Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019
અવસાન નોંધ

મહાનગર પાલિકાના ગાર્ડન ડાયરેકટર ડો.હાપલિયાના માતુશ્રી સંતોકબેનનું અવસાન

રાજકોટ : મહાનગર પાલિકાના ડાયરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન ડો. કે.ડી. હાપલીયા, કાનજીભાઇ, મોહનભાઇના માતુશ્રી અને ગોવિંદ, સંજય, દિલીપ, હર્ષિત, જાનવી તથા યક્ષ, અરહાન, હારિતના દાદીમા તેમજ અરજણભાઇ વાલજીભાઇ તથા નાનજીભાઇ હાપલીયાના કાકી સંતોકબેન ધરમશીભાઇ હાપલીયા (ઉ.વ.૮ર) આજે તા. ૭ ને સોમવારે અવસાન થયેલ છે.

એડવોકેટ જીતેન્દ્રભાઈ વ્યાસનું દુઃખદ અવસાન

રાજકોટ : મોઢ ત્રિવેદી બ્રાહ્મણ જીતેન્દ્રભાઈ રજનીકાંતભાઈ વ્યાસ એડવોકેટનું તા.૬-૧૦ના રવિવારે દુઃખદ અવસાન થયેલ છે. જેમની સ્મશાનયાત્રા તા.૭ના સોમવારે સવારે ૮ કલાકે તેમના નિવાસસ્થાન ૬, કિશાનપરા ચોક, શિવમ ખાતેથી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈ અને અંજલી અર્પી હતી.

હર્ષદરાય માંડાણી

રાજકોટઃ દશા સોરઠીયા વણિક હર્ષદરાય ગીરધરલાલ માંડાણી (સીનીયર ઓડીટર-નિવૃત એ.જી. ઓફીસ) (ઉ.વ.૭૫) તે સ્વ. ગિરધરલાલ ઝવેરચંદ માંડાણી (કામદાર વીમાવાળા)ના પુત્ર તથા સ્વ. જશવંતીબેન જગજીવનદાસ માલવીયા, સ્વ. કાંતીલાલ માંડાણી, ભોગીલાલ માંડાણી (બટુકભાઇ)ના ભાઇ તથા બીપીનભાઇ અને સંજયભાઇના પિતાશ્રી તેમજ કાંતીલાલ જમનાદાસ કાચલીયાના જમાઇનું તા.૫ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૭ના રોજ સોમવારે સાંજે ૫ થી ૬ તેમના નિવાસ સ્થાને ચંદન ફલેટ, જલારામ -૨ મેઇન રોડ, વોકહાર્ડ હોસ્પિટલની પાછળ, યુનિવસીર્ટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

જીતેન્દ્રભાઇ જાદવ

રાજકોટઃ સોરઠીયા રાજપુત સમાજના જીતેન્દ્રભાઇ ચમનલાલ જાદવ નિવૃત આરડીસી બેંક વાળા, (ઉ.વ.૫૯) તે હિતેષભાઇના મોટાભાઇ કેવલના પિતા તથા ધવલના ભાઇજી, મીનાબેન તથા જયોતિબેનના મોટાભાઇ, સ્વ. રમેશભાઇ તથા બહાદુરભાઇના સાળા ઋચિતભાઇ તથા પ્રતિકભાઇના સસરાનું તા.૭ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું ''સૌરભ હોલ'' નહેરૂનગર ૫નો ખુણો, રૈયા રોડ, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

કંચનબેન દોશી

રાજકોટઃ મુળ બગસરા હાલ રાજકોટ શેઠશ્રી સૌભાગ્યચંદ તારાચંદ દોશીના ધર્મપત્નિ ગં.સ્વ. કંચનબેન (ઉ.વ.૯૩) તે નરેન્દ્રભાઇ દોશી (એલઆઇસી) અને શરદભાઇ દોશીના માતુશ્રી તેમજ ડો. ધવલ દોશી અને ઋષભ દોશીના દાદીમાં તા.૩ ઓકટોબરના રોજ વડોદરા મુકામે દેહાવસાન પામેલ છે. સદ્ગતની ઇચ્છા અનુસાર તેમનું દેહદાન કરેલ છે.

ડાયાભાઇ ફુલતરીયા

રાજકોટઃ ત્રિભોવનભાઇ મોહનભાઇ ફુલતરીયાના સુપુત્ર ડાયાભાઇ ત્રિભોવનભાઇ ફુલતરીયા (ઉ.વ.૬૦) તે ધર્મેશભાઇ, સુનીલભાઇ તથા સંગીતાબેનના પિતાશ્રીનું તા.૫ને શનિવારના  રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૭ સોમવારે સવારે ૮ થી ૧૦ કલાકે 'ધર્મેશ' જુની પપૈયાવાડી, શેરી નં.૧, એચ.જે.દોશી હોસ્પિટલ રોડ, અન્નપૂર્ણેશ્વર મંદિર, રાજકોટ ખાતે રાખેલ છે.

વિમળાબેન નિર્મળ

ગોંડલ  : પ્રાણસુખભાઇ (ભાઇલાલભાઇ) છગનલાલ નિર્મળ ના પત્ની વિમળાબેન ઉ.૭૮, તે સ્વ. છગનલાલ ગોરધનદાસ નિર્મળ ના પુત્રવધુ તા.૦૬ ના રોજ અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તા.૦૭ ને સોમવારે સાંજે પ થી ૬ અક્ષરધામ સોસાયટી શેરી નં.-૪ ''રાધે કિશન'' નિલેશભાઇ બાલકૃષ્ણભાઇ નિર્મળના નિવાસસ્થાને રાખેલ છે.

સુરેશચંદ્ર મણીયાર

ગોંડલ : બ્રહ્મક્ષત્રિય સુરેશચંદ્ર લાલચંદ મણિયાર ઉ.૭૯, તે કિશોરભાઇ, હિતેષભાઇ, મનીષભાઇ, વિપુલભાઇ ના પિતાનું તા. ૦૪ ના રોજ અવસાન થયેલ છે.  બેસણું તા ૦૭ સોમવારે ૪ થી ૬ મહેતા જૈન ભવન, જૈન દેરાસર, ડેરા શેરી, ગોંડલ મુકામે રાખેલ છે.

જયંતિલાલ કાગડા

ગોંડલ  :  જયંતીલાલ છગનલાલ કાગડા, વાસાવડ વાળા ઉ.૭૫, તે સ્વ. અમૃતભાઇ, સ્વ. કાંતિભાઇ, સ્વ. ગોપાલભાઇ, સ્વ.પ્રભુદાસભાઇ, સ્વ. ભુપતભાઇ તથા રમેશભાઇના નાના ભાઇનું તા. ૦૪ના રોજ અવસાન થયેલ છે.

જશુમતીબેન રાઠોડ

ગોંડલ  :  જસદણ નિવાસી જશુમતીબેન રમણિકભાઇ રાઠોડ, તે રમણિકભાઇ વિઠલભાઇ રાઠોડ ના ધર્મ પત્ની, ભરતભાઇ, કીરીટભાઇ, સતિષભાઇ ના માતુશ્રીનું તા. ૦૪ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૭ ના રોજ તેમના નિવાસ સ્થાને સોલિકર સોસાયટી, આટકોટ રોડ, સાંજે ૪ થી ૬ જસદણ ખાતે રાખેલ છે.

બટુકસિંહ રાયજાદા

ગોંડલ  : રૂપાવટી નિવાસી બટુકસિંહ દોલુભા રાયજાદા, તે વિજયસિંહના પિતાશ્રી, િઋષરાજસિંહના દાદાશ્રી તા.૦૪ ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. તેમની ઉતરક્રિયા તા.૧૫ ને મંગળવારના રોજ રૂપાવટી મુકામે રાખેલ છે.

દાનાભાઇ રાઠોડ

કેશોદઃ સેંદરડા (તા. વંથલી) નિવાસી દાનાભાઇ હાદાભાઇ રાઠોડ (ઉ.વ.પ૭) તે દેવાભાઇ રાઠોડના ભાઇ તથા વિવેકભાઇ, ભરતભાઇના પિતાશ્રીનું તા.પને શનિવારના રોજ અવસાન થયેલ છે. તેનું બેસણું તા.૧૦ ગુરૂવારના રોજ સવારે ૧૦ કલાકે આંબેડકરભવન - સેંદરડા (તા. વંથલી) મુકામે રાખેલ છે.

ત્રંબકલાલ દેસાઇ

વડિયાઃ મૂળ હડાળા, હાલ વડિયા નિવાસી ત્રંબકલાલ શામળજીભાઇ દેસાઇ (ઉ.વ.૬૮) જે નિલેશકુમાર દેસાઇ, નિધીબેન દેસાઇ તથા જાહન્વીબેન મહેશભાઇ ત્રિવેદીના પિતાશ્રી, તેમજ દેવકૃષ્ણભાઇ તથા રમણીકભાઇ દેસાઇના નાના ભાઇનું તા.પને શનિવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૭ને સોમવારે બપોરે ૩ થી ૬, તેમના નિવાસસ્થાને રાખેલ છે.

હરેશભાઇ પરમાર

રાજકોટઃ જામનગર નિવાસી મ. ક. સઇ સુથાર સ્વ.હરેશભાઇ જેન્તીભાઇ પરમાર (ઉ.વ.પર) તે પારસના પિતાશ્રી તેમજ માધાપર વાળા અરવિંદભાઇ લાલજીભાઇ સોલંકીના જમાઇનું તા.પના અવસાન થયેલ છે. તેમજ સાદડી તેમજ બેસણું આજે તા.૭ને સોમવારે ૪ થી પ, થડેશ્વર મહાદેવ મંદિર, બજરંગવાડી ખાતે રાખેલ છે.

કંચનબેન મહેતા

રાજકોટ  : ગુજરાતી શ્રી ગોડ માળવી બ્રાહ્મણ સમાણાવાળા, હાલ જામજોધપુર નિવાસી નિવૃત કેળવણીકાર નિશીક્ષકશ્રી દોલતરાય શાંતિલાલ મહેતાના ધર્મ પત્ની કંચનબેન તે સુધાબેન રાજકોટ અને મહેશભાઇના માતુશ્રી તથા હિતેન્દ્રકુમાર ભટ્ટ રાજસમઢીયાળા ના સાસુ અને દિપકભાઇ પી. મહેતા જામનગરના ભાભુ અને ગોંડલના કલ્યાણજીભાઇ મહાશંકર જોષીની પુત્રીનું તા ૬-૧૦-૧૯ ના રોજ અવસાન થયેલ છે.

સદગતનું બંને પક્ષનું ઉઠમણું તથા બેસણું તા. ૧૦-૧૦-૧૯ ને ગુરૂવારે સાંજે ૪ થી પ ના સમયે શ્રી રોકડીયા હનુમાન મંદિર, રેલ્વે સ્ટેશન સામે જામજોધપુર મુકામે રાખેલ છે.

લીલાવંતીબેન સોલંકી

રાજકોટઃ લાઠી નિવાસી મચ્છુ કઠીયા દરજી વસંતરાય ભગવાનજીભાઈ સોલંકીના ધર્મપત્ની લીલાવંતીબેન (ઉ.વ.૭૭) તે હર્ષદભાઈ, સુરેશભાઈ, હિતેષભાઈ તથા સંજયભાઈના માતુશ્રીનું તા.૬ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૭ને સોમવારે સાંજે ૪ થી ૬, સન્યાસ આશ્રમ, લાઠી ખાતે રાખેલ છે.