અવસાન નોંધ
ભાવનગરના પૂર્વ વિસ્તરણ અધિકારી રસિકલાલભાઈનું દુઃખદ અવસાન
ભાવનગરઃ નિવૃત વિસ્તરણ અધિકારી ખેતીવાડી વિભાગના રસિકલાલ ભટ્ટનું નિધન થતા શોકની લાગણી ફેલાય છે. વિરાણી પ્રા. શાળાના આચાર્ય પન્નાબેન ભટ્ટના પિતા રસિકભાઈએ ગઢડા તાલુકામાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવી હતી અને પોતાની નિષ્ઠા, પ્રામાણિકતા અને શિસ્તથી ભારે લોકચાહના મેળવેલી હતી. સાદડી તા. ૮મીએ શનિવારે સાંજે ૪ થી ૬ રામવાડી ખાતે રાખેલ છે.
રાવકીના યોગેશભાઇ ગીરજાશંકર જોષીનું દુઃખદ અવસાન
રાવકી : લોધીકાના રાવકી ગામના હરીશભાઇ ગીરજાશંકર જોષીના નાનાભાઇ અને કાર્તિકના પિતાશ્રી યોગેશભાઇ ગીરજાશંકર જોષી (ઉ.૪૮) નું તા. ૭-૧ર-૧૮ ને શુક્રવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણુ તા. ૯-૧ર-૧૮ ને રવિવારે સાંજના ૪ થી ૬ હરીશભાઇ ગીરજાશંકરભાઇ જોષી તા. લોધીકા, રાવકી ખાતે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.
ન્યુઝપેપર એજન્ટ છગનભાઈ અઢીયાના પુત્રનું અવસાન
રાજકોટઃ કરાંચીવાળા છગનભાઈ ધારશીભાઈ અઢિયા (ન્યૂઝ પેપર એજન્ટના) પુત્ર સુરેશભાઈ (ઉ.વ.૬૧) તે પંકજભાઈના મોટાભાઈ, ભાવના, મૌસમી, મીરા તેમજ ભાર્ગવના પિતાશ્રી અને સ્વ.નટવરલાલ, સુભાષકુમાર, રમેશકુમાર, તેમજ સ્વ.ચંદ્રકાન્તના સાળા અને મિતેષકુમાર, નિકુંજકુમારના સસરા અને સ્વ.જયંતિલાલ નારણદાસ પોપટનાં જમાઈનું તા.૭ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તેમજ સસરાપક્ષની સાદડી તા.૧૦ સોમવાર, સાંજે ૫ કલાકે જંકશન પ્લોટ કો- ઓપરેટીવ સોસાયટી મેઈન રોડ, ગૌરેશ્વર મહાદેવ મંદીર ખાતે રાખેલ છે.
તારાબેન ઠાકર
રાજકોટઃ મુળ વિસાવદર હાલ રાજકોટ નિવાસી ગં.સ્વ.તારાબેન (ઉ.વ.૯૩) તે સ્વ.જયંતિલાલ દામોદર ઠાકરના ધર્મપત્ની તથા વિજયભાઈ, બિપીનભાઈ અને કિરીટભાઈના માતુશ્રી તેમજ આશિષ, મૃગેશના દાદીશ્રી તા.૬ ગુરૂવારના રોજ કૈલાશ નિવાસી થયેલ છે. તેમનું બેસણું તા.૧૦ સોમવારે સાંજે ૪ થી ૫:૩૦ કલાક દરમ્યાન શ્રી જાગનાથ મહાદેવ મંદિર, યાજ્ઞિક રોડ, રાજકોટ મુકામે રાખેલ છે.
હરીશભાઈ ચાવડીયા
રાજકોટઃ હરીશભાઈ જીણાભાઈ ચાવડીયા (કરણપરાવાળા ભગત) (ઉ.વ.૮૮) તે પાળ ઠાકર મંદિરના મહંત તથા અનિલભાઈ, વિક્રમભાઈ, જયેશભાઈના પિતાશ્રીનું તા.૭ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
હરવિજયસિંહ ઝાલા
રાજકોટઃ સ્વ. ઝાલા હરવિજયસિંહ (હરૂભા) રામસિંહ (ગામ-મિણાપુર હાલ-- રાજકોટ)નું દુઃખદ અવસાન તા.૭ના રોજ થયેલ છે તેઓનુ બેસણું તા.૧૦ના સોમવારે ક્ષત્રિય સમાજની વાડી ઝુલેલાલ મંદિરની શેરી, સાગર ચોક દુધસાગર ખાતે સાંજે ૪ થી ૬ તેમજ ઉતરક્રિયા તા.૧૩ના ગુરૂવારે રાખેલ છે.
નટવરલાલ પડીયા
રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય સ્વ. ગીરધરલાલ નારણદાસ પડીયાના જયેષ્ઠ પુત્ર નટવરલાલ ગીરધરલાલ પડીયા (ઉ.વ.૭૧) તે લલીતભાઇ તથા હસુભાઇના મોટાભાઇ તેમજ હિતેષ, મુકુન્દ અને કૌશીકના પિતાશ્રી તે ચંપકલાલ નરસીદાસ છાંટાબારના જમાઇ તા.૮ નેે શનિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું સોમવારે સવારે ૧૦ વાગ્યે શીતળા માતાના મંદિરે, પટેલ વાડી સામે ભાવનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
સંતોકબેન રૂપાપરા
વડાલઃ કાથરોટા નિવાસી સંતોકબેન ભગવાનજીભાઈ રૂપાપરા (ઉ.વ. ૮૭) તેઓ ભગવાનજીભાઈ વશરામભાઈ રૂપાપરાના પત્ની તથા ચંદુભાઈ રૂપાપરાના માતુશ્રી તેમજ મનોજભાઈ રૂપાપરા (મહાનગરપાલિકા-જૂનાગઢ)ના દાદીમાંનું તા. ૭ના રોજ અવસાન થયેલ છે.
મંજુલાબેન ડોડીયા
બગસરાઃ લુહાર મંજુલાબેન જીવનભાઈ ડોડીયા (ઉ.વ.૭૨) તે રાજુભાઈ (પોસ્ટ ઓફિસ)ના માતુશ્રીનું તા. ૭ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૮ ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને બગસરા રાખેલ છે.
કૈલાશચંદ્ર રાઠોડ
ગોંડલઃ કૈલાશચંદ્ર લલુરામ રાઠોડ (ઉ.વ. ૭૮, રી. રેલવે) તે મુકેશભાઈ (જીઈબી) રાજકોટ, જીતુભાઈ, મીનાબેન તેમજ લતાબેનના પિતાશ્રીનું તા. ૭ના શુક્રવારે અવસાન થયેલ છે. બેસણું સોમવારે તા. ૧૦ના ૪ થી ૫ રામનાથ મહાદેવ મંદિર, ચોકસીનગર, ગોંડલ રાખેલ છે.
સવિતાબેન ઇન્દ્રાણા
મોરબીઃ ખોડાપીર ગામના નિવાસી સવિતાબેન પ્રેમજીભાઇ ઇન્દ્રાણા (વ્યાસ) (ઉ.૮૧) તે ચંદ્રકાંત,દિલીપભાઇ અને કાળુભાઇના માતા અને કિશોર, મિલન, યશ તથા કશ્યપના દાદીનું તા.૬ને ગુરૂવારે અવસાન થયેલ છે. જેમનું બેસણું તા.૧૦ને સોમવારે ૩ થી પ તેમના નિવાસ સ્થાને ખોડાપીર ગામે રાખેલ છે.
શાંતિલાલ કોઠારી
જૂનાગઢ : સ્વ. મગનલાલ નેમચંદ કોઠારી (જોષીપુરા)ના સુપુત્ર શાંતિલાલ મગનલાલ કોઠારી (ઉ.વ.૭૭) તે સ્વ. હરસુખલાલ,સ્વ. ચંદુભાઇ, હરેશભાઇ, ઇશ્વરભાઇ, રતિલાલ, શારદાબેન તથા ગુલાબબેનના મોટાભાઇ તેમજ શૈલેષભાઇ (બસએસએનએલવાળા) કેતનભાઇ તથા અતુલભાઇ(અરિહંત ઓફસેટવાળા)ના પિતાશ્રી તા.૫-૧૨-૧૮ના રોજ અરિહંત શરણ પામેલ છે. તા.૮-૧૨-૧૮ને શનિવારે સવારે ૧૦ કલાકે ઉઠમણું તથા ૧૧ કલાકે પ્રાર્થના સભા ઉમીયા સોસાયટી ઉપાશ્રય, ગિરીરાજ સોસાયટી પાસે, જૂનાગઢ મુકામે રાખવામાં આવેલ છે
રૂમાદેવી પરમાર
ગોંડલઃ રૂમાદેવી મહિપાલજી પરમાર (ઉ.વ.૭૫) તેઓ સ્વ. વિક્રમસિંહ પરમાર એડવોકેટના માતા તેમજ ઋષભરાજ પરમારના દાદીમાં તેમજ મનુભાઇ નાલબંધના બહેનનંુ તા.૭ના અવસાન થયેલ છે, બેસણું તા.૧૦ સોમવારે સાંજે ૪થી ૬ કલાકે રજપૂત સમાજની વાડી, સરવૈયા શેરી, ગોંડલ ખાતે રાખેલ છે.
વસુમતીબેન પંડયા
વડોદરા : વાલમ બ્રાહ્મણ મૂળ ગોંડલ હાલ વડોદરા નિવાસી વસુમતીબેન ઘનશ્યામભાઇ પંડયા (ઉ.વ.૮૬) તે સ્વ. ઘનશ્યામભાઇ પી. પંડયાના પત્ની, લીનાબેન યુ.એસ.એ., મયંકભાઇ જી.ઇ.બી. વડોદરા, કાજલબેન દિલ્હી અને ગૌરાંગભાઇ યુ.એસ.એ.ના માતાનું તા.૬ના રોજ દિલ્હી મુકામે અવસાન થયેલ છે.
તારાગોૈરી પાઠક
હળવદ : મુળ હળવદના હાલ ધ્રાંગધ્રા નિવાસી સ્વ.તારા ગોૈરી છેલશંકર પાઠક (ઉ.વ.૭૯) તે નરેન્દ્રભાઇ પાઠક, પંકજકુમાર પાઠક ના માતુશ્રી તથા ધ્રુવ પાઠકના દાદીનુૅ તા. ૬/૧૨/૧૮ ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. તેમન ું બેસણું તા.૮/૧૨ ને શનિવારના રોજ ઓૈદિચ્ય બ્રહ્મ સમાજની વાડી ધ્રાંગધ્રા ખાતે રાખેલ છે.
ભુપેન્દ્રભાઇ ભટ્ટ
રાજકોટઃ ઔ.ખ.સ. બ્રાહ્મણ ભુપેન્દ્રભાઇ શંકરલાલ ભટ્ટ (લંડન) તે સ્વ. શંકરલાલ દેવશંકર ભટ્ટના પુત્ર, મીનાબેનના પતિ તથા શ્રી ઇન્દ્રવદનભાઇ, મુકુંદભાઇ, સ્વ. પ્રદિપભાઇ, અજીતાબેન, સ્વ. નલીનીબેન અને પ્રતિભાબેનના ભાઇનું લંડન ખાતે અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું બેસણું તા.૧૦ના સોમવારના રોજ સાંજે ૫ થી ૬, આશુતોષ મહાદેવ મંદિર, કોટેચાનગર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
મધુરીકાબેન દોશી
રાજકોટઃ માંગરોળ નિવાસી સ્વ. ધીરજલાલ વખતચંદ દોશીના ધર્મપત્નિ મધુરીકાબેન દોશી ઉ.વ. ૮૨ જે અભયભાઇ, દિપકભાઇ (સન્મતી ફાઇલ), હેમલભાઇ (ઇન્કમટેકક્ષ ઓફિસર), સ્વ. સુરભીબેન રાજેન્દ્રભાઇ ધુલીયા, લીનાબેન દિપકભાઇ કામદાર, વત્સલાબેન કિરણભાઇ શાહ (મોરબી), ભકિતબેન અશોકભાઇ ગાંધીના માતુશ્રી, સ્વ. રશ્મિબેન, હિતાબેન, કાજલબેનનાં સાસુમા, સિધ્ધાંત, કરણ, નિધિના દાદીમાં જેઓ સ્વ. ગીરધરલાલ લીલાધરભાઇ ગાંધીના સુપુત્રી તેમજ સ્વ. અમીલાલભાઇ તથા સ્વ. નવિનભાઇ ગાંધીના બેન તા.૬ના રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા.૮ને શનિવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે નેમિનાથ-વિતરાગ જૈન ઉપાશ્રય, ગાંધીગ્રામ, નાણાવટી ચાર રસ્તા પાસે રાખેલ છે.
વિનોદભાઇ ભાડેશીયા
રાજકોટઃ ગુજજર સુથાર વિનોદભાઇ રૂગનાથભાઇ ભાડેશીયા (ગામ ખંઢેરી હાલ મુંબઇ દહીસર) તે જેરામભાઇ, શિવાભાઇ, નારણભાઇના ભત્રીજા તથા મોરારજીભાઇ ત્રિકમજીભાઇ વડગામા હડમતીયા વાળાના જમાઇનું બેસણું તા.૧૦ના રોજ સાંજે ૪ થી ૫:૩૦ ધારેશ્વર મંદિર ભકિતનગર સર્કલ પાસે રાજકોટ ખાતે રાખેલ છે.
રંભાબેન ગૌસ્વામી
રાજકોટઃ નંદાણા નિવાસી હાલ રાજકોટ અતિત બાવાજી સ્વ. જયરામગીરી વશરામગીરી ગૌસ્વામીના ધર્મપત્નિ રંભાબેન (ઉ.વ.૮૦) તા. ૫ને બુધવારના રોજ કૈલાસવાસ થયેલ છે. તે દરેન્દ્રગીરી, પ્રવીણગીરી તથા ભરતગીરીના માતુશ્રી છે તથા બેસણું તા.૧૦ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે '' સિધ્ધેશ્વર મહાદેવનું મંદિર રાધેડેરી પાછળ, રૈયા રોડ'' પર રાખેલ છે. મો.૮૨૦૦૭૫૦૨૨૧
હરજીવનભાઇ લાલ
લાલપુરઃ હરજીવનભાઇ રામજીભાઇ લાલ ઉ.વ.૭૯ તે અશ્વિનભાઇ લાલ આર.ટી.ઓ. વિમા એજન્ટ, માલતીબેન હસમુખલાલ કારીયા, દિપાબેન કિશોર કુમાર બરછા, કિરણબેન પંકજકુમાર દેસાઇના પિતાશ્રી તથા ઇલાબેન અશ્વિન લાલના સસરા તેમજ કરસનદાસ રાજીભાઇ લાલ (ફુલવાડી) જામખંભાળીયા વારાના નાનાભાઇ તેમજ હરિભાઇ રામજીભાઇ લાલનાં મોટાભાઇ, જયકિશનલાલ તથા બલરામ લાલનાં દાદા તા. ૭ને શુક્રવારે શ્રીજી ચરણ પામેલ છે. ઉઠમણું તા. ૧૦ને સોમવારે લાલપુર સહકાર પાર્ક, સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં 'હિરાબેન લાલ પ્રાર્થના હોલ'માં સાંજે ૪ થી ૪.૩૦ રાખેલ છે.
મગનલાલ પીઠડીયા
રાજકોટઃ મચ્છુ કડીયા સઈ સુથાર જ્ઞાતી દરજી મગનલાલ પરમાણંદભાઈ પીઠડીયા જેતપુરવાળા હાલ રાજકોટ તે સ્વ.રતીભાઈ, સ્વ.ખીમજીભાઈ, સ્વ.ચંદુભાઈના ભાઈ તેમજ સૈફાલી ટેઈલર વાળા ધીરેનભાઈ (રાજકોટ), મીનાબેન (આણંદ), કુસુમબેન (મુંબઈ) ના પિતાશ્રી (ઉ.વ.૮૪)નું દુઃખદ અવસાન તા.૭ને શુક્રવારના રોજ થયેલ છે. તેમનું બેસણું તા.૧૦ સોમવારે સાંજે ૪ થી ૬ અમરનાથ મહાદેવ મંદિર, ૩ જગન્નાથ પ્લોટ, કાલાવડ રોડ રાજકોટ સાંઈનગરની બાજુમાં રાખેલ છે.
પ્રવિણસિંહ ગોહિલ
રાજકોટઃ મુળ ભડલી હાલ રાજકોટ નિવાસી ગોહિલ પ્રવિણસિંહ જીલુભા (ઉ.વ.૭૦)નું દુઃખદ અવસાન તા.૭ને શુક્રવારના રોજ થયેલ છે. તે સ્વ.રાજેન્દ્રસિંહ તથા મહેન્દ્રસિંહ તથા વિરેન્દ્રસિંહ તથા સ્વ.મયુરસિંહના મોટા ભાઈ તથા સહદેવસિંહ તથા હરદેવસિંહના પિતાશ્રીનું બેસણુ તા.૧૦ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન ઉદય નગર ખાતે રાખેલ છે.