Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019
અવસાન નોંધ

શશીકલાબેન પાઠક

રાજકોટઃ સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મૂ. લાઠ હાલ રાજકોટ નિવાસી બિપીનચંદ્ર ગોરધનદાસ પાઠકના ધર્મપત્ની શશીકલાબેન બિપીનચંદ્ર પાઠક (ઉ.વ.૭૩) તે જેતલસર નિવાસી સ્વ.ફુલશંકર નાનજી ભટ્ટના દિકરી તથા પૂનમબેન  તથા સર્મિષ્ટાબેન અમિતભાઇ તથા પરેશભાઇના માતુશ્રી તેમજ સ્વ.જગદિશભાઇ તથા દિનેશભાઇ ભટ્ટના મોટાબેન તા.૭ના સ્વર્ગવાસી થયેલ છે. તેમનું બેસણું તા.૧૧ના ગુરૂવારે તેમજ પિયરપક્ષની સાદડી સાંજે ૪ થી ૬ શ્રીનગર શેરી નં.૬, ગુણેશ્વર મહાદેવના મંદિરે રાખેલ છે.

બેચરભાઇ ઝાલાવાડીયા

રાજકોટઃ બેચરભાઇ લવજીભાઇ ઝાલાવડીયા તે ભીખાભાઇ લવજીભાઇ ઝાલાવાડીયાના મોટાભાઇ તથા મનસુખભાઇ, ભરતભાઇ, રમેશભાઇ, દિનેશભાઇ, મુકેશભાઇના પિતાશ્રી તથા ચંદ્રકાન્ત ભીખાભાઇ ઝાલાવાડિયા ધીરજભાઇના બાપુજીનું તા.૮ના અવસાન થયેલ છે.

લીલાબેન મહેતા

રાજકોટઃ ગુંદા (આણંદપુર) નિવાસી હાલ રાજકોટ (કાઠી) રાજગોર મહેતા જયંતિભાઇ દેવજીભાઇના ધર્મપત્ની લીલાબેન (ઉ.વ.પ૭) તા.૭ના કૈલાસવાસ થયા છે. તેમનું બેસણું તા.૧૧ના ગુરૂવારે ૪ થી ૬, હુડકો કવાટર સી-૩૧૬ કોઠારીયા રોડ ખાતે રાખેલ છે.

શાંતાબેન ગોસ્વામી

મોરબી : શાંતાબેન પ્રભાતગીરી ગોસ્વામી (ઉ.૧૦૮) તા. ૮ ના રોજ કૈલાશવાસ થયેલ છે. બેસણુ તા. ૧ર ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે શકત સનાળા મંદિર, શનાળા ગામ મોરબી ખાતે રાખેલ છે.

પારૂલબેન

રાજકોટઃ મચ્છુ કઠીયા સઈ સુથાર જ્ઞાતિના સ્વ.મીસ્ત્રી મોહનલાલ શામજી પીઠડીયાના દિકરા સ્વ.પ્રભુદાસભાઈ, સ્વ.કાંતીભાઈ, સ્વ.ચુનીભાઈ, સ્વ.શીવાભાઈ, સ્વ.ચંદુભાઈ, સ્વ.ગીરીશભાઈના ભાઈ હસમુખભાઈ (પી.પી.એમ એન્ડ બ્રધર્સ કેનાલરોડવાળા)ના પત્ની તથા પીકેશભાઈ, રચનાબેન (મુંબઈ)ના માતા તથા સેજલબેન, અમીષકુમારના સાસુ તથા દેવ, અનીકાના દાદી તથા આર્યનના નાની, પારૂલબેન (ઉ.વ.૬૭)નું તા.૮ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું ગુરૂવારને તા.૧૧ના રોજ સાંજે ૫ થી ૬ વાગ્યે મેઘાણી રંગભવન, ભકિતનગર સર્કલ, રાજકોટ ખાતે રાખેલ છે.

રમણીકલાલ ભટ્ટ

રાજકોટઃ રમણીકલાલ જાદવજી ભટ્ટ (મરમઠવાળા) (ઉ.વ.૮૨) (હાલ રાજકોટ) તે અંબિકા ઈવેન્ટવાળા કૌશિકભાઈના પિતાશ્રી તથા વિનોદકુમાર હરિલાલ મહેતા (જેતપુર), હિતેષકુમાર કાંતિલાલ ભટ્ટ (માધવપુર) તથા મિલનકુમાર, પ્રફુલચંદ્ર રાવલ (રાજકોટ)ના સસરાનું તા.૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમની ઉત્તરક્રિયા વડોદરા મુકામે રાખેલ છે.