અવસાન નોંધ
દેવચડીનાં કારડીયા રાજપુત અગ્રણી ભીખુભા મકવાણાના ધર્મપત્ની સમજુબાનું અવસાન
રાજકોટઃ દેવચડી નિવાસી કારડીયા રાજપુત ભીખુભા જીણાજી મકવાણાનાં ધર્મપત્ની સમજુબા (ઉ.વ.૯૪) તે પ્રતાપસિંહ, રણજીતસિંહ, નવલસિંહ તેમજ સુરેન્દ્રસિંહના માતુશ્રી તથા બળવંતસિંહ તેમજ ચંદ્રસિંહના મોટા બા તેમજ કનકસિંહ, કુમારસિંહ, દિવ્યરાજસિંહ, અનિરૂદ્ધસિંહ, અજયસિંહ, મહિપાલસિંહ, યુવરાજસિંહ, ચૈતન્યસિંહ અને અંશુમાનસિંહના દાદીમાનું તા.૩ને ગુરૂવારનાં અવસાન થયેલ છે. સદ્દગતની ઉતરક્રીયા તા.૧૧નેશુક્રવારે તેમના નિવાસસ્થાન દેવચડી મુકામે રાખેલ છે.
કલ્પનાબેન દવે
રાજકોટ : કલ્પનાબેન રાજેશભાઇ દવે (ઉ.વ.પ૩) તેઓ રાજેશભાઇ જયંતિલાલ દવેનાં ધર્મપત્ની, તેમજ ભરતભાઇ જયંતિલાલ દવેનાં ભાભી, તથા જલ્પાબેન કેતનકુમાર પંડયા (તળાજા-રોયલ), તથા ચિરાગભાઇ-રાજકોટનાં માતુશ્રીનું તા.૩ને ગુરૂવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.પ શનિવારનાં સાંજે ૪ થી ૬, નિવાસસ્થાન કોઠારિયા કોલોની, કવા. નં. પ૪૪, ૮૦ ફુટ મેઇન રોડ, ખાતે રાખેલ છે.
વિક્રમભાઇ ઠાકોર
રાજકોટઃ વિક્રમભાઇ બાબુરામ ઠાકોર (ઉ.વ.૬૬) તે પ્રતાપભાઇના મોટાભાઇ તથા ભરતભાઇ, મનીષભાઇ, અનિલભાઇ (મકાઇ વાડા), ટીનાબહેનના પિતાશ્રી તથા સવિતાબહેનના પતિનું તા.૩ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.પ ને શનિવારે ૪ થી ૬, 'હાર્દિક', મોચીનગર-ર, શેરી નંબર-૩, મોચીનગર મેઇન રોડ, શીતલપાર્ક બી.આર.ટી.એસ. ૧પ૦ ફૂટ રિંગ રોડ ખાતે રાખેલ છે.
ભરતભાઇ લાંધણોજા
રાજકોટઃ (વાણંદ) ભરતભાઇ લાલજીભાઇ લાંધણોજા (ઉ.વ.૬૦) મુ.આટકોટ હાલ રાજકોટ તે લાંધણોજા નાથાભાઇના ભત્રીજા, લાંધણોજા દુર્લભભાઇ તથા નરેશભાઇ આટકોટ વાળાના ભાઇ તથા ઉદય તથા રૂદ્ર (મોન્ટુ)ના પિતાશ્રી તથા વિજયકુમાર બળવંતભાઇ રાઠોડના સસરા તેમજ વિરપુર વાળા સરોજભાઇ મોહનભાઇ ભટ્ટીના જમાઇ તા.૩ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.પના શનિવારે સાંજે ૪ થી ૬ કલાકે રાધેકૃષ્ણ મંદિર એરોડ્રામની પટ્ટી ગાંધીગ્રામ ખાતે રાખેલ છે.
જીવનભાઇ લાડવા
રાજકોટઃ લાડવા જીવનભાઇ હરજીભાઇ (ઉ.વ.૭૧) તે પરસોતમભાઇ હરજીભાઇ લાડવાના નાનાભાઇ તથા કાંતીલાલ હરજીભાઇ લાડવાના મોટાભાઇ તથા વિજયભાઇ જીવનભાઇ લાડવા તથા અજયભાઇ જીવનભાઇ લાડવાના પિતાશ્રીનું તા.રના અવસાન થયું છે. બેસણું તા.૪ના શુક્રવારે સાંજે ૪ થી ૬, દ્વારકેશ પાર્ક શેરી નં.૬, આલાપ ગ્રીન સીટી પાછળ રાખેલ છે.
ભનીબેન સોઢા
વાંકાનેરઃ બારોટ ભનીબેન મુળજીભાઇ સોઢા (ઉ.વ.૮૦) તે કાંતિભાઇ, ચમનભાઇઅને પતુભાઇના માતુશ્રીનું તા.૩ના અવસાન થયુ છે. સદ્દગતનું બેસણું તા.૭ને સોમવારે સાંજે ૪ થી ૬ જીનપરા રંગવાળી શેરી, વાંકાનેર રાખેલ છે.
વજેસંગભાઇ વિસાણી
અમરેલીઃ અમરેલી નિવાસી બારોટ વજેસંગભાઇ નાથાભાઇ વિસાણી (ઉ.વ.૬૭) નિવૃત્ત શિક્ષક તે પ્રદિપભાઇ, દિપકભાઇના પિતાજી તથા અશ્વિનભાઇ (ઉના)ના કાકાનું અમરેલી ખાતે તા.રના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ને શુક્રવારે સાંજે ૪ થી ૬ સુધી જલારામનગર-૧, શેરી નં.ર, હનુમાનપરા રોડ, અમરેલી ખાતે રાખેલ છે. (
ડો. ઝેડ વી. ચૌહાણ
મોટી કુંકાવાવઃ ડો. ઝેડ વી. ચૌહાણ (ઉ.વ.૭૦) તે નાથાભાઇ (ભાવનગર)ના ભાઇ તેમજ મેહુલભાઇ તથા સીધ્ધાર્થ તેમજ સોનલબેન અલ્પેશકુમાર યાદવ (શિહોર) કાજલબેન કમલેશકુમાર બારૈયા (રાજકોટ)ના પિતાશ્રીનું તા.૩ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.પના રોજ સાંજના ૪ થી ૬ લોહાણા મહાજનવાડી, મોટી કુંકાવાવ ખાતે રાખેલ છે.
જયાબેન પરમાર
વિરપુર (જલારામ) ગુર્જર પ્રજાપતી ગં. સ્વ. જયાબેન ડાયાભાઇ પરમાર તે લલીતભાઇ તથા સંજયભાઇ તેમજ રેખાબેન ચંદ્રેશભાઇ ગોરવડાીયા (રાજકોટ)ના માતુશ્રી આશીષ તથા સાવનના દાદીમા તા.રના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ શુક્રવારે ૪ થી ૬ ખાંટ સમાજની વાડી ખાતે રાખેલ છે.
ચંદ્રિકાબેન શેઠ
ગોંડલઃ સ્વ.ઓતમચંદ ધનજી શેઠના પુત્રવધુ અને રાયચંદભાઇ છગનલાલ દોશી (મુંબઇ)ના પુત્રી, તે અ.સૌ. ચંદ્રિકાબેન (ઉ.વ.૭૪) તે જયવંતલાલ શેઠના ધર્મપત્ની અને વિનુભાઇ શેઠના ભાભી, તે જયોતિબેન રાજેશભાઇ શાહ, સમીરભાઇ, દર્શનભાઇના માતુશ્રી તેમજ સોનલબેન, નિશાબેનના સાસુમા, તેમજ કેતનભાઇ, દર્શનાબેન, વિદ્યાબેનના ભાભુ તા.૩ ગુરૂવારે અરિહંત શરણ પામેલ છે. તેમનું ઉઠમણું તથા પ્રાર્થનાસભા તા.પ શનિવારે સવારે ૧૦-૦૦ કલાકે, ૧૭-સ્ટેશન પ્લોટ, હેમવાડી, ગોંડલ ખાતે રાખેલ છે.
પ્રદિપભાઇ કાચા
રાજકોટઃ સ્વ.મગનલાલ એસ. કાચાના પુત્ર પ્રદિપ મગનલાલ કાચા જેઓનો તા.રના અક્ષરવાસ થયેલ છે. જે ગૌરાંગ પી. કાચા, મયુરી પી. જેઠવાના પિતાશ્રી તથા નિમેશભાઇ કાચાના મોટાભાઇ તથા પ્રકાશકુમાર આર. જેઠવાના સસરાનું બેસણું તા.પના સાંજે ૪ થી ૬ રણુંજા મંદિર, કોઠારીયા મેઇન રોડ ખાતે રાખેલ છે.
ભરતકુમાર જામવેચા
ગોંડલઃ સોની ભરતકુમાર કાંતિલાલ જામવેચા (ઉ.૬૦) (ધોરાજીવાળા) સ્વ. મધુસુદનભાઇ કાંતિલાલ જામવેચાના
શાંતિભાઇ જોષી
રાજકોટ : ગોંડલ નિવાસી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ શાંતિભાઇ શામળજીભાઇ જોષી તે કમળાબેન જોષીના પતિ ઉ.વ.૭૦ નું જે સુભાષભાઇ (પાલીતાણા) તથા હસમુખભાઇ ગોંડલના પિતાજી તથા સમીરભાઇ (મુંબઇ), ચિરાગભાઇ (વડોદરા) તથા હીરેનભાઇ ગોંડલના દાદા અને ઉમંગના પરદાદા તથા ગીરીશકુમાર મહેતા અમદાવાદના સસરાનું તા. ૩ ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૭ ને સોમવારે બ્રહ્મક્ષત્રીયની વાડી હવેલી શેરી મોટી બજાર ગોંડલ મુકામે રાખેલ છે.(પ.૧૮)
ભુપતભાઇ જોષી
રાજકોટઃ જેતપુર નિવાસી સારસ્વત બ્રાહ્મણ જોષી ભુપતભાઇ નરોત્તમભાઇ (ઉ.વ.૭૦) તે વિપુલભાઇ દિવ્યેશભાઇ, હેમાલીબેન તથા નિશાબેનના પિતાશ્રીનું તા. ૦૩ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા. ૦૫ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે દરજી જ્ઞાતિની વાડી, ખોડપરા, ગોપાલવાડી રોડ જેતપુર રાખેલ છે.
મગનભાઇ ગોંડલીયા
રાજકોટ : ગોંડલીયા મગનભાઇ કાનજીભાઇ (વાટલીયા પ્રજાપતી) (ઉ.વ.૭ર), તે જયાબેન ગોંડલીયાના પતિ તથા નીલેષભાઇ, રાજેશભાઇના પિતાશ્રી, તા. ૩ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા. પ ને શનિવારે સાંજે ૪ થી ૬, તેમના નિવાસ સ્થાન કોઠારીયા રોડ, નંદા હોલ પાછળ, પ૦ ફુટ રોડ, ખોડીયાર કોલોની, મુરલીધર ટેઇલરની બાજુમાં રાજકોટ રાખેલ છે.
છગનભાઈ નારીયા
રાજકોટઃ વાડોદર નિવાસી છગનભાઈ ચનાભાઈ નારીયા (ઉ.વ.૮૬) તે જે.સી.નારીયા- રાજકોટ, હરેશ નારીયા- (વાડોદરા) તથા વિપુલ નારીયાના પિતાશ્રીનું તા.૩ના રોજ રાજકોટ મુકામે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.૪ને શુક્રવારે સાંજે ૪ થી ૬ વાગ્યે સોમેશ્વર મહાદેવ મંદિર, રવિરત્ન પાર્ક સોસાયટી, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખુેલ છે તથા સદ્દગતનું બેસણું તા.૫ને શનિવારે તેમના નિવાસસ્થાન વાડોદર ખાતે રાખેલ છે.
દિપાલીબેન રાચ્છ
રાજકોટઃ જીયાણાવાળા હાલ રાજકોટ દિપાલીબેન (ઉ.વ.૪૪) તે ગૌ.વા.શાંતીલાલ ભુરાભાઈ રાચ્છના પુત્રવધુ, તે જયેશભાઈ રાચ્છ (સુપ્રિ- જીએસટી)ના ધર્મપત્ની, તે સ્વ.રાજેશભા તથા પ્રફુલભાઈના નાનાભાઈના પત્ની તે સ્વ.ઈન્દ્રવદનભાઈ મોહનલાલ ભીમજીયાણી (જુનાગઢ)ના પુત્રી, તે જીજ્ઞેશભાઈ તથા તેજસભાઈના બહેન તા.૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તેમજ પિયરપક્ષની સાદડી તા.૫ શનિવાર સાંજે ૫ કલાકે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ પ્લોટ, હરીહરચોક, રાજકોટ ખાતે રાખેલ છે.
રણછોડભાઈ ઉનાગર
રાજકોટઃ બાટલીવાળા પ્રજાપતિ રણછોડભાઈ ચકુભાઈ ઉનાગર (ઉ.વ.૮૦) જેઓ મહેશભાઈ તથા હરેશભાઈના પતિશ્રીનું અવસાન થયેલ છે. તેઓનું બેસણું તા.૫ને શનિવારના રોજ તેમના નિવાસસ્થાને સાંજે ૪ થી ૬ કોઠારીયા મેઈન રોડ હુડકો પ્લોટ ચોકી પાછળ મધુવન પાર્ક, મારૂતિ મંદિર સામે રાજકોટ ખાતે રાખેલ છે.
યતિનભાઈ સુરેલીયા
રાજકોટઃ ગુર્જર સુતાર યતિનભાઈ (ઉ.વ.૩૮) તે કાંતિભાઈ તથા મંજુલાબેન સુરેલીયાના પુત્ર ચાંદનીના પતિ ચંદુભાઈ સુરેલીયાના ભત્રીજા અમીતભાઈ તથા રવિભાઈના મોટાભાઈ તથા કિશોરભાઈ ગોરધનભાઈ ઉમરાડીયા (જામજોધપુર)ના જમાઈ અલ્પેશભાઈના બનેવીનું તા.૩ ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
સ્વ.નું બેસણું તા.૫ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ ૭/૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ ખાતે રાખેલ છે. (બંન્ને પક્ષનું બેસણું સાથે રાખેલ છે)
બાજુબા જાડેજા
રાજકોટઃ મૂળ વતન મોટી ખોખરી (ઘનશ્યામપુર) તા.પડધરી હાલ રાજકોટ નાથુભા પોપટભી જાડેજાના નાનાભાઈ માવુભાના ધર્મપત્ની બાજુબા તે ખેરવાવાળા ગંભીરસિંહ ચકુભા ઝાલાના બહેન તેમજ રામનાથ ઓટો કન્સલ્ટન્ટ જયપાલસિંહ, વિરેન્દ્રસિંહના માતુશ્રી તથા નરેન્દ્રસિંહના કાકીમાંનું તા.૩ ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૫ શનિવારે, નટેશ્વર મહાદેવ મંદિરે, ૮૦ ફૂટ રોડ, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે અને તેમની ઉતરક્રિયા તા.૧૦ શુક્રવારના રોજ તેમના નિવાસ સ્થાને કોઠારીયા કોલોની- ૩૦૪, વીમા દવાખાના સામે, રાજકોટ ખાતે રાખેલ છે.
મંજુલાબેન મોદી
રાજકોટઃ મંજુલાબેન દોલતભાઈ મોદી (ઉ.વ.૮૫) તે સ્વ.દોલતભાઈ નૌતમલાલ મોદીના ધર્મપત્ની તે તૃપ્તીબેન ભરતભાઈ સંઘરાજકા, માલાબેન કિરણભાઈ પારેખ તથા પ્રશાંતભાઈના માતુશ્રી તા.૩ના ગુરૂવાર અરિહંત શરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૫ને શનિવારે, સાંજે ૪ કલાકે, વિરાણી પૌષધશાળા ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.