એન. આર. આઈ. સમાચાર
News of Monday, 25th May 2020

ચીન પોતાના નાગરિકોને ભારતમાંથી પરત લઇ જશે : કોરોના વાઇરસને કારણે ફસાયેલા સ્ટુડન્ટ્સ ,યાત્રિકો ,તથા જાત્રાળુઓને વતનમાં લઇ જવાની વ્યવસ્થા કરી : 27 મે સુધીમાં ભારત ખાતેના ચીની દૂતાવાસમાં નોંધણી કરાવવાની સૂચના આપી

બેજિંગઃ : કોરોના વાઇરસના ફેલાવા માટે સમગ્ર વિશ્વ જેને દોષિત ગણી રહ્યું છે તે દેશ ચીન હવે આ મહામારીમાંથી મુક્ત થવા જઈ રહ્યું છે.તેવા સંજોગોમાં ભારતમાં વધી રહેલા કેસને ધ્યાને લઇ તેણે પોતાના નાગરિકોને ભારતમાંથી વતનમાં પરત લઇ જવાની વ્યવસ્થા કરી છે.જે મુજબ કોરોના વાઇરસને કારણે રોકાઈ જવા મજબુર બનેલા ચાઈનીઝ નાગરિકોએ ભારત ખાતેના ચીની દૂતાવાસે 27 મે સુધીમાં નામ નોંધાવી દેવા જણાવ્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:22 pm IST)