Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018
અવસાન નોંધ

જુબેદાબેન વજીહી

રાજકોટઃ જુબેદાબેન મુ. અબ્દુલહુશેન વજીહી તે સજ્જાદભાઇ જાફરજી જોડીયાવાલાના બૈરો તથા અલીભાઇ જોડીયાવાલા, જુજરભાઇ જોડીયાવાલા અને ફરીદાબેનના માતા તથા જાહીરભાઇ, રૂબાબબેન તેમજ ફરીદાબેનના બહેન તા. ૯/ના રાજકોટ મુકામે ગુજરી ગયા છે. તેમના જીયારતના સિપારા ૧૧ના બુધવારે ઝોહર અસરની નમાજ બાદ મવાઇ બેડીપરા રાજકોટ ખાતે મરદો અને બૈરાઓના સાથે રાખેલ છે.

લીલાવંતીબેન સોમૈયા

રાજકોટઃ લીલાવંતીબેન મોહનલાલ સોમૈયા તે સ્વ. મોહનલાલ મંગળજી સૌમેયાના પત્નિ તથા કલ્યાણજી મેઘજી ભોજાણી (આમરણવાળા) ના પુત્રી તથા ચંદ્રકાંત પરસોતમ કોટક (સિંચાઇ ખાતુ)ના સાસુ તેમજ સ્વ. મુકતાબેન, હંસાબેન (રાષ્ટ્રીય શાળાવાળા), ભાનુબેનના માતુશ્રીનું તા.૯ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તેમજ પિયરપક્ષની સાદડી તા.૯ને સોમવારના રોજ સાંજે ૫ કલાકે યોગેશ્વર મહાદેવ મંદીર, રીલીફનગર, સામાકાંઠે, મોરબી મુકામે રાખેલ છે.

ગોરધનદાસ અભાણી

કોડીનારઃ લોહાણા મહાજન ગોરધનદાસ જમનાદાસ અભાણી (ઉ.વ.પ૮) તે વિનુભાઇ (હોટલ ક્રિષ્ના પાર્ક)ના મોટાભાઇ તથા કાજલબેન મૌલીનકુમાર ઉનડકટના પિતાશ્રી તેમજ પ્રિયાંક (પીન્ટુ)ના મોટાબાપુજી તેમજ વિજયકુમાર મોહનલાલ તન્ના (એસ.બી.આઇ. અમરેલી)ના બનેવીનું તા.૬ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તેમજ પિયર પક્ષની સાદડી તા.૯ને સોમવારે સાંજે ૪ થી ૬, લોહાણા મહાજનવાડી કોડીનાર ખાતે રાખેલ છે.

જતિનભાઇ મહેતા

રાજુલાઃ જતિનભાઇ ભરતભાઇ મહેતા (મહેતા પ્રિન્ટીંગ પ્રેસ) (ઉ.વ.ર૬) તે બાબાશંકરભાઇના પૌત્ર તથા સ્મીતાબેન વીરેન્દ્રકુમાર દવે તેમજ નિતીનભાઇ તેમજ સ્વ.તુષારભાઇના ભત્રીજા તેમજ અતુલભાઇ તથા ઉપેનભાઇના ભાણેજનું તા.૭ને શનિવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૯ને સોમવારે, મનમંદિર ૩, બ્લોક નં. ૯૪, છતડિયા રોડ ખાતે સાંજના ૪ થી ૬ રાખેલ છે.

કિશનભાઇ ગઢિયા

મોટી કુંકાવાવઃ હાલ સુરત દિલિપભાઇ નટવરલાલ ગઢીયાના પુત્ર કિશનભાઇ (ઉ.વ.ર૦) તે રાજેશભાઇ ગઢીયા (કુંકાવાવ મોટી)ના ભત્રીજાનું તા.૭ના સુરતમાં અવસાન થયેલ છે. બેસણું મોટી કુંકાવાવમાં તા.૯ને સોમવારે સાંજે ૪ થી ૬, લોહાણા મહાજનવાડી ખાતે રાખેલ છે.

રતિલાલભાઇ દોશી

ગોંડલ : સ્થાનકવાસી જૈન રતિલાલભાઇ બાબુલાલ દોશી (ઉ.વ.૭૮) તે ચંદ્રકાંતભાઇ, દિલીપભાઇના મોટા ભાઇ, વિશાલ તથા નીરવના ભાઇજી, પ્રેમીલાબેન બટુકભાઇ દેસાઇ, હંસાબેન જયવંતભાઇ શાહ, પૂનમબેન શરદભાઇ બખાડાના મોટાભાઇનું તા. ૬ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૯ સવારે ૧૦ કલાકે સ્ટેશન પ્લોટ, પૂંજાણી ઉપાશ્રય ગોંડલ ખાતે રાખેલ છે.

વ્રજલાલભાઇ મકવાણા

ગોંડલ : સ્વ.મગનલાલ દેવરાજ મકવાણાના પુત્ર વ્રજલાલ મગનલાલ મકવાણા (ઉ.૭પ) તે સ્વ. અમૃતલાલ, અનંતરાય, હસમુખલાલ, સ્વ. મનસુખલાલ, જગદીશભાઇ, નવનીતભાઇના ભાઇ તથા અશોકભાઇ, કિશોરભાઇ, અતુલભાઇ, અમિતભાઇ, તેમજ દીકરી નિલાબેન પ્રદીપકુમાર વાળાના પિતાશ્રી તા.૭ ને શનિવારે શ્રીજીચરણ પામેલ છે. સદગતનું બેસણું તા. ૯ ને સોમવારે સાંજના ૪ થી ૬, સોરઠીયા લુહાર વાડી (વિઠ્ઠલવાડી) સાઇડિંગ પાસે, રોયલ પાર્ટી પ્લોટની બાજુમાં ભોજરાજપરા ૩/ર૦ ગોંડલ ખાતે રાખેલ છે.

મેઘજીભાઈ નંદવાણા

ઉનાઃ જૂના ઉગલા ગામના મેઘજીભાઈ કરશનભાઈ નંદવાણા (ઉ.વ.૭૫) તે કિશોરભાઈ, સુખલાલભાઈના પિતાશ્રી તથા શાંતીભાઈ, જયંતિભાઈ (નિવૃત આચાર્ય ધોકડવા માધ્યમિક શાળા), મગનભાઈ, દિલીપભાઈ (મેનેજર ડી.એમ.સી. ગોવા)ના મોટા ભાઈ તા. ૬ ના રોજ અવસાન પામેલ છે. બેસણુ તેમના નિવાસ સ્થાન જૂના ઉગલામાં રાખેલ છે.

સુભાષભાઈ ધુલીયા

રાજકોટ : સુભાષભાઈ છગનભાઈ ધુલીયા (ગીમટાવાળા) (ઉ.વ.૬૬) રાજકોટનું તા.૭ના દુઃખદ અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ને સોમવારે સાંજે ૪ થી ૫ વાગ્યે સાધુ વાસવાણી માર્ગ, જનકપુરી મહાદેવ મંદિરે રાખેલ છે.

પરમાનંદ હરખાણી

રાજકોટ : કરાંચીવાળા પરમાનંદ રામચંદ્ર હરખાણી (ઉ.વ.૮૭) (નિવૃત એ.જી. ઓફીસ) તે સ્વ.અનિલ, જયેન્દ્ર હરખાણી (સિનીયર એડીટર એ.જી. ઓફીસ) ભરતભાઈ હરખાણી (ફોટોગ્રાફર), વર્ષાબેન અને બીનાબેનના પિતા તથા આનંદ હરખાણી (એ.જી.ઓફીસ)ના દાદા તેમજ સ્વ.કાંતિલાલ સ્વ.પ્રભુદાસભાઈ અને સ્વ.સુભાષભાઈ અને સ્વ.શારદાબેન રવેશીયા (મોરબી)ના ભાઈ તથા કિશોરભાઈ રાચ્છ (નિવૃત ડી.એસ.પી.  ઓફીસ) અને જયંતભાઈ કેશરીયાના સસરા તા.૮ના રવિવારના કૈલાશધામ સીધાવેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૯ને સોમવારે સાંજે ૫ કલાકે પંચનાથ મંદિર રાજકોટ ખાતે રાખેલ છે.

સુખાભાઇ પાનસુરીયા

ગોંડલઃ નવી મેંગણી (તા.ગોંડલ) નિવાસી સુખાભાઇ કચરાભાઇ પાનસુરીયા તે હરીભાઇ સ્વ.વલ્લભભાઇ તથા વિજયભાઇના પિતાશ્રી તથા રોહીતભાઇ, વિમલભાઇ, સતીશભાઇ, મોહીતભાઇ તથા ધવલભાઇના દાદાનું તા. પ ના રોજ અવસાન થયેલ છે.

શામદાસભાઇ કોટક

ગોંડલઃ શામદાસભાઇ પેશુમલ કોટક (ઉ.વ.૮ર) તે ગ્યાનચંદ ભીષ્મકુમાર, દેવીદાસ, ચંદ્રેશકુમાર, નરોતમ તથા જીતેન્દ્રના પિતાશ્રી તથા કમલ, વિમલ, નિલેશ, યશ, જય તથા ઋષભના દાદા શ્રી તેમજ મોહનભાઇ સોનૈયા, પિતામ્બરભાઇ સોનૈયા, આસનદાસ સોનૈયા, હરીભાઇ સોનૈયા, ખુશાલભાઇ સોનૈયા, ઇશ્વરભાઇ સોનૈયાના બનેવીનું તા. ૭ ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. બેસણું તા. ૯ ને સોમવારે સિંધુભવન, મહાદેવવાડી-૬ ખાતે સાંજે ૪ થી ૬ કલાકે ગોંડલ ખાતે રાખવામાં આવેલ છે.

લીલાવંતીબેન સોમૈયા

મોરબીઃ લીલાવંતીબહેન મોહનલાલ સોમૈયા તે સ્વ.મોહનલાલ મંગળજી સોમૈયાના પત્ની તથા કલ્યાણજીભાઇ, મેઘજીભાઇ ભોજાણી (આમરણ વાળા) ના પુત્રી, ચંદ્રકાંતભાઇ પરસોતમ કોટક (સિંચાઇ ખાતુ) ના સાસું અને સ્વ.મુકતાબહેન, હંસાબહેન (રાષ્ટ્રીય શાળા વાળા), ભાનુબહેનના માતાનું તા. ૯ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું અને પિયરપક્ષની સાદડી તા. ૯ ને સોમવારે સાંજે પ કલાકે યોગેશ્વર મહાદેવ મંદિર રીલીફનગર સામાકાંઠે રાખેલ છે.

વજીબેન રાખોલીયા

ગોંડલઃ વજીબેન હીરાભાઇ રાખોલીયા (ઉ.વ.૮પ) તે બાલાભાઇ, પ્રવિણભાઇ તથા શૈલેષભાઇના માતા તા. ૮ ના અવસાન થયેલ છે. બેસણું તા. ૯ ના રોજ તેમના નિવાસસ્થાન ભવનાથ ર, શેરી નંબર ૭ ગોંડલ ખાતે રાખેલ છે.

મેઘજીભાઈ નંદવાણા

ઉનાઃ જૂના ઉગલા ગામના મેઘજીભાઈ કરશનભાઈ નંદવાણા (ઉ.વ.૭૫) તે કિશોરભાઈ, સુખલાલભાઈના પિતાશ્રી તથા શાંતીભાઈ, જયંતિભાઈ (નિવૃત આચાર્ય ધોકડવા માધ્યમિક શાળા), મગનભાઈ, દિલીપભાઈ (મેનેજર ડી.એમ.સી. ગોવા)ના મોટા ભાઈ તા. ૬ ના રોજ અવસાન પામેલ છે. બેસણુ તેમના નિવાસ સ્થાન જૂના ઉગલામાં રાખેલ છે.