Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019
મણીબેન ગોવિંદભાઈ ડાંગરનું દુઃખદ અવસાન

રાજકોટ : મણીબેન ગોવિંદભાઈ ડાંગર (ગામ - વસુંધરા, તા. વાંકાનેર, જી. મોરબી) તે મયુર, હિતેષભાઈ અને કેતન પ્રભાતભાઈ હુંબલના મામીનું દુઃખદ અવસાન થયેલ છે.

રાઠોડ પાન (કેનાલ રોડ)વાળા દાદુભાઇનું અવસાનઃ શનિવારે બેસણું

રાજકોટઃ દાદુભાઇ (દિલીપસિંહ) હરિભા રાઠોડ તે ધર્મેન્દ્રભાઇ રાઠોડના પિતાશ્રી તેમજ અનિલભાઇ તથા રાજુભાઇના (રાઠોડ પાન- પંચનાથ) કાકાશ્રી અને હિરેનભાઇ તેમજ આકાશ (રાઠોડ પાન -ભુતખાના ચોક) ના દાદાનુ આજે તા.૦૫ના અવસાન થયેલ છે.

 સદગતનુ બેસણુ તા.૦૭ના રોજ સાંજે ૪ થી ૬ કુવાવાળી ખોડિયાર મંદિર, લક્ષ્મીનગર કવાર્ટર, રાજકોટ ખાતે  રાખેલ છે.

અવસાન નોંધ

પડધરી તાલુકા ભાજપ પ્રમુખ હઠીસિંહ જાડેજાના પિતાશ્રીનું અવસાન

પડધરીઃ પડધરી તાલુકા વણપરી નિવાસી સ્વ.બેચરસિંહ માનસિંહ જાડેજા (ઉ.૯૯)તે બળવંતસિંહ જાડેજા, હઠીસિંહ (હઠુભા) જાડેજા (પ્રમુખશ્રી પડધરી તાલુકા ભાજપ), જોરૂભા જાડેજા તથા અનિરૂદ્ધસિંહ જાડેજાના પિતાશ્રીનું તા.૪ને બુધવારે અવસાન થયેલ છે.

બેસણું તા.૭ને શનિવારે સાંજે ૪ થી ૬ વણપરી તા.પડધરી મુકામે રાખેલ છે.

ધનલક્ષ્મીબેન વનેચંદભાઇ કામદારનું ૧૦૧ વર્ષની વયે નિધન

રાજકોટઃ નિવાસી (મજેવડી) સ્વ. વલ્લભદાસ મોહનલાલ મહેતાના મોટા બહેન સ્વ. ધનલક્ષ્મીબેન કામદાર (ઉ.વ.૧૦૧) તે હસમુખભાઇ વનેચંદભાઇ કામદાર તથા જશવંતભાઇ વનેચંદભાઇ કામદારના માતુશ્રી તા.૪ના રોજ અરિહંત શરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા.૫ને ગુરૂવારે સાંજે ૪ કલાકે વિમલનાથ જૈન ઉપાશ્રય, ગોપાલ ચોક, સાધુવાસવાણી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

તન્સુખરાય ઠાકર

રાજકોટઃ વાલમ બ્રાહ્મણ મુળ ગોંડલ હાલ રાજકોટ નિવાસી ઠાકર પરિવારના તન્સુખરાય પોપટલાલ ઠાકર (ઉ.વ.૯૪) તે સ્વ ચેતનભાઇ ઠાકરના પિતાશ્રી અને ચી. ધ્યેયના દાદાજી તેમજ પારૂલબેન ચેતનભાઇ ઠાકરના સસરા તે શ્રીમતી સ્મિતાબેન રાજેન્દ્રભાઇ ઉપાધ્યાય (ગોંડલ) શ્રીમતી શીલાબેન હિતેશભાઇ પંડ્યા (ગાંધીનગર) તેમજ પ્રજ્ઞાબેન વિજયભાઇ પાણેરી (રાજકોટ)ના પિતાશ્રી અને સ્વ.યશવંતભાઇ, સ્વ ગુણવંતભાઇ, સ્વ ભાસ્કરભાઇ તેમજ સ્વ.મુદુલાબેનના ભાઇનું તા.૦૪ને બુધવારના અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૭ને શનિવારના રોજ બપોરે ૪.૩૦ થી ૬ ચંદ્રેશ વાડી, પંચવટી મેઇન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

નિરજ પંચાસરા

રાજકોટઃ ગુર્જર સુથાર સ્વ.નિરજ મોતીલાલ પંચાસરા (ઉ.વ.૪૨) (મુળગામ હડાળા) તે માધવ સેન્ટ્રીંગ જીતેન્દ્રભાઈ, એઈમ્સ માર્કેટીંગ નીલાબેન, માધુરીબેન, ભાવિનાબેનના ભાઈ તથા માનવ, કમલના પિતાશ્રી તથા જામનગર વાળા સંજય બ્રાસ, સ્વ.કાંતીલાલ વિઠ્ઠલદાસ અંબાસણાના જમાઈ તા.૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૬ના રોજ સાંજે ૪ થી ૫:૩૦ સ્વાશ્રય સોસાયટી કોમ્યુનીટી હોલ, મવડી પ્લોટ મેઈન રોડ, બ્રીજ પાસે રાખેલ છે તથા લૌકીકક્રીયા બંધ રાખેલ છે.

રંજનબેન ઠાકર

રાજકોટઃ મોરબી ઠાકર લોજ વાળા સ્વ.હસમુખરાય કરૂણાશંકર ઠાકરના ધર્મપત્ની રંજનબેન હસમુખરાય ઠાકર તે ભૂપતભાઈ કરૂણાશંકર ઠાકર તથા નરેન્દ્રભાઈ કરૂણાશંકર તથા રાજુભાઈ કરૂણાશંકર ઠાકરના ભાભી વનરાજ હસમુખરાય ઠાકર (ગોપાલભાઈ) તથા રોહિત હસમુખરાય ઠાકર તથા પિયુષ હસમુખરાય ઠાકર માતુશ્રી જયેશભાઈ ભૂપતભાઈ ઠાકર, અમિત નરેન્દ્રભાઈ ઠાકર, અજય ભુપતભાઈ ઠાકર, સ્વ.વિવેક ઓમશંકર ઠાકર, હિમાંશુ નરેન્દ્રભાઈ ઠાકર, બંટી ભુપતભાઈ ઠાકર, કૃષાંક ઓમશંકર ઠાકરના મોટા મમ્મી દેવ લોક પામેલ છે.

શાંતીલાલભાઇ બદ્રકિયા

રાજકોટઃ શાંતીલાલભાઇ અંબારામભાઇ બદ્રકિયા તે ધીરૂભાઇ, ભગવાનજીભાઇ, હેમંતભાઇ, મહેન્દ્રભાઇનાં ભાઇ તથા પરાગભાઇ, સમીરભાઇનાં પિતાશ્રીનું તા.૪ને બુધવારનાં રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૬ને શુક્રવારનાં રોજ સાંજે ૪-૩૦ થી ૬-૦૦ વિશ્વકર્મા કેળવણી મંડળ-૭, ભકિતનગર સ્ટેશન પ્લોટ ખાતે રાખેલ છે.

રમેશભાઇ મારૂ

મોરબીઃ લુહાર રમેશભાઇ અમરશીભાઇ મારૂ (મુળ લજાઇ વાળા હાલ મોરબી ઉ.વ.પપ) તે કાર્તિકના પિતાનું તા.૩ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું-પ્રાર્થનાસભા તા.૬ને શુક્રવારે સાંજે ૪ થી ૬ લુહાર જ્ઞાતિની વાડી સરદારબાગ સામે શનાળા રોડ ખાતે રાખેલછે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.ઉતરક્રિયા પ્રથા બંધ રાખેલ છે.

ગોસ્વામી રણછોડગીરી

મોરબીઃ મુળ ખેવારીયા હાલ બરવાળા ગોસ્વામી રણછોડગીરી ભાવગીરી (ઉ.વ.૭૦) તા.૪ના રોજ અવસાન થયેલ છે.બેસણું તા.૬ને શુક્રવારે સાંજે ૪ થી  ૬ ગામ બરવાળા ફુલગર નરભેગરના નિવાસસ્થાને રાખેલ છે.

મૌલેશભાઇ રાડીયા

રાજકોટઃ નારણદાસભાઇ નાથાલાલભાઇ રાડીયાના પુત્ર મૌલેશભાઇ રાડીયા (ઉ.વ.૬૪) તે પ્રકાશ ગ્લાસવેર વાળા ડેનીશભાઇ,મોનીસભાઇના પિતાશ્રીનું તા.૪ના અવસાનથયેલ છે. તેમની પ્રાર્થનાસભા નાગર બ્રાહ્મણ બોર્ડીંગ, ટાગોર રોડ, વિરાણી હાઇસ્કુલની સામે, તા.પના સાંજે પ થી ૬, રાખેલ છે. પ્રવિણભાઇ શાંતીભાઇ ભુપતાણીના જમાઇની પીયરપક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

મુકતાબેન મહેતા

રાજકોટઃ રાજકોટ નિવાસી સ્વ.સુખલાલભાઇ મહેતા (સેન્ટ્રલ બેંક)ના ધર્મપત્ની મુકતાબેન (ઉ.વ.૯૦) તે ફૂલછાબવાળા પ્રદિપભાઇ, રશ્મી અનિલભાઇ જસાણી મંદા કિરીટભાઇ મિઠાણી તેમજ ભામીની સુરેશ દેસાઇ (બેંગલોર)ના માતુશ્રી, કૌશલ (ટીસીએસ)ના દાદી, સ્વ.ડાયાભાઇ તથા સ્વ.પ્રવિણભાઇના ભાભી તેમજ જેતપુર  વાળા  કાગદી છોટાલાલ પારેખના દિકરીનું તા.૪ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.પને ગુરૂવારે સાંજે ૪-૩૦ કલાકે પારસધામ દેરાસર, નિર્મલા રોડ, ફાયર બ્રિગેડની પાછળ, રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

નર્મદાબેન મોટલા

ભાટીયા : જામરાવલ નિવાસી હાલ રાજકોટ સ્વ. નર્મદાબહેન ખીમજીભાઇ મોટલા જે ભરતભાઇ અને મુકેશભાઇ તથા ભીખુભાઇના માતુશ્રીનું અવસાન તા. ૩૦ના થયેલ જેની પ્રાર્થના સભા સાદડી આજે તા.પ ગુરૂવારે બપોરે ૪ થી પ સુધી જામરાવલ મુકામે, રાવલ લોહાણા મહાજન વંડીએ ભાઇઓ તથા બહેનોની સાથે રાખેલ છે.

બાયરાજબા ચુડાસમા

ગોંડલઃ બેટાવડ નિવાસી બાયરાજબા નોંઘુભા ચુડાસમા તે ભોજુભાના માતુશ્રી તથા ગંભીરસિંહ, સહદેવસિંહના કાકી અને રાજદીપસિંહ, મયુરસિંહ, કુલદીપસિંહ, કૃષ્ણરાજસિંહ તેમજ ભાગ્યરાજસિંહના દાદીમાંનુ તા. ૩ના રોજ અવસાન થયેલ છે. ઉતરક્રિયા તા. ૯ના રોજ બેટાવડ રાખેલ છે.

મીનાબેન મહેતા

મોરબીઃ કૌશીકભાઈ વ્રજલાલ મહેતાના ધર્મપત્ની મીનાબેન (ઉ.વ. ૫૯) તે વસંતભાઈ તથા અશોકભાઈના ભાભી તેમજ અંકિતભાઈ અને હેમાલી કુમારપાળ શાહના માતુશ્રીનું તા. ૪ના રોજ બુધવારે અરિહંતશરણ પામેલ છે.

કુમારભાઈ સોનેજી

જામનગરઃ રાજકોટ નિવાસી કુમારભાઈ વૈકુંઠરાય સોનેજી (ઉ.વ. ૩૬) તે વિધિબેનના પતિ, તમન્નાના પિતા, અરૂણભાઈ મણીલાલ દાંધડા (કૃષ્ણ પ્રેસ-તુષ્મા એન્ટ.) અને સ્વ. વર્ષાબેનના જમાઈ તથા મિલન, વિશાલ, દિપલ, દિશીતા વલેરા-મુંબઈના બનેવીનું તા. ૩૦મીએ અવસાન થયેલ છે. સાદડી ગુરૂવાર તા. ૫ના રોજ શ્રી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, ખંભાળીયા નાકા બહાર, જામનગર બપોરે ૪.૩૦ થી ૫.૦૦ કલાકે ભાઈઓ તથા બહેનો માટે રાખેલ છે.

મીનાબેન મહેતા

મોરબીઃ મોરબી જીલ્લા ફેરપ્રાઇઝ શોપ એસોસીએશન (સસ્તા અનાજની દુકાનો)ના ઉપપ્રમુખ કૌશીકભાઇ વૃજલાલભાઇ મહેતાના ધર્મપત્ની મીનાક્ષીબેન (ઉ.વ.પ૯) તે અંકિતભાઇ અને હેમાલીબેન કુમારપાળ શાહ (વાંકાનેર)ના માતુશ્રીનું તા.૪ ના અવસાન થયેલ છે. ઉઠમણું તા.૬ને શુક્રવારે સવારે ૯.૩૦ થી ૧૦ કલાકે તેમજ પ્રાર્થનાસભા સવારે ૧૦.૩૦ થી ૧૧.૩૦ કલાકે દશાશ્રીમાળી વણીક જ્ઞાતીની વાડી બેંક ઓફ બરોડાની સામે મોરબી ખાતે રાખેલ છે.