અવસાન નોંધ
જયંતિલાલ પંડયા
રાજકોટઃ શ્રી ચા.મ.મોઢ બ્રાહ્મ ઉકરડા (આજી) નિવાસી જયંતિલાલ ગોવિંદજી પંડયા (ઉ.વ.૮૦) તે સ્વ.જટાશંકર ગોવિંદજી પંડયા તથા સ્વ.મનહરલાલ ગોવિંદજી પંડયાના નાનાભાઈ તેમજ કિશોરભાઈ, પ્રકાશભાઈ અને દશરથભાઈ તથા અલકાબેન (સોનાબેન) હરેશકુમાર પંડયાના પિતાશ્રી તેમજ ભુપેન્દ્રભાઈ, ઉત્તમભાઈ તેમજ હરેશભાઈ (હકાભાઈ)ના કાકા તેમજ સ્વ.હેમશંકર ચકુભાઈ દવે (વિરવાવ)ના જમાઈ તા.૨ મંગળવારના રોજ અવસાન પામેલ છે અને બંને પક્ષનું બેસણું તા.૪ને ગુરૂવારના રોજ બપોરે ૪ થી ૫ તેમના નિવાસસ્થાને રાખેલ છે. ઉકરડા (આજી) તાલુકો પડધરી.
કાન્તાબેન રાઠોડ
રાજકોટઃ મચ્છુ કઠિયા સઈ સુતાર જ્ઞાતિ દરજી રાજકોટ સ્વ.કાન્તાબેન રાજેશભાઈ રાઠોડ તે રાજેશભાઈ મગનભાઈ રાઠોડના ધર્મપત્નિ તે કિશનભાઈ, શિતલબેન, શિલ્પાબેન, હર્ષિદીબેનના માતુશ્રી અને સવજીભાઈ છગનભાઈ ચૌહાણ વડાળીવાળાના દિકરી તા.૧ના રોજ સોમવાર શ્રીજીચરણ પામેલ છે. તા.૪ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ આનંદનગર કોલોની, ગાયત્રી મંદિરમાં ઉઠમણું રાખેલ છે અને પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. કિશનભાઈ મો.૮૩૨૦૯ ૨૦૬૮૦, રવિકુમાર મો.૯૪૦૯૭ ૮૦૬૬૫, વિક્રમકુમાર મો.૯૮૯૮૨ ૩૩૯૫૦
મનસુખભાઇ ભાડેશીયા
રાજકોટઃ મુળગામ ધોરાજી હાલ રાજકોટ નિવાસી સ્વ. મનસુખભાઇ મોહનલાલ ભાડેશીયા (ઉ.વ.૭૩) સંજયભાઇ અને સુનિલભાઇ તથા સોનલબેનના પિતાજીનું તથા વિનોદકુમાર દયાળજીભાઇ બદ્રકીયાના સસરાનુ઼ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૪ને ગુરૂવારના રોજ સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી રાખેલ છે. સરનામું યુનિટ - ૭ રણુજા મંદિર, કોઠારીયા મેઇન રોડ રાજકોટ સંજયભાઇ પુત્ર ૯૯૭૯૫ ૮૪૭૮૨, સુનિલભાઇ પુત્ર ૯૩૭૭૫ ૫૨૬૦૩
ધર્મીષ્ઠાબા ભરતસિંહ જાડેજા
રાજકોટ : ધર્મીષ્ઠાબા ભરતસિંહ જાડેજા તે ભરતસિંહ દાનુભા જાડેજા (નિવૃત એસ.ટી.) (ગામ તોરણીયા, હાલ રાજકોટ) ના પત્નિ તથા યશપાલસિંહ ભરતસિંહ જાડેજા (આર્મી)ના માતૃશ્રી નું તા.૨ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૬ને શનીવારે ૪ થી ૬ રાખેલ છે તથા ઉત્તરક્રિયા તા.૧૦ને બુધવારના રૂરલ હાઉસીંગ બોર્ડ (નિલકંઠ પાર્ક) પ્રેમ મંદિર પાછળ નીલકંઠ મહાદેવના મંદિર પાસે કાલાવડ રોડ રાજકોટ ખાતે નિવાસ સ્થાને રાખેલ છે.
જયસુખભાઈ ગોહેલ
મૂળગામ આણંદપર, હાલ રાજકોટ વાણંદ જયસુખભાઈ કાંતિભાઈ ગોહેલ (ઉ.વ. ૫૨) તે કેવલના પિતાનું તા. ૨-૧૧-૨૦૨૧ને મંગળવારને ધનતેરશના રોજ અવસાન થયેલ છે. તે બટુકભાઈના ભત્રીજા તથા પરેશભાઈ તથા વિજયભાઈના મોટા ભાઈ તેમનું બેસણુ તા. ૬-૧૧-૨૦૨૧ને શનિવારના રોજ અમારા નિવાસ સ્થાને આણંદપર મુકામે રાખેલ છે.
નર્મદાબેન કલોલા
ફલ્લાઃ ફલ્લાના રહીશ વ્યાસ નર્મદાબેન શાંતિલાલ કલોલા (ઉ.વ. ૮૯) તે જયંતિભાઈ-ભાણવડ, મહેશભાઈ-જામનગર, સ્વ. કનેશભાઈ-જામનગર, પ્રવિણભાઈ-રાજકોટ, કાંતાબેન-ફલ્લાના માતુશ્રી તથા ચિંતન, જયદિપ, કુલદિપ અને જયના દાદીમાનું તા. ૨ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણુ તા. ૪ના રોજ બપોરે ૩ થી ૫ દરમિયાન શ્રી હાટકેશ્વર મહાદેવનું મંદિર - ફલ્લા રાખેલ છે.
દમયંતીબેન છાંટબાર
રાજકોટઃ અ.સૌ.દમયંતીબેન કનૈયાલાલ નેમચંદ છાંટબાર (ઉ.વ.૭૦) (જામનગર) (કનુભાઈ કસ્ટમવાળા રીટાયર્ડ)નાં ધર્મપત્નિ જે મહેશભાઈ, સંદિપભાઈ તથા નેહલબેન અશ્વિનભાઈ કકૈયા તથા રૂપલબેન પીયુશભાઈ વલેરાનાં માતુશ્રી જે રતિલાલ દેવરાજભાઈ કાટબામણાનાં પુત્રી, શ્યામલ, કશ્યપ તથા પ્રીષા, જેનીસાનાં દાદીમાંનું દુઃખદ અવસાન તા.૨ના મંગળવારે થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૬ના શનિવારે સાંજે ૫ થી ૫:૩૦ રાખેલ છે. મો.૮૯૮૦૮ ૩૩૩૮૮, મો.૮૧૬૦૩ ૨૬૬૨૪, મો.૯૧૦૬૨ ૪૮૮૯૯ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
પ્રવિણચંદ્ર શીશાંગીયા
રાજકોટઃ (વાણંદ) પ્રવિણચંદ્ર છગનભાઈ શીશાંગીયા (ઉ.વ.૭૪) તે પ્રફુલ્લભાઈ, મહેશભાઈના મોટાભાઈ, દિનેશ, જયેશના પિતાશ્રી તેમજ સ્વ.જગદીશભાઈ ભીમજીભાઈ ભટ્ટી, સ્વ.રમેશભાઈ ભટ્ટીના બનેવી તથા સુનિલભાઈ લખતરીયાના સસરાનું તા.૨ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૮ને સોમવારે સાંજે ૪ થી ૬ શીશાંગીયા પરિવારના મઢ મવડી મેઈન રોડ ઉદયનગર ખાતે રાખેલ છે. (વાછરા ડાડાના ઓરડે) બન્ને પક્ષનું સાથે રાખેલ છે.