Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019
જસદણના ઠા. શાંતિલાલ વસંતનું અવસાન : કાલે સાદડી

આટકોટ : જસદણના ઠા. શાંતિલાલ ગિરધરલાલ વસંત (ઉ.વ.૮૮) તે વસંત બ્રધર્સ (જસદણવાળા), નરેન્દ્રભાઇ, અશ્વિનભાઇ તથા દિનેશભાઇ દલાલ (અમદાવાદ)ના પિતાશ્રી, અનુરાધા ટ્રેડીંગ કંપની માર્કેટ યાર્ડ-રાજકોટવાળા ધવલભાઇ વસંતના દાદા, સ્વ. ઠા. મોહનલાલ ભુરાભાઇ વસાણી (જીવાપરવાળા)ના જમાઇ તા. પના રોજ અમદાવાદ ખાતે શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતની સાદડી તા. ૮ના રોજ સાંજે ૪-૩૦ થી પ-૩૦ કલાકે શ્રી લોહાણા મહાજન વાડી જસદણ ખાતે રાખેલ છે.

વાલદાસભાઈ અગ્રાવત

રાજકોટઃ મૂળ ગામ આંબરડી-ગોંડલ હાલ ચારણપીપળીયા નિવાસી વાલદાસભાઈ વલ્લભદાસ અગ્રાવત (ઉ.વ. ૬૮) તે આશિષના પિતાશ્રી તે છબીલદાસભાઈ, રવીદાસભાઈ, જયંતિભાઈના લઘુબંધુનું તા. ૭-૬ના રોજ અવસાન થયેલ છે. સદગતની ઉત્તરક્રિયા તા. ૧૮-૬ને મંગળવારે ચારણપીપળીયા તા. કાલાવડ, જી.જામનગર ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

જયોત્સનાબેન સુબા

રાજકોટ : અ.સૌ. જયોત્સનાબેન નવીનચંદ્ર સુબા તે મુંબઈવાળા ધારસી કાલીદાસ (મસાલાવાળા)ના પુત્રવધુ, નિહારીકાબેન વિમલભાઈ, અલ્કેશભાઈ, કૃપાબેન, દીક્ષાબેનના માતા તથા નિકુંજકુમાર, સોનાબેન, રાશીબેન, અંબરીષકુમાર, પરાગકુમારના સાસુ, હસમુખભાઈ તથા યોગીનીબેનના ભાભી, માંગરોળવાળા ગૌ.વા. ઓધવજી કાલીદાસ વિઠ્ઠલાણીના પુત્રી તેમજ કુંજબિહારીભાઈ, ગૌ.વા.મેનાબેન, ગૌ.વા. જમનાદાસભાઈ, દક્ષાબેન, ગૌ.વા. ધીરજલાલભાઈના બહેન તા.૩૧ના રોજ અક્ષરનિવાસી થયેલા છે. જેમની પ્રાર્થનાસભા તા.૮ના શનિવારના સાંજે ૫ થી ૬ વાગ્યે શ્રી હરિહર હોલ, ૩ હરિહર સોસાયટી, કાલાવડ રોડ, રાજકોટ-૫ ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

અશોકભાઈ ભાડેશીયા

રાજકોટ : ગુર્જર સુતાર બામણગામ હાલ રાજકોટ અશોકભાઈ ગીરધરભાઈ ભાડેશીયા તે પ્રદિપ, દિપક, વિજયભાઈના પિતાનું તા.૭ના શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૦ને સોમવારે સાંજે ૫ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાને આકાર હાઈટ્સ ૧૫૦ ફૂટ રીંગ રોડ, વાવડી ગામ રાધેશ્યામ ગૌશાળાની બાજુમાં એન-૪૬૧ ખાતે રાખેલ છે.

મનહરલાલ જોષી

રાજકોટ : શેઠવડાળા સડોદર નિવાસી મનહરલાલ છોટાલાલ જોષી 'હંસેશ્વર મહાદેવ' (મનુઅદા) તે સ્વ.નરેશભાઈ, અરવિંદભાઈ, દિનેશભાઈ સુરતના પિતા તે ધવલ, વિરેન, આશિષના દાદાનું તા.૬ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૮ના શનિવારે સાંજે ૪ થી ૬ કલાકે અમરેશ્વર મહાદેવ મંદિર સડોર ખાતે રાખેલ છે.

જમનભાઇ વાણંદ

આટકોટ : વાણંદ જમનભાઇ નાનજીભાઇ લાંધણોજા ઉ.વ ૭૩ તે ભરતભાઇ, સ્વ. સુનિલભાઇ તથા અતુલભાઇના પિતાશ્રી તથા મીહીરભાઇ તથા કિશનભાઇના દાદા તેમજ નાથાભાઇના ભત્રીજા, દુર્લભજીભાઇ અને જગદીશભાઇના મોટાભાઇનું તા. ૬ના અવસાન થયેલ છે. બેસણું તા. ૮ના સાંજે પ થી ૭ મોટા રામજી મંદિર પાસે આવેલ તેમના નિવાસ સ્થાને આટકોટ રાખેલ છે.

શોભનાબેન ગણાત્રા

જેતપુરઃ શોભનાબેન વીનોદભાઇ ગણાત્રા (ઉ.વ.૪૬) તે વીનોદભાઇ શાંતિલાલ ગણાત્રાના પત્ની તે પ્રદીપભાઇ, બીપીનભાઇ, રાજેશભાઇ, પંકજભાઇ, ધર્મેન્દ્રભાઇના ભાભી તે અભય અને દેવના માતુશ્રીનું તા.૭ના અવસાન થયુ છે. ઉઠમણું તા.૮ના ૪ થી ૬ શામનાથ મંદિર, દેસાઇવાડી જેતપુર ખાતે રાખેલ છે.

કિરણબેન પંડયા

મોરબી :  કિરણબેન પ્રેમતલાલ પંડયા (ઉ.વ.૮૦) તે પ્રેમતલાલ જટાશંકર પંડયાના પત્ની તેમજ ભાવેશભાઇ, રાજેશભાઇ, ભાસ્કરભાઇ અને રૂપેશભાઇના માતા, તેમજ વૈભવી, ચિરાગ, વરૂણ, ખુશી અને જયના દાદીનું તા.૦૬ ના રોજ અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા.૦૮ ને શનિવારે સાંજે પ કલાકે કષ્ટભંજન હનુમાન મંદિર, કુબેરનગર મોરબી ખાતે રાખેલ છે.

મનહરલાલ જોષી

સડોદર (તાલુકો જામજોધપુર) : મનહરલાલ છોટાલાલ જોષી (મનુઅદા) (ઉ.વ.૯૩) તે સ્વ. મહેશભાઇ, અરવિંદભાઇ, દિનેશભાઇ (સુરત) ના પિતા તથા ધવલ, વિરેદ્ર, આશિષ ના દાદાનું તા. ૬ ના અવસાન થયેલ છે, પ્રાર્થના સભા તા. ૮ ના સાંજે ૪ થી ૬  વાગ્યે અમરેશ્વર મહાદેવ મંદિર (મઠ), સડોદર ખાતે રાખેલ છે.

મહિપતસિંહ વાળા

ઢાંક : મહિપતસિંહ અમરસંગ વાળા (ઉ.વ.૮૩) તે છોટુભા વાળા તે નરેન્દ્રસિંહ વાળાના પિતા તેમજ મેઘરાજસિંહ તે હાર્દિત્યસિંહ વાળાના દાદાનું તા. ૬ના રોજ અવસાન થયેલ છે. ઉતરક્રિયા તા. ૭ ને સોમવારના રોજ ઢાંક તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

જગદીશભાઇ આડેસરા

મોરબી : સોની જગદીશભાઇ પ્રાણજીવનભાઇ આડેસરા તે પ્રાણજીવનભાઇ દુર્લભજીભાઇ આડેસરાના પુત્ર તેમજ બીપીનભાઇ, કિશોરભાઇના મોટાભાઇ તેમજ હિરેન, ધર્મેશ અને નૈમિષના પિતા તા. ૬ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. બેસણુ તા. ૮ ને શનિવારે સવારે ૧૦:૩૦ થી ૧ર કલાકે સોની જ્ઞાતિની વાડી પારેખ શેરી મોરબી રાખેલ છે.

જીવનલાલ છાટબાર

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય મહુવા / ભાવનગર નિવાસી  છાટબાર જીવનલાલ ગિરધરલાલ (નિવૃત શિક્ષક એમ.એન. હાઇસ્કુલ મહુવા) (ઉ.વ.૯૦) તેઓ અશ્ચિન છાટબાર, શરદ  છાટબાર (રેલ્વે)ના પિતાશ્રી તથા ધનેશ અને હરેશ કાંતિલાલ છાટબારના કાકાનું તા.૬ના  દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૮ શનિવારનાં રોજ સાંજે ૪:૩૦ થી ૬:૩૦ છાપરૂ હોલ ટીવ કેન્દ્ર રોડ, ઘોઘા સર્કલ ભાવનગર ખાતે રાખેલ  છે.

ચિત્રોડા ભગવાનજીભાઇ

રાજકોટઃ મુળ ગામ ઢાંક, હાલ રાજકોટ નિવાસી ચિત્રોડા ભગવાનજીભાઇ મેરામણભાઇ તા.૬ના શ્રીજી ચરણ પામેલ છે. બેસણું તા.૮ના સાંજે ૪ થી ૬, વલ્લભભાઇના નિવાસસ્થાન પર, તથા ઉતરક્રિયા તા.૧૭ના સવારે ૧૦ વાગ્યે વલ્લભભાઇના નિવાસ સ્થાન પર રાખેલ છે.

સવિતાબેન નિમાવત

રાજકોટઃ મોવૈયા નિવાસી રામાનંદી સાધુ શ્રી પ્રાણજીવનદાસ ભાઇલાલભાઇ નીમાવતના ધર્મપત્ની સવિતાબેન પ્રાણજીવનદાસ નિમાવત (ઉ.વ.૮પ)નું તા.પના અવસાન થયેલ છે. તે ભરતભાઇ જામનગર એસ.ટી. ડેપો નિવૃત ટ્રાફિક કંટ્રોલર તથા જયેન્દ્રભાઇ ધ્રોલ આશ્રમશાળા પ્રિન્સીપાલ તથા ભાનુપ્રસાદ સુરત સ્ટેમ્પ ડયુટીના માતુશ્રી થાય તેમનું બેસણું તા.૭ને શુક્રવારે સાંજે ૪ થી ૬ (પડધરી) મોવૈયા સર્કલ મારૂતી હોલ ખાતે રાખેલ છે.

મુકતાબેન તલસાણીયા

રાજકોટઃ (મુળ કાળીપાટ) હાલ રાજકોટ મુકતાબેન મુળજીભાઇ તલસાણીયા (ઉ.વ.૮૦) તે રમેશભાઇ, રસિકભાઇ, ભુપતભાઇ, ચંદુભાઇ, ઉષાબેન હસમુખલાલ વડગામાના માતુશ્રી તે હરજીવનભાઇ, સ્વ.દયાળજીભાઇ, ધિરૂભાઇ, પ્રવિણભાઇ, અમૃતલાલ, સ્વ.હસમુખલાલના બેનનું તા.૬ના અવસાન થયેલ છે. તેમનું બન્ને પક્ષનું બેસણું તા.૮ને શનિવારે સાંજે ૪-૩૦ થી૬-૩૦ વિશ્વકર્મા કેળવણી મંડળ, ભકિતનગર સ્ટેશન પ્લોટ, ૭/૧૦ ખાતે રાખેલ છે.

મહેન્દ્રભાઇ ચોકસી

રાજકોટઃ રાજકોટ નિવાસી સ્વ. ચોકસી નારાયણદાસ ત્રિભોવનદાસના પુત્ર મહેન્દ્રભાઇ (ઉ.વ.૭૭) તે અ.સૌ. જસ્મીના વિજયકુમાર આડેસરા તથા અ.સૌ. પૂર્વિ પરેશકુમાર રાણપરાના પિતાશ્રી તેમજ સ્વ.રમણીકભાઇ, સ્વ.બાલકૃષ્ણભાઇ, રશ્મિકાંતભાઇ, સ્વ.બિહારીભાઇના નાનાભાઇ તેમજ યશવંતભાઇ તથા પ્રદ્યુમનભાઇના મોટાભાઇ, તથા સ્વ.રંજનબેન, અ.સૌ. મેનાબેન (લંડન) અને સ્વ.સરીયુબેનના ભાઇ અને સ્વ.પિતાંબરભાઇ માધવજીભાઇ રાણપરા (અમદાવાદ)ના જમાઇનું તા.પના વડોદરા મુકામે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૭ના શુક્રવારે સાંજના પ થી ૬, પ૦૪/બી-ગોકુલ એવન્યુ, જૈન દેરાસર સામે, ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે, વિહાર સીનેમા પાછળ, આર. વી. દેસાઇ રોડ, વડોદરા-૩૯૦૦૦૧ ખાતે રાખેલ છે.