એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 26th September 2018

પાકિસ્તાનમાં જેલવાસ ભોગવી રહેલા ભારતીય સરબતજીત સિંઘની હત્યાના આરોપીઓ વિરુદ્ધ લાહોર કોર્ટમાં કામગીરી શરૂ : 2013 ની સાલમાં બનેલી ઘટનાના સાક્ષીઓ કોર્ટમાં હાજર ન થતા સમન્સ પાઠવાયું

લાહોર :2013 ની સાલમાં પાકિસ્તાનમાં જેલવાસ ભોગવી રહેલા ભારતીય સરબતજીત સિંઘની નિર્મમ હત્યા કરવાના આરોપીઓ ઉપર કામ ચલાવવા માટે લાહોર કોર્ટએ સાક્ષીઓને આવતા મહિને  હાજર થવા સમન્સ બજાવ્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

49 વર્ષીય સરબતજીત સિંઘની હત્યા કરવાનો 2 આરોપીઓ આમિર સરફરાઝ તથા મુદ્દસર ઉપર આરોપ છે.પરંતુ નજરે જોનાર સાક્ષીઓ પૈકી કોઈ કોર્ટમાં હાજર નહીં થતા સમન્સ પાઠવાયું છે.

(9:29 pm IST)