Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021
અવસાન નોંધ

ઉના ટુ-ડેના તંત્રી રામભાઇ વાઘેલાના માતુશ્રીનું અવસાન

ઉનાઃ ગીર-ગઢડા નિવાસી મોંઘીબેન ટપુભાઇ વાઘેલા (ઉ.વ.૯૪) તે રામભાઇ ટી. વાઘેલા તંત્રીશ્રી ઉના ટૂડે સાપ્તાહિક ત્થા ગોવિંદભાઇ વાઘેલા (જાઝીયા) ત્થા સ્વ. કાથડભાઇ વાઘેલાના માતુશ્રીનું તા. ૭ બુધવારના રોજ કૈલાસવાસી થયેલ છે. બેસણું (સાદડી) રામભાઇ વાઘેલાના નિવાસ સ્થાન ગીર-ગઢડા ખાતે રાખેલ છે.

ચંપાબેન પીઠવા

રાજકોટ : મુળ જામખંભાળીયા હાલ રાજકોટ સ્થિત ચંદુલાલ જીવણલાલ પીઠવાના ધર્મપત્ની ચંપાબેન (ઉ.વ.૭૪) તે દિપકભાઇ, પ્રફુલાબેન, સ્વ. દક્ષાબેન તથા નીતાબેનના માતુશ્રી તથા અક્ષય, શિવાંગી, શ્યામના દાદીમા થાય છે. તેમજ ક્રિષ્ના પ્રિન્ટર્સ ખંભાળીયાવાળા હરસુખલાલના ભાભી તા. ૮ ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલિફોનીક બેસણું તા. ૧૦ ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. દિપકભાઇ મો. ૯૯રપ૭ ૭૩પરપ તેમજ પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. પરેશભાઇ મો. ૯૮ર૪ર ૧૬૧૦૦

કુંદનબેન દવે

પ્રભાસ પાટણ : સોમનાથ તિરથ પુરોહીત શરી સોમપુરા બ્રાહ્મણ સમાજનાં ગં. સ્વ. કુંદનબેન જયસુખલાલ દવે (ઉ.વ.૯ર) તે બકુલભાઇ, જયેશભાઇ, તથા જશ્મિનભાઇ દવે (સુંદરકાંડ વકતા)ના માતુશ્રીનું તા. ૮ ને ગુરૂવારના અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા. ૯ ને શુક્રવારના રોજ સાંજના ૪ થી ૬ શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજની વાડી (બ્રહ્મપુરી) પ્રભાસ પાટણ ખાતે રાખેલ છે.

અતુલભાઇ રાજપરા

રાજકોટ : સ્વ. ડો. રજનીભાઇ હરીભાઇ ગેરીયાના જમાઇ તથા સિધ્ધાર્થ રજનીભાઇ ગેરીયાના બનેવી અતુલકુમાર જનકભાઇ રાજપરાનું રાજકોટ મુકામે અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું ધોરાજી મુકામે તા. ૧૦ શનીવારે ે સવારે ૧૦ થી ૧૧-૩૦ રાખેલ છે. દિલીપભાઇ ૯૮ર૪ર ર૪૧૩૪૭, સિધ્ધાર્થ ૬૩પ૪૧ ૮ર૬૦૧

ભાવેશભાઈ ચોટાઈ

રાજકોટઃ સ્વ.સૂર્યકાન્તભાઈ મુળજીભાઈ ચોટાઈના પુત્ર સ્વ.ભાવેશભાઈ ચોટાઈ (ઉ.વ.૫૦) તે ક્રૃષાંક અને નેવીલના પિતાશ્રી, દક્ષાબેન દક્ષીણી, પન્નાબેન સેજપાલ, અંજુબેન પાઉંના ભાઈ, રમેશભાઈ જસાણીના બનેવી તા.૮ને ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૦ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. શ્વસુર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે. ક્રૃષાંક ચોટાઈ મો.૭૯૮૬૨ ૬૨૪૫૧, નેવીલ ચોટાઈ મો.૮૫૧૧૨ ૫૦૧૮૦, રમેશભાઇ જસાણી મો.૯૮૨૫૧ ૭૬૭૭૮

વજીબેન મારડીયા

રાજકોટઃ સ્વ. વજીબેન પોપટભાઇ મારડીયા (ઉ.વ.૯૫ વર્ષ) લાઠ (હાલ રાજકોટ) તે હેમતભાઇ (પોસ્ટ ઓફીસ) તેમજ જીતેન્દ્રભાઇ (શિક્ષક)ના માતુશ્રી તા.૮ને ગુરૂવારના રોજ સ્વર્ગવાસ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું  તા.૧૦ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. હેમતભાઇ ૭૩૮૩૭૩૫૩૨૮, જીતુભાઇ ૭૦૧૬૨ ૮૮૬૫૫

નટવરલાલ ભગલાણી

રાજકોટઃ નટવરલાલ નારણદાસ ભગલાણી તે સ્વ. શાંતિલાલ સ્વ. કનુભાઇ સ્વ.દલસુખભાઇ તથા મનસુખભાઇ (મનુભાઇ)ના ભાઇ તે જગદીશભાઇ લખલાણી (મોરબીવાળા) સસરા તથા દિપકભાઇ તથા રશ્મિનભાઇના પિતા તથા મુકેશભાઇ પિંગલ (મોરબીવાળા)ના બનેવીનું તા.૮ને ગુરૂવારે રાજકોટ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧૦નેે શનિવારે સાંજે ૪ થી ૬ તેેમના નિવાસ સ્થાને રાખેલ છે. પાવન રેસીડેન્સી મોરબી રોડ સેટેલાઇટ ચોક રાજકોટ, રશ્મિનભાઇ ૯૯૧૩૨ ૫૩૯૯૧, રાજુભાઇ આરટીઓ ૯૮૨૫૬ ૦૭૦૯૧, હસુભાઇ આરટીઓ ૯૭૨૪૧ ૧૭૨૭૯