Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018
અવસાન નોંધ

શાંતાબેન પીપળીયા

રાજકોટ : શાંતાબેન મોહનલાલ પીપળીયા ઉમર (વર્ષ ૧૦૩) તે ગોપાલભાઇ, સ્વ. ગોદાવરીબેન, સ્વ. રમણીકભાઇ, સરોજબેન, રંજનબેન, પ્રફુલ્લાબેનના માતુશ્રી તે  દુલભજીભાઇ, ગોરધનભાઇ, જયસુખભાઇ, મહેન્દ્રકુમાર તથા જયોત્સનાબેનના સાસુ તા. ૩૧ ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.પ ને સોમવારે સાંજે ૪ થી ૬ ગંગનાથ મહાદેવ મંદિર, યોગી પાર્ક શેરી નં. ૭, રાણી ટાવર પાછળ, કાલાવડ રોડ, ખાતે રાખેલ છે.

ભગવાનજીભાઈ ઘઘડા

રાજકોટઃ પરજીયા સોની દ્વારકાવાળા હા.રાજકોટ નિવાસી ભગવાનજીભાઈ ઓધવજીભાઈ ઘઘડા (ઉ.વ.૮૫) તે હિતેષભાઇ, ઉષાબેન તથા શીતલબેનના પિતાશ્રી તથા ચિરાગ અને સૌરવના દાદાજી તા.૩ શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની સ્મશાન યાત્રા તા.૩ શનીવારે સાંજે ૪ કલાકે તેમના નિવાસસ્થાને રાખેલ છે. સ્થળઃ રામનગર-પ, ગોંડલ રોડ, સતીકૃપા રાજકોટ તેમનું બેસણું તા.૫ સોમવારે ૪ થી ૬ કલાકે રામ સેવા ટ્રસ્ટ, રામમંદિર, રામનગર શેરીનં-૩, ઉપર હોલમાં રાજકોટ ખાતે રાખેલ છે.

મનહરલાલ કોઠારી

રાજકોટ : મનહરલાલ રતીલાલ કોઠારી (ઉ.વ.૮૫) તે મુકેશભાઇ, વિજયભાઇ, દિપકભાઇ અને સ્વ. ભાવનાબેન તથા અંજનાબેન આર્યના પિતાશ્રી તેમજ મયુરભાઇ પારેખ (લંડન) અને ડો. કલાધર આર્ય (સૌ.યુનિ.) ના સસરા તેમજ લલિતભાઇ કોઠારી અને શારદાબેન કિરીટભાઇ દોશીના મોટાભાઇ તેમજ સ્વ. ચંદ્રકાન્ત છગનલાલ ધુલીયા (ગોંડલ) ના બનેવીનું અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા. ૫ ના સોમવારે બપોરે ૩ થી ૩.૩૦ વાગ્યે અને પ્રાર્થના સભા ૩.૪૫ થી પ પારસધામ દેરાસર, બંબાખાનાની પાછળ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ગુણવંતરાય પાલા

રાજકોટ : ગીરનારા પરજીયા સોની ગુણવંતરાય રૂગનાથભાઇ પાલા (ઉ.૮૦) તે પરેશભાઇના પીતાશ્રી તથા ગુલાબભાઇ, હરીશભાઇ અને જયાબેનના મોટાભાઇ તથા ભાવેનભાઇ, કલ્પેશભાઇ અને આશીષભાઇ ના ભાઇજી તથા સ્વ. જેન્તીભઇ પ્રાગજીભાઇ લોઢીયાના બનેવીનું તા. ર૯ ના મુ. લેસ્ટર (યુ. કે.) મુકામે અવસાન થયેલ છે. બન્ને પક્ષનું બેસણુ સોમવાર તા. પ ના કલાભુવન શ્રી ગીરનારા સોની જ્ઞાતી વાડી લક્ષ્મીવાડી મેઇન રોડ ખાતે ૪.૩૦ થી ૬.૩૦ રાખેલ છે.

શામજીભાઇ દોંગા

ધોરાજી : જસાપર નિવાસી શામજીભાઇ હિરાભાઇ દોંગા તે જમનભાઇ તથા અશ્વિનભાઇના પિતાશ્રીનું તા. ૧ ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું આજે શનિવાર જશાપર મુકામે બસ સ્ટેન્ડ પાસે રાખેલ છે.

ચંદનબેન કોઠારી

મોરબી : મોટા દહીંસરા નિવાસી હાલ મોરબી સ્વ. જયંતીલાલ આર. કોઠારીના ધર્મપત્ની ચંદનબેન તે શ્રી વિનુભાઇ, જીતુભાઇ, ગીરીશભાઇ તથા ભાવેશના માતુશ્રી તા. ર, શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. તેમની  ઉતરક્રિયા તથા ઉઠમણું તા. ૪ રવિવારે સવારે ૧૦ વાગ્યે દશા શ્રીમાળી વણીક જ્ઞાતીની વાડી, સરદર રોડ, બેંક ઓફ બરોડા સામે, મોરબી રાખેલ છે.

શારદાબેન દોશી

મોરબી : શારદાબેન કાંતીલાલ દોશી (ઉ.૯૦) તે સ્વ. કાંતિલાલ કેશવલાલના પત્ની તેમજ સ્વ. સુરેશભાઇ, હરેશભાઇ, રાજેશભાઇ, સુધાબેન, નલીનીબેન તથા અલ્કાબેનના માતાનું તા. ર ના રોજ અવસાન થયેલું છે. ઉઠમણું તા. ૩ શનીવારે બપોરે ૪ કલાકે પ્લોટ પૌષધ શાળા, શનાળા રોડ, ખાતે રાખેલ છે.

પ્રભુદાસભાઇ સોની

ધોરાજી : સોની પ્રભુદાસભાઇ મોહનભાઇ અખેણીયા (ઉ.૭૮) તે પ્રાણભાઇ, નવીનભાઇ, ગો. વા. હરકિસનભાઇ, ભરતભાઇ, મહેન્દ્રભાઇ, દિલીપભાઇ,ના મોટાભાઇ તેમજ લલિતભાઇ અખેણીયા (એડવોકેટ) ના પિતાશ્રીનું તા. ૧ ગુરૂવારે ધોરાજી મુકામે શ્રીજીચરણ પામેલ છે. તા. ૩ ને શનિવારે સવારે ૧૦ કલાકે ઉઠમણું તથા સાંજે ૪ થી ૬ બેસણુ તેમના નિવાસસ્થાને ગાંધી વાડીની બાજુમાં સ્ટેશન પ્લોટ ખાતે રાખેલ છે.

વિઠ્ઠલભઇ ચૌહાણ

રાજકોટ : મું. દાળીયાવાળા હાલ રાજકોટ સ્વ. વિઠ્ઠલભાઇ કાનજીભઇ ચૌહાણ તે મુકેશભાઇ કાનજીભઇ ચૌહાણ, તે મુકેશભાઇ, સંજય, દિલીપના પિતાશ્રી સાવન અને હસ્તીના દાદાનું તા. ર ના અવસાન થયેલ  છે. તેમનું બેસણુ તા.૮ ગુરૂવારે સાંજે ૪ થી ૬ આનંદનગર કોલોની કોર્ટર નં. ૯૩ બ્લોક નં. ૧૩, પથ્થરવાળા કોર્ટરમાં રાખેલ છે.

રાજેશભાઇ વાઘેલા

રાજકોટ :  મુળ શેત્રુજી વડાળા હાલ રાજકોટ પોપટભાઇ રૂડાભાઇ વાઘેલાના પુત્ર સ્વ. રાજેશ (ઉ.ર૮) તે જગદીશભાઇ પોપટભાઇ વાઘેલાના નાના ભાઇનું તા. ર ના અવસાન પામેલ છે. બેસણુ તા. પ ને સોમવારે ૪ થી ૬ નિવાસ સ્થાને રાખેલ છે.

મુકુંદરાય ધ્રુણા

રાજકોટ :  સ્વ. મુકુંદરાય ઓધવજી ધ્રુણા (ઉ.૮૩) તે નલિનીબેન ધ્રુણા (મશરાણી) ના પતિ તથા નીતિનભાઇ, પંકજભાઇ તથા અતુલાબેન કારીયા (શાળા નં. ૮) ના પિતાશ્રીનું તા. ર ના અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણુ તા. ૩ ના સાંજે પ વાગે અમરનાથ મહાદેવ મંદિર, જગન્નાથ પ્લોટ શેરી નં. ૩, બીગ બજાર પાછળ રાખેલ છે.

પુષ્પાબેન પાલ

રાજકોટ : સ્વ. સોની કાંતીલાલ જગજીવનભાઇ પાલા  (નગરપીપળીયા વાળા) હાલ રાજકોટના ધર્મપત્ની પુષ્પાબેન તે સ્વ. ચંદુભાઇ, ઝવેરીભાઇ, તથા  કિશોરભાઇ, પ્રવિણભાઇ, મનુભાઇના ભાભી તથા દિનેશના માતુશ્રીનું તા. ર ના અવસાન થયેલ છે. તેમનું બેસણું આજે તા. ૩ ના શનીવારે સાંજના ૪ થી ૬, કલા ભુવન, લક્ષ્મીવાડી મેઇન રોડ ખાતે રાખેલ છે.

બાબુદાન મોડ

રાજકોટ : મુળ ગામ પિપળાના હાલ રાજકોટ નિવાસી ગઢવી બાબુદાન જીવણભાઇ મોડ (ઉ.૯૦) તે મહેશદાન, પ્રવિણદાન, ધર્મિષ્ઠાબેન, નીતિનદાન ગઢવી, રંજનબેન મનોજદાન ગઢવીનાં પિતાશ્રીનું  તા. ૧ ના અવસાન થયું છે. તેમનું બેસણું જોરાવરનગર ખાતે તા. ૩ ને શનીવારે સાંજે ૪ થી ૬ નિલકંઠ મહદેવ મંદિર, જોરાવરનગર, સુરેન્દ્રનગર ખાતે રાખેલ છે.

રમેશચંદ્ર ત્રિવેદી

રાજકોટઃ સ્વ.જયાશંકર મણીશંકર ત્રિવેદીના પુત્ર રમેશચંદ્ર (બટુકભાઈ) જયાશંકર ત્રિવેદી (ઉ.વ.૭૧) (બીએસ એનએલ) તે પંકજભાઈ તથા ધર્મેશભાઈ તથા દિપ્તીબેનના પિતાશ્રી આશિષકુમાર (પડધરી)ના સસરા મહિપતભાઈ મણીશંકર ત્રિવેદીના ભત્રીજા તથા સ્વ.અમૃતલાલ, બાલશંકર ત્રિવેદી (ખીજડીયાવાળા)ના જમાઈ,સ્વ.સુખાભાઈ, સ્વ.વિનોદભાઈ, સ્વ.અરૂણભાઈ, સ્વ.મુકેશભાઈ તથા બટુકભાઈ તથા હરિભાઈના બનેવીનું   તા.૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું ઉઠમણુ તથા સ્વસુરપક્ષનું બેસણું તા.૫ સોમવારે સાંજે ૫ કલાકે જાગનાથ મંદિર રાજકોટ ખાતે રાખેલ છે.

અકબરભાઈ રાઉમા

રાજકોટઃ મર્હુમ અકબરભાઈ સલેમાનભાઈ રાઉમા તા.૨ના રોજ રજા કરી ગયેલ છે. તેમની ઝીયારત તા.૪ના રવિવારના સવારે ૧૦ કલાકે પી.એન.ટી. કોલોની, ગોંડલ રોડ ખાતે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

 ગીરીશભાઇ કારીયા

રાજકોટઃ સ્વ. ભગવાનજીભાઇ ચત્રભુજભાઇ કારીયાના જયેષ્ઠ પુત્ર ગીરીશભાઇ (ચક્ષુદાતા ભવાની ટેકસ ટાઇલવાળા), હર્ષભાઇ ધ્રુવ ભાઇના પિતાશ્રી તેમજ જીતુભાઇ, સ્વ. ભારતીબેન ,સ્વ. જયોતિબેન તેમજ હિનાબેનનાભાઇં તેમજ સ્વ. શાંતિલાલ વ્રજલાલ સામૈયા (ભાડલાવાળા) ના જમાઇનું તા.૩ના રોજ અવસાન થયેલ છે.  તેમનું  ઉઠમણું તથા સસરાપક્ષની સાદડી સાથે રાખેલ છે. તા.૫ના સાંજે પ વાગ્યે ધારેશ્વર મહાદેવ મંદીર , ભકિતનગર સર્કલ પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

 મનહરભાઇ ગોહેલ

 રાજકોટઃ મનહરભાઇ તુલશીભાઇ ગોહેલ (ઉ.વ.૫૮) તા.૨ના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૫ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને અમરનાથ સોસાયટી શેરીનં.૧૩, અટીકા, ઢેબર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

નિતીનભાઈ પીઠડીયા

રાજકોટ : મચ્છુ કઠીયા સઈ સુથાર નિતીનભાઈ આંબાભાઈ પીઠડીયા (ઉ.વ.૬૧) તે કૃણાલ અને જસ્મિનના પિતાશ્રી, તેમજ સ્વ.જેન્તીભાઈ, અને સ્વ.નવિનભાઈ મહેન્દ્રભાઈ પીઠડીયાના નાના ભાઈ, તેમજ જગદીશભાઈ અને ચંદ્રેશભાઈના મોટા ભાઈ, તેમજ મીસ્ત્રી સ્વ.મગનભાઈના જમાઈ, તેમજ પ્રદિપભાઈ અને સંજયભાઈના બનેવીનું આજે તા.૩ને શનિવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું અને પિયરપક્ષની સાદડી તા.૫ને સોમવારે સાંજે ૪ થી ૬ વાગ્યે ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધરમનગર  મેઈન રોડ, મારૂતી શો-રૂમની બાજુની શેરીમાં, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે રાખેલ છે.