Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022
પૂર્વ સાંસદ હરિભાઇના ભાઇ તથા સ્‍ટે. ચેરમેન પુષ્‍કર પટેલના કાકાનું અવસાન

કાલે વડોદરા તથા ગુરૂવારે વાવડી ખાતે બેસણુ

રાજકોટ : મુળ મોટી વાવડી, હાલ વડોદરા નિવાસી અમૃતલાલ માધવજીભાઇ ડઢાણીયા તેઓ પોરબંદરના ભૂતપૂર્વ સાંસદ હરિભાઇ ડઢાણીયા (પટેલ) તથા હેમંતભાઇ ના ભાઇ, અભયભાઇ, ગૌતમભાઇના પિતાશ્રી અને રાજકોટ મનપા સ્‍ટે. કમીટીના ચેરમેન પુષ્‍કરભાઇ પટેલના કાકાનું તા. ૩ ના રવિવારે વડોદરા ખાતે અવસાન થયું છે. સદ્‌્‌ગતનું બેસણું આવતીકાલે તા. પ ને  મંગળવારે સવારે ૯ થી ૧૧ પુરૂષોતમ પાર્ટી પ્‍લોટ, વાસણા - ભાયલી વડોદરા ખાતે રાખેલ છે. જયારે મોટી વાવડી ખાતે તા. ૭ ગુરૂવારે સવારે ૮ થી ૧૦-૩૦ પટેલ સમાજ ખાતે રાખેલ છે. 

અવસાન નોંધ

જયશ્રીબેન આડેસરા

રાજકોટઃ અ.નિ.સોની જયશ્રીબેન દિનેશભાઈ આડેસરા (ઉ.વ.૫૫) તે અ.નિ. સોની ચંદુલાલભાઈ પ્રેમચંદભાઈ આડેસરા (કાંઢવાળા)ના પુત્રવધુ તે સોની દિનેશભાઈ ચંદુલાલ આડેસરાના પત્‍નિ તે રાજુભાઈ, લલિતભાઈ, મિનાબેન તેમજ મહેશભાઈના ભાભી તે ધર્મેશભાઈ, રાજનભાઈ તેમજ જીજ્ઞાશાબેનના માતુશ્રી તે ગો.વા.સોની મોહનલાલ કરશનદાસ પારેખના પુત્રી તે સોની પ્રવિણભાઈ મોહનલાલ પારેખના બહેન તા.૩ને રવિવારના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું  બન્‍ને પક્ષનું બેસણું તા.૪ના સોમવારે રાણીંગા વાડી કાંતાશ્રી વિકાસગૃહ રોડ મિલપરા ખાતે સવારે ૧૦:૩૦ થી ૧૨ કલાક સુધી રાખેલ છે.

પ્રવિણચંદ્ર તન્‍ના

રાજકોટઃ પ્રવિણચંદ્ર તુલસીદાસ તન્‍ના (ઉ.વ.૬૮) તેઓ પિયુષભાઈ તથા ગૌરવભાઈ (ગોપાલ)ના પિતાશ્રી તેમજ પુષ્‍પાબેનના  પતિ તથા હસુમતીબેનના ભાઈ તથા દિનેશભાઈ ગોરધનભાઈ લાખાણી (અમદાવાદ)ના બનેવી તથા તન્‍વી અને ધૈર્યના દાદાનું તા.૩ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી આર્યનગર શેરી નં.૧ આયેશ્વર મહાદેવ મંદિર રાજકોટ ખાતે તા.૪ના સોમવાર સાંજે ૪ થી ૫ રાખેલ છે.

દેવચંદભાઈ મજીઠીયા

રાજકોટઃ ઠા.દેવચંદભાઈ મંગળજીભાઈ મજીઠીયા, મૂળ પીઠડ હાલ રાજકોટ (ઉ.વ.૯૩) તે સ્‍વ.પ્રભુદાસભાઈ એમ. મજીઠીયા તેમજ ડો.ગુલાબરાઈ મજીઠીયા તેમજ  સુરેશભાઈ, રમેશભાઈ અને કિશોરભાઈ તથા પુષ્‍પાબેન ઠકરાર, કુસુમબેન પુજારા (અયોધ્‍યા) તથા જશુબેન તેજુરાના પિતાશ્રી તથા પ્રશાંત, ગૌરવ, પ્રતીક અને હર્ષિતભાઈના દાદા તા.૩ રવિવારે શ્રી રામ શરણ પામેલ છે. તેઓશ્રીનું ઉઠમણું  તા.૪ના સોમવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ કલાકે સોમેશ્વર મહાદેવ મંદિર, રવિરત્‍ન પાર્ક-૩, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૩૭૬૫ ૦૧૧૧૦ 

પૂષ્પાબેન દામાણી

રાજકોટઃ સ્વ.કાંતિલાલ મોહનલાલ દામાણીના પુત્ર સ્વ.ભુપેન્દ્રભાઈનાં ધર્મપત્નિ પુષ્પાબેન (ઉ.વ.૭૮)નું તા.૨નાં અવસાન થયેલ છે. તેઓ મિતલબેનનાં માતુશ્રી તેમજ જીતુભાઈ નિપુલભાઈ તથા દિનેશભાઈનાં ભાભી તથા મોટી મોણપરીવાળા, સ્વ.દુર્લભજીભાઈ પાનાચંદ નાગવદરીયાનાં દિકરી થાય. તેમનું ટેલીફોનીક બેસણું સોમવાર તા.૪ના સાંજે ૪ઃ૩૦ થી ૬ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. મીતલબેન મો.૯૮૨૪૮ ૦૧૫૨૦, જીતેન્દ્રભાઈ મો.૯૮૨૪૮ ૮૩૬૦૮, નિપુલભાઈ મો.૯૮૨૪૫ ૦૩૩૩૮, દિનેશભાઈ મો.૯૮૨૪૨ ૦૨૯૧૫ (૩૦.૫)

યોગેન્દ્ર વ્યાસ

રાજકોટઃ યોગેન્દ્ર ગીરધરલાલ વ્યાસ તે સ્વ.ભદ્રેશભાઈ તેમજ અરૃણભાઈ વ્યાસ અને વસંતબહેન જાનીના લઘુબંધુનું તા.૧ના શુક્રવારે મુંબઈ ખાતે અવસાન થયેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

દિલીપભાઈ ગોટેચા

રાજકોટઃ મુંબઈ નિવાસી હાલાઈ લોહાણા દિલીપભાઈ હરિલાલ ગોટેચા (ઉ.વ.૭૪)નું તા.૨ના દુઃખદ અવસાન થયેલ છે. તે સ્વ.પુષ્પાબેન, સ્વ.હરિલાલ ગોટેચાના પુત્ર, તથા મિનાક્ષીબેન ગોટેચાના પતિ, ધર્મેશભાઈ, માનસીબેન, શ્રધ્ધાબેનના પિતાશ્રી તથા રુચીબેન ગોટેચા, પ્રશાંતભાઈ ચંચલ (રાજકોટ), મહેશભાઈ ભાટીયા

(મુંબઈ)ના સસરા, મોક્ષના દાદા તથા હિમાંશુ, કાર્તિક, સ્વરાના નાના થાય છે.(લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)

નટવરલાલ જોબનપુત્રા

રાજકોટઃ સ્વ. હિરાલાલ શામજી જોબનપુત્રા ટંકારાવાળાના પુત્ર નટવરલાલ તે સ્વ. હિંમતલાલ, વલ્લભદાસ, સ્વ. ચંદુલાલ, સ્વ. જયંતિભાઇ, સ્વ. નવિનભાઇ તથા ધર્મેન્દ્રભાઇ, રશેષભાઇ, રીન્કુભાઇના  પિતાશ્રી અને વૃજલાલ સુંદરજી ભોજાણીના  જમાઇ તા.૨ને શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તથા શ્વસુર પક્ષની સાદડી તા.૪ને સોમવારે સાંજે ૫થી ૬ શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતીની વાડી ૮૦, ફુટ રોડ પ્રજાપતિ જ્ઞાતિની વાડી સામે લાખના બંગલા પાસે ગાંધીગ્રામ રાજકોટ ખાતે રાખેલ છે.

રસીલાબેન રાવલ

રાજકોટઃ ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ ગં.સ્વ.રસીલાબેન કાંતિલાલ રાવલ(ઉ.વ.૭૨) તે સ્વ. કાંતિલાલ દામોદર રાવલના ધર્મપત્નિ, તે નેહલ રાવલના માતૃશ્રી, તેજસ રાવલના સાસુ (રાજકોટ) તથા કમલેશ (જૂનાગઢ), ભારતીબેન અને  પ્રજ્ઞાબેન (વડોદરા) ના કાકીનું દિનાંક ૩ના રોજ રાજકોટ ખાતે દુઃખદ અવસાન થયેલ છે સદ્દગતનું બેસણું ૦૪ને સોમવારે સાંજે ૪થી ૫ કલાકે એમના નિવાસ સ્થાન ડી–૧, શાંતિનિકેતન એવેન્યુ, રૈયારોડ, રાજકોટ ખાતે રાખેલ છે. કમલભાઇ રાવલ ૯૪૨૮૧ ૮૭૯૯૯