એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 26th September 2018

આગામી 21 થી 23 જાન્યુ 2019 દરમિયાન 15 મો પ્રવાસી ભારતીય દિવસ ઉજવાશે : વારાણસી મુકામે થનારી ઉજવણી માટેની સત્તાવાર વેબસાઈટ ખુલ્લી મુકાઈ

ન્યુદિલ્હી :15 મો પ્રવાસી ભારતીય દિવસ આગામી 21 થી 23 જાન્યુઆરી 2019 દરમિયાન વારાણસી મુકામે ઉજવાશે.જે માટેની સત્તાવાર વેબસાઈટ ખુલ્લી મૂકી દેવાઈ છે.તેવું વિદેશ મંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું.  તેમણે ઉમેર્યું હતું કે આ વખતના PBD માં અગાઉના વર્ષો કરતા ઘણા નવા પ્રોગ્રામ ઉમેરાશે.

પ્રવાસી ભારતીય દિવસ દરમિયાન પધારેલા મહાનુભાવોને  અલાહાબાદ મુકામે યોજાનારા કુંભમેળામાં  24 જાન્યુ ના રોજ લઇ જવાશે.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી PBD નું 22 જાન્યુ ના રોજ ઉદ્ઘાટન કરશે.આ દિવસે મોરેશિયસ ના પ્રાઈમ મિનિસ્ટર શ્રી પ્રવીણ જુગનાથ ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપશે.તથા 23 તારીખે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ઉદબોધન કરશે.

PBD હાજરી આપવા પધારેલા વિદેશ સ્થિત ભારતીયો 26 જાન્યુ ના રોજ દિલ્હી મુકામે ઉજ્વાનારા પ્રજાસત્તાક પર્વમાં હાજરી આપશે.

(12:26 pm IST)