એન. આર. આઈ. સમાચાર
News of Monday, 29th April 2019

કતારમાં નોકરીની લાલચ આપી ફસાવતા લેભાગૂ દલાલોથી ચેતજોઃ એજન્ટ પાસેથી કતારનું આઇ.ડી.પ્રુફ માંગવા દોહા સ્થિત ભારતીય દૂતાવાસનો અનુરોધ

કતારઃ કતારમાં નોકરીની લાલચ આપી નાણાં પડાવતા તથા ફસાવતા લેભાગૂ દલાલોથી ચેતવા દોહા સ્થિત ભારતીય દૂતાવાસે અનુરોધ કર્યો છે. જે મુજબ કોઇપણ એજન્ટ કતારમાં નોકરી અપાવી દેવાની વાત કરે ત્યારે તે અધિકૃત છે કે કેમ તેનો આધાર માંગવો જરૂરી છે. તેવું ખલિજા ટાઇમ્સએ ટિવટરના માધ્યમ દ્વારા જણાવાયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:58 pm IST)