એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 28th March 2020

પંજાબમાં 31 જાન્યુઆરી પછી 1 લાખ નહીં પણ 55 હજાર એનઆરઆઈ આવ્યા છે : સ્વાસ્થ્ય મંત્રાલયની સ્પષ્ટતા

જલંધર : પંજાબ સરકારે એક સપ્તાહ પહેલા પંજાબમાં 31 જાન્યુઆરી પછી અંદાજે  1 લાખ જેટલા એનઆરઆઈ આવ્યા હોવાથી કેન્દ્ર સરકાર પાસે રાહત પેકેજ માગ્યું હતું. પરંતુ હવે  સ્વાસ્થ્ય મંત્રાલયે જરૂરી તપાસ કરતા જાણવા મળ્યા મુજબ 1 લાખ નહીં પરંતુ 55669 એનઆરઆઈ આવ્યા છે.જેઓ સ્વૈચ્છિક પણે આઇસોલેટ થાય તો કોરોના ફેલાતો અટકાવી શકાય
વધુમાં જાણવા મળ્યા મુજબ આ માટે એરપોર્ટ સહિતના સ્થળેથી સૂચિ મંગાવાઈ છે તથા તાત્કાલિક આ અંગે કાર્યવાહી થઇ રહી હોવાનું પંજાબ સરકારે જણાવ્યું હતું જે દરમિયાન લોકો સહકાર આપે તેમ જણાવ્યું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:02 pm IST)