Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017
ધ્રાંગધ્રાઃ ધર્મેન્દ્રસિંહના માતુશ્રી જનકબા જાડેજાનું દુઃખદ અવસાનઃ આજે ૩II થી ૫II કલાકે ધ્રાંગધ્રા ખાતે બેસણું

ધ્રાંગધ્રાઃ મૂળ વતન સાપર (મોરબી)ના વતની હાલ ધ્રાંગધ્રા જનકબા મુળુભા જાડેજા તે ભરતસિંહ નવલસિંહ ત્થા જયુભા નવલસિંહના કાકીમા તે ધર્મેન્દ્રસિંહ મૂળુભા જાડેજાના માતુશ્રી તે હર્ષપાલસિંહ તથા કરણસિંહના દાદીમાનું તા.૫ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ આજે બપોરના ૩-૩૦ થી ૫-૩૦ કલાકે ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજની વાડી ખાતે રાખેલ છે સદ્ગતની ઉતરક્રિયા તા.૧૬-૧૨-૧૭ને શનિવારે રાખેલ છે.

રઝાકભાઇ વિંધાણી જન્નતનશીનઃ કાલે ઝીયારત

રાજકોટ : રઝાકભાઇ કાસમભાઇ વિંધાણી (ઉ.વ. ૭૫) તે મહેબુબભાઇ, ફિરોઝભાઇ, અશરફભાઇના વાલીદ તા.૬ના જન્નતનશીન થયા છે. મર્હુમની ઝીયારત તા.૮ના શુક્રવારના રોજ સવારે ૯.૩૦ કલાકે કરીમપુરા મસ્જીદ તેમજ ઔરતો માટે મેમણ જમાતખાના (અલ્લાહ હવાલે બિલ્ડીંગ) ખાતે રાખેલ છે. મર્હુમનું બેસણું સાંજે પથી ૬ વાગ્યા સુધી તેમના નિવાસ સ્થાન કોઠારીયા કોલોની ગરબી ચોક, કવાર્ટર નં.૩૯૨, રાજકોટ ખાતે રાખેલ છે.

 

અવસાન નોંધ

 

બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજના પ્રમુખ ભૂપેન્દ્રભાઇ જાડાનું અવસાનઃ સાંજે ઉઠમણું

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ-રાજકોટના પ્રમુખ ભૂપેન્દ્રભાઇ વસનજીભાઇ જાડા તે નિકુંજભાઇ જાડા, મયુરભાઇ જાડા, માધુરીબેન તથા નિધીબેનના પિતાશ્રી અને અરવિંદભાઇ જાડાના નાનાભાઇ તેમજ મીતાબેન જાડાના ભાઇ તા. ૫/૧૨ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું આજે સાંજે ૪:૩૦ કલાકે શિતળા માતાજીના મંદિર, ભાવનગર રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

રમણીકલાલ મહેતા

રાજકોટ : ગુજરાતી શ્રીગૌડ માળવિયા બ્રાહ્મણ રમણીકલાલ બાવાલાલ મહેતા (ઉ.૮૪) (શ્રી બાલકૃષ્ણ લાલજી હવેલીના મુખ્યાજી (ઢોલરા) હાલ રાજકોટ, તે સ્વ. મહેન્દ્રભાઇ, યોગેશભાઇ, શૈલેષભાઇ, દેવેન્દ્રભાઇ, ગીરીરાજભાઇ તથા પ્રેમીલાબહેન પ્રમોદકુમાર જોષીના પિતાશ્રી  તથા બળવંતભાઇ, રાજેષભાઇ જયસુખલાલ મહેતા (સાંગણવા) ના કાકાનું તા. ૬-૧ર-૧૭ ના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું ઉઠમણું તા. ૮-૧ર-૧૭ શુક્રવારે સાંજે પ થી ૬ શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિર, મવડી મેઇન રોડ રાજકોટ ખાતે રાખ્યું છે.

મુકતાબેન વ્યાસ

ગોંડલ : ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ મુકતાબેન મનસુખલાલ વ્યાસ (ઉ.વ.૯ર) તે રવિભાઇ (રસોયા), શૈલેષભાઇ, ભાવિનભાઇ, અનુબેન પંડયા, ઉમાબેન દવે, દિનાબેન ત્રિવેદીના માતા તથા પાર્થ અને ગોપાલના દાદીમાનું તા. ૬ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૮ શુક્રવાર સાંજે ૪ થી ૬ સિંધુ ભવન મહાદેવ વાડી-૬, ગોંડલ ખાતે રાખેલ છે.

ભીખુભાઇ ભરાડ

રાજકોટઃ રાજગોર બ્રાહ્મણ ભીખુભાઇ જીવાભાઇ ભરાડ (જુના પેડક પશુ દવાખાનાવાળા) તે મનોજભાઇ ભીખુભાઇ ભરાડના પિતાનુ તા. ૬ના અવસાન થયેલ છે. સ્વ.નું બેસણુ તા. ૮ને શુક્રવારે સાંજે ૪ થી ૬ શ્રીરામ પાર્ક શેરી નં.ર આજી ડેમ પાસે રાખેલ છે.(૧૦.૩)

હરિભાઇ ગોહેલ

મોરબી : હરિભાઇ નારણભાઇ ગોહેલ (ઉ.વ.૬૭) તે વીકીભાઇ તથા સ્વ.હિરેનભાઇના પિતાનું તા. પના રોજ અવસાન થયું છે. બેસણું આજે તા. ૭ ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ કલાકે રામેશ્વર મંદિર, ગુ.હા.બોર્ડ, સામાકાંઠે મોરબી-ર ખાતે રાખવામાં આવ્યું છે.(૮.પ)

કિશોરભાઇ વઢવાણા

જામનગરઃ સોની સ્વ.વૃન્દાવનભાઇ મકનજીભાઇ વઢવાણાના પુત્ર કીશોરભાઇ વઢવાણા (નિવૃત રેલ્વે કર્મચારી)(ઉ.વ.૭૮) તે જયેશભાઇ (ટીનુભાઇ એમ્બ્યુલન્સવાળા) હીતેશભાઇ ના પિતાશ્રી અને પ્રિયકાન્તભાઇ-સુરેશભાઇ તેમજ ભરતભાઇ વઢવાણાના મોટાભાઇ તેમજ અલીયાબાળા વાળા સોની સ્વ. નથુભાઇ પીતાંબર ઘેડીયાના જમાઇ અને સ્વ.ઇશ્વરભાઇ-મનુભાઇ-અનંતભાઇ અને ઉમેદભાઇ ઘેડીયાના બનેવી તા.૬ના રોજ શ્રીજી ચરણ પામેલ છે.

સાગરભાઈ હિરાણી

રાજકોટ : ગોવિંદભાઈ નારણભાઈ હિરાણીના પુત્ર સાગરભાઈ(ઉ.વ.૩૭) (અવધ ઈન્ફોટેક પ્રા.લિ.વાળા),  તે પલ્લવીબેન શૈલેષભાઈ દુધાત્રા, સોનલબેન પ્રકાશભાઈ કાકડીયા અને રૂપલબેન પ્રકાશભાઈ બાસીડાના ભાઈ, દામજીભાઈના ભત્રીજા, દિશાબેનના પતિ, નરેન્દ્રભાઈ વાલજીભાઈ સાકરીયાના જમાઈ તા.૬ને બુધવારે અક્ષરનિવાસી થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૮ને શુક્રવારે સાંજે ૪ થી ૫:૩૦ કલાકે  તેમના નિવાસસ્થાન, ૩-વિદ્યૃતનગર સોસાયટી, એસ્ટ્રોન સોસાયટી સામે, 'અજય' મકાનની સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

જયાબેન જોબનપુત્રા

 

રાજકોટ : જયાબેન મુલચંદભાઇ જોબનપુત્રા (ઉ.વ.૮૦) તે સ્વ.મુલચંદભાઇ પ્રાણજીભાઇ જોબનપુત્રાના ધર્મપત્નિ તે રાજુભાઇ, મુકેશભાઇ, અરૂણભાઇ, શશીકાંતભાઇ તથા પંકજભાઇ તેમજ સ્વ.મનોજભાઇના માતુશ્રી તેમજ ચંદ્રિકાબેન જીતેન્દ્રભાઇ કટારીયા બીલખાવાળાના માતુશ્રી તેમજ સ્વ.ત્રિભોવનદાસ ભોવાનભાઇ શીંગાળાના દીકરીનું તા.૬ના અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા.૮ના શુક્રવારે સાંજે ૪ થી ૫ સુધી ગાંધીગ્રામ એસકે ચોક પાસે, ગંગેશ્વર મહાદેવના મંદિર ખાતે રાખેલ છે. તેમજ પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

ગીતાબેન ખેતાણી

 

રાજકોટ : ગુર્જર ક્ષત્રિય કડિયા ગીરીશભાઇ ધીરજલાલ ખેતાણીના ધર્મપત્નિ ગીતાબેન તે તિલકના માતુશ્રીનું તા.૭ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૯ના શનિવારે સાંજે ૪ થી ૬ સુધી રેલનગર-૧, સાંઇ બાબા સોસાયટી, પોપટપરા પાછળ, સાંઇનાથ મંદિર ખાતે રાખેલ છે.

મીનાબેન પારેખ

 

રાજકોટ : દશા સોરઠીયા વણિક મીનાબેન શ્રીકાંતભાઇ પારેખ (ઉ.વ.૫૫) તે હરકીશનભાઇ પ્રેમચંદભાઇ પારેખના પુત્રવધુ તેમજ શ્રીકાંતભાઇ પારેખના ધર્મપત્ની તેમજ સાગર તથા પુજા વિનીતકુમાર રાઠોડના માતુશ્રી તેમજ દિપકભાઇ, નયનાબેન કોઠારી તથા હિનાબેન ધ્રુવના ભાભી તેમજ જયંતિલાલ પ્રેમચંદભાઇ ઝવેરીના પુત્રી તેમજ સરોજબેન હર્ષદકુમાર સેલારકા, યોગેશ તથા દિપક ઝવેરીવાળાના બહેનનું તા.૬ના અવસાન થયેલ છે. સદ્ગતની પ્રાર્થના સભા તા.૮ના શુક્રવારે સાંજે ૪ થી ૫ કલાકે માલવીયા વાડી, ગોંડલ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રભાબેન બોરીસાણીયા

 

રાજકોટ : વરિયા વૈષ્ણવ પ્રજાપતિ કુંભાર જુનાગઢ નિવસી સ્વ.પ્રભાબેન ભાણજીભાઈ બોરીસાણીયાનું તા.૭ ના રોજ અવસાન થયેલ છે. તે પ્રવીણભાઈ તથા રાજુભાઈના માતુશ્રીનું બેસણું તા.૯ શનિવારે સાંજે ૪ થી ૬ ડબગર જ્ઞાતિની વાડી, કાઠીયાવાડ, જુનાગઢ ખાતે રાખેલ છે.