એન. આર. આઈ. સમાચાર
News of Monday, 28th October 2019

પાકિસ્તાનના સિયાલકોટમાં આવેલા હિન્દૂ મંદિરમાં 72 વર્ષ પછી દિવાળી તહેવાર ઉજવાયો : હિન્દુસ્તાન પાકિસ્તાન ભાગલા વખતથી બંધ મંદિરનો જીર્ણોધ્ધાર થતા હિંદુઓ ખુશખુશાલ

ઇસ્લામાબાદ : 1947 ની સાલમાં હિન્દુસ્તાન પાકિસ્તાન વિભાજન વખતથી બંધ પડેલું  સિયાલકોટ ખાતેનું શવાલા તેજા સિંહ  હિન્દૂ મંદિર  આ વર્ષે જીર્ણોધ્ધાર બાદ 72 વર્ષના ગાળા પછી ખુલ્લું મુકાતા સ્થાનિક હિંદુઓ ખુશ થઇ ગયા હતા તથા મંદિરમાં દર્શન કરી ખાસ પ્રાર્થના સાથે ઉમંગભેર દિવાળીઉત્સવ ઉજવ્યો હતો.આ મંદિરનો જીર્ણોધ્ધાર કરવાનો નિર્ણય ટ્રસ્ટી પ્રોપર્ટી બોર્ડ દ્વારા લેવાયો હતો.

(2:50 pm IST)