Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019
એએસઆઇ ભૂપતસિંહ રાણાનું દુઃખદ અવસાનઃ સોમવારે બેસણું

રાજકોટઃ મવડી રૂરલ હેડકવાટર્સ બી-૮માં રહેતાં અને રૂરલમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતાં ભૂપતસિંહ વેરૂભા રાણા (ભલગામડા) તે વિક્રમસિંહ રાણા, સ્વ. મહાવીરસિંહ રાણા, લખધીરસિંહ રાણા (નિવૃત એએસઆઇ), ઘનશ્યામસિંહ રાણા તથા પ્રતાપસિંહ રાણા (એએસઆઇ)ના ભાઇ તેમજ ગિરીરાજસિંહ મહાવીરસિંહ રાણા, પૃથ્વીરાજસિંહ મહાવીરસિંહ રાણા (પીએસઆઇ), હિતેન્દ્રસિંહ એમ. રાણા (પીએસઆઇ) અને પુષ્પરાજસિંહ બી. રાણાના કાકાનું તા. ૨૯/૧૧ના દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૨ના સોમવારે સાંજે ૪ થી ૬, મવડી હેડકવાટર્સ તેમના નિવાસસ્થાને તથા ઉત્તરક્રિયા ૭/૧૨ના તેમના નિવાસસ્થાને રાખેલ છે.

નિકાવાઃ રામદેવપીરના કોટવાલ રવજીભાઇ ભુટાભાઇ ધંધુકિયાના પુત્ર રામજીભાઇનું અવસાનઃસોમવારે બેસણું

નિકાવાઃ પ્રજાપતિ રવજી ભૂટાભાઇ ધંધુકિયાના પુત્ર રામજીભાઇ રવજીભાઇ ધંધુકિયા (ઉ.વ. ૬પ) તે પરસોતમભાઇના નાનાભાઇ તેમજ પ્રાગજીભાઇ, ધનજીભાઇ, પ્રવીણભાઇ, લખમણભાઇ, ગીરીશભાઇના મોટાભાઇ તેમજ તે પરેશભાઇ, બકુલભાઇ અને ઇલાબેન મહેશકુમાર અમેથીયા-રાજકોટ તેમજ દક્ષાબેન દીપકકુમાર અમેથીયા જામનગરના પિતાશ્રીનું આજે તા. ૩૦-૧ર-૧૯ ને શનિવારે દુઃખદ અવસાન થયેલ છે. તેમણું બેસણું તા. ર-૧ર-૧૯ ને સોમવારે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને નિકાવા ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

જગદીશભાઇ જોષી

રાજકોટઃ મુળ મોટી પરબડી હાલ રાજકોટ જગદીશભાઇ હરીલાલ જોષી (ઉ.૭૩) તે ઉમેશભાઇ, મનીષભાઇ તથા સ્વ. પિયુષભાઇના પિતાશ્રી તથા હર્ષના દાદાનું તા.ર૯ના અવસાન થયેલ છે. બેસણું તા.રના સોમવારે સાંજે ૪ થી ૬ શ્રી રાજ રાજેશ્વર મહાદેવ મંદિર રાજનગર સોસાયટી નાનામૌવા રોડ ખાતે રાખેલ છ.ે

લીલાવંતીબેન ગોસાઇ

રાજકોટઃ ગં.સ્વ. લીલાવંતીબેન ધીરજગીરી ગોસાઇ તે અરવિંદગીરી ધીરજગીરી ગોસાઇ તથા મનોજગીરી ધીરજગીરી ગોસાઇના માતુશ્રી તા.ર૮ના કૈલાસવાસ થયેલ છે સદ્દગતનું બેસણું તા.રના સોમવારે સાંજે ૩ થી પ વાગ્યા સુધી નિવાસસ્થાનેરાખેલ છે.

કરશનદાસભાઇ ધનેશા

રાજકોટઃ ચોરવાડ નિવાસી હાલ રાજકોટ ગો.વા.વિઠ્ઠલદાસ ભુવાભાઇ ધનેશાના પુત્ર તથા જસ્મીનભાઇ, નિલેષભાઇ, હિનાબેન તથા રાજેશ્રીબેન રાજેશકુમાર રાજા તથા જયોતિબેન, હરેશકુમાર કારીયાના પિતાશ્રી તેમજ સ્વ.ગીરધરલાલ મગનલાલ સસદેના જમાઇ કરશનદાસ વિઠ્ઠલદાસ ધનેશા (ઉ.૭૭) (નિવૃત એસ.ટી. કર્મચારી) તા.ર૯ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તથા સસરા પક્ષની સાદડી તા.૩૦ના સાંજે ૪-૩૦ થી પ-૩૦ નિલકંઠ મહાદેવ મંદિર, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર મેઇન રોડ ખાતે રાખેલ છે.

જીવરાજભાઇ ચાવડા

રાજકોટઃ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા મુળ બાલંભા હાલ રાજકોટ નિવાસી જીવરાજભાઇ પ્રેમજીભાઇ ચાવડા (ઉ.વ.૮૫) તે કિરીટભાઇ, શિરિષભાઇ, પારસના પિતાશ્રી તથા માવજીભાઇ, ડો. વિનયકાંત પી. ચાવડાના વડીલબંધુ તા.૨૯ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨ને સોમવારે સાંજે ૪ થી ૫:૩૦ શ્રી સિધ્ધીનાથ મહાદેવ મંદિર, શ્રી રામપાર્ક શેરી નં.૬, પંચાયતનગર પાછળ, યુનિ. રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

કુંદનબેન છાંટબાર

રાજકોટ : બ્રહ્મક્ષત્રિય કુંદનબેન હરજીવનભાઇ અંબારામભાઇ છાંટબાર ૩૦-૧૧-ર૦૧૯ શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણુ તા.૩૦-૧રને શનિવારે સાંજે પ વાગ્યે ભાવનગર રોડ, પટેલવાડીની સામે શીતળા માતાના મંદિરે રાજકોટ ખાતે રાખેલ છે.