Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018
અવસાન નોંધ

જયાબેન શાંતિલાલ પારેખનું ૧૦૦ વર્ષની વયે નિધનઃ કાલે પ્રાર્થનાસભા

રાજકોટઃ ગં.સ્વ.જયાબેન શાંતિલાલ પારેખ (ઉ.વ.૧૦૦) તે સ્વ.જયંતિભાઈ (જમની વિકાસ બેંક), કિર્તિકુમાર (સરકારી પ્રેસ), દેવીયાનીબેન તથા જયોત્સનાબેનનાં માતુશ્રી તેમજ હિમાંશુભાઈ (વી જે ઈન્ફોસોફટ)નાં દાદીમા તા.૫નાં રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૮નાં સાંજે ૪ :૩૦ થી ૬ શ્રી ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ, રાજકોટ ખાતે રાખેલ છે.

ચંદુભાઈ અજાગીયા

રાજકોટ : ચંદુભાઈ નાનજીભાઈ અજાગીયા (ઉ.વ.૬૬) તે ધર્મેશભાઈ તથા શૈલેષભાઈના પિતાનું તા.૬ના રોજ અવસાન થયું છે. બેસણું તા.૮ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ સાગરનગર શેરી નં.૩ માર્કેટ યાર્ડ પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

શાંતાબેન પરમાર

રાજકોટ : શાંતાબેન બાબુભાઈ પરમાર તે પ્રવિણભાઈ ગોરધનભાઈ ગીરીશભાઈના બાનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૦ને સાંજે ૪ થી ૫ તેમના નિવાસસ્થાને ઢેબર કોલોની રાજકોટ ખાતે રાખેલ છે. (મો. ૯૯૨૪૮ ૬૫૪૨૫)

હેમીબેન રાખશીયા

રાજકોટ : વરીયા વંશ પ્રજાપતિ હેમીબેન માધવજીભાઈ રાખશીયા તે રજનીકાંત માધવજીભાઈ રાખશીયા તથા સરોજબેન જયસુખલાલ ટીંબલીયાના માતુશ્રી તથા અંકુર રજનીકાંત રાખશીયા (દુબઈ)ના દાદીમા તા.૫ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૦ના સોમવારના સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી ૭-અ ગીતાનગર ખાતે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

જયશ્રીબેન ગોસ્વામી

ગોંડલઃ જયશ્રીબેન બાબુગિરી ગોસ્વામી તે શૈલેષગીરી, અજયગીરી તથા મહેશગીરીના માતાનું તા.૩ના અવસાન થયેલ છે. શકિત પૂજન શંખ રોડ તા. ૧૩ના રાખવામાં આવે છે સ્થળ ભોજરાજપરા દોલત મિલ પાછળ પારસ રેસીડેન્સી પાસે ગોંડલ ખાતે રાખેલ છે

રાજુલાના આગેવાન વનાભાઈ મોચીનું નિધન

રાજુલાઃ અનેકવિધ સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા મૂળભૂત જનસંઘી વનમાળીભાઈ રામજીભાઈ સોંડાગર (વનાભાઈ મોચી) (ઉ.વ. ૭૫)નું તા. ૪ ના રોજ અવસાન થયુ છે. સદ્ગતની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં તમામ રાજકીય પક્ષોના આગેવાનો, અનેકવિધ સામાજીક સંસ્થાઓના મહાનુભાવો, વેપારી મિત્રો સહિતના મોટી સંખ્યામાં જોડાયા હતા. રાજુલાના માજી ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી શ્રી મધુભાઈ ભુવાએ વનાભાઈ સોંડાગરના નિધન અંગે ઘેરાશોકની લાગણી વ્યકત કરી હતી અને આજે સ્વ.ના પુત્ર કિશન સોંડાગરને તેમના નિવાસે રૂબરૂ મળી સાંત્વના પાઠવી હતી. વનાભાઈના નિધનથી રાજુલાએ એક હિંમતવાન આગેવાન ગુમાવ્યાની લાગણી અનુભવી હતી.

નંદલાલભાઇ ભુટક

અમરેલીઃ નંદલાલભાઇ ભાણજીભાઇ ભુટક (ઉ.વ.૭૭) તે અતુલભાઇ, પંકજભાઇના પિતાશ્રી તથા અંકિત, આનંદ અને વિશાલના દાદાનું તા. પના રોજ અવસાન થયેલ છે

પ્રિયમવદાબેન શેઠ

રાજકોટઃ સન્મુખરાય વ્રજલાલભાઈ શેઠના ધર્મપત્ની અ.સૌ.પ્રિયમવદાબેન સન્મુખરાય શેઠ (ઉ.વ.૮૩) તે સ્વ.રૂદ્રનાથભાઈ લીલાધરભાઈ અજમેરાના પુત્રી, વિમલ સન્મુખરાય શેઠ તથા સુપ્રિયા અતુલભાઈ ટોલીયાના માતુશ્રી, દિવ્યાબેન વિમલભાઈ શેઠના સાસુશ્રી જીનેન તથા રિશીતા બાદલભાઈ રાજદેવના દાદીશ્રીનું તા.૫ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૭ શુક્રવાર, સાંજે ૪ કલાકે, શ્રી સરદાનગર ઉપાશ્રય, રાજકોટ ખાતે રાખેલ છે.

કંચનબેન કોઠારી

રાજકોટઃ નવાગામ નિવાસી હાલ રાજકોટ દશાશ્રીમાળી જૈન સ્થાનકવાસી સ્વ.મહાસુખલાલ જગજીવન કોઠારીના ધર્મપત્ની કંચનબેન (ઉ.વ.૮૦) તે નિતીનભાઈ, પરેશભાઈ તથા ભારતીબેન દીપકભાઈ શાહ (જેતપુર), કાશ્મીરાબેન દીનેશભાઈ દામાણી (મુંબઈ)ના માતુશ્રી તે સ્વ.મોહનલાલ બબલજી દોશી (મુંબઈ)ના પુત્રી તા.૬ને ગુરૂવારના અરિહંત શરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૮ને શનિવારના સવારે ૧૦:૩૦ કલાકે, વિરાણી પૌષધશાળા, કોઠારીયા નાકા, પેલેસ રોડ ખાતે તથા પ્રાર્થનાસભા તે જ દિવસે ૧૧ વાગ્યે વિરાણીવાડી, કોઠારીયા નાકા, રાજકોટ ખાતે રાખેલ છે.

તારાબેન કારેલીયા

જેતપુરઃ લુહાર સ્વ. હરીભાઇ દેવજીભાઇ કારેલીયાના પત્ની તારાબેન (ઉ.વ.૭૬) તે કિશોરભાઇ, પ્રકાશભાઇ, અતુલભાઇના માતુશ્રી તેમજ સ્વ. મોનજીભાઇ દેવરાજભાઇ હરસોરાના પુત્રી તથા મહેન્દ્રભાઇના મોટા બહેન તા.પ ને બુધવારે શ્રીજીચરણ પામેલ છે. પીયર પક્ષનું બેસણું તા.૮ ને શનીવારે સાંજે ૪ થી ૬ કનકેશ્વર મહાદેવ મંદિર કણકીયા પ્લોટ જેતપુરમાં રાખેલ છે.

અરૂણભાઇ સોલંકી

જુનાગઢ : જુનાગઢ નિવાસી મચ્છુ કડીયા સઇ સુથાર દરજી અરૂણભાઇ જમનાદાસ સોલંકી (ઉ.વ.૭ર, સોરઠ એન્જી. જૂનાગઢ) તે જયેન્દ્રભાઇ અને ભૂપેન્દ્રભાઇના મોટાભાઇ તેમજ પિયુષભાઇ, નરેશભાઇ અને સંદીપભાઇના પિતાનું તા. ૬ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૮ના રોજ સાંજે ૪ થી પ કલાકે સત્સંગ હોલ, ભુતનાથ મહાદેવ મંદિર, બહાઉદ્દીન કોલેજ સામે જૂનાગઢ રાખેલ છે.

લાભુબેન ગોહેલ

 રાજકોટઃ પુર્વ જીઇબી કર્મચારી ડ્રાઇવર સ્વ. પ્રેમજીભાઇ કેસરભાઇ ગોહેલના ધર્મપત્નિ લાભુબેન પ્રેમજીભાઇ ગોહેલ (ઉ.વ.૮૮) તે ધીરજલાલ પ્રેમજીભાઇ ગોહેલ અને દિપકભાઇ પ્રેમજીભાઇ કોકીલાબેન પ્રેમજીભાઇ અને દયાબેન ઇન્દુભાઇ રાઠોડના માતાશ્રી લાભુબેન પ્રેમજીભાઇ ગોહેલનું તા.૬ના દુઃખદ અવસાન થયેલ છે.  બેસણું તા.૮ના શનિવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને કોઠારીયાકોલોની કર્વાટર નં. ૧૪૯, મોમાઇ ફર્નિચરની સામે રાજકોટ

કળાબેન પારેખ

રાજુલાઃ ઘાંડલા વાળા હાલ રાજુલા સ્વ. દ્વારકાદાસ મોનદાસ પારેખના પત્ની કળાબેન દ્વારકાદાસ પારેખ (ઉ.વ.૮૩) જે તરૂણાબેન દિલીપકુમાર સંઘવી તથા દિનેશભાઇ દ્વારકાદાસ પારેખ તથા સ્વ. જયશ્રીબેન નીતિનકુમાર મહેતા તથા જયોત્સનાબેન પ્રફુલકુમાર સંઘવી તથા દીપકભાઇ દ્વારકાદાસ પારેખ તથા રૂપાબેન પંકજકુમાર ગોરડિયાના માતુશ્રી તથા દેવયાનીબેન તથા બિન્દુબેનના સાસુ તથા પુનમબેન વિશાલકુમાર ચિતલીયા તથા યતેશભાઇ, કશ્યપભાઇ, આયુષીબેન, જીલભાઇના દાદીમા તથા ખ્યાતિબેન તથા રાધાબેનના મોટા સાસુ તથા મગનલાલ મેઘજીભાઇ કાણકિયાના દીકરી તા. ૬-૧૨-૧૮ને ગુરૂવારના રોજ અવસાન પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૮ને શનિવારે દેલવાડીયા મહાજન વાડી મેઇન બજાર રાજુલા ખાતે સમય ૪ થી ૬ રાખેલ છે