Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017
મંજુલાબેન મગનભાઇ સરવૈયાનું દુઃખદ અવસાનઃ કાલે પ્રાર્થના સભા : મચ્છુ કઠિયા સઇ સુતાર હડીયાણાવાળા

 રાજકોટઃ મચ્છુ  કઠિયા સઇ સુતાર મંજુલાબેન  મગનભાઇ સરવૈયા (ઉ.વ.૮૫) (હડીયાણા વાળા) હાલ રાજકોટ તે સ્વ. મગનભાઇ વસરામભાઇ સરવૈયાના ધર્મપત્નિ તેમજ (રમણીકભાઇ) (શશીકાંતભાઇ) પીઠડીયાના બહેન રસીકભાઇ ભગવાનજીભાઇ ધામેચા તથા દિનેશભાઇ ભગવાનજીભાઇ ધામેચાના સાસુ તેમજ ગોપાલજીભાઇ ખોડાભાઇ પીઠડીયાની દિકરીનું ઇશ્વરભાઇ, તરૂણભાઇ કિશોરભાઇ, અશ્વિનભાઇના માતુશ્રીનું  તા.૩૦ને ગુરૂવારના રોજ દુઃખદ  અવસાન થયેલ છે.  સદ્ગતની પ્રાર્થનાસભા, પીયરપક્ષની સાદડી તા.૨ને શનિવાર સાંજે  ૫ થી ૬ કલાકે ધારેશ્વર મહાદેવ મંદીર  ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ રાખેલ છે.

હેપી સ્કુલના દાતા રાકેશભાઇનું દુઃખદ અવસાન થતા શ્રધ્ધા સુમન અર્પણ

રાજકોટ તા. ૧ : ઝુપડપટ્ટીના બાળકો માટેની હેપી સ્કુલના પાયાના દાતા અને માર્ગદર્શક એવા રાકેશભાઇ શાહનું દુઃખદ અવસાન થતા હેપી સ્કુલના બાળકો-સંસ્થાના ટ્રસ્ટીઓએ શોકની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલી અર્પી હતી.

ઉલ્લેખનીય છે કે જામનગર રોડ પર આવેલ ઝુપડપટ્ટીના ભીક્ષાવૃત્તિ કરતા બાળકો માટે પાંચેક વર્ષ પહેલા ખુલ્લામાં ૩૦ થી ૪૦ બાળકોને શિક્ષણ આપવાનું શરૂ કરાયા બાદ આજે ૨૫૦ બાળકોની 'હેપી' સ્કુલમાં પરિણમી છે.

ધો.૧ થી પ સુધીના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ, યુનિફોર્મ, પુસ્તકો, સ્ટેશનરી સહીતની સામગ્રી દાતાઓના સહયોગથી અપાય છે. તેમ અનમોલ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ (મો.૯૬૨૪૦ ૪૨૫૯૯) ની યાદીમાં જણાવાયુ છે.

અવસાન નોંધ

મોતીબેન લાઠીયા

 

રાજકોટ : મૂળ લાલપુર હાલ રાજકોટ નિવાસી લાઠિયા મોતીબેન ગોવિંદભાઇ તે વિનોદભાઇ તથા જીતેશભાઇના માતુશ્રીનું તા.૩૦ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૪ના સોમવારે સાંજે ૪ થી ૬ સુધી તેમના નિવાસ સ્થાન વિનાયક ફલેટ, ભગવતીપરા બદ્રીપાર્કની સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

 

 

ચંપાબેન રૂપારેલીયા

ગોંડલઃ સ્વ.ઠા.વૃજલાલભાઇ નાનાલાલભાઇ રૂપારેલીયાના ધર્મપત્નિ ગં.સ્વ.ચંપાબેન (ઉ.વ.૯૨) તે હેમંતભાઇ (જલારામ એકાઉન્ટ)ના માતુશ્રી તથા સ્મિત (સી.એ.) પાર્થ (સી.એસ.)ના દાદીમા તથા દામોદરદાસ ગોવિંદજી જસાણી બાબરાવાળાના દીકરીનુ તા. ૩૦ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા.૨ના શનિવારે સાંજે પ વાગ્યે નવાગામ ભાટિયા મહાજનવાડી કેૈલાશબાગ સોસાયટી ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

પાર્વતીબેન માંડલીયા

ઉપલેટાઃ ગૌ.વા.લલીતભાઇ ગીરધરભાઇ માંડલીયાના માતુશ્રી પાર્વતીબેન ગીરધરભાઇ માંડલીયા તા. ૩૦ના રોજ શ્રી ગોપાલચરણ પામેલ છે. બેસણુ તા. ૧ના રોજ વાંજા જ્ઞાતિ સમાજ ઉપલેટા મુકામે રાખેલ છે.

નરશીભાઇ જસાણી

કોલકીઃ સ્વ્. રમણીકલાલ નરશીભાઇ જસાણી તેમજ તેમના બધુલંધુ જયંતિલાલ નરશીભાઇ જસાણીના પિતાશ્રી નરશીભાઇ હીરજીભાઇ જસાણી (ઉ.વ.૮૬)નું તા. ૩૦મીએ  અવસાન થયેલ છે. બેસણુ તા. રજીએ શનિવારે નિવાસ સ્થાને રાખેલ છે.

કુંદનબેન ઠાકર

રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મૂળ ખોડુ (સુરેન્દ્રનગર) હાલ રાજકોટ ગં.સ્વ.કુંદનબેન છેલશંકર ઠાકર તે સ્વ. છેલશંકર મોહનલાલ ઠાકરના ધર્મપત્નિ તથા તે સ્વ.પંકજભાઇ, રમેશભાઇ (આરએમસી) સ્વ.દિવ્યાબેન રજંનબેનના માતુશ્રી તેમજ ધર્મેશભાઇ અને કૃણાલના દાદીમાનુ તા. ૩૦ના અવસાન થયેલ છે. તેમનુ બેસણુ તા. રના શનિવારે સાંજે ૩ થી ૫ બિલેશ્વર મહાદેવ મંદિર શ્યામનગર મેઇન રોડ રમેશભઇાના ઘર પાસે રાખેલ છે.

રણછોડભાઇ સોજીત્રા

રાજકોટઃ રણછોડભાઇ આંબાભાઇ સોજીત્રા (ઉ.વ.૯૦)નું તા. ૩૦ના ધામ ગમન થયેલ છે. તે મુકેશભાઇ, સ્વ્.દિનેશભાઇ, લાયનેશ પાર્વતીબેન ડોબરીયા, મંગળાબેન રૈ્યાણી લીલાબેન ભુત, સ્વ.ઇલાબેન ટિંબળીયાના પિતાશ્રી તથા દર્શિત, હર્ષિત, ઇશીનાના દાદાનું અવસાન થયેલ દે. તેઓશ્રીનું બેસણુ શનિવાર તા. રના સવારે ૯ થી ૧૦ ભગવાનપાર્ક શેરી નં.૧ કુવાડવા રોડ 'શ્રીજીકૃપા' ખાતે રાખેલ છે.

હિનાબેન ચોલેરા

રાજકોટઃ સ્વ.વૃજલાલ ગીરધરલાલ ચોલેરાના પુત્રવધુ તે મયંકભાઇ ચોલેરા (લંડન નિવાસી)ના ધર્મપત્નિ હિનાબેન ચોલેરા (ઉ.વ.૫૨) તે વિજયભાઇ તથા કેતનભાઇના ભાભી, તે ચી.વિવેક તથા ચી.ક્રિષ્ના માતુશ્રી, તે સ્વ.કાંતિલાલ ધરમશીભાઇ ઘેલાણીના પુત્રીનુ તા. ૩૦ના અવસાન થયેલ છે. સદ્ગતની સ્મશાનયાત્રા તા. ૨ના શનિવારે સાંજે ૬.૦૦ કલાક,ે ૩/૬ નવા જયોત પાર્કથી નીકળશે. તેમજ સદ્ગતની પ્રાર્થના સભા (બંને પક્ષની) તા. ૩ના રવિવારે સવારે ૧૦ થી ૧૧ અમરનાથ મંદિર, અમરનાથ મંદિર રોડ, આર.એમ.સી. વેસ્ટ ઝોન ઓફીસ પાછળ રાખેલ છે.

યશવંતભાઇ દવે

રાજકોટઃ યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ તથા શ્રીમતી રમાબેન રસિકલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટના સેટલર ટ્રસ્ટી યશંવતભાઇ રસિકલાલ દવે (લોકમાન્ય સ્વીટ માર્ટ)નુ દાદર મુંબઇ ખાતે તા.૨૬ના અવસાન થયેલ છે. જેમની પ્રાર્થના સભા તા. ૩ના રવિવારે સાંજે. ૫.૦૦ કલાકે શ્રીમાળી બ્રાહ્મણની વાડી, પ્રજાપતિ વાડી સામે ગાંધીગ્રામ ખાતે રાખવામા આવેલ છે.

મણીબેન મૂળાશીયા

રાજકોટઃ મૂળ કાના વડાવા નિવાસી (હાલ રાજકોટ) મણીબેન જુઠાભાઇ મૂળાશીયા કઉ.વ.૯૫) (વરીયા કુંભાર) તે ભીખુભાઇ જુઠાભાઇ મૂળાશીયા તથા મનસુખભાઇ જુઠાભાઇ મૂળાશીયાના માતુશ્રી તથા જયદેવ, યોગેશ અને ભૌતિકના દાદીમાનુ તા. ૩૦ના અવસાન થયેલ છે તેમનુ બેસણુ તા. ૪ને સોમવારે સાંજે ૪ થી ૬, ૮-શ્રીનાથજી સોસાયટી મવડી રોડ ખાતે રાખેલ છે.

મંજુલાબેન તન્ના

 રાજકોટઃ મંજુલાબેન તે પરમારનંદ દેવરામ તન્નાના ધર્મપત્નિ નિલેષભાઇ (માતૃ મંદિર સ્કૂલ) તથા કવિતાબેનના માતુશ્રી પ્રકશભાઇ રમણીકલાલ (રવિ મેટલ) તન્નાના કાકી , વિપુલભાઇ વશરામભાઇ દાવડા તથા અંજલિબેનના સાસુ  તેમજ નાગપુર નિવાસી શિવજીભઇા જયવંતભાઇ પંચમતીયાના સુપુત્રીનુ અવસાન થયેલ છે. ઉઠમણુ તથા પિયરપક્ષની સાદડી તા.૨ના શિનિવારે સાંજે સાડાચારથી સાડા પાંચ ગીતા વિદ્યાલય જંકશન સ્ટેશન પાસેે રાખેલ છે. લોકિક પ્રથા બંધ રાખેલ છે.

ચંદ્રીકાબેન વ્યાસ

રાજકોટઃ ઔદીચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ.સુખદેવભાઇ મણિશંકર વ્યાસના પત્ની સ્વ.ચંદ્રીકાબેન સુખદેવભાઇ વ્યાસ તે હરેશભાઇ તથા મુકેશભાઇના માતુશ્રી તા. ૩૦ના નિધન થયેલ ેતેમનુ બેસણપુ તા. ૨ના શનિવારે માધાપર ગામ, સિંધોઇનગર, બાપાસીતારામ વાળી શેરી, માધાપર જામનગર રોડ ખાતે ૪ થી ૬ રાખેલ છે.

શાંતાબેન મહેતા

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડવાળ બ્રાહ્મણ કોટાપીઠાના વતની ગં.સ્વ.શાંતાબેન કાંતિલાલ મહેતા તે બટુકભાઇ (જગદીશભાઇ મહેતાાના કાકી તે જયેશભાઇ મહેતા બીએસએનએલ-અમદાવાદ, વિપુલભાઇ મહેતા અને રિાગભાઇ જીઇબી-સીકાના દાદીમાનુ ઉ.વ. ૮૭નુ અમવાદ મુકામે અવસાન થયેલ છે. તેમનુ બેસણુ તા. ૨ના શનિવારે સાંજે ૪ થી ૬ વિપુલભાઇ મહેતા 'અંબાશ્રય' રાવલનગર શેરી નં.ર સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર ખાતે રાખવામા આવેલ છે.

મંજુલાબેન વ્યાસ

ઉપલેટા : પુષ્ટી માર્ગ હવેલી સુપેડીવાળા પ્રસિધ્ધ કિર્તનકાર ગો.વા. ભાનુપ્રસાદ પોપટલાલ વ્યાસના પત્નિ મંજુલાબેન ભાનુપ્રસાદ વ્યાસ (ઉ.૯પ), તા.ર૯ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા.રને શનિવારે બપોરે ૩ થી પ સુપેડી હવેલી મુકામે રાખેલ છે.

મનસુખલાલ જોષી

મોટી કુંકાવાવ : તપોધન બ્રાહ્મણ, મનસુખલાલ કરૂણાશંકર જોષી (ઉ.વ.૮૪) તે ઉપેન્દ્રભાઇ (મુંબઇ), ભારતભૂષણભાઇ (કુંકાવાવ), નયનાબેન રમેશકુમાર જોષી (કલ્યાણ) તેમજ નીતાબેન હર્ષદરાય જોષી (બોરીવલી)ના પિતાશ્રી તેમજ આદિત્ય તથા હિરલના દાદાનું તા. ર૮ના અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા. રને શનિવારના રોજ સાંજના ૪થી ૬ તેમના નિવાસ સ્થાન નિલકંઠ પાર્ક (જીન પ્લોટ) મોટી કુંકાવાવ ખાતે રાખેલ છે.

રજીયાબાનુ પઠાણ

સાવરકુંડલા : પોલીસ જમાદાર હાજી અશરફખાન પઠાણ ચોક્કાવાળાના પત્ની હાજીયાણી રજીયાબાનુ અશરફખાન પઠાણ (ઉ.વ.૪૭) અલ્લાહની રહેમતમાં પહોંચી ગયેલ છે. જીયારત તા. ર ને શનિવારે સવારે ૧૦થી ૧૧ દરમ્યાન મસ્જીદે ઉસ્માન ઉમર  નવા કબ્રસ્તાન ખાતે રાખેલ છે. ઔરતોની જીયારત મર્હુમાના નિવાસ સ્થાન સાધના સોસાયટીમાં રાખેલ છે. (

 જયાબેન કકકડ

રાજકોટઃ કુવાડવાવાળા હાલ રાજકોટ જયાબેન કનૈયાલાલ કક્કડ (ઉ.વ.૯૨) તે કનૈયાલાલ તુલસીદાસના ધર્મપત્નિ તથા ચોટીલાવાળા લીલાધર મુળજીભાઇ ખખ્ખરના દિકરી, તે સ્વ. દિનેશભાઇ, પ્રકાશભાઇ નરેશભાઇ તથા સંજયભાઇના માતૃશ્રી તથા ધર્મેશ, અક્ષય તથા તરંગના દાદીમાં તા.૩૦/૧૧ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું  ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી કાલે તા.૨ના રોજ સાંજે ૫ કલાકે પંચનાથ મંદીરે રાખેલ છે. લોૈકીક ક્રિયા બંધ રાખેલ છે.