Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019
અવસાન નોંધ

પડધરી કોંગ્રેસ અગ્રણી દેવાભાઇ ડોડીયાનાં પુત્રનું અવસાન

પડધરીઃ પડધરી નિવાસી સિનિયર કોંગ્રેસ અગ્રણી દેવાભાઇ જીણાભાઇ ડોડીયા (કારડીયા રાજપૂત)ના પુત્ર. સ્વ. વિશાલભાઇ ડોડીયા (ઉ.વ.૩૯) તે મહાવીરના પિતાશ્રી તથા યશના મોટા બાપુનું તા. ૩ને રવિવારે અવસાન થયેલ છે. સદ્દગત આત્માનો લોૈકિક વ્યવહાર તેમના નિવાસ સ્થાન પડધરી મુકામે રાખેલ છે.સમાજ શ્રેષ્ઠીઓ, સામાજીક અને રાજકીય અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં સ્નેહીજનો સ્મશાન યાત્રામાં જોડાયેલા હતા. પડધરી શહેરની તમામ દુકાનો બપોરનાં ર થી ૪ બંધ પાળી શ્રધ્ધાંજલી અર્પી હતી.રાજ્યના પાણી પુરવઠા કેબીનેટ મંત્રી માન.શ્રી કુંવરજીભાઇ બાવળિયા પણ ઉપસ્થિત રહ્યાં હતા.

રામજીભાઇ સોની

રાજકોટઃ સોની રામજીભાઇ સવજીભાઇ વાળા સોની પ્રભુદાસ દામોદરદાસ પાટડીયાના સુપુત્ર તે પ્રબોધભાઇ, સુરેશભાઇ, હરેશભાઇ તથા રાજુભાઇના ભાઇ તે અમિત તથા કાજલના પિતાશ્રી હર્ષદભાઇ પ્રભુદાસ પાટડીયા (ઉ.વ.૬૭) તે ટંકારાવાળા કાંતિલાલ હીરજીભાઇ રાણપરાના જમાઇ તે હસમુખભાઇના બનેવી તા.૩-૨-૧૯ના રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. બંન્ને પક્ષનું બેસણું તા. ૪-૨-૧૯ સોમવારના સાંજે ૪.૩૦ થી પ.૩૦ કલાકે શ્રી રામઝરૂખા મંદિર કોઠારીયા નાકા ખાતે રાખેલ છે.''લોૈકિક વ્યવહાર બંધ રાખેલ છે.''

પ્રવિણભાઇ શાહ

રાજકોટઃ રાજકોટ નિવાસી   પ્રવિણભાઇ ગિરધરલાલ શાહ (પટ્ટણી) (ઉ.વ. ૮૩) તે નિકેશભાઇ શાહ (નિકેશ ટુલ્સ) તથા પરાગભાઇ શાહ (પરાગ મશીન ટુલ્સ) તથા હર્ષાબેન ભરતભાઇ મહેતા (બેંગલોર) ના પિતાશ્રી તા. ૩ ને રવિવારે અરીહંતશરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા. ૪ ને સોમવારે સાંજે ૪ થી ૫ કલાકે પારસ ધામ દેરાસર, ફાયર બ્રિગેડની પાછળ, નિર્મલા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

 વસનજીભાઇ રાયઠ્ઠઠા

 રાજકોટઃ વસનજીભાઈ જમનાદાસભાઈ રાયઠ્ઠઠા(ઉ.વ.૮૨) (જેતપુર વાળા હાલ રાજકોટ જે કિરીટભાઈ, સ્વ. પ્રફુલભાઈ, સંજયભાઈ વિપુલભાઈ (જય ગુરુદેવ કાર ડેકોર વાળા) તેમજ સંગીતા અનિલભાઈ વડેરીયા. (કુકાવાવ વાળા) ના પિતાશ્રી  તથા જેતપુર વાળા સ્વ. દલસુખભાઈ આડતિયા તેમજ સ્વ. નંદલાલભાઇ આડતિયાના બનેવી અને અંકિત તથા દીપના દાદા તા.૩ના રોજ શ્રીજી ચરણ પામેલ છે.  સદ્ગતનું  ઉઠમણું તા. ૪ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૫ ,  ગોકુલધામ રેસીડેનસી, શિવ આરકેટ,અમર ડેરી પાસ,મોરબી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ઉષાબેન કારીયા

રાજકોટઃ સ્વ.શ્રી છોટાલાલજી કારીયાના પુત્ર શ્રી હસમુખભાઇના ધર્મપત્નિ ઉષાબેન હસમુખભાઇ કારીયા કે જે નવિનભાઇ અને સ્વ. જશવંતભાઇના ભાભી તેમજ શ્રી કૃણાલ અને શ્રી ચીંતનના માતુશ્રી (ઉ.વ.૬૦) નું અવસાન તા.૨ના રોજ થયેલ છે. તે સ્વ. શ્રી ઓધવજીભાઇ દયાળજીભાઇ પોપટના પુત્રી તેમજ શ્રી નવિનભાઇ, અરવિંદભાઇ મહેન્દ્રભાઇ, લલિતભાઇ અને નિતિનભાઇના બહેન અને શ્રી ચેતન, હિમાંશુ અને ખોડીદાસ (લાલાભાઇ)ના ફઇબાનું અવસાન થયેલ છે. જેનુ ઉઠમણું તા.૪ સોમવારે સાંજે ૫ વાગ્યે પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ ખાતે રાખેલ છે.

હર્ષદભાઇ પાટડીયા

રાજકોટઃ સોની રામજીભાઇ સવજીભાઇ વાળા સોની પ્રભુદાસ દામોદરદાસ પાટડીયાના સુપુત્ર તે પ્રબોધભાઇ, સુરેશભાઇ, હરેશભાઇ તથા રાજુભાઇના ભાઇ તે અમિત તથા કાજલના પિતાશ્રી હર્ષદભાઇ પ્રભુદાસ પાટડીયા (ઉ.વ.૬૭) તે ટંકારાવાળા કાંતીલાલ હીરજીભાઇ રાણપરાના જમાઇ તે હસમુખભાઇના બનેવી તા.૩ને રવિવારે શ્રીજી ચરણ પામેલ છે. બંને પક્ષનું બેસણું તા.૪ સોમવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ શ્રીરામઝરૂખા મંદિર કોઠારીયા નાકા ખાતે રાખેલ છે. (લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.)

ચીમનલાલ સુચક

રાજકોટઃ મેંદરડા નિવાસી હાલ રાજકોટ ચીમનલાલ મેઘજીભાઇ સૂચક (ઉ.વ.૯૦) તે  હિતેશભાઇ સૂચક તથા ધીરૂભાઈ સૂચક, (અવધ નમકીનવાલા) તથા કિશોરીબેન, (કિરણબેન કૌશિકકુમાર મસરાણી- સાવરકુંડલા)ના પિતાશ્રી  તે  લીલાધર   ગોવિદજી માખેચાં (વેરાવળ વાળા)  ના જમાઈ તા. ૩ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૪ને  સોમવારના રોજ સાંજે ૪ થી પ કલાકે રણુજા મંદિર, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મોસાળ પક્ષની સાદડી સાથે રાખેલ છે

કિરીટકુમાર શીંગાળા

રાજકોટઃ સ્વ. મોહનલાલ જેઠાલાલ શીંગાળાના પુત્ર કિરીટકુમાર મોહનલાલ શીંગાળા વ્યાખ્યાતા (સિવીલ એન્જીનીયર) રીટાયર્ડ ગવર્મેન્ટ પોલીટેકનીક રાજકોટ (ઉ.વ.૮૦) તે વિરેન્દ્રભાઇ (સિવીલ હોસ્પીટલ રાજકોટ) તથા જીતેન્દ્રભાઇના પિતાશ્રી તે ચી.પાર્થ (નિરમા યુનિવર્સીટી) ચી. કિશન (સંગીત વિસારદ), ચી. મેઘાના દાદા તથા સ્વ. નટવરલાલ, સ્વ. જયંતિલાલ, મનસુખલાલ તથા ગીરીશકુમારના ભાઇ તે સ્વ. પ્રેમજીભાઇ ડાયાલાલ કારીયાના બનેવી શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું ભાઇઓ તથા બહેનોનું સાથે તા.૪ના રોજ સાંજે ૪: ૩૦ થી ૫:૩૦ ધારેશ્વર મંદિર ભકિતનગર સર્કલ પાસે રાખેલ છે. મોસાળ પક્ષની સાદડી સાથે રાખેલ છે.

 હિરાભાઇ વસવેલીયા

રાજકોટઃ મૂળ ગામ દહિંસરડા (આજી). હાલઃ  રાજકોટ નિવાસી વરીયા વૈષ્ણવ પ્રજાપતિ હીરાભાઈ તુલસીભાઈ વસવેલીયા, (ઉ.વ.આ.-૬૫), તેઓ જીતુભાઈ તથા બિહારીભાઈના પિતાશ્રી તા. ૨ને શનિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે.  તેમનું બેસણું તા. ૪ને સોમવારે બપોરે ૩ થી ૫ દરમ્યાન તેમના નિવાસ સ્થાને અવંતિપાર્ક-૧, શિતલપાર્ક મેઈન રોડ, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે રાખેલ છે. તેમની ઉત્ત્।રક્રિયા તા. ૧૨ને મંગળવારે બપોરના સમયે પ્રજાપતિની વાડી, ૧૨-બજરંગવાડી, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.   

દિનેશભાઇ સભાયા 

રાજકોટઃ દિનેશભાઇ ચનાભાઇ સભાયા (ઉ.વ.૬૦) (પટેલ પાન, લોધાવાડ ચોક) તે નટુભાઇ, રમણિકભાઇ, પ્રવિણભાઇ ના ભાઇ તથા ધવલના પિતાશ્રી તેમજ ઉર્વેશકુમાર નારણભાઇ અકબરીના સસરા તા. ૩ને રવિવારના રોજ અક્ષરધામ ગમન થયેલ છે. બેસણું તા. ૪  સોમવાર,સાંજે ૪ થી ૫-૩૦ સ્થળ અલ્કા સોસાયટી હોલ, મવડી મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રમાબેન સેલારકા

ધોરાજીઃ રમાબેન હરિભાઇ સેલારકા (ઉ.૭૫) તે હરિભાઇ રાણાભાઇ સેલારકાના પત્ની તેમજ પ્રવિણભાઇ સેલારકા (સંગ્રામજી હાઇસ્કૂલ ગોંડલ) તેમજ વિજયભાઇ સેલારકા (ડો. સુભાષ એકેડેમી જુનાગઢ)ના માતુશ્રીનું તા. ૨ને શનિવાર અવસાન થયેલ છે. બેસણું તા. ૪ને સોમવારે સાંજે ૪ થી ૬ સુખડીયા સમાજ હિરપરા વાડી ધોરાજી ખાતે રાખેલ છે.

વંદિતકુમાર સવસાણી

ટંકારાઃ વંદિતકુમાર કિરીટભાઇ સવસાણી (ઉ.વ.૧૨) તે કિરીટભાઇ સવસાણીના પુત્ર, નારણભાઇ જાદવભાઇ સવસાણીના પૌત્ર અને જયસુખભાઇ સવસાણીના ભત્રીજાનું તા.ર ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૪ને સોમવારના રોજ સવારે ૯ થી ૧૧ કલાકે પટેલ સમાજ વાડી હિરપરા તા. ટંકારા ખાતે રાખેલ છે.

રમેશપરી દયાલપરી

મોરબીઃ ગોસ્વામી રમેશપરી દયાલપરી (ઉ.વ.૪૯) તે દયાલપરી શિવપરીના પુત્ર તેમજ હરેશપરીના ભાઇ તથા ઋત્વિકપરીના પિતાનું તા. ૩૧ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૪ને સોમવારે બપોરે ૩ થી પ કલાકે નિવાસસ્થાને ગામ ધરમપુર શંકર ભગવાનના મંદિર પાસે તા. મોરબી રાખેલ છે.

રાજેશભાઇ અગ્રાવત

જેતલસરઃ રામાનંદ સાધુ સ્વ. ભકિતરામ નવલરામ અગ્રાવતના પુત્ર રાજેશભાઇ ભકિતરામ અગ્રાવત (જેલસર ગ્રામપંચાયતના કર્મચારી) (ઉ.વ.૪૩) તે જગદીશભાઇ તથા ગીરીશભાઇના નાના ભાઇનું તા. ર ના રોજ રામચરણ પામેલ છે.

યશવંતરાય માટલીયા

શ્રી યશવંતરાય વૃજલાલ માટલીયા  (ઉ.વ.૮૫)  ગં. સ્વ. ચંદ્રીકાબેન યશવંતરાય માટલીયાના પતિ, જયેશભાઇ જીતેનભાઇ રીટાબેન રોહિતભાઇ દોમડીયા, બીનાબેન અતુલભાઇ મહેતાના પિતાશ્રી, નીતાબેન જયેશભાઇ તથા ભારતીબેન જીતેનભાઇના ના સસરા, શ્રી મહિપતભાઇ, અશોકભાઇના મોટાભાઇ, રાજ, રિધ્ધી, માનસી, કવિતાના દાદા, કાર્તિક, પ્રતિક, હિરલ,નિધિના નાનાશ્રી સ્વ. નારણદાસ પિતાંબર મહેતાના જમાઇ તા.૩ના રોજ નવકાર મંત્રનું સ્મરણ કરતા અરિહંત શરણ પામેલ છે.  લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

હરેશભાઇ ભટ્ટ

ગોંડલ :  સોરઠીય શ્રીગોૈડ માલવીય બાહ્મણ  મુળ ધોરાજી હાલ ગોંડલ તે હરેશભાઇ  મનસુખલાલ ભટ્ટ ઉ.વ. ૬૩ તે ભાર્ગવ, મુકુલ (મિલન) ના પિતા, ભરતભાઇ ના ભાઇ, ધીરજલાલ મોતીલાલ દવે  સોંદરડા કેશોદના જમાઇ નું તા. ૦૧ ના અવસાન થયેલ છે. બેસણું તા. ૦૪ ને સોમવારે સાંજે ૪ થી ૬ સોની વાડી, સ્ટેશન પ્લોટ ગોંડલ ખાતે રાખવામાં આવેલ છે.

દિશાબેન જોધાણી

ગોંડલ :  દિશાબેન મુકેશભાઇ જોધાણી (ઉ.વ.૩૮) નું અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૪ ને સોમવારે સાંજે ૫.૦૦ કલાકે '' સિંધુભવન'' ૬ મહાદેવ વાડી, ગોંડલ ખાતે રાખવામાં આવેલ છે.

શારદાબેન ગોસાઇ

ચલાલા :  દેવળિયા (ચક્કરગઢ) નિવાસી ગં.સ્વ. શારદાબેન વિલાસપુરી ગોસાઇ (ઉ.વ. ૬૫) તે કેતનપુરી અને હિરેનપુરીના માતુશ્રી તેમજ ચિમનપરી, મહારાજપુરી, (અંકલેશ્વર)  ના નાનાભાઇ ના પત્ની, તેમજ ભરતપુરી (વડોદરા) ના ભાભી  તથા  દુર્ગેશપુરી (વડોદરા) ના મોટાબા, તા. ૩ ને રવિવારના દેવળીયા મુકામે  કૈલાસવાસી થયેલ છે.

વર્ષાબેન કાત્રોડીયા

ધોરાજી : કાત્રોડીયા વર્ષાબેન મનસુખલાલ (ઉ.વ.૭૭) તે જીતેન્દ્રભાઇ, હરેશભાઇ, ભાવેશભાઇ કાત્રોડીયા ના માતુશ્રી નું તા. ર ને શનિવારે અવસાન થયેલ છે. બેસણું તા. ૪ નેસોમવારે સાંજે ૪ થી ૫ મચ્છુ કઠિયા સઇ સુથાર ની વાડી (દરજીની વાડી) ચમડીયાના કુવા પાસે, ધોરાજી ખાતે રાખેલ છે.

રમેશપરી ગોસ્વામી

મોરબી : ગોસ્વામી રમેશપરી દયાલપરી (ઉ.૪૯) તે દયાલપરી શિવપરીના પુત્ર તેમજ હરેશપરીના ભાઇ તથા રૂતવીક પરીના પિતાનું તા.૩૧ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૪ને સોમવાર ૩ થી પ તેમના નિવાસસ્થાને ધરમપુર શંકર ભગવાનના મંદિર પાસે રાખેલ છે.

કમળાબેન કથ્રેચા

રાજકોટઃ ગુર્જર સુતાર (અરડોઇ વાળા) હાલ રાજકોટ સ્વ.કમળાબેન ભાણજીભાઇ કથ્રેચા તે ભાણજીભાઇ જીવનભાઇ કથ્રેચાના ધર્મપત્ની તથા ચિમનભાઇ, સ્વ.કિશોરભાઇ તથા હરસુખભાઇના માતુશ્રીનું તા.રના અવસાન થયેલ છે. સ્વ.નું બેસણું તા.૪ના સોમવારે સાંજે ૪ થી ૬, શ્યામ મંદિરે, પીરવાડી પાસ,ે ગોંડલ ચોકડી પાસે રાખવામાં આવેલ છે.

રૂક્ષ્મણીબેન રાઠોડ

જોડીયાઃ લુહાર સ્વ.રૂક્ષ્મણીબેન માવજીભાઇ રાઠોડ (ઉ.વ.૯૩) તે બટુકભાઇ, હકાભાઇ (પ્રકાશ)ના માતુશ્રી તથા ધીમંતના દાદીમાનું અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૪ને સોમવારે સાંજે ૪ થી પ, લુહાર ફળી જોડીયા મુકામે તથા બેસણું નટુભાઇ રાઠોડના નિવાસસ્થાને તા.૭ને ગુરૂવારે શકિત કૃપા, પ,ન્યુ ખોડીયાર સોસાયટી રાજકોટ ખાતે રાખેલ છે.

મેઘાબેન મેર

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય સ્વ.ભાયલાલ હંસરાજ મેરના પુત્ર પ્રિતમલાલના દીકરી કુ. મેઘાબેન (ઉ.વ.૩૦) તે હરકાન્તભાઇ, શિરીષભાઇ, અશોકભાઇ, મુકેશભાઇ તથા નવનીતભાઇના ભત્રીજી તે શૈલેષ, વિશાલ, અભીષેક, જીતેષ, જીત, ઋત્વિક, જેનીશ, દક્ષના બહેન તથા મલય, દર્શનના ફઇ આજરોજ તા.૩/ર/૧૯ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમની પ્રાર્જનાસભા તા.૪ને સોમવારના રોજ સાંજે પ થી ૬, બ્રહ્મક્ષત્રિય વાડી ખત્રીવાડ ખાતે રાખેલ છે.

દિનાબેન ત્રિવેદી

રાજકોટઃ શ્રીમાળી બ્રાહ્મણઃ સ્વ.લક્ષ્મીશંકર વલ્લભદાસ ત્રિવેદી (દ્વારકા નિવાસી)નાં સુપુત્ર ચિ. તરૂણભાઇનાં ધર્મપત્ની દિનાબેન તરૂણભાઇ ત્રિવેદી (રાજ. મ્યુ. કોર્પો.)નું તા.રના અવસાન થયેલ છે. જે હરીષભાઇ (દિવ), પ્રદિપભાઇ (દેના બેંક રાજકોટ), રવિભાઇ (ભાવનગર)નાં ભાભી તેમજ રવિભાઇ મનસુખલાલ વ્યાસ (ગોંડલ), શૈલેષભાઇ, ભાવિતભાઇ, અનુબેન પંડયા (રાજકોટ), ઉષાબેન દવે (રાજકોટ)નાં બહેનનું તેમનું  બેસણું આજે તા.૪ના સોમવારે સાંજે ૪ થી પ-૩૦, ૧૧,નાલંદા બંગ્લોઝ, ૬,પ્રગતિ સોસાયટી, રૈયા રોડ, ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી તા.૭ના સાંજે ૪ થી પ-૩૦ વાગ્યે, પ્લોટ નં. ૧૯, સ્ટેશન પ્લોટ, રાંદલ કૃપા, ગોંડલ ખાતે રાખેલ છે.

પ્રભાબેન સોલંકી

જુનાગઢ : પ્રભાબેન પરસોતમભાઇ સોલંકી, (ઉ.૯૦) તે અશોકભાઇ (પી. ડબલ્યુ. ડી. વાળા)નાં માતુશ્રીનું તા. ૧ ને શુક્રવારે અવસાન થયેલ છે. બેસણું તા. ૭ ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ કલાકે, તેમના નિવાસ સ્થાન કવા. નં. ૧૧, પવન ચકકી ડેલો, વણજારી ચોક, ડબ્બા ગલી, જુનાગઢ ખાતે રાખવામાં આવેલ છે. ઉત્તરક્રિયા તા. ૧૦ ને રવિવારે સુરત મુકામે અશોકભાઇનાં નાનાભાઇ અનિલભાઇ પી. સોલંકીનાં ઘરે રાખેલ છે.

પ્રફુલ્લાબેન પંડયા

મોરબી : પ્રફુલ્લાબેન બળવંતરાય પંડયા (ઉ.વ.૬૬) તે બળવંતરાય મોહનલાલ પંડયા (બલુભાઇ નિવૃત એસટી કર્મચારી) ના ધર્મપત્ની તેમજ વિરેનભાઇ, જાગૃતિબેન અને મિતલબેનના માતુશ્રી તથા કૌશિકભાઇ (અમદાવાદ), વિજયભાઇ (સુરત), મહેશભાઇ (એલઇ કોલેજ-મોરબી)ના કાકી તેમજ અનિભાઇ (સેલટેક્ષ), હર્ષદભાઇ અને પ્રકાશભાઇ (એડવોકેટ)ના બહેન તા. ૩ના અવસાન થયેલ છે. બેસણું તા. પ ને મંગળવારે ગુ.હા. બોર્ડ સામાકાંઠે મોરબી-ર ખાતે રાખેલ છે.

રાજેન્દ્રપ્રસાદ જોષી

મોરબી : મૂળ બગથળા હાલ મોરબી રાજેન્દ્રપ્રસાદ દિલસુખરાય જોષી (ઉ.૬૩) તે જનકરાય, જયંતીલાલ અને વસંતરાયના મોટાભાઇ તેમજ દિપકભાઇ તથા જીજ્ઞેશભાઇના પિતાશ્રીનું તા. ૩ના અવસાન થયેલ છે. બેસણું તા. ૭ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, તેઓના નિવાસ સ્થાન ભગવતી પાર્ક વાવડી રોડ મોરબી ખાતે તેમજ તા. ૭ને ગુરૂવારે રાત્રે ૭થી ૯ મુ. બગથળા તા.જી. મોરબી ખાતે રાખેલ છે.

દિપકભાઇ વસવેલીયા

ઉપલેટા : દિપકભાઇ વિઠ્ઠલભાઇ વસવેલીયા ઉ.વ.૪પ તે કાંતિભાઇ, ભુપતભાઇ તથા દલસુખભાઇના નાના ભાઇ અને નિરવ અને ઉદયના પિતાશ્રીનું તા. ર ને શનિવારે અવસાન થયેલ છે. બેસણું તા. ૪ને સોમવારે ૩થી પ, કે.જી. સોલંકી સ્કૂલ, ડગલી વાડી, ઉપલેટા મૂકામે રાખેલ છે.

રમાબેન જોષી

જૂનાગઢ : સારસ્વત બ્રાહ્મણ ગં. સ્વ. રમાબહેન નટવરલાલ પસા (જોષી) (ઉ.૮પ) તે સ્વ. હરીશભાઇ પસા તેમજ હીતેષભાઇ પસાના તથા માલતીબેન, ઇલાબેન, આરુશીબેન, ગીતાબેનના માતુશ્રીનું તા. ૧ ના અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તા. ૪ ને સોમવારે સાંજે ૪ થી ૬ સારસ્વત બ્રાહ્મણની વાડી, જવાહર રોડ, જૂનાગઢમાં રાખવામાં આવેલ છે.

પ્રેમકુંવરબેન વડગામા

ખંભાળીયાઃ ગુર્જર સુતાર ગં. સ્વ. પ્રેમકુંવરબેન બાબુલાલ વડગામા (ઉ.વ. ૮૭) તે સ્વ. બાબુલાલ રવજીભાઈ વડગામાના ધર્મપત્ની અને નવિનભાઈ, અશ્વિનભાઈ, હંસાબેન પંચાસરા, કુંદનબેન પીસાવડીયા, ઉષાબેન અડીએચા તેમજ જયશ્રીબેન બડરાણીયાના માતુશ્રીનું તા. ૩ ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૪ને સોમવારે ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી (સ્ટેશન રોડ)માં સાથે ૪ થી ૪.૩૦ વાગ્યે રાખેલ છે.

મંજુલાબેન નિર્મળ

જેતપુરઃ સ્વ. નરભેરામભાઈ ગોરધનદાસ નિર્મળના ધર્મપત્ની મંજુલાબેન (ઉ.વ. ૮૦) તે બિપીનભાઈ, હરેશભાઈ, જયેશભાઈ, દિપકભાઈના માતુશ્રી તથા વિવેક, બ્રિજેશના દાદીમાં તા. ૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેની પ્રાર્થનાસભા તા. ૪ સોમવારે સાંજે ૪ થી ૬ રામેશ્વર મહાદેવ મંદિર, બાવાવાળાપરા, સહકારી મંડળી સામે, જેતપુર ખાતે રાખેલ છે.

રમાબેન જોષી

જૂનાગઢ : સારસ્વત બ્રાહ્મણ ગં. સ્વ. રમાબહેન નટવરલાલ પસા (જોષી) (ઉ.૮પ) તે સ્વ. હરીશભાઇ પસા તેમજ હીતેષભાઇ પસાના તથા માલતીબેન, ઇલાબેન, આરુશીબેન, ગીતાબેનના માતુશ્રીનું તા. ૧ ના અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તા. ૪ ને સોમવારે સાંજે ૪ થી ૬ સારસ્વત બ્રાહ્મણની વાડી, જવાહર રોડ, જૂનાગઢમાં રાખવામાં આવેલ છે.

અંકિતાબેન વિષ્ણુસ્વામી

રાજકોટઃ મુળ પોરબંદર હાલ રાજકોટ અંકિતાબેન ધિરજલાલ વિષ્ણુસ્વામી (ઉ.વ.૧૭) ધિરજલાલ મુળદાસ વિષ્ણુસ્વામીની પુત્રી તા.૩ના રોજ રામચરણ પામેલ છે. તેમની ઉત્તરક્રિયા તા.૯ના રોજ શનિવારે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

રાજેન્દ્રભાઈ પંડ્યા

રાજકોટઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ સ્વ.હરિપ્રસાદ કામેશ્વર પંડ્યાના પુત્ર સ્વ.ભુપેન્દ્રભાઈ એચ.પંડ્યાના લઘુબંધુ, રાજેન્દ્રભાઈ હરિપ્રસાદ પંડ્યા (નિવૃત મદદનીશ નિયંત્રક અધિકારી, કાનુની તોલમાપ વિજ્ઞાન) તે જયશ્રીબેન એ.દવેના ભાઈ, મીલનભાઈના પિતાશ્રી તેમજ પ્રજ્ઞેશભાઈના કાકાશ્રી અને સ્વ.સનતભાઈ, રમણીલાલ દવે, કમલેશભાઈના બનેવી, મંજુલાબેન, ધર્મિષ્ઠાબેન, જયોત્સનાબેનના બનેવી, સ્મિતાબેનના પતિનું દુ:ખદ અવસાન તા.૩ને રવિવારના રોજ થયેલ છે. તેમનું પિયરપક્ષનું બેસણું તથા સ્વસુર પક્ષનું ઉઠમણું તા.૭ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ ગુલાબ વાડી, મીલપરા શેરીનં-૧, ચા.મ.મોઢ બ્રાહ્મણની વાડી, પ્રથમ માળે, રાજકોટ ખાતે રાખેલ છે.