Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022
જાણીતા તબીબ ડો. જે. જે. કાછેલાનું દુઃખદ અવસાન : શુક્રવારે પ્રાર્થના સભા

રાજકોટ : જાણીતા તબીબ ડો. જે. જે. કાછેલા (ઉ.વ.૮૦) નું તા. ૮ ના અવસાન થયેલ છે. તેઓ સ્‍વ. જમનાદાસ કચરાભાઇ કાછેલાના પુત્ર, સ્‍વ. છગનલાલ પોપટભાઇ કોકટના જમાઇ, જયોતિબેન કાછેલાના પતિ, સ્‍વ. પ્રભુદાસભાઇ, ધીરૂભાઇ, નવિનભાઇ, અશોકભાઇ, મુકુંદભાઇ, કૈલાશબેનના ભાઇ તેમજ ડો. નિશીતભાઇ, કૃણાલભાઇ અને રીટાબેનના પિતાશ્રી તેમજ ડો. સમીરભાઇ વી. નંદાણીના સસરા થતા હતા. મુંબઇ યુનિવર્સિટીમાં સ્‍નાતક થયેલા અને છેલ્લા ૫૦ વર્ષથી રાજકોટમાં જંકશન પ્‍લોટ મેઇન રોડ ખાતે તબીબી પ્રેકટીસ ધરાવતા ડો. જે. જે. કાછેલા સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. સદ્દગતની પ્રાર્થનાસભા તા. ૧૨ ના શુક્રવારે સાંજે ૪ થી ૫.૩૦ બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિર, પોડીયમ હોલ, મહિલા કોલેજ પાસે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. (મો.૯૮૨૪૪ ૪૮૯૮૯)

અવસાન નોંધ

સવિતાબેન ગોહીલ

જેતલસર : જેતપુર નિવાસી સ્‍વ. બહાદુરસિંહ રામસિંહ ગોહીલ (નિવૃત રેલ્‍વે કર્મચારી)ના ધર્મપત્‍ની સવિતાબેન (ઉ.૭પ) તે સ્‍વ. દિલીપસિંહ, વિરેન્‍દ્રસિંહ, યોગેન્‍દ્રસિંહ, નરવીરસિંહના માતુશ્રીનું તા. ૭ ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૧ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, તેમના નિવાસ સ્‍થાન, જુના પાંચપીપળા રોડ, ચાણકય સ્‍કુલની બાજુમાં, કમાલ કૃપા, જેતપુર રાખેલ છે.

સમજુબેન કંટારીયા

રાજકોટ : વલ્લભભાઇ ભીખાભાઇ કંટારીયાના ધર્મપત્‍ની સમજુબેન વલ્લભભાઇ કંટારીયા (ઉ.૭પ) તે સ્‍વ. મુળજીભાઇ, ભીખાભાઇ ત્‍થા હરજીભાઇ ભીખાભાઇના ભાભી ત્‍થા રવજીભાઇ, વિઠ્ઠલભાઇ, કાન્‍તીભાઇ, નટુભાઇ, ધીરજભાઇ અને રણજીતભાઇના માતુશ્રીનું તા. ૭ ના અવસાન થયેલ છે. બેસણું તા. ૧૧ ગુરૂવારે સાંજે ૪ થી ૬ નિવાસ સ્‍થાને રાખેલ છે.

ભુપતરાય વ્‍યાસ

જુનાગઢ : તળાજાના તણસા નિવાસી હાલ ઠળીયા સ્‍વ. નાગરદાસ અંબાશંકર વ્‍યાસના પુત્ર ભુપતરાય (ઉ.વ.૮પ) તે સ્‍વ. ઇન્‍દુભાઇ, સ્‍વ. જિતેન્‍દ્રભાઇ, સ્‍વ. કુંદનબેન તથા સ્‍વ. ચંદ્રીકાબેનના મોટા ભાઇ તથા સુરેશભાઇ (રીટા. પી. આઇ. વેરાવળ), રાજૂભાઇ વ્‍યાસ (નિવૃત એસઓજી જુનાગઢ) ભરતભાઇ (રાજકોટ), હિમાંશુભાઇ (કુકસવાડા), સમીર વ્‍યાસ (જજ તાપી વ્‍યારા), સ્‍વ. તુષારભાઇ, ધવલભાઇ, જીજ્ઞેશભાઇ, પંકજભાઇ, નરેન્‍દ્રભાઇ, કપિલભાઇ, નયનાબેન, સોનલબેનના મોટા બાપુજી તેમજ બાલાશંકર તથા ગુણવંતરાય ગૌરીશંકર પંડયાના ભાણેજનું તા. ૮ ના રોજ અવસાન થયું છે. તેમની સાદડી તા. ૧૧ ને ગુરૂવારના રોજ બપોરે ૩ થી પ કલાકે નિવાસસ્‍થાને રાખેલ છે.

શાંતાબેન ભટ્ટ

મોરબી : મુળ બગથળા (મોરબી) હાલ અમદાવાદ ગં. સ્‍વ. શાંતાબેન જશવંતરાય (ભીખુભાઇ) ભટ્ટ (ઉ.વ.૮પ) તે રાજૂભાઇ જે. ભટ્ટ (રાજકોટ), હરેશભાઇ જે. ભટ્ટ (પીઆઇ-નડીયાદ) અને જયોતિબેન ગજેન્‍દ્રકુમાર પંચોલીના માતુશ્રી તા. ૬ ના કૈલાસવાસ પામેલ છે. બેસણું તા. ૧ર ને શુક્રવારે સવારે ૯.૩૦ થી ૧૧-૩૦ પીઆઇ હરેશભાઇ ભટ્ટના નિવાસસ્‍થાન રર-રાધે ડુપ્‍લેક્ષ બરોડા એકસપ્રેસ હાઇવેની પાસે, ન્‍યુ મણીનગર રોડ, અમદાવાદ ખાતે તેમજ ટેલીફોનીક બેસણું તા. ૧ર ના સવારે ૧૧.૩૦ થી ૧ર.૩૦ રાજૂભાઇ (મો. ૮૭પ૮૦ ૧૪ર૩ર), હરેશભાઇ (મો. ૯૪ર૮૪ ૬ર૭૩૯) રાખેલ છે.