એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 27th June 2020

ભારતના શીખ શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર : 16 માર્ચથી બંધ કરાયેલ કરતારપુર કોરિડોર સોમવારથી ખુલ્લું મુકાશે : મહારાજા રણજિતસિંહની પુણ્યતિથિ નિમિતે પાકિસ્તાન સરકારનો નિર્ણય

ઇસ્લામાબાદ : ભારતના શીખ શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે.જે મુજબ 16 માર્ચથી બંધ કરાયેલ કરતારપુર કોરિડોર સોમવારથી ખુલ્લું મુકાશે
મહારાજા રણજિતસિંહની પુણ્યતિથિ નિમિતે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ઉપરોક્ત નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે શીખોના ધર્મગુરુ નાનક સાહેબે તેમના જીવનના અંતિમ 18 વર્ષ પાકિસ્તાનમાં આવેલા કરતારપુર ગુરુદ્વારા ખાતે વિતાવ્યા હતા.તેથી સમગ્ર વિશ્વમાં વસતા શીખો માટે આ સ્થળ તીર્થધામ છે.

(2:08 pm IST)