News of Wednesday, 12th December 2018
મ્યાનમારમાં ભારતીયો માટે" વિઝા ઓન એરાઇવલ " : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પાંચ દિવસિય મુલાકાત પ્રસંગે કરાયેલી ઘોષણા
મ્યાનમાર : ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાલમાં પાંચ દિવસ માટે મ્યાનમારની મુલાકાતે છે.જે દરમિયાન મ્યાનમાર સરકારે ભારતીયો માટે વિઝા ઓન એરાઇવલ એટલેકે એરપોર્ટ ઉપર આવતાની સાથે જ વિઝા આપી દેવાશે તેવી ઘોષણા કરી છે. જેનો હેતુ બંને દેશો વચ્ચે સબંધો વધારવાની સાથે પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(12:43 pm IST)