Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018
મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેના પિતાશ્રીનું અવસાન

હળવદઃ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવે અને રાજુભાઈ દવેના પિતાશ્રી અને વિરલભાઈ તથા તપનભાઈના દાદા શ્રી પ્રમોદરાય કેશવજીભાઈ દવેનું અવસાન થયેલ છે.

સદગતની અંતિમયાત્રા બપોરે તેમના નિવાસ સ્થાન સોનીવાડ  હળવદ ખાતેથી નિકળી હતી અને બહોળી સંખ્યામાં લોકોએ જોડાઈને અંજલી અર્પી હતી.

અવસાન નોંધ

 રશ્મિકાંતભાઇ જોષી

રાજકોટઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ મુળ ભેંસદળ હાલ રાજકોટ નિવાસી શાસ્ત્રી જીવરામભાઇ દામજીભાઇ જોષીના પુત્ર રશ્મીકાંતભાઇ (ઉ.વ.૫૨)તે કાન્તીભાઇના ભત્રીજા તથા ચંદ્રવદનભાઇ, જગદિશભાઇ, હર્ષદભાઇ, હરેશભાઇ, દિનેશભાઇના ભાઇ તેમજ વિભાબેન, નિંકુજના પિતા અને સ્વ. રવીશંકરભાઇ છગનલાલ દવેના જમાઇનું તા.૪ના રોજ કૈલાશવાસ થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા.૫ને શુક્રવારના રોજ ગુલાબવાડી, મચ્છુકઠિયા મોઢ બ્રાહ્મણ બોર્ડિંગ ,મીલપરા મેઇન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

ગંભીરદાન રત્નુ

રાજકોટઃ ગંભીરદાન જશુભાઇ રત્નુ (ગઢવી ,ઉ.વ.૭૦) મુળ એંદલા હાલ રાજકોટ તે ભવદિપદાનના પિતાશ્રી, વિષ્ણુદાનના મોટાભાઇ, તેજસદાન રઘુવીરદાનના મોટાબાપુ, વિક્રમદાન મહેશદાનના  મોટાબાપુ,  વિરપાલદાન મહેશદાનના મોટાબાપુનું તા.૩ના અવસાન થયું છે.   સદ્ગતન બેસણું તા.૫ને શુક્રવાર સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન,શ્યામનગર મેઇન રોડ બિલેશ્વર  મહાદેવ મંદીર ગાંધીગ્રામ રાજકોટ ખાતે રાખેલ છે.

જવલબેન ચાવડા

રાજકોટ : શ્રીનાથગઢ નિવાસી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિના સ્વ. પુનાભાઈ ખોડાભાઈ ચાવડાના ધર્મપત્નિ જવલબેન (ઉ.વ.૯૦) તે બટુકભાઈ (વાસવડ) તથા બાબુભાઈ (રાજકોટ), કિશોરભાઈ, રમેશભાઈના માતુશ્રી શ્રીનાથગઢ મુકામે અવસાન પામેલ છે.

મધુસુદન રાજયગુરુ

રાજકોટ : ઔદિચ્ય  ઘેલરામજી બ્રાહ્મણ જ્ઞાતિના ચાડીયાવાળા હાલ રાજકોટ સ્વ. દેવશંકર ચત્રભુજ રાજયગુરૂના પુત્ર તથા સ્વ. ભાઇશંકર રાજયગુરૂ, તેમજ મુકુંદભાઇ રાજયગુરૂના ભાઇ તથા વાવડાવાળા શાંતુભાઇ વ્યાસના જમાઇ તેમજ પ્રજ્ઞેશભાઇ રાજયગુરૂ (લાલાભાઇ), રાજેશ્રીબેન વિજયભાઇ જોષી, ભાવનાબેન જયેન્દ્રકુમાર મહેતા, મીનાબેન દુશ્યતકુમાર જાની તેમજ ગાયત્રીબેન રાજેષકુમાર જોષીના પિતા મધુસુદનભાઇ રાજયગુરૂનું તા. ૩ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. પ ને શુક્રવારે બપોરે ૪ થી ૬ કલાકે મહારાજશ્રી ઘેલારામજી જ્ઞાતિની વાડી જયંત કે. જી. રોડ, આનંદ બંગલા પાસે રાજકોટ મુકામે રાખેલ છે. (મો. ૯૪ર૮ર પ૦૯૮૬)

અનિલભાઇ રૂપારેલીયા

રાજકોટ : સ્વ.બાબુભાઇ વિરજીભાઇનાં પુત્ર અનિલભાઇ રૂપારેલીયા (ઉ.વ.૩૫) તે જગદીશભાઇ તથા દિપ્તીબેન ખાખરીયાના ભાઇ તેમજ કેશુભાઇ તથા મોહનભાઇના ભત્રીજાનું તા.૩નાં અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૫નાં શુક્રવારે સાંજે ૪ થી ૬ ૪/૧૩ નવલનગર, 'વ્રજ' ખાતે રાખેલ છે.

મનહરબા પરમાર

રાજકોટઃ ગામ મુળી નિવાસી, હાલ રાજકોટના વિક્રમસિંહ માધુભા પરમાર (યુનિયન બેંક) તથા રણજીતસિંહ માધુભા પરમાર (બીએનએનએલ) તથા અશોકસિંહ માધુભા પરમાર (એચ.જે.સ્ટીલ)ના માતુશ્રી મનહરબા માધુભા પરમાર (   ઉ.વ.૮૫) તા.૧ના રામચરણ પામેલ છે. તેઓશ્રીનુ બેસણુ તા.પને શુક્રવારે સાંજે ૪-૦૦ થી  ૬-૦૦ રામેશ્વર મહાદેવ મંદિર, શિવશકિત કોલોની, યુનિવર્સિટી રોડ, ખાતે રાખેલ છે.

માધુરીબેન મીશ્રા

રાજકોટઃ માધુરીબેન નિલકંઠભાઇ મીશ્રા (ઉ.વ.૬૭) તે નિલંકઠભાઇ બલભદ્રભાઇ મીશ્રા (બચુબાપા)ના ધર્મપત્નિ તેમજ રાજેન્દ્રભાઇ નિલકંઠભાઇ મીશ્રાના માતુશ્રી તથા ઉપાસનાબેનના સાસુ અને ઉન્નતીના દાદીનું તા. રના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા.પના શુક્રવારે સાંજે ૪.૩૦ થી પ.૩૦ ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ ખાતે રાખેલ ેછે.

મધુસુદનભાઇ રાજયગુરૂ

રાજકોટઃ ઔદિચ્ય ઘેલારામજી બ્રાહ્મણ  જ્ઞાતિના ચાડિયાવાળા હાલ રાજકોટ સ્વ.દેવશંકર ચત્રભુજ રાજયગુરૂ પુત્ર તથા સ્વ. ભાઇશંકર રાજયગુરૂ તેમજ  મુકુંદ રાજયગુરૂના ભાઇ તથા વાવડાવાળા શાંતુભાઇ વ્યાસના જમાઇ તેમજ પ્રજ્ઞેશભાઇ રાજગુરૂ (લાલાભાઇ), રાજેશ્રીબેન વિજયભાઇ જોષી, ભાવનાબેન જયેન્દ્રકુમાર મહેતા, મીનાબેન દુશ્યતકુમાર જાની તેમજ ગાયત્રીબેન રાજેષકુમાર જોષીના પિતાશ્રી મધુસુદનભાઇ રાજયગુરૂનુ તારીખ ૩ના અવસાન થયેલ છે. તેમનુ બેસણુ તારીખ ૫ને શુક્રવારે બપોરે ૪.૦૦ થી ૬.૦૦ મહારાજશ્રી ઘેલારામજી જ્ઞાતિની વાડી, જયંત કે.જી.રોડ, આનંદ બંગલા પાસે રાખેલ છે.

ભાવનાબેન બગરીયા

 રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય સ્વ.રામકૃષ્ણ (બાવાભાઇ) ગોકળદાસના પુત્ર બટુકભાઇની પુત્રી ભાવનાબેન મેહુલકુમાર બગરીયા (ઉ.વ.૩૫) (અમદાવાદ) તે પ્રવિણભાઇ, કીરીટભાઇ, અરવિંદભાઇની ભત્રીજી તેમજ પંકજભાઇ, જયેશભાઇના બહેન અને હર્ષલ તથા હિતાંશુના ફૈબાનુ તા. ૧ના અવસાન થયેલ  છે. સદ્ગતનું બેસણુ તા.રના શુક્રવારે સાંજે પ થી ૬ બ્રહ્મક્ષત્રીય પંચની વાડી, ખત્રીવાડ ખાતે રાખેલ છે.

મેઘજીભાઇ મકવાણા

રાજકોટઃ મેઘજીભાઇ રાઘવભાઇ મકવાણા (ઉ.વ.૫૫) તે મંગાભાઇ તથા ડો.દિનેશભાઇ (શિહોર), ડો.દિવ્યેશભાઇ જૂનાગઢ, પ્રેમજીભાઇ તથા રાજેશભાઇ, પ્રશાંતભાઇ મકવાણાના પિતાશ્રીનુ  તા. ૨ના અવસાન થયેલ છે જેમનુ બારમુ તા. ૮ને સોમવારે કેરાવાળા મુકામે રાખેલ છે.

ચંપાબેન ભગદેવ

વાંકાનેરઃ મેસરીયાવાળા સ્વ. ત્રિભોવનદાસ ઓધવજીભાઈ રાજવીરની દિકરી ચંપાબેન શિવલાલભાઈ ભગદેવ (ઉ.વ.૮૫) (ઢાંકીવાળા) તે સ્વ. વ્રજલાલભાઈ, સ્વ. નંદલાલભાઈ (વાંકાનેર), ધીરજલાલભાઈ, રમણીકભાઈ (સેલમ) તથા બી.ટી. રાજવીર (રાજકોટ)ના બહેનનું આણંદ ખાતે તા. ૩૧ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતની પીયરપક્ષની સાદડી તા. ૬ ને શનિવારે સાંજે ૪ થી ૫ વિશ્વકર્મા મંદિર, જીનપરા ચોક વાંકાનેર ખાતે રાખેલ છે.

રંજનબેન નિમાવત

વાંકાનેરઃ ત્રંબકલાલ અમૃતલાલ નિમાવત (સત્યનારાયણ મંદિરના પુજારી)ના પત્ની રંજનબેન (ઉ.વ. ૬૪) તે કમલેશભાઈ તથા જયેશભાઈના માતુશ્રી તથા શાંતિલાલના ભાભી તથા પ્રકાશભાઈના કાકીનું તા. ૧-૧-૧૮ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા. ૫ ને શુક્રવારે સાંજે ૪ થી ૫.૩૦ કલાકે શ્રી સત્યનારાયણ મંદિર, મીલપ્લોટ, વાંકાનેર ખાતે રાખેલ છે.

હીરાબેન વાળા

રાજકોટઃ ધોબી હીરાબેન વજુભાઈ વાળા તે વજુભાઈ વિઠ્ઠલભાઈ વાળાના ધર્મપત્નિ તથા હેમરાજભાઈ તેમજ જેન્તીભાઈના ભાભી તથા પ્રફુલભાઈ તેમજ સુનિલભાઈના સાસુ તથા રમેશભાઈ રાઠોડ તેમજ ધીરૂભાઈ રાઠોડના મોટા બહેનનું તા. ૨-૧-૨૦૧૮ને મંગળવારના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણુ તા. ૪ ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ એચ.જે. સ્ટીલના કારખાના પાસે સાગર ચોક, જુલેલાલ મંદિર રાજકોટ ખાતે રાખેલ છે.

જતીનભાઈ તેજુરા

રાજકોટઃ સ્વાતંત્ર્ય સેનાની સ્વ. ચંદુલાલ તેજુરા બાબરાવાળાના સુપુત્ર જતીનભાઈ તેજુરા (ઉ.વ. ૫૯) તે સ્વ. અનિલભાઈ (વડોદરા), મુકેશભાઈના નાના ભાઈ તથા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગના મહામંડળના પ્રમુખ પરાગભાઈ તેજુરાના મોટાભાઈ તથા બીનાબેન સુરેશભાઈ કેશરીયા, ટીનાબેન તથા રીટાબેનના મોટાભાઈનું તા. ૩ ના અવસાન થયેલ છે. સદગતની પ્રાર્થનાસભા આજે તા. ૪ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રામેશ્વર મંદિર, રામેશ્વર ચોક, શ્રીજીનગર, રૈયા રોડ સામે રાખેલ છે.

પ્રવીણભાઈ યાજ્ઞિક

વડાલ (સોરઠ) : ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ પ્રવીણભાઈ પ્રભાશંકર યાજ્ઞિક (કાકુભાઈ) (ઉ.વ. ૭૬) તે સ્વ. પ્રભાશંકર મંગળજી યાજ્ઞિક વડાલ (સોરઠ)ના પુત્ર તથા ગિરીશભાઈ હસમુખભાઈના મોટાભાઈ તથા પ્રકાશભાઈ ગુણવંતરાવ યાજ્ઞિક, સુરેશભાઈ, સ્વ. જગદીશભાઈના પિતરાઈ મોટાભાઈ તથા નિર્મળાબેન વાસુદેવભાઈ ભટ્ટ (બગથળા) તથા યશોમતિબેન જગદીશચંદ્ર ત્રિવેદી (રાજકોટ)ના મોટાભાઈ તથા ડોલરભાઈ, પારસભાઈ (રાજકોટ), પલ્લવીબેન કિરીટકુમાર પંચોલી (અમરેલી) તથા દિપ્તીબેન ભાવેશભાઈ ભટ્ટ (ભુજ)ના પિતાશ્રીનું તા. ૨૯-૧૨-૧૭ના રોજ રાજકોટ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા. ૫-૧-૧૮ને શુક્રવારના રોજ પટેલ સમાજ વાડી નં. ૧ (રેલ્વે સ્ટેશન પાસે) વડાલ મુકામે   સાંજે   ૪ થી ૫  રાખેલ છે.

ગુણવંતભાઇ ભુવા

ગુણવંતભાઇ ભુવા તે સ્વ. મનસુખભાઇ, રમેશભાઇ, કિશોરભાઇ પટેલ બેટરી વાળાના પિતાશ્રીનું તા.૩ ના અવસાન થયેલ છે. બેસણું તા.પ ને શુક્રવાર સાંજના ૪ થી ૬ હેમ વાડી સિમેન્ટ રોડ પોલીસ ચોકીની બાજુમાં ગોંડલ ખાતે રાખેલ છે.

નંદલાલભાઇ માઢક

જસદણ : રાજગોર બ્રાહ્મણ (કાઠી) સ્વ.નંદલાલભાઇ છગનભાઇ માઢક તે જેન્તીભાઇ (રાજકોટ), મનુભાઇ એસઆરપી (ગોંડલ)ના મોટાભાઇ તથા સવિતાબેન વિઠ્ઠલભાઇ જોષી (રાજકોટ), કમળાબેન ભીખુભાઇ દવે (જસદણ)ના ભાઇ તથા જીતેન્દ્રભાઇના પિતાશ્રી તથા હિંમતભાઇ કલ્યાણભાઇ માઢક (જસદણ), ચંદ્રકાંત કલ્યાણભાઇ માઢક એસઆરપીના પિતરાઇ ભાઇનું તા.૩ના બુધવારે અવસાન થયેલ છે.

રંભાબેન વિરાણી

જેતપુરઃ રંભાબેન દેવરાજભાઇ વિરાણી (ઉ.વ.૮૩) તે મહેન્દ્રભાઇ (નિવૃત મામલતદાર) હિતેષભાઇ (એસબીઆઇ) યોગેશભાઇના માતુશ્રી તા.ર મંગળવારના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.૪ ના ગુરૂવારના રોજ બપોરે ૩.૩૦ થી પ.૩૦ નિવાસસ્થાન શાંતીનગર, જેતપુર રાખેલ છે.

ખંભાળીયાના પત્રકાર ધર્મેન્દ્રભાઇ આચાર્યના બહેનનું અવસાન

ખંભાળીયાઃ પુષ્કર્ણા બ્રાહ્મણ સ્વ. વિઠ્ઠલદાસ માધવજી આચાર્યના પુત્રી પુષ્પાબેન રમેશભાઇ જોશી (ઉ.વ.૭૪) (રહે. માંડવી કચ્છ) તે ધર્મેન્દ્રભાઇ આચાર્ય (પત્રકાર), સુરેશભાઇ આચાર્ય (આરાધનાધામ), યોગેશભાઇ આચાર્ય, નીતીનભાઇ આચાર્ય (લીના પ્રિન્ટરીવાળા)ના બહેન તથા હિતેશભાઇ આચાર્ય (પત્રકાર તથા પ્રમુખ સમસ્ત બ્રહ્મસમાજ)તથા દીપ આચાર્યના ફઇબા તા.રના રોજ અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા/સાદડી તા.૬ના શનિવારે ૪.૩૦ થી પ સાંજે શ્રી શરણેશ્વર મહાદેવ ખંભાળીયા ખાતે ભાઇઓ-બહેનો માટે રાખેલ છે.

રવુબા પરમાર

રાજકોટ : રવુબા જોરાવરસિંહજી પરમાર (ઉ.વ.૯૨) તે સ્વ. રણજીતસિંહજી તથા રમેશસિંહજીના માતુશ્રી તથા હિતેન્દ્રસિંહ, હરદિપસિંહ તથા અંકિતસિંહ, ચિરાગસિંહના દાદીનુંં દુઃખદ અવસાન તા.૨ને મંગળવારના રોજ થયેલ, તેમની ક્રિયા તા.૬ના શનિવારના રોજ શાંતીહવન તેમના નિવાસસ્થાને આંબાવાડી આઝાદ સોસાયટીમાં રાખેલ છે.

નિર્મલાબેન પંડ્યા

રાજકોટઃ ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી સાડા-ચારસો બ્રાહ્મણ જસદણવાળા સ્વ.સોમનાથભાઈ જે. પંડ્યાના ધર્મપત્ની નિર્મલાબેન (ઉ.વ.૮૮) તે બિપીનભાઈ, સ્વ.પ્રદ્યયુમનભાઈ, દિલિપભાઈ, હરીશભાઈના માતુશ્રીનું તા.૩ બુધવારનાં રોજ સ્વર્ગવાસ થયેલ છે. સદ્દગતનું ઉઠમણુ તા.૫ શુક્રવારનાં રોજ શ્રી નંદીશ્વર મહાદેવ મંદિર નંદનવન સોસાયટી ગીરીરાજનગર મેઈન રોડ પાસે, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રૈયાચોકડી, રાજકોટ સમય સાંજ ૪ થી ૫ રાખેલ છે.

વિઠ્ઠલદાસ ભાયાણી

રાજકોટ : વિઠ્ઠલદાસ ગોવિંદજીભાઈ ભાયાણી (ઉ.વ.૬૯) તે અમિત તથા કવિતા જીતેનકુમાર ચતવાણીના પિતાશ્રી ઉપેન્દ્રભાઈ (ટાટા કેમીકલ-મીઠ્ઠાપૂર) ના વડિલબંધુ તે જયેષ્ઠારામ ભગવાનજીભાઈ ચતવાણી તથા મધુભાઈ ધીરજલાલ બગડાઈના વેવાઈ તે સ્વ.જમનાદાસ રૂગનાથભાઈ રાયચુરાના જમાઈ તા.૩ બુધવારના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. સદ્દગતનું ઉઠમણુ તથા શ્વસુરપક્ષની સાદડી તા.૫ શુક્રવારના સાંજના ૫ કલાકે પંચનાથ મહાદેવ મંદિર, પુનિતહોલ લીમડાચોક ખાતે રાખેલ છે.

જીનલબેન કયાડા

રાજકોટ : વડીયા બાજુના અરજણસુખ ખાતે ખોડાભાઈ રણજીભાઈ કયાડાની પુત્રી જીનલબેન(ઉ.વ.૨૧) તે ચંદુભાઈની ભત્રીજી તા.૩ અવસાન પામેલ છે.

નિવૃત સરકારી ઓડીટર વસંતલાલ કાચાનું અવસાનઃ કાલે બેસણુ

રાજકોટ : વસંતલાલ નરસીભાઇ કાચા (નિવૃત ગર્વમેન્ટ ઓડીટર) (ઉ.૭૬), તે યોગસાધક રાજેશ વી. કાચા (ઓમકાર કેર)ના પિતાશ્રી તેમજ સ્વ. નૌતમલાલ એમ. કાચા (જીલ્લા પંચાયત), સુરેશભાઇ એમ. કાચા, સ્વ. વિજયભાઇ જે. કાચા, સતીષભાઇ જે. કાચા, (પંજાબ નેશનલ બેંક) તથા દિલીપભાઇ, જે. કાચા (ઓલ ઇન્ડીયા રેડીયો) ના કાકા તેમજ સ્વ. દિલીપભાઇ સી. મારૂ તથા બલદેવ એન. રાઠોડ (પંજાબ નેશનલ બેંક)ના સસરા અને ચિ. બ્રિજરાજ આર. કાચાના દાદા તા. ર-૧-ર૦૧૮ નાં રોજ અક્ષરધામમાં દિવ્યગતિથી બ્રહ્મસ્વરૂપ પામ્યા છે. સ્વ.નું બેસણું  આવતીકાલે તા. પ નાં રોજ  ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન સાઇ બાબા પાર્ક, શાસ્ત્રીનગરની સામે નાના મવા રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રભાબેન મંડલીનું નિધનઃ ચક્ષુદાન કાલે ગુર્જર પ્રજાપતિની વાડી ખાતે બેસણું

 રાજકોટઃ પ્રભાબેન રમણિકલાલ મંડલી (ઉ.વ.૭૫)નું તા.૨ના મંગળવારે અવસાન થતા તેઓની બન્ને ચક્ષુઓનું દાન કરી બે વ્યકિતને નવી રોશની આપી મંડલી પરીવારે ફરી  એકવાર ( દિકરી રાધીકાનું બ્રેઇન ડેડ સમયે અંગદાન) અંગદાન જાગૃતિને વેગવાન બનાવવાનું મહાન કાર્ય કરેલ છે. પ્રભાબેનનું બેસણું તા.૫ના  શુુક્રવારે સાંજે ૪ થી ૬ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિની વાડી નં.૧ દુધસાગર માર્ગ, રામનાથપરા મુકામે રાખેલ છે. સ્વજનો મનસુખભાઇ રમણિકભાઇ મંડલી, દિપકભાઇ રમણિકભાઇ મંડલી, હર્ષદભાઇ રમણિકભાઇ મંડલી, અર્જુનભાઇ મનસુખભાઇ મંડલી, જશવંતભાઇ પરસોતમભાઇ મંડલી,  પ્રવિણભાઇ પી. મંડલી, દિલીપભાઇ પી. મંડલી, અજુર્નભાઇ પી. મંડલી, ચંદ્રેશભાઇ પી. મંડલીએ ઉંડા દુઃખની લાગણી વ્યકત કરી છે.