Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017
પીએસઆઇ નિતુભા વાઘેલાનું દુઃખદ અવસાનઃ સોમવારે બેસણું

રાજકોટ, તા., રઃ  સ્ટેટ આઇબીમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા  નિતેન્દ્રસિંહ (નિતુભા) બનેસિંહજી વાઘેલા, તે સંજયસિંહ બનેસિંહજી વાઘેલાના ભાઇ તેમજ પરિક્ષીતસિંહ વાઘેલાના પિતાનું ગઇકાલે દુઃખદ અવસાન થયું  છે. સ્વ.નું બેસણું તા.૪-૧ર-૨૦૧૭ને સોમવારે સાંજે ૪.૦૦  થી ૬.૦૦ 'શિવ શકિત' પોપટપરા  મેઇન રોડ,  પોસ્ટ ઓફીસની બાજુમાં તેમના નિવાસસ્થાને રાખેલ છે.

સ્વ.નિતુભા વાઘેલાએ રૂરલ ક્રાઇમ બ્રાન્ચમાં વર્ષો સુધી ફરજ બજાવી સંખ્યાબંધ ડીટેકશનોમાં મહત્વની ભુમીકા ભજવી સરાહનીય કામગીરી કરી હતી. તેમજ ડીટેકશનમાં  માહીરના કારણે ઉચ્ચ અધિકારીઓમાં પણ તેઓ માનીતા હતા. પીએસઆઇનું પ્રમોશન મેળવ્યા બાદ સ્ટેટ આઇબીમાં ફરજ બજાવતા હતા. તેઓના  અચાનક અવસાનથી પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઇ છે.

 

અવસાન નોંધ

 

ઉષાબેન નાકર

રાજકોટ : રાજય પુરોહિત બ્રાહ્મણ ઉષાબેન કાંતિલાલ નાકર (લંડન) (ઉ.વ.૬પ) તે સ્વ. હરિપ્રસાદ કેશવલાલ ખેતીયાની પુત્રી, કાન્તીલાલ પ્રેમજીભાઇ નાકરના ધર્મપત્ની, ભાવેશભાઇ વિમલભાઇના માતુશ્રી તથા જયેશભાઇ, મુકેશભાઇ, રંજનબેન દિનેશચંદ્ર ગોપીયાણી (જામનગર), ક્રિષ્નાબેન સુરેશકુમાર પુંજાણી (લંડન), સ્મિતાબેન રાજેશકુમાર ભટ્ટ (કલીકટ), જૈમીનીબેન નૈલેષકુમાર જોષી (રાજકોટ)ના બહેનનું તા. ર૯ને બુધવારના રોજ લંડન મુકામે દુઃખદ અવસાન થયેલ છે. તેમની સાદડી રાજકોટ મુકામે તા. ૪ ને સોમવારના રોજ સાંજે ૪ થી પ શ્રી રંગનાથ મહાદેવ મંદિર, રંગઉપવન સોસાયટી, હનુમાન મઢી પાસે, રૈયા રોડ ખાતે રાખેલ છે.

હર્ષભાઇ ઠકરાર

કોડીનારઃ હર્ષભાઇ મનોજભાઇ ઠકરાર (ઉ.વ.૧૬) તે સ્વ.ધીરજલાલ જગજીવનદાસ ઠકરાર (મંગલમ ગ્રુપ)ના પૌત્ર તેમજ અતુલભાઇ ઠકરાર (એડવોકેટ) તથા હિતેષભાઇ ઠકરારના ભત્રીજાનું તા.૧ના અવસાન થયેલ છે. ઉઠમણું તા.રને શનિવારે સાંજે પ કલાકે શ્રી જંગલેશ્વર મહાદેવના મંદિરે રાખેલ છે.

કાંતાબેન બગથરીયા

રાજકોટઃ કાંતાબેન બચુભાઇ બગથરીયા (ઉ.વ.૮૦) તા.૧ના રામચરણ પામ્યા છે. તેમની દશા, બુધવાર તા.૬ના રાખે છે તથા તેમનું પાણીઢોળ (ઉતરક્રિયા) ગુરૂવાર તા.૭ના રાખેલ છે.

પ્રવિણભાઇ પઢીયાર

રાજકોટઃ લુહાર જ્ઞાતિના પ્રવિણભાઇ ઉર્ફે બાબુભાઇ નરસિંહભાઇ પઢીયાર (ઉ.વ.૬પ) તે સુરેશભાઇ, રાજુભાઇ, જીજ્ઞેશભાઇ સરોજબેનના પિતાનું તા.૩૦ના અવસાન થયેલ છે. તેમનું બેસણું સોમવાર તા.૪ના અનમોલ પાર્ક શેરી નં.૩ આજી ડેમ રાજકોટ ખાતે ૪ થી ૬ રાખેલ છે.

હર્ષ ઠકરાર

કોડીનાર : હર્ષ મનોજભાઇ ઠકરાર (ઉ.વ.૧૬) તે સ્વ.ધીરજલાલ જગજીવનદાસ ઠકરાર (મંગલમ ગ્રુપ)ના પૌત્ર તેમજ અતુલભાઇ ઠકરાર (એડવોકેટ) અને હિતેષભાઇ ઠકરારના ભત્રીજાનું તા. ૧ના રોજ અવસાન થયું છે. ઉઠમણું આજે તા. ર ને શનિવારે સાંજે પ કલાકે જંગલેશ્વર મહાદેવના મંદિરે રાખેલ છે.

જયંતિલાલ ભોગાયતા

જામજોધપુર : જયંતિલાલ વલ્લભભાઇ ભોગાયતા (નિવૃત તલાટી કમ મંત્રી (ઉ.વ.૬૬) તે કાંતિભાઇના નાનાભાઇ તથા કલ્પેશ, કિશોર, હિતેષના પિતાશ્રીનું તા. ૩૦મીએ ગુરૂવારે અવસાન થયેલ છે. જેમનું બેસણુ તા. ૪ના રોજ સમય ૪ થી પ કલાક દરમ્યાન રોકડીયા હનુમાન મંદિર જામજોધપુરરાખેલ છે.

રૂબાબબેન

રાજકોટઃ રૂબાબબેન યુસુફઅલી સદીકોટ (કાલાવડ વાલા) (ઉ.વ.૭૩) તે શબ્બીરભાઇ (કોઇમ્બતૂર), સકીનાબેન મિરઝા (જામનગર) તથા મુનીરાબેન પારેખ (જામનગર)ના મા તા.૩૦ના વફાત થયેલ છે. તેમના સિયુમ/જીયારતના સિપારા તા.૩ના રવિવારે ઝોહર નમાઝ બાદ નુરમસ્જીદ રાજકોટ મુકામે રાખેલ છે.

ચંપાબેન રૂપારેલીયા

ગોંડલ : વૃજલાલ નાનાલાલ રૂપારેલીયાના ધર્મપત્ની ગં. સ્વ. ચંપાબેન ઉ.૯૧ તે હેમંતભાઇ (જલારામ એકાઉન્ટ) ના માતુશ્રી તથા સ્મીત (સીએ) પાર્થ (સી. એસ.) ના દાદીમા તથા દામોદરદાસ ગોવિંદજી જસાણી (બાબરાવાળા) ના દિકરીનું ૩૦ ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા. ર ના રોજ સાંજે પ કલાકે તેમના નિવાસ સ્થાન વૃજભૂમિ ૬ કૈલાશબાગ સોસાયટી ગોંડલ ખાતે રાખેલ છે. પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

કલ્પેશભાઈ ઝાલા

રાજકોટ : કલ્પેશભાઈ એફ. ઝાલા (ઉ.વ.૪૦) તે ડો. એફ. આર. ઝાલા દિવરાણાના પુત્ર તથા કમલેશભાઈ એફ. ઝાલા (સર્વોદય હાઈસ્કુલ કેશોદ), રાજેન્દ્રભાઈ એફ. ઝાલા રાજકોટના નાનાભાઈ તેમજ સુરેશભાઈ પ્રભુલાલ બાવીશી રાજકોટના જમાઈ તથા ધવલભાઈ બાવીશીના બનેવીનું તા.૧ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બંને પક્ષનું તા.૨ના રોજ બપોરે ૪ કલાકે ૯, સરદારનગર જૈન ઉપાશ્રયે રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)

કુંદનબેન પોપટ

રાજકોટ : કુંદનબેન બટુકભાઈ પોપટ (ઉ.વ.૬૭) તે બટુકભાઈ ગીરધરલાલ પોપટ (આનંદ સેલ્સ એજન્સી કાચવાળા)ના ધર્મપત્નિ તેમજ નયનાબેન કિશોરકુમાર કોટક તથા સ્વ. પ્રશાંતભાઈના માતુશ્રી તે પ્રિન્સ રાજના દાદીમા તેમજ જીવરાજભાઈ ડાયાભાઈ મકવાણાની પુત્રીનું તા.૨ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.૪ને સોમવારના રોજ ધારેશ્વર મંદિર ખાતે બપોરે ૪ થી ૫ રાખેલ છે.