર અને મિલનના મોટાભાઇનું તા. ૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું આજે શનિવારે સાંજે ૫ વાગ્યે તલસાણીયા દાદાનું મંદિર, રામ પાર્ક, શેરી નં. ૪ મેઇન રોડ, આજી ડેમ ચોકડી પાસે, રાજકોટ ખાતે રાખેલ છે. (૨૨.૧૬)

હેમશંકરભાઈ દવે

રાજકોટઃ શ્રી ચા.મ.મોઢ બ્રાહ્મણ સરપદડ નિવાસી હેમશંકરભાઈ ઘેલારામ દવે તે સ્વ.મોહનલાલ ઘેલારામ દવેના નાનાભાઈ, સ્વ.શાંતિલાલ મોહનલાલ દવે તથા જગદિશચંદ્ર દવેના કાકા તેમજ સુરેષભાઈ, અશ્વિનભાઈ, દિલીપભાઈ તેમજ સ્વ.રંજનબેન રમેશચંદ્ર દવે અને સ્વ.શારદાબેન રમણીકલાલ દવેના પિતાશ્રી તથા છગનલાલ રામજી પંડયા વાંકાનેર વાળાના જમાઈનું તા.૭ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું / બેસણું (ટેલીફોનીક) તા.૧૧ને સોમવારના સાંજે ૩ થી ૫ પ્રગટેશ્વર મહાદેવ મંદિર સરપદડ મુકામે રાખેલ છે. સુરેષભાઈ મો.૯૭૧૪૯ ૫૧૫૧૮, અશ્વિનભાઈ મો.૯૯૭૪૭ ૩૪૧૭૨, દિલીપભાઈ મો.૯૭૧૪૫ ૦૨૬૭૦ (૩૦.૨)

કિશોરભાઈ ભટ્ટ

રાજકોટઃ કિશોરભાઈ ડાયાલાલ ભટ્ટ (ઉ.વ.૬૫) તે વિશાલભાઈ, જયદીપભાઈ, હેમંતભાઈ, કીર્તીભાઈના પિતાશ્રીનું તા.૭ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૧ સોમવારના રોજ સાંજે ૪ થી ૬  રાખેલ છે. તેમના નિવાસસ્થાન મહિકા મેઈન રોડ, ગોકુલ પાર્ક, બ્લોક નં.સી / ૩૩ રાજકોટ ખાતે રાખેલ છે. જયદીપભાઈ મો.૯૨૬૫૩ ૩૭૭૯૦