News of Friday, 28th June 2019
સાઉદી અરેબિયાએ ભારતીયો માટે હજયાત્રાનો ક્વોટા વધાર્યો : 1 લાખ 70 હજારને બદલે હવે દર વર્ષે 2 લાખ ભારતીય મુસ્લિમો હજયાત્રા કરી શકશે : G-20 મિટિંગમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ વચ્ચેની મુલાકાતની ફલશ્રુતિ
ઓસાકા : સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન એ ભારતના મુસ્લિમો માટેના હજયાત્રાના ક્વોટામાં 30 હજારનો વધારો કરવાની ઘોષણા કરી હતી.G-20 મિટિંગમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ વચ્ચેની મુલાકાત દરમિયાન તેમણે ઉપરોક્ત વધારો જાહેર કર્યો હતો.તેથી હવે દર વર્ષે 1 લાખ 70 હજારને બદલે 2 લાખ ભારતીય મુસ્લિમો હજયાત્રા કરવા જઈ શકશે
ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયામાં દર વર્ષે સમગ્ર વિશ્વમાંથી લાખો મુસ્લિમો હજયાત્રા કરવા જાય છે.
(6:58 pm IST)