Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018
અવસાન નોંધ

હસમુખભાઇ મણીયાર

રાજકોટઃ સ્વ. ઠા. ત્રીકમજીભાઇ નાનજીભાઇ મણીયાર બીલખાવાળાના પુત્ર ઠા. હસમુખભાઇ (ઉ.વ.૬૮) હાલ રાજકોટ તે મહેન્દ્રભાઇ, જીતેન્દ્રભાઇ, હિંમતભાઇ, ચેતનભાઇ, પ્રવિણાબેન વિજયભાઇ શીંગાળા - રાજકોટના ભાઇ તથા વિપુલભાઇ, સંદિપભાઇ (દિપક ગેસ એજન્સી - રાજકોટ)ના પિતાશ્રી તથા સ્વ. ઠા. મોહનલાલ વલ્લભજી સીરોદરીયા માંગરોળ વાળાના જમાઇ તા.૧ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તથા સસુર પક્ષની સાદડી તા.રના શનિવારે સાંજે પ થી ૬ શ્રી સરસ્વતી શીશુ મંદિર, મારૂતીનગર-૧, એરપોર્ટ રોડ, ખાતે રાખેલ છે.

લાભુબેન નિમ્બાર્ક

રાણાવાવઃ જલારામ પાન વાળા સ્વ.હિંમતલાલ પુરૂષોત્તમદાસ નિમ્બાર્કના મોટાબહેન તેમજ પ્રકાશભાઇ અને કિશોરભાઇના ફઇબા તથા ચંદુભાઇ યોગાનંદીના માસી લાભુબેન પી. નિમ્બાર્ક (ઉ.વ.૮૮) તા.૧ના રોજ રામચરણ પામેલ છે. ઉઠમણું તા.રજીએ શનિવારે વાણિયાવાડમાં સાંજે ૪-૩૦ થી પ-૩૦ રાખેલ છે.

હેમતસિંહ પરમાર

રાજકોટઃ કારડીયા રાજપૂત હેમતસિંહ ગગજીભાઈ પરમાર (નિવૃત એરપોર્ટ એથોરીટી ભાવનગર) (ઉ.વ.૬૭)નું તા.૧ના રોજ ગાંધીનગર મુકામે દુઃખદ અવસાન થયેલ છે. તે હિરેન અને નેહાના પિતાશ્રી જયંતભાઈ (બરોડા) પ્રવિણભાઈ તથા શૈલેશભાઈ (ભરૂચ)ના મોટાભાઈનું બેસણું રાજકોટ ખાતે તા.૪ના રોજ સોમવારે કારડીયા રાજપૂત સમાજરામ મંદિર રજપૂતપરામાં સાંજે ૫ થી ૭ રાખવામાં આવેલ છે.

અશોકભાઈ સોલંકી

રાજકોટઃ મચ્છુકઠીયા સઈસુથાર અશોકભાઈ રણછોડભાઈ સોલંકી (મુળ ઢાંક વાળા હાલ રાજકોટ) તે સતીષભાઈ, હરેશભાઈના મોટાભાઈ, મનીષ, રાજેસ, જલ્પાના પિતાશ્રી પ્રથમના દાદા તથા વિમલ રાઠોડના સસરા, હરીશભાઈ તથા હેંમતભાઈ મગનભાઈ પીઠડીયાના બનેવીનુ તા.૧ના રોજ દુઃખદ અવાસાન થયેલ છે. તેમનુ બેસણુ તા.૪ને સોમવારે રામનાથપરા દરજી જ્ઞાતિની વાડીએ સાંજે ૫ થી ૬ સુધી રાખેલ છે. સસરાપક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

કમળાબેન મકવાણા

રાજકોટઃ શ્રી મ.ક.સઈ સુથાર દરજી જ્ઞાતિના કમળાબેન અમૃતલાલ મકવાણા (ઉ.વ.૭૦) મૂળગામ બાવડીદળ વાળા, હાલ રાજકોટ નિવાસી તે સ્વ.અમૃતલાલ નાગજીભાઈના ધર્મપત્નિ તથા ઈશ્વરભાઈના ભાભી શૈલેશભાઈ, જીતેન્દ્રભાઈના માતુશ્રી તથા દિપના દાદીમાં તથા ભગવાનજીભાઈ નરશીભાઈ ધામેચાના દીકરીનું તા.૩૧ના અવસકાન થયેલ છે. સદ્દગતનું બેસણું સોમવાર તા.૪ના ''રાધે ક્રિષ્ના'' મંદિર એરપોટ પટી ગાંધીગ્રામ ખાતે સાંજે ૫ થી ૬ બંને પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

ભાનુબેન ગંગાજળીયા

રાજકોટ : ભાનુબેન નરોતમભાઇ ગંગાજળીયા (ઉ.વ. ૫૫) (ચાંદલીવાળા) તે દિલીપભાઇ, અતુલભાઇ તથા દક્ષાબેન રમેશભાઇ સાપરીયાના માતુશ્રી તથા જયંતિભાઇના ભાભી તથા ચંદુભાઇ ખંભાયતાના બહેનનું અવસાન તા. ૧ને શુક્રવારે થયેલ છે. બેસણું તા. ૪ ને સોમવારે સાંજે ૪ થી ૬ ગુર્જર સુથાર પ્રગતિમંડળ, જકાતનાકા પાસે ગોંડલ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

નટવરસિંહ મદારસિંહ જાડેજા

મેટોડા : (ખીરસરા રણ) : નવટરસિંહ મદારસિંહ જાડેજા ઉ.વ. ૬૮નું તા. ૩૧-પ-૧૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેઓ રઘુવીરસિંહ મદારસિંહ જાડેજા, અનિરૂદ્ધસિંહ જાડેજાના મોટાભાઇ તેમજ દેવેન્દ્રસિંહ નટવરસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ, છત્રપાલસિંહ જાડેજા તથા વાઘેલા દક્ષાબા ઉપેન્દ્રસિંહના પિતા નું દુઃખદ અવસાન થયેલ છે.

સુશીલાબેન શાહ

મોરબી : મોરબી નિવાસી શ્રી વસંતલાલભાઇ દુર્લભજીભાઇ શાહના ધર્મપત્ની સુશીલાબેન તે સ્વ. પારૂલબેન શ્રેયાંસભાઇ, પલ્લવીબેન પરેશભાઇ વોરા( અમદાવાદ) તથા રૂપાબેન વિપુલભાઇ શેઠ(રાજકોટ) ના માતુશ્રી તેમજ ભાઇચંદભાઇ, દેવચંદભાઇ ડગલી (મુંબઇ) ના પુત્રી તા. ૧ શુક્રવારના અરિહંત શરણ પામેલ છે. ઉઠમણું તા. ૩ને રવિવારે સવારે ૧૦ કલાકે તથા પ્રાર્થના સભા ત્યારબાદ ૧૦:૩૦ કલાકે બંને વિશાશ્રીમાળી વણિકજ્ઞાતિ ની વાડી નવાડેલા રોડ ખાતે રાખેલ છે.

મગનભાઇ ભાલાળા

ગોંડલ : મગનભાઇ હરીભાઇ ભાલાળા, (ઉ.પ૪) તે બાબુભાઇ ના ભાઇ તેમજ પ્રણવભાઇના પિતાનું તા. ૩૧ ના રોજ અવસાન થયેલ તેમનું બેસણુ ૪ ને સોમવારે યમુના કુંજ શેરી નં. ૧૦/૧ કૈલાશબાગ ગોંડલ ખાતે રાખેલ છે.

ગોવિંદભાઇ દુબલ

રાજકોટઃ  ગોવિંદભાઇ લક્ષ્મણભાઇ દુબલ (ઉ.વ.૭૯) તે રાજેશભાઇ મનોજભાઇ શૈલેષભાઇ આનંદભાઇ (દીપુભાઇ) તથા આરતીબેન બીરેનભાઇ ધ્રુવના પિતાશ્રી છગનભાઇ વાઘેલાના જમાઇ તા.૧ના અવસાન પામ્યા છે. તેમનું બેસણું તા.૪ સોમવારે સાંજે ૫ થી ૭ના તેમના નિવાસ સ્થાન સામે સોરઠીયાવાડી પ્રજાપતિ વાડી પંચવટી નગર ખાતે રાખેલ છે.